________________
[૬] નમસ્કારમંત્ર જિનશાસનને સાર છે.
ગત પ્રકરણમાં નમસ્કારમંત્રના અભુત મહિમાને કેટલેક પરિચય કરાવ્યું, તે પરથી તેની મહત્તા સમજાઈ હશે. હવે “નમસ્કારમંત્ર એ જિનશાસનને સાર છે એ વાત સ્પષ્ટતાથી સમજી લઈએ, જેથી તેની મહત્તા વિશિષ્ટ રૂપે આપણું હદયમાં અંક્તિ થશે અને તેનું પરિણામ ઘણું સુંદર આવશે.
સંયમસાધક જ્ઞાની મુનિવરેનાં એ વચન છે કે- जिणसासणस्स सारो, चउदसपुच्वाण जो समुद्धारो। जस्स मणे नवकारो, संसारो तस्स कि कुणइ ॥
જિનશાસનને સાર અને ચૌદ પૂર્વેને સમ્યગૂ ઉદ્ધાર એ નમસ્કાર જેના મનમાં રમે છે, તેને સંસાર શું કરી શકવાને?”
જિનશાસન એટલે જિનપ્રવચન કે જિનાગમ. શ્રત, સિદ્ધાંત, જિનવાણુ એ તેનાં અપરના છે. આ જિનવાણી;