Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીનેા સચમધમ [ શ્રીસૂત્રકૃતાંગને છાયાનુવાદ ] સંપાદક આપાલદાસ જીવાભાઈ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળા ૧. સુનિપાત એ સુપ્રસિહ બૌદ્ધ ગ્રંથને ગુજરાતી અનુવાદ ૨. ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ મઝિમનિકાય' ના પ્રથમ ૫૦ સંવાદો ૩. ભગવાન મહાવીરની ધર્મકથાઓ “નાયાધમ્મકહાસુર”ને ગુજરાતી અનુવાદ છે, ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઉવાસગદસાસુરને ગુજરાતી અનુવાદ , જેનદષ્ટિએ બહાચર્યવિચાર એક સ્વતંત્ર નિબંધ છે. સન્મતિ પ્રકરણ મૂળ, ગુજરાતી અનુવાદ, ટિપ્પણું ઇ. ७. जिनागमकथासंग्रह પ્રાકૃત વ્યાકરણ, કેશ, ટિપ્પણ સાથે ૮. શ્રીમદની જીવનયાત્રા શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા ૯. શ્રીરાજચંદ્રનાં વિચારીને તેમનાં લખાણમાંથી વિષયવાર તારવેલા ઉતારા. ૦-૨૦ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ અને મુંબઈ () Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂંજાભાઈ જૈનગ્રંથમાલા-૧૦ મહાવીરસ્વામીને સંયમધર્મ [જૈન આગમ સૂત્રકૃતાંગને છાયાનુવાદ ] સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ 'बुझिजत्ति तिउहिज्जा बन्धणं परिजाणिया' જીવના બધનનું કારણ જાણી, તેને દૂર કરવું. સૂત્ર પ્રાપ્તિસ્થાન - નવજીવન કાર્યાલય અમદાવાદ અને મુંબઈ (૨) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ ગોપાલદાસ જીવાભાઈ પટેલ, મંત્રી, જૈન સાહિત્ય પ્રકાશન મંડળ, અમદાવાદ વજન એક વિશ્વ યુવક: બાલુભાઈ મગનલાલ દેસાઈ, મણિ મુદ્રણાલય, કાલુપુર, અમદાવાદ ને કાર કિંમત એક રૂપિયે Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ ગ્રન્થ પ્રસિદ્ધ જૈન આગમ સૂત્રકૃતાંગના છાયાનુવાદ છે. એટલે કે, મૂળ ગ્રન્થની પૂરેપૂરી છાયા પ્રામાણિકપણે સધરાય એ દિષ્ટ રાખી, મૂળ ગ્રંથના વિષયાનુ સ્વત ંત્ર શૈલીથી આમાં સંપાદન કરવામાં આવ્યું છે. આ શૈલી ગ્રહણ કરવાનું સૂઝ્યું તે। આ વિચારથી કે મૂળ ગ્રન્થ નહિ નહિ તેય ૨૦૦૦ ઉપર વરસના જૂના ગણાય. તેની શૈલી — પુસ્તકરચના તથા વિષયનિરૂપણું વગેરે — સૌ રીતે તે જમાનાને યાગ્ય હોય. આજે એ જ શૈલીનેા ગ્રન્થ : - આ લોકપ્રિય થાય. આ માળાના પ્રધાન ઉદ્દેશ તા આ આપણા જૂના અમૂલ્ય વારસાને આજે સમાજગત કરવાને હાઈ, શૈલીભેદ કરવા જ ઘટે. એ પરથી આ અનુવાદનું સ્વરૂપ સૂઝયું. એ સ્વરૂપ લેકપ્રિય, સકળ છે કે કેમ એ અભ્યાસીગણ જણાવે એવી વિનંતી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ શૈલી અનુસરતાં ગ્રંથસંક્ષેપ આપોઆપ જ થાય. એ દેખીતું છે. જૂની સંવાદશૈલીમાં વસ્તુ ઉપર ભાર દેવા તેનું અનેકરૂપે પુનરાવર્તન કરાતું જોવામાં આવે છે. એ વસ્તુને છેદ ઉડાડવાનું તે સહેજે જ સૂઝે. એ એક સંક્ષેપક ફેરફાર તે અનુવાદમાં છે જ. ઉપરાંત, ચાલુ પ્રકરણનું વસ્તુ કમબદ્ધ થઈને જે રજૂ થાય, તે આજના વાચકને વધારે ફાવે. એથી કરીને અનુવાદમાં ફકરા પાડવાની ગોઠવણ સ્વીકારી છે. અને એમ કરતાં દલીલને ક્રમબદ્ધ કરવા મૂળના લોકોને ઉપર નીચે કરવા પડ્યા છે. અભ્યાસીની અનુકૂળતાને વિચાર કરીને, ફકરાને અંતે મૂળમાંના સ્થાનને નિર્દેશ કરેલ છે. ફકરા પાડવા ઉપરાંત પ્રકરણોમાં પણ વિષયની રજૂઆતની દષ્ટિએ સ્થાનાંતર, સંક્ષેપ વગેરે થઈ શકત. પણ એ ફેરફાર એટલે બધે આવશ્યક ન જણવાથી અને બને ત્યાં સુધી મૂળને રચનાક્રમાદિને વળગી રહેવાના ઇરાદાથી તે નથી કર્યું. ક્યાંક પ્રકરણને નામફેર કર્યો છે એટલું જ. આવી જાતના ફેરફારો જ્યાં કર્યા છે, ત્યાં નીચે નોંધમાં એ બતાવવાનો નિયમ રાખે છે. મૂળ ગ્રંથમાં વિદ્યમાન ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક વગેરે બધી હકીકત તથા સામગ્રીને એમની છાયારૂપે આ ગ્રન્થમાં પૂરું સ્થાન આપેલું જ છે એ વાત જણાવવાની ભાગ્યે જરૂર હોય. સૂત્રકૃતાંગને મોટે ભાગ પદ્યાત્મક છે. એટલે તેમાંથી સુભાષિત જેવા કે અનેક મળી આવે તેમ છે. તેમાંથી Page #8 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ચૂંટી કાઢી, મૂળ પ્રાકૃતમાં ગુજરાતી ભાવા સહિત પુસ્તકને અંતે આપ્યા છે. તે ઉપરથી મૂળની ભાષા તેમજ શૈલીને કાંઈક ખ્યાલ વાચકને આવી શકશે. ગ્રંથમાંના વસ્તુને સમાવવાની દૃષ્ટિએ તેમજ જૈનઆગમ ગ્રા અને તેમના ઇતિહાસના કાંઈક ખ્યાલ અજૈન વાચકને પણ મળી રહે તે દૃષ્ટિથી શરૂઆતમાં વિસ્તૃત ઉપાદ્ઘાત જોડવો છે, તેમાં આપેલી માહિતી બધા મુદ્દાઓની આબતમાં શ્વેતાંબર કે દિગંબર એમાંથી કોઈ એક જ પરંપરાને અનુસરતી નહિ માલૂમ પડે. સામાન્ય રીતે આધુનિક વિદ્વાન અને પરપરાની વિગતો ભેળવીને જે સામાન્ય ખાખુ ઉપજાવે છે, તેને અનુસરવાના તેમાં પ્રયત્ન કર્યાં છે. ભગવાન મહાવીરના કાલનિયની ખાખતમાં સામાન્ય રીતે જૈનપર'પરા જે સમય સ્વીકારે છે, તે જ સ્વીકારેલા છે. પરંતુ તેને અંગે કેટલાક વખતથી ઉદ્ભવેલી ચર્ચા વાચકના ખ્યાલ બહાર ન રહે તે માટે, તે વિષે વધુ પુસ્તકને અંતે પૂર્તિમાં જણાવેલું છે. અભ્યાસીને ઉપયોગી થાય તે દૃષ્ટિથી ગ્રંથના વિષયેાની અને વિશેષનામેાની સૂચિ પણ સાથે જોડેલી છે. આ અનુવાદ તથા ટિપ્પા વગેરે તૈયાર કરવામાં ૫. બેચરદાસજીના