________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
'૮૩
અહીં વ્યવહારદષ્ટિ આપણી મદદે આવીને જણાવે છે કે
પંચપરમેષ્ઠીના બધા ગુણને વિચાર ભલે ન થઈ શકે પણ તેમના મુખ્ય મુખ્ય ગુણેને વિચાર કરવું જોઈએ.” અહીં સંપ્રદાય પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણે વિચારવાને છે.
આ સ્થળે એટલે ખુલાસે કર ઉચિત છે કે મંત્રવિશારદોએ મંત્રારાધનની બાબતમાં સંપ્રદાયને ખાસ મહત્વ આપ્યું છે, કારણ કે આ જગતમાં મંત્રારાધનની અનેક રીતિએ કે પદ્ધતિઓ ચાલી રહી છે. તે બધી પર દૃષ્ટિ દેડાવીએ તે મનમાં એક પ્રકારને ઝંઝાવાત ઊભો થાય અને બધું કામ ડહોળાઈ જાય, તેથી પિતાને જે સંપ્રદાય પ્રાપ્ત થયે હેય, તેમાં નિષ્ઠા રાખીને તેને અનુસરવું જ હિતાવહ છે.
૧૦૮ની સંખ્યામાં શું રહસ્ય છે? તે કહેવું મુશ્કેલ છે, પણ મંત્રશાસ્ત્રમાં તેને ખૂબ મહત્વ અપાયેલું છે. મંત્રદેવતાની સ્તુતિ ૧૦૮ નામ વડે થાય છે, મંત્રદેવતાની મહાપૂજા ૧૦૮ ઉપચાર વડે થાય છે અને જપ, હેમ વગેરેમાં પણ ૧૦૮નું પ્રાધાન્ય હોય છે. એ રીતે અહીં પંચપરમેષ્ઠીના ગુણે પણ ૧૦૮ માનવામાં આવ્યા છે.
અમને ગણિતમાં રસ છે અને સંખ્યાની કેટલીક ખૂબીઓ જાણીએ છીએ* એ દષ્ટિએ કહેવાનું મન થાય
* અમે ગણિત-ચમત્કાર, ગણિત-રહસ્ય અને ગણિત-સિદ્ધિ નામના ત્રણ ગ્રથ લખેલા છે અને તે ખૂબ લોકપ્રિય થયેલા છે. તેમાં વિવિધ સંખ્યામાં રહેલી ખૂબીઓને કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓએ તે અવશ્ય જે.