Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 475
________________ ૪૩૮ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : પંચેન્દ્રિયના માંસમાં કેવા જીવ હોય ? સાહેબજી : ત્રસ જીવો પણ હોઈ શકે અને નિગોદરૂપે અનંતા જીવો તો હોય જ. આ દુનિયામાં દરેકને બીજા પર દુઃખ-ત્રાસ આવે ત્યાં સુધી વાંધો નથી, તે જ દુઃખ પોતાના પર આવે એટલે સ્ત્રીંગની જેમ ઊછળે. પેલો વૈજ્ઞાનિક માંસની હિમાયત કરવા ગયો તો પોતે જ ફસાઈ ગયો; કેમ કે મનમાં નિયમ એવો હતો કે બીજાનું માંસ ખાવામાં વાંધો નહિ, પરંતુ પોતાના માંસની વાત આવી ત્યારે મનમાં rights of living (જીવવાના હક) યાદ આવે, આ જ rights of living (જીવવાના હક) બીજાની વાતમાં ઊડી જાય. તીર્થકરોએ આને જ અનુચિત વર્તન કહ્યું છે. તમારે અનુચિત વર્તન છોડવું હોય તો પહેલાં નક્કી કરવું પડે કે બને ત્યાં સુધી કોઈ જીવને ત્રાસ-હેરાનગતિ ન થાય તે રીતે જીવીશ, અને કદાચ ત્રાસહેરાનગતિ કરવામાં આવે તો ત્યારે નક્કી કરવું પડે કે તેના કરતાં ઉન્નત જીવન જીવીશ; તે જીવીને જેટલું સારું નહિ કરે તેના કરતાં કાંઈ ગણું સારું હું કરવાનો છું. એવા સંકલ્પયુક્ત આચરણ કરનાર ધર્માત્મા ક્યારેક કોઈક કર્તવ્યપાલન આદિ માટે હિંસા કરે તો પણ તેમને પાપ ન બંધાય, તેવું શાસ્ત્ર કહે છે. તીર્થકરોનું લોકોત્તર ઔચિત્યપાલન : ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા, આટલા મોટા રાજપાટ-વૈભવ ઊભા કર્યા-ભોગવ્યા, તેમાં અનેક જીવોની હિંસા થઈ હશે, છતાં આ બધું કરતી વખતે તેમના જીવનમાં સતત ઉચિત વર્તન જ હતું, ક્યાંય અનુચિત વર્તન શોધ્યુંય ન જડે. રાજસિંહાસન પર બેઠા પણ પ્રજામાં ન્યાય ફેલાવ્યો, રાજ્યસંચાલન તરીકે જે જે પ્રવૃત્તિ કરી તે જગતના-લોકના હિત માટે કરી, ક્યાંય સ્વાર્થની ભાવના ન હતી. કોઈ જીવની હિંસા કરવાની આવી તો એકની હિંસાથી બહુ મોટી સમષ્ટિને લાભ થાય તે રીતે પ્રવૃત્તિ કરી, તેથી તેને ઉચિત વર્તન જ કહેવાય. ગૃહસ્થજીવનનો એક દિવસ શું, એક ક્ષણ પણ વિકારની પૂર્તિ કે વાસના પોષવા માટે તેઓશ્રી જીવ્યા નથી. ભોગો ભોગવ્યા તો પણ અનાસક્તિથી જ ભોગવ્યા. સંસારની પ્રવૃત્તિમાં તેમણે ક્યાંય પોતાના રાગ-દ્વેષને પોષ્યા નથી કે અપ્રશસ્ત રાગ-દ્વેષના ભાવ કર્યા નથી. સ્વ-પરના હિતમાં જેટલું કર્તવ્યરૂપે જરૂરી હતું તેટલું જ કર્યું છે. તેમણે ઉચિત વર્તનની આજ્ઞા પોતાના જીવનમાં પાળીને પછી ઉપદેશી છે. જૈન શાસ્ત્રમાં તીર્થકરોના ચરિત્ર એવાં હોય છે કે તીર્થંકરમાં જે ગુણો બતાવ્યા છે તેને અનુરૂપ જ તેમનો આચાર હોય છે. જ્યારે અન્ય મહાભારતમાં શ્રીકૃષ્ણ યોગેશ્વર કહેવાય, પણ વાતવાતમાં કૂડ-કપટ, અયોગ્ય વર્તન આચરે, અમુક વર્તન તો સામાન્ય સજ્જન પણ ન કરે, છતાં તેને પ્રભુની લીલા કહીને અહોભાવ વ્યક્ત કરે. જૈનશાસ્ત્રો આવી લીલાની ટીકા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508