Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૦ : શ્રી સિદ્ધચક્ર]
ઉદ્દેશ્ય તરીકે રાખવામાં આવે છે તેવી જ રીતે વીતરાગ પરમાત્માદિક સાત ક્ષેત્રોની અંદર જો કે જ્ઞાન નામનું ક્ષેત્ર સામાન્ય જ્ઞાનનામથી જ ગણવામાં આવેલું છે તો પણ મુખ્યતાએ શ્રુતજ્ઞાન નામનું જ ક્ષેત્ર આરાધવામાં લેવું પડે એટલે આચાર અને આરાધના બન્નેના વિષયમાં સામાન્ય રીતે જ્ઞાનશબ્દ વપરાય છે, છતાં પણ તે જ્ઞાનનો આચાર અને તેની આરાધના શ્રુતજ્ઞાનના આચાર પાળવા અને શ્રુતજ્ઞાનની આરાધના દ્વારાએ જ થાય છે. શાસ્ત્રકારો પણ જ્ઞાનને દેવા લેવા જેવા વ્યવહારિક વિષયમાં મતિ-અવધિ-મન:પર્યવ અને કેવલ એ ચાર શાનોને ગ્રહણ કરવું, સ્થિર કરવું, અને અન્યને અર્પણ કરવું, અને વ્યાખ્યાના વિષયમાં લેવું એ ચાર બાબતમાં નિરૂપયોગી ગણીને તેને એક બાજુ રાખવાને લાયક ગણીને એક બાજુ રાખે છે, પરંતુ દેવા લાયક, સ્થિર કરવા લાયક, લેવા લાયક અને વ્યાખ્યા કરવા લાયક જો કોઈ પણ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન જ છે. એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. એટલે આચાર
આરાધના અને વ્યવહારના વિષયમાં અન્ય મતિજ્ઞાનક્ષેત્રની આરાધના કરવાની રહે છે.
અનેક પ્રકારના શ્રુતજ્ઞાનમાં આરાધ્ય ક્યું ?
તે
આદિ શાનો સમ્યજ્ઞાનો છતાં પણ ઉપયોગી નથી થતાં, પરંતુ શ્રી શ્રુતજ્ઞાન નામનું સમ્યજ્ઞાન જ માત્ર આચાર, આરાધના અને વ્યવહારના વિષયમાં ઉપયોગી થાય છે, એટલે હવે સ્પષ્ટ સમજાશે કે જ્ઞાન નામનું ક્ષેત્ર જે આરાધવા અને પોષવા માટે ગણવામાં આવેલું છે તે મુખ્યતાએ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ જ આરાધનાને પુષ્ટિને લઈને ગણવામાં આવેલું છે. જ્ઞાનક્ષેત્રની આરાધના સંજ્ઞાક્ષરની સ્થાપનારૂપી પુસ્તકો દ્વારાએ જ.
આગળ જણાવ્યા પ્રમાણે શાન નામનું ક્ષેત્ર જણાવેલી અપેક્ષાએ સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની માફક આધારદ્વારાએ આરાધનીય જ્ઞાનશબ્દથી પાંચે જ્ઞાનો ગણાય અને તે બધાં ન ગણાતાં પૃથક આરાધવા લાયક ગણાવ્યું છે, વળી આરાધ્ય ગણાયેલાં પણ છે, છતાં શાસનની ઉત્પત્તિ, સ્થિતિ અને વર્તનની સાથે શ્રીસંઘને મોક્ષનો માર્ગ
બતાવનાર અને મેળવી આપનાર શ્રી શ્રુતજ્ઞાન હોવાને લીધે શ્રુતજ્ઞાનને જ જ્ઞાનના ક્ષેત્ર તરીકે આરાધ્ય ગણવામાં આવ્યું છે અને તેમાં શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છતાં સંજ્ઞાક્ષર એટલે લીપીરૂપ લખેલ અક્ષરરૂપી શ્રુતજ્ઞાનને આરાધવાનું કરવા માટે ઉપાસનીય ગણવામાં આવ્યું છે. (અપૂર્ણ) (અનુસંધાન પેજ - ૪૪૯)
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
શ્રુતદ્વારાએ જ કરવામાં આવે છે, તેમ સમજાવાય અને પ્રવર્તે છે અને મતિ આદિ જ્ઞાનોની અંદર કોઈપણ જ્ઞાનમાં વાચક અક્ષરજ્ઞાન નામનો ભેદ લેવામાં આવતો નથી. અક્ષરજ્ઞાન નામનો ભેદ જો કોઈમાં પણ લેવામાં આવતો હોય તો તે માત્ર શ્રુતજ્ઞાનની અંદર જ છે. એટલુંજ નહિં પરંતુ લબ્ધિવ્યંજન અને સંજ્ઞા એવા નામના અક્ષરના ત્રણ ભેદો જે કહેવામાં આવે છે તે પણ શ્રુતજ્ઞાનને ઉદ્દેશીને જ છે અને સંજ્ઞાઅક્ષરદ્વારાએ જ વ્યંજન અને લબ્બક્ષરની જીવનશક્તિ મુખ્યતાએ પ્રવર્તે છે. એટલે સ્પષ્ટ થયું કે જ્ઞાનક્ષેત્રની આરાધનામાં શાનના આધારભૂત એવા ક્ષેત્રની આરાધનાને મુખ્યસ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ તેની આરાધનામાં શ્રુતજ્ઞાનને અને તેમાં પણ અક્ષરજ્ઞાનને અને તેમાં પણ સંશાક્ષરને મુખ્યતાએ સ્થાન આપવામાં આવેલું છે. એટલે જ્ઞાનક્ષેત્રની આરાધના કરનારા મહાનુભાવોને સંજ્ઞાક્ષરની સ્થાપનારૂપી પુસ્તકોની આરાધના અને તેની પુષ્ટિદ્વારાએ જ
વર્ષ ૮ અંક-૧૯-૨૦
જગતના વ્યવહારને જાણનારા મનુષ્યો પણ સમજી શકે તેમ છે કે અક્ષરદ્વારાએ જગતમાં સર્વશાસ્ત્રીય અને અશાસ્ત્રીય જ્ઞાનનો વ્યવહાર થાય છે. મતિ-અવધિ-મન:પર્યવ અને કેવલ સરખા સમ્યાનોનો પણ વ્યવહાર તો અક્ષરરૂપી