Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩ ઓગસ્ટ ૧૯૪૦]
SIDDHACHAKRA
[Regd No. 3041
જૈનશાસ્ત્રની શ્રદ્ધાનો પ્રવાહ
આ વાત તો જગતમાં નિશ્ચિત છે કે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના વચનરૂપ છે છે. શાસ્ત્રોની, તથા તેમણે કહેલા પદાર્થોની શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિદ્વારાએ યથાસ્થિત exe પરિણતિ થયા સિવાય કોઈ પણ જીવ સમ્યકત્વવાળો થયો નથી, થતો નથી,
અને થઈ શકે પણ નહિં. વ્યવહારમય જગતમાં જેમ સાચા હિસાબને ગણનાર,
ગણાવનાર, માનનાર, અને મનાવનાર સિવાય કોઈ પણ પ્રમાણિકતાના ટેદરજ્જામાં આવી શકતો નથી, તેવી જ રીતે યથાવસ્થિત તત્ત્વોને કેવલજ્ઞાનથી =જાણનાર એવા સર્વજ્ઞ પરમાત્માના વચનોની એટલે એમાં કહેલા પદાર્થોની -
પ્રતીતિ વગર કોઈ પણ જીવ શુદ્ધશ્રદ્ધાવાળો એટલે સમ્યકત્વવાળો થઈ શકે નહિ. આ જગતમાં ખોટાં તોલાં અને ખોટાં માપોથી તોલનાર અને માપનાર મનુષ્ય કોઈ 28 દિવસ પણ પ્રામાણિક પુરૂષોની કોટિમાં આવી શકતો નથી, તેવી રીતે જે : as મહાનુભાવ વીતરાગપણાને પ્રાપ્ત કરી શક્યા નથી, કેવલજ્ઞાનને મેળવી શક્યા : જ નથી અને મત, ધર્મ કે શાસન સ્થાપવાનો દાવો કરી મત, ધર્મ કે શાસનને SS સ્થાપે છે તે મત, ધર્મ કે શાસન ખોટાં તોલાં અને ખોટા માપોથી અંશે પણ આ
છે ભિન્ન પડતાં નથી, અને તેવા અવીતરાગ અને અસર્વજ્ઞના કહેલા શાસ્ત્ર કે સ્થાપેલા છે 28 મત, ધર્મ કે શાસનદ્વારાએ પદાર્થને માનનારા મનુષ્યો કલ્યાણની કોટિની હૈ આ અપેક્ષાએ કોઈ દિવસ પણ સાચા માર્ગમાં આવેલા છે, એમ ગણી શકાય નહિં, , , તેમ કહી શકાય પણ નહિં. આ વાત અખિલ જૈનજનતામાં નિશ્ચિતપણે જણાયેલી છે અને મનાયેલી છે, છતાં ઉપર જણાવેલી વાતને વિચારતાં સ્વપક્ષીય અને છે પરપક્ષીયના વિવાદ વિભાગ વખતે જૈનજનતાને કોઈ પણ જાતની મુંઝવણ થતી = નથી, પરંતુ જૈનજનતાને જૈન તરીકે ગણાતા વર્ગમાં પદાર્થના પ્રતિપાદનમાં ભેદો 2:
જ પડે છે ત્યારે તેના તોલની વખત કે તે સંબંધી વિચાર કરવાની વખતે જૈનજનતાને આ * મુંઝવણનો પાર રહેતો નથી, એટલા માટે શ્રદ્ધાના વિષયને જૈનજનતાએ પણ 6 અત્યંત બારીકાઈથી તપાસવાની જરૂર છે. શાસ્ત્રકારો નીચે જણાવેલાં બે વાક્યો છે.
જગ જગા પર જણાવે છે તે ઉપર વ્યવહારથી સ્વપક્ષના મતભેદોને અંગે મુંઝાતી : જૈનપ્રજાનું ધ્યાન દોરવું તે અનાવશ્યક તો નથી જ.
(જુઓ અનુસંધાન પાનું ૪૧૬)