Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 442
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૦૫ જિનાજ્ઞાઓનું (કાયદા-કાનૂનનું) પાલન કરવું છે. આવા અનુયાયીને શાસ્ત્રમાં સંપૂર્ણ આશાંકિત, સંપૂર્ણ સમર્પિત કહ્યો. તેવી વ્યક્તિના જીવનમાં કોઈ જીવ પ્રત્યે અન્યાયી વર્તન ન હોય અને તેને પણ કોઈના તરફથી અન્યાય ન હોય. તેવી સર્વ જીવ હિતકારી જીવનપદ્ધતિ તેના જીવનમાં સંપૂર્ણ જિનાજ્ઞાપાલનના કારણે હોય. ધર્મસત્તાને સમર્પિત થવાનું આ શ્રેષ્ઠ ધોરણ છે, જે સુરાજ્યના ઉત્કૃષ્ટ સભ્ય નાગરિક જેવું છે. ધર્મસત્તાનું શરણ સ્વીકારવું અને સંપૂર્ણ સમર્પિત થવું એ બેમાં આભ-જમીનનું અંતર છે. ધર્મશાસનના બંધારણરૂપ બધાં શાસ્ત્રોને શિરોમાન્ય કરે, તેના પ્રત્યે અટલ શ્રદ્ધા-વફાદારી દિલથી વ્યક્ત કરે, પરંતુ કાયદા-કાનૂન બધા ન પાળે તો તેણે શરણ સ્વીકાર્યું કહેવાય અર્થાત્ દેશનો નાગરિક કહેવાય, પણ સમર્પિત ન કહેવાય; કારણ કે હજી ઘણા કાયદા-કાનૂનનું પાલન કરતો નથી, અપરાધ કરે છે. સભા : જિનાજ્ઞાને સંપૂર્ણ સમર્પિત જીવ બીજા જીવોને અન્યાય ન કરે તે બની શકે, પણ બીજા તેને અન્યાય ન કરે તેવું કેવી રીતે બને ? સાહેબજી : બીજા તરફથી પણ ગણતરીમાં લઈ શકાય તેવો અન્યાય તેને ન જ આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે સંપૂર્ણ જિનાજ્ઞામાં રહે તેના શુભ મનોરથો નિયમા ફળે. તેને કદી જીવનમાં આજ્ઞાપાલનના પ્રભાવે એવું વિદન આવે જ નહીં કે જે તેનો આત્મવિકાસ ઉથલાવે. તમને હજી આ ભૂમિકા, તેનું માનસ અને તેનો મહિમા ખબર નથી. Guarantee (પાકી બાંહેધરી) સાથે લખ્યું છે કે તેવા વિ તં નમંતિ ન ઘને સયા મો જેમનું મન હંમેશ માટે ધર્મમાં હોય છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે, અથવા તો વિનસંપલામ (વિમ્બરહિતપણે સંપત્તિઓનું આગમન) તેવો મહિમા દર્શાવ્યો છે. સભા : ભગવાનને પણ ઉપસર્ગો થયા જ છે ને ? સાહેબજી : ઉપસર્ગોએ ભગવાનની સાધનામાં કોઈ વિઘ્ન કર્યું જ નથી, ઉલટો સાધનામાં વેગ પૂર્યો છે. પ્રભુ પોતે પણ તેને અન્યાય કે વિક્ષેપ માનતા જ નથી, ઊલટું વિચારે છે કે કર્મનિર્જરાનું સારું સાધન આવ્યું. પ્રભુને જો એ ઉપસર્ગ ખરેખર સાધનામાં ઉપસર્ગકારી લાગે, તોપણ તે ત્યાં ને ત્યાં ટળી જાય; કારણ કે પ્રભુ તો સિદ્ધયોગી છે. તેમની ભૂમિકા સમજવા તમારે ફૂટપટ્ટી બદલવી પડશે. १. इय सो महाणुभावो सव्वत्थवि अविहिभावचागेण| चरियं विसुद्धधम्मं अक्खलियाराहगो जाओ।।४१२।। इत्येवमुक्तनीत्या संकाशजीवो महानुभावः समुद्घटितप्रशस्तसामर्थ्यः सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य विशुद्धधर्मं श्रुतचारित्रलक्षणमस्खलिताराधको निर्वाणस्य અજ્ઞાત (૩૫વેશપલ, શ્લોવ-૪૨૨ મૂન-ટીવા) २. एवं तद्विघातरहिता: अवन्ध्यपुण्यबीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत्, तथा अधिकानुपपत्तेः नातोऽधिकं पुण्यं, एवं पापक्षयभावात् निर्दग्धमेतत्, तथाऽहेतुकविघातासिद्धेः सदा सत्वादिभावेन ४। (हरिभद्रसूरिजी कृता ललितविस्तरा - धर्मनायकपदविवरण) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508