Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
A
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૮
આસો વદી અમાવાસ્યા, મુંબઈ.
અંક - ૨
તંત્રી પાનાચંદ રૂપચંદ
ક ઝવેરી
ઉદેશ આ શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને તે છે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની છે તે મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો છે
ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ આ
શ્રમણ ભગવાન મહાવીર અને શ્રેણિક મહારાજ
5
6
ક
શ્રી જૈનશાસનમાં જેમ ભગવાન શ્રી ઋષભદેવજી અને ભરત મહારાજા, ભગવાન અજિતનાથજી અને સગર ચક્રવર્તીનો અસીમ પૂજ્ય-પૂજક ભાવ હતો, તથા અન્ય શાસનમાં જેમ શ્રીરામચંદ્ર અને વાલ્મીકિષિ વગેરેનો આરાધ્ય-આરાધકભાવ સંબંધ હતો, લૌકિકમાં શિવાજી મહારાજ અને રામદાસજીનો જેવો પરસ્પર સેવ્ય-સેવકભાવ સંબંધ હતો, તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજા તરફ મહારાજા શ્રેણિકનો અદ્વિતીય અને અસાધારણ એવો પૂજ્ય ભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવનો સંબંધ હતો, એ વાત શ્રીજૈનશાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે અને ઈતિહાસપ્રેમી લોકો પણ એ વાત સ્પષ્ટ રીતે મંજુર કરે છે. આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓનો સંબંધકાલ વિચારવાની આવશ્યક્તા જરૂરી છે.
શ્રમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકનો સંબંધ વિચારવા પહેલાં એ બન્નેનાં રાજ્યોની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન
જ