પુરાતત્ત્વ ’માં પ્રસિદ્ધ થયેલા ‘સૂત્રકૃતાંગ’ વિષેના લેખાની તેમજ પ્રા॰ જેાખીના અનુવાદની જે મદદ લીધેલી છે, તેની અહીં નોંધ લેવી ઘટે છે. તથા, જ્યારે જ્યારે મુશ્કેલી કે શંકા પડી, ત્યારે ત્યારે ૫. સુખલાલજીએ કામનું ખાણુ હોવા છતાં સદ્ભાવથી તરત જ જે મદદ આપી, તે માટે તેમના પશુ અહીં આભાર માનવા ઘટે છે. છ Page #9 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી આનંદશંકરભાઈએ નાદુરસ્ત તબિયત તથા અનેક કામના બેજાઓની ઉપરવટ થઈને જે પ્રસ્તાવના લખી આપી છે, તે બદલ તેમને આભાર માનવામાં વાચકવર્ગ પણ સામેલ થશે એવી ખાતરી છે. – સંપાદક Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ ગ્રન્થ જૈન આગમના એક પ્રાચીન ગ્રન્થસૂત્રકૃતાંગ – “છાયાનુવાદ” છે. દર્પણમાં પડતી “છાયા? તે મૂળનું સર્વશે પ્રતિબિમ્બ હોય છે, પણ આ “છાયા” એટલે પડછાયઃ માત્ર આકૃતિનું દર્શન. તે વાચક આગળ મૂકવામાં અનુવાદકર્તાનો એક સ્તુત્ય ઉદ્દેશ એ છે કે, આવા પ્રાચીન ગ્રન્થના જે ભાગમાં આજકાલના જમાનાને રસ નથી અને જે જાણવાથી ખાસ લાભ થવાને પણ સંભવ નથી, તેવા ભાગ છેડી દઈ માત્ર જે ભાગ અત્યારના વાચકને રસ ઉપજાવે, જ્ઞાન આપે, અને લાભ કરે, તેવા ભાગ જ રજૂ કરવા. આ અનુવાદપદ્ધતિ પં. સુખલાલજીએ “તત્વાર્થાધિગમસૂત્ર' ના અનુવાદમાં સ્વીકારી હતી, અને એ જ અત્રે ચાલુ રાખવામાં અનુવાદકે બહુ ડહાપણ વાપર્યું છે અને ગૂજરાતના સર્વ વાચકોની – જૈનેની તેમજ જૈનેતરની – સારી સેવા બજાવી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ” એ જૈન આગમને એક પ્રાચીન તેમજ બહુ મૂલ્યવાન ગ્રન્થ છે. એમાં “નવા દીક્ષા પામેલા શ્રમણોને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે જૈન સિદ્ધાન્તોનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલું જ નહિ પણ, વર્તમાન સમયના વાચકને, જેને આપણું દેશની પ્રાચીન બુદ્ધિ સંપત્તિ જાણવા ઉત્સુકતા હોય, તેને જૈન સાથે જૈનેતર “બીજા વાદીઓના સિદ્ધાંત જાણવાનું પણ મળે છે. તેમજ કઈ ભાઈને ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં ઊંચે ચઢવા ઈચ્છા હોય, તેને જૈન-જૈનેતર એવા શુદ્ર ભેદની પાર વિરાજતા “જીવઅજીવ, લોક-અલક, પુણ્ય–પાપ, આસવ–સંવર, નિર્જરા, બધ અને મોક્ષ” એ પદાર્થોનું વિવેચન સાહાટ્યકારી થાય છે. મને આ હમેશાં આશ્ચર્ય લાગ્યા કર્યું છે, અને જે કઈ ભાઈ આપણું પ્રાચીન ધર્મગ્રન્થનું નિષ્પક્ષપાત અને તત્ત્વગ્રાહિણી દૃષ્ટિથી અવલોકન કરશે તેને એ આશ્ચર્ય લાગ્યા વિના રહેશે નહિ, કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ યાને વૈદિક ધર્મના અનુયાયીઓ વચ્ચે આટલો વિરેાધ શો ? કહેવાતા ત્રણ ધર્મ તે વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ શાખાઓ છે. એઓનાં તત્ત્વજ્ઞાનનાં દર્શનમાં વિરોધ હોય એમાં આશ્ચર્ય નથી. કારણકે, તત્વ એવો વિશાળ પદાર્થ છે કે આંધળાના હાથી પેઠે દરેક જિજ્ઞાસુ એનું અપૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરે અને એશ ( part) ને કૃત્ન (whole) માની લઈ, પરસ્પર અજ્ઞાનથી લઢી પડે એ સ્વાભાવિક છે. પણ આ જાતને વિરોધ તે તે તે ધર્મનાં અવાન્તર દર્શનમાં a Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્યાં નથી ? નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ. સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્મમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓના પરસ્પર વિરાધ સમઝી શકાતા નથી. " વાચકની ક્ષમા યાચીને હું એને મ્હારા પોતાના એક વાક્યનું સ્મરણ આપવા ધૃષ્ટતા કરું છું કે — જૈન ’ થયા વિના ‘બ્રાહ્મણ ’ થવાતું નથી, અને ‘બ્રાહ્મણ' થયા વિના ‘ જૈન ” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયાને અને મનોવૃત્તિઓને જીતવામાં છે; અને બ્રાહ્મણુ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે. તા હવે, કહે કે ઇન્દ્રિયાને અને મનેાવૃત્તિને ત્યા વિના આત્મામાં વિશાળતા શી રીતે આવે? અને આત્માને વિશાળ કર્યાં વિના ઇન્દ્રિયાને અને વૃત્તિઓને શી રીતે જિતાય? આ કારણથી જ આ ગ્રન્થમાં ‘બ્રાહ્મણ' શબ્દના ખરા અર્થમાં અને ‘બ્રાહ્મણ'ની ઊંચી ભાવનાનું સ્મરણ કરાવતા શબ્દોમાં મહાવીર સ્વામીને ‘મિતિમાન ભ્રાહ્મણ મહાવીર ’ (પૃ. ૧૨૧, ૧૨૮ ) કહ્યા છે, અને ‘જગતના સત્ય વિચાર કરનારા ’એમાં શ્રમણ અને બ્રાહ્મણ ગણાવ્યા છે (પૃ. ૧૭૬). તે જ પ્રમાણે ઉત્તરાધ્યયન વગેરે અનેક પ્રતિષ્ઠિત જૈન ગ્રન્થામાં ‘ બ્રાહ્મણ ’ની પ્રશંસા કરી છે અને ખરા બ્રાહ્મણુ કાણુ એ સમઝાવ્યું છે. બેશક, એ પ્રશંસા ખરા ‘ બ્રાહ્મણ ' ની જ છે, પણ ખરા જૈન' થયા વિના કયા જૈનને વમાન બ્રાહ્મણની નિંદા કરવાના અધિકાર છે? અને એ જ પ્રમાણે, ખરા ‘બ્રાહ્મણ ' થયા વિના વર્તમાન જૈનની નિંદા કરવાને પણ દરેક બ્રાહ્મણને અધિકાર નથી. અને બ્રાહ્મણુ ખરા બ્રાહ્મણુ થશે, અને જૈન ખરા જૈન થશે, પછી નિન્દાના , " ११ Page #13 -------------------------------------------------------------------------- ________________ અવકાશ જ ક્યાં રહ્યો ? ઉભયની, બ્રાહ્મણની તેમજ જૈનોની, બંનેના ગ્રંથે એકઠા કરી