________________
નમસ્કારમંત્રને અર્થબોધ
પાંચમું પદ બેલતાં લેક એટલે મનુષ્યલકમાં રહેલા સર્વ સાધુ ભગવતિને નમસ્કાર થાય. આમ પાંચ પદ બોલતાં પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય.
જે આત્મા ત્યાગ, સંયમ વગેરેનું આચરણ કરીને પરમ સ્થાને રહેલા હેય-પરમસ્થાનને પામેલા હેય, તે પરમેષ્ઠી કહેવાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંત ત્યાગ, સંયમ વગેરેનું આચરણ કરી પરમ સ્થાન પામેલા છે, તેથી તેમને પંચપરમેષ્ઠી કહેવામાં આવે છે.
પંચપરમેષ્ઠીમાં પહેલાં બે દેવ છે અને પછીના ત્રણ ગુરુ છે, એટલે પંચપરમેણીને નમસ્કાર કરતાં દેવ તથા ગુરૂને નમસ્કાર થાય છે.
एसो पंचनमुक्कारो, આ પાંચ નમસ્કાર सव्वपावप्पणासणो સર્વપાપપ્રણાશક છે. | સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. પ્રણાશક એટલે પ્રકૃષ્ટતાએ નાશ કરનાર, સંપૂર્ણ નાશ કરનાર, मंगलाणं च सव्वेसि । મંગલનું અને સર્વનું. અને સર્વ મંગલેનું. पढमं हवइ मंगलं ॥ પ્રથમ છે મંગલ પ્રથમ મંગલ છે. પ્રથમ એટલે ઉત્કૃષ્ટ, પંચપરમેષ્ઠીને