________________
નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે.
૫૫
તેઓ પરિસ્થિતિની વિકટતા સમજી ગયા, પણ ગભરાયા નહિ. તેમણે ઘરની બહાર મેટું તાળું લગાવી દીધું અને કુટુંબની વ્યક્તિઓને પાછલા બારણેથી અહીંતહી વિદાય કરી દીધી. પછી પિતે એ જ મકાનના એક ભાગમાં આસન જમાવી નમસ્કારમંત્રની ગણના કરવા લાગ્યા. તેમને નમસ્કારમંત્ર પર અનન્ય શ્રદ્ધા હતી. તેની ગણનાથી આજ સુધીમાં તેમનાં કેટલાયે વિકટ કાર્યો પાર પડ્યાં હતાં.
ધાડપાડુઓ ગામમાં દાખલ થતાં જ ગોળીબાર કરવા લાગ્યા, એટલે બધા લેકે ભયભીત થઈને પોતપોતાના સ્થાનમાં ભરાઈ ગયા. પછી પેલા ધાડપાડુઓ બેફામ લૂંટ કરતાં પેલા શ્રીમંતના ઘર આગળ આવ્યા, પણું તાળાંને લીધે ઘર ભૂલ્યા અને બાજુમાં તેના જેવું જ ઘર હતું, તેને એમનું ઘર માની, તેમાં દાખલ થઈ મનમાની મત્તા. ઉપાડી ચાલતા થયા
આ સ્સેિ દક્ષિણના પ્રવાસ દરમિયાન તે શેઠે જ અમને કહે છે અને તેની પ્રામાણિક્તા વિષે અમારા મનમાં જરાયે શંકા નથી.
ઝવેરાતનું પડીકુ સલામત રહ્યું!
એક જૈન ગૃહસ્થ હતા. તેમની સ્થિતિ સામાન્ય અને. માથે વ્યવહારને બેજે વધારે, એટલે તેઓ ઘણું કષ્ટમાં પિતાનું જીવન વ્યતીત કરતા હતા. તેઓ પ્રયાસ કરવામાં બાકી રાખતા નહિ, પણ “એક સાંધે ત્યાં તેર તૂટે એ અનુભવ થતું હતું. આખરે એક દિવસ તેમણે પિતાની આ