________________
૭૬
ભાવતીર્થ - રત્નત્રયી છે. સ્થૂલભદ્રજીથી પ્રતિબોધ પામી શ્રાવિકા બનેલ કોશા પણ ગંભીરતા ગુણના કારણે સિંહગુફાવાસી મુનિનું હિત કરી શકી. સિંહગુફાવાસી મુનિ જે દિવસે કોશાના આવાસે ચાતુર્માસ કરવા આવ્યા, તે દિવસથી જ કોશા સમજી ગઈ કે સ્થૂલભદ્રજીની હરિફાઈ કરવા આવ્યા છે. આ વ્રતધારી શ્રાવિકા છે, તેથી સાધુના આચાર જાણે છે કે આ રીતે એકલા ગણિકાને ત્યાં સાધુ ચોમાસું કરવા ન આવે. સ્થૂલભદ્રજી આવ્યા ત્યારે તે શ્રાવિકા નહોતી. ઊલટું તે તો તેમને ઝંખતી હતી, અનુરાગિણી હતી, ત્યારના સંયોગો જુદા હતા. આ વખતે તો મહારાજ આવ્યા કે સમજી ગઈ કે આ મુનિ સ્થૂલભદ્રજીની હરિફાઈ કરવા આવ્યા છે, પરંતુ તેને ખાતરી છે કે આવી હરિફાઈમાં ટકવું મુશ્કેલ છે. સ્થૂલભદ્રજીએ અનુકૂળ ઉપસર્ગને કેવા સત્ત્વ-મનોબળથી જીત્યો છે, તે કોશા જ જાણે છે. કસોટીમાં તેમના સત્ત્વની તોલે આવવું અતિ દુષ્કર છે, તેથી મહારાજ પતનના માર્ગે આવ્યા છે, તેની તેને ખાતરી છે. તમે જો કોશાની જગાએ હો તો ત્યાં જ બોલવાનું ચાલુ કરો કે “મહારાજ ! આ ઉપાશ્રય નથી. અહીં રહેવું તમારા આચારવિરુદ્ધ છે.' તમે જાણકાર હો અને હિતશિક્ષા ન આપો તો ચેન પડે ખરું ?
સભા : અમે પતન થાય તે પહેલાં સ્થિર કરી દઈએ.
સાહેબજી : ભોપાળું વાળો. પોતાનામાં ધીરતા, ગંભીરતા, સહિષ્ણુતા, ઉદારતા છે નહીં, અને એમ ને એમ આખા ગામને સુધારવા નીકળવું છે.
સભા : મર્યાદામાં જ ધીરજ રખાય ને ?
સાહેબજી : આની ધીરજ limitમાં જ છે. અવસર વિચારીને જ બધું કરશે. સિંહગુફાવાસી મુનિને ચારિત્રમાં સ્થિર કરવાની જ પ્રથમથી કોશાની ભાવના છે, પરંતુ અવસર વિના હિતશિક્ષાનો એક અક્ષર પણ બોલશે નહીં. કોશા પાસે રત્નત્રયી છે, શાસ્ત્રનો બોધ છે, હિતાહિતનું ભાન अथ कोशाप्युवाचैवं कम्बलं मूढ ! शोचसि। गुणरत्नमयं श्वभ्रे पतन्तं स्वं न शोचसि? ।।१६३।। तच्छ्रुत्वा जातसंवेगो मुनिस्तामित्यवोचत। बोधितोऽस्मि त्वया साधु संसारात्साधु रक्षितः ।।१६४ ।। अघान्यतीचारभवान्युन्मूलयितुमात्मनः । यास्यामि गुरुपादान्ते धर्मलाभस्तवानघे! ।।१६५ ।। कोशाऽपि तमुवाचैवं मिथ्या मे दुष्कृतं त्वयि। ब्रह्मव्रतस्थयाऽप्येवं मया यदसि खेदितः । ।१६६ ।। आशातनेयं युष्माकं बोधहेतोर्मया कृता। क्षन्तव्या सा गुरुवचः श्रयध्वं यात सत्वरम्।।१६७ ।। इच्छामीति वदन् गत्वा सम्भूतविजयान्तिके। गृहीत्वालोचनां तीक्ष्णमाचचार पुनस्तपः ।।१६८।।
(રિશિષ્ટ પર્વ, સર્જ-૮) १. चाडुपडू पारद्धा सा तं रमिउं न सक्किया जाव। तत्तो पसंतमोहा सुयधम्मा साविया जाया।।५३।। रायाभिओगविरहेण कोइ पुरिसो मए न रमियव्वो। इय सा अबंभविरती पडिवज्जइ वज्जियवियारा।।५४ ।।
(પલેશપદ્ધ મહાપ્રન્થ, સ્નો-૨૭, ટીવા) * त्वयि पूर्वमिवाज्ञानाद्रन्तुकामां धिगीश माम्। आत्मानमिति निन्दन्ती साऽपतत्तस्य पादयोः ।।१३० ।। मुनेस्तस्येन्द्रियजयप्रकर्षण चमत्कृता। प्रपेदे श्रावकत्वं साऽग्रहीच्चैवमभिग्रहम्।।१३१।। तुष्टः कदापि कस्मैचिद्ददाति यदि मां नृपः । विना पुमांसमेकं तमन्यत्र नियमो मम।।१३२।।
(પરિશિષ્ટ પર્વ, સ-૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org