________________
[૮] નમસ્કારમંત્રનું અક્ષરસ્વરૂપ
મંત્રની રચના અક્ષરે વડે થાય છે, એટલે અક્ષર એ -અતિ મહત્વની વસ્તુ છે. અન્ય શબ્દોમાં કહીએ તે અક્ષરે
એ મંત્રદેવતાને દેહ છે, મંત્રદેવતાનું શરીર છે, તેથી તેને સાક્ષાત્ મંત્રદેવતા જ માનવા જોઈએ અને તેની કેઈ પણ પ્રકારે આશાતના ન થાય, તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
જે મંત્રના મૂળ અક્ષરેમાંથી કઈ પણ અક્ષર આઘેપાછે કે ઓછા-વત્ત થાય તે મંત્રદેવતાનું શરીર વિકૃત થાય છે અને તેથી ધાર્યું ફળ મળતું નથી. આ વસ્તુ બે વિદ્યાસાધકે દષ્ટાંતથી વધારે સ્પષ્ટ થશે.
બે વિદ્યાસાધકનું દૃષ્ટાંત બે વિદ્યાસાધકને ગુરુ તરફથી જુદી જુદી વિદ્યાઓ મળી અને તેને આમ્નાય પણ પ્રાપ્ત થયે. જે પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય અને સ્ત્રીદેવતાથી અધિષિત હોય તે વિદ્યા કહેવાય. તેમાં મંત્ર પાઠસિદ્ધ હેય અને વિદ્યા અનુષ્ઠાનસિદ્ધ હેય. આમ્નાય એ મંત્ર કે વિદ્યારૂપી તાળું