Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩૪
ભોગવી લેવાં અગર તપસ્યાદ્વારાએ કર્મોનો નાશ કરવો. તો પછી એ બે રસ્તામાં જે કર્મોને ભોગવવાનો રસ્તો છે તે એટલો બધો વિકટ છે કે તે ડગલે પગલે દુ:ખ દે અને ફેર તે દુઃખ ઉભું કરે, કારણકે તપસ્યાના સંસ્કાર વગરનો મનુષ્ય જે કંઈપણ દુઃખોને ભોગવે છે તે દુઃખોને ભોગવતી વખત દુઃખના કારણભૂત વસ્તુ પણ તે દુઃખને દેનાર ઉપર યાવત્ સંયોગમાં રહેલા કુટુંબીજન ઉપર અને સામગ્રી ઉપર અત્યન્ત ક્રોધવાળો થાય છે, અને તેથી તે દુઃખ વેઠવાદ્વારાએ ભવાંતરમાં કરેલાં પાપોનો જેટલે અંશે નાશ થાય તેના કરતાં ઘણા જ વધારે દરજ્જે કર્મોનો બંધ કરવાનો વખત આવે છે. માટે સુજ્ઞ મનુષ્યોને અંગે તો ભવાન્તરનાં અગર તદ્ભવનાં કર્મોને નાશ કરવાનો એક જ રસ્તો છે અને તે એ કે તપસ્યા કરવી.
કરેલા
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો તદ્ભવ કે ભવાંતરમાં કરેલાં કર્મોનો ભોગવ્યા સિવાય ક્ષય જ ન થતો હોય, તો જગત્માં કોઈપણ ધર્મ પ્રવર્તે નહિં, કે જગને કોઈએ ધર્મ કરવાની આજ્ઞા ફરમાવવી જોઈએ નહિ. એટલું જ નહિ, પણ ગુન્હાની માફી માગવી તે સર્વથા બેવકુફી જ ગણાય. અને કરેલાં પાપોનું પ્રાયશ્ચિત કરવું તે ઢોંગ રૂપજ ગણાય, પરન્તુ તપસ્યાથી કર્મોનો ક્ષય થાય છે માટેજ ધર્મ અને માફી કે પ્રાયશ્ચિતની સફળતા જરૂર ગણવામાં આવી છે. .
તપ એ કર્મક્ષયનું કારણ છે
આ વસ્તુ ધ્યાનમાં લેનારો મનુષ્ય ભવાન્તરના કર્મના ક્ષયની ઈચ્છાવાળો હોય તો તપસ્યાને
તા. ૩-૧૧-૧૯૩૭
આદર્યા સિવાય કોઈ દિવસ રહી શકે જ નહિ. કેટલાક બીચારા અજ્ઞાની લોકો કર્મ અને તેના ક્ષયના ઉપાયોને નહીં સમજતા હોવાને લીધે પોતે કર્મક્ષયને લીધે તપસ્યામાં તૈયાર નથી થતા, એટલું જ નહીં, પણ બીજા ધર્મપરાયણ લોકો કર્મક્ષયને માટે તપસ્યા કરતા હોય તે તપસ્યાને રોકવા માટે ભરમાવવા તૈયાર થાય છે. તેઓ એવો બકવાસ કરે છે કે તપસ્યા કરનારના પેટમાં રહેલા જીવો તપસ્યા કરવાથી દુઃખી થાય માટે તપસ્યા કરનારને લાભ નથી. પણ નુકસાન જ છે. આવો તેઓનો બકવાસ કેવલ મૂર્ખતાનું શિખર જ છે. કેમ કે ચાહે જેટલી તપસ્યા થાય તો પણ જ્યાં સુધી જીવન હોય છે ત્યાં સુધી પેટમાં રહેલા જીવોને લાયકનો ખોરાક તો પેટમાં હોય જ છે. એટલે વાસ્તવિક રીતે તો પેટના જીવોના નામે પોતાને જ પતરાળીઓ પધરાવવી છે. એટલે સમજુ મનુષ્ય એવા મૂર્ખાઓના બકવાસને કાનમાં પણ ન ધારે એ સ્વભાવિક જ છે.
ઇંદ્રિયરૂપઅશ્વને માટે તપસ્યા લગામ છે.
બીજી બાજુ આત્મા આહારદ્વારા એ જ શરીર અને ઇન્દ્રિયોને અત્યન્ત પુષ્ટ કરે છે, અને શરીર ઘોડાની માફક દોડાવે છે. તેવે વખતે તે પામરપ્રાણી તથા ઇન્દ્રિયોની પુષ્ટિ મનના વેગને પવનવેગી પાપના કેટલાં પોટલા બાંધતો હશે તે વાત વિચક્ષણો જ સમજી શકે, માટે નવા પાપને રોકવાની ઈચ્છાવાળાએ પણ તપસ્યાનો આદર કરવાની જરૂર છે. વળી જીવો ભવાંતરમાં કે આ ભવમાં જે પાપકર્મ