એમાંથી આધ્યાત્મિક ઉચ્ચ જીવનને ઉપયોગી થતા આચારવિચાર જીવનમાં ઉતારવાની ફરજ છે. પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને સૂત્રકૃતાંગમાં નોંધેલા વિવિધ જૈનેતર સિદ્ધાન્ત જાણવા જેવા અને રસ ઉપજાવે એવા છે. એવી જ નોંધ બૌદ્ધ ધર્મના બ્રહ્મજાલસુત્તમાં પણ મળે છે. પણ એ સિદ્ધાન્તોના સમયને પ્રશ્ન તત્ત્વજ્ઞાનના ઇતિહાસકારને મૂંઝવે એવો છે. બૌદ્ધ ત્રિપિટકે અને ખાસ કરીને તદન્તર્ગત બ્રહ્માલસુત્ત ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષ પહેલાં મૂકી શકાય એમ નથી એમ એની ભાષાના સ્વરૂપ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન આગમન સર્વથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ, જે મહાવીર સ્વામીથી પણ પૂર્વેના માનવામાં આવે છે, એ “પૂર્વ’ નામથી પ્રસિદ્ધ છે. અને તે, પછીની “દ્વાદશ અંગ” નામની ગ્રન્થાવલિમાં બારમું અંગ જે “દષ્ટિવાદ' કહેવાતું, તેમાં દાખલ કરવામાં આવ્યાં હતાં; પરંતુ કાળબળે બારમું અંગ આખું લુપ્ત થયું અને તે સાથે પૂર્વે પણ ગયાં! એ દૃષ્ટિવાદ અને પૂર્વે હયાત હોત, તે એમાં જૈનેતર દષ્ટિની બહુ હકીકત આપણને મળત, અને એ પુસ્તકે મહાવીર સ્વામીની પહેલાંના હેવાથી, એ દષ્ટિઓના સમયના પ્રશ્નને પણ કાંઈક અંશે નિર્ણય થઈ શકત. પરંતુ ઉપર કહ્યું તેમ એ નષ્ટ થવાથી સૂત્રકૃતાંગ વગેરે જે અંગે હયાત છે, એમાંથી જે પુરાવા મળે તે ઉપર આપણે અધાર રાખવો પડે એમ છે. સૂત્રકૃતાંગ બીજા - અંગેની પેઠે સુધર્માસ્વામી, જેમનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૭ બમાં થયેલો મનાય છે, એમણે મહાવીર સ્વામીના નિર્વાણ પામ્યા Page #14 -------------------------------------------------------------------------- ________________ પછી, પિતાના શિષ્ય જબુસ્વામીને કહ્યું. અને ઈ. સ. પૂર્વે પહેલા શતકમાં પાટલિપુત્રમાં મળેલા સંઘે જૈન આગમના સંરક્ષણને ભારે પ્રયત્ન કરી, આગમ અમુક રૂપમાં સ્થિર કર્યા. તે પછી કેટલેક કાળે, ઈ. સ. ૪૫૪ માં, દેવદ્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં જૈન સંધ મળે એણે આગમને વ્યવસ્થિત અને પત્રારૂઢ કર્યા. આ રીતે, આપણે હાલ જે રૂપમાં એ ગ્રન્થ જોઈએ છીએ એ રૂપમાં જૈન આગમ મહાવીર સ્વામી પછી લગભગ એક હજાર વર્ષ પછી છે. ઓછીવત્તી આ સ્થિતિ પ્રાચીન બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રન્થની પણ છે. પણું જે શ્રદ્ધા અને માનથી પ્રાચીન ગ્રન્થ – અને તે પણ ધર્મના પ્રાચીન ગ્રન્થ -– આપણુ પ્રજા સાચવે છે, તે ધ્યાનમાં લેતાં, ઉપલબ