________________
૧૭
નમસ્કારમંત્ર-નિરૂપણ આગનું પ્રગટવું, બંધન, રાક્ષસ, રણસંગ્રામ અને રાજા તરફથી ઉત્પન્ન થનાર ભયેને નાશ કરે છે.'
વિશેષમાં એમ પણ કહેવાયું છે કે• सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपा
ध्वान्तौषो विधुनेव तापततयः कल्पद्रुमेवाऽऽधयः । ताक्ष्यणेव फणाभृतो धनकदम्बेनेव दावाग्नयः, सच्चानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः॥
સિંહથી જેમ મદોન્મત્ત ગંધહસ્તિઓ, સૂર્યથી જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહ, ચંદ્રથી જેમ તાપના સમુદા, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાઓ, ગરુડથી જેમ ફણધારી વિષધરે અને મેદસમુદાયથી જેમ અરણ્યના દાવાન શાંત થાય છે, તેમ પરમેષ્ઠિમંત્રના તેજથી પ્રાણુઓનાં ઉપદ્રવે નાશ પામે છે.”
અહીં જે ત્રણ શબ્દથી “જન્મ-મરણના ભયમાંથી રક્ષણ” એ અર્થ અભિપ્રેત હોય તે નમસ્કાર મનુષ્યને જન્મ-મરણના ભયમાંથી પણ રક્ષણ આપે છે. કહ્યું છે કે
आराहणापुरस्सरमणनहियओ विसुद्धसुहलेसो। संसारुच्छेयकरंता मा सिढिलसु नमुक्कारं ॥
અનન્ય હૃદય અને વિશુદ્ધ વેશ્યા વડે આરાધાયેલો આ નમસ્કાર સંસારના ઉચ્છેદને કરનારે છે, તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ, એટલે કે તેના પર મંદ આદર ન કરે. ન. સિક