________________
નમસ્કારમંત્રસિદ્ધિ
સ્થાન માનવામાં આવ્યું હતું. હવે સમ્યકત્વને એક પ્રકારનું રત્ન માનીએ તે નમસ્કારમંત્ર તેને ઉત્પન્ન થવા માટે રેહણાચલની ભૂમિ જેવું છે. તાત્પર્ય કે સહુથી પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે, તે નમસ્કારમંત્ર તરફ ભક્તિ-પ્રીતિ જાગ્યા વિના થતી નથી.
સંસારી જીની ગતિ ચાર પ્રકારની છે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમાં છેલ્લી બે ગતિને સુગતિ કહેવામાં આવે છે, કારણ કે તેમાં દુખ કરતાં સુખનું પ્રમાણ અધિક હેાય છે. આ બે ગતિના આયુષ્યબંધને એક પ્રકારનું વૃક્ષ ગણવામાં આવે તે નમસ્કારમંત્ર તેના પુષ્પસમે છે, અર્થાત એ બંધમાં ઉત્તમતા લાવનારે છે. પ્રાણુઓની ગતિ સુધારવામાં નમસ્કારમંત્ર અતિ અગત્યને ભાગ ભજવે છે, એમાં કોઈને શંકા છે ખરી?
વીતરાગદેએ ઉપદેશેલા દયામય ધર્મને સદ્ધર્મ ગણવામાં આવે છે. આ સદ્ધર્મ શંકા-કાંક્ષાદિ દોષથી રહિત હોય તે વિશુદ્ધ કહેવાય છે. તેની પ્રાપ્તિનું મુખ્ય ચિહ્ય નમસ્કારમંત્ર છે, એટલે કે નમસ્કારમંત્રની ભાવપૂર્વક ગણના થવા લાગે તે જાણવું કે હવે વિશુદ્ધ એવા સદ્ધર્મનું આરાધન શરૂ થયું છે. જ્યાં નમસ્કારમંત્રની ગણના નથી, ત્યાં ધર્મ નથી, ધર્મને સંસ્કાર નથી. ધર્મ પ્રત્યે લઈ જનારી મુખ્ય વસ્તુ નમસ્કાર છે. આ વસ્તુ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજે
લલિતવિસ્તરાચૈત્યવંદનાવૃત્તિમાં “ધ તિ મૂઢમૂત વન” એ શબ્દો વડે વ્યક્ત કરી છે.