________________
૩૦૦
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસાસનું, સાસનું બાળ શ્રનિબાનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારનું અવલોકન કરીએ તો દેખાય કે આ સંસાર અન્યાયથી ભરપૂર છે; કારણ કે સંસારમાં કર્મસત્તાનું પ્રબળ વર્ચસ્વ છે. કર્મસત્તા પોતે અન્યાયી છે, તેના સાગરિતોમાં અગ્રેસર સાગરિત મોહ છે, જે જગતનાં તમામ અનિષ્ટોનું મૂળ છે. વિશ્વમાં જેજે દુર્જનતા દેખાય છે તે બધી આ મોહને આભારી છે. જીવોમાં મોહ ન હોય તો સંસારમાં કોઈ પાપ ન કરે. બધા પાપની પ્રેરણા આ મોહ જ કરાવે છે. જૈન ફિલોસોફી પ્રમાણે આ વિશ્વમાં જે કાંઈપણ ખરાબ-અનિષ્ટ બને છે તેમાં ક્યાંય ઈશ્વરનો રોલ નથી, પરંતુ આ મોહ કે જે સર્વ દુષ્ટતાનું પ્રેરક બળ છે તે છે. તેની જીવસૃષ્ટિ ઉપર જબરદસ્ત પકડ છે. કર્મસત્તા પણ વિશ્વનો કારભાર મોહરાજાને સોંપીને મજા કરે છે. મોહના પ્રચંડ સામ્રાજ્ય સામે વૈશ્વિક ન્યાય પ્રવર્તાવવો તે અતિ દુષ્કર કામ છે.
લૌકિકન્યાયપ્રવર્તનમાં સાર્વભૌમ સત્તા રાજા :
લોકમાં લૌકિક ન્યાય ફેલાવવો તે પણ નાનું-સૂનું કામ નથી. રાજા બનનારની ફરજ છે કે 'પ્રજામાં જેટલાં દુષ્ટ-દુર્જન તત્ત્વો હોય, જે આપમેળે મર્યાદામાં-અંકુશમાં ન ૨હે તેને પણ સત્તાના બળથી અંકુશમાં રાખવાં, જેથી સજ્જન પ્રજાનું રક્ષણ અને ઉન્નતિ થાય. આ કરવા પ્રજામાં સતત ન્યાય સ્થાપિત કરવો તે જ રાજાનું કાર્ય છે. યુગલિકોમાં જ્યારે કષાયો વધવાથી ૧. ૬૩: શાપ્તિ પ્રના: સર્વા, ર્જ્ડ ડ્વામિરક્ષતિ
ર′: સુપ્તેષુ નાતિ, વળ્યું ધર્મ વિદુર્જીયા:।।૨।।
(શ્રી વેન્વાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૨) ૨. અન્યત્ત્વાહાસ્ય રાખ્યાવિ-પ્રવાને જોષ વ તુ। મહાધિ×ળત્વેન, તત્ત્વમાર્રેડવિવક્ષ: ||૧|| અપ્રવાને ફ્રિ राज्यस्य, नायकाभावतो जनाः । । मिथो वै कालदोषेण, मर्यादाभेदकारिणः ||२|| विनश्यन्त्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः । । ३ । । तस्मात्तदुपकाराय, तत्प्रदानं गुणावहम्। परार्थदीक्षितस्यास्य, विशेषेण जगद्गुरोः । ।४ ।। एवं विवाहधर्मादौ, तथा शिल्पनिरूपणे । न दोष ह्युत्तमं पुण्य- मित्थमेव विपच्यते । । ५ । । किञ्चेहाधिकदोषेभ्यः, सत्त्वानां रक्षणं तु यत्। उपकारस्तदेवैषां, प्रवृत्त्यङ्गं तथास्य च।।६।। नागादे रक्षणं यद्वद्गर्त्ताद्याकर्षणेन तु । कुर्वन्न दोषवांस्तद्वदन्यथासम्भवादयम् ।।७।। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते । । ८ । ।
(અષ્ટ પ્રરા, અષ્ટ-૨૮, શ્લો-સ્ થી ૮મૂલ)
Jain Education International
(નોંધ :- આ અંગે અધિક જાણકારી માટે અટ્ઠચાવીસમા અષ્ટકની આખી ટીકા જોવી.)
For Personal & Private Use Only
www.jainelibrary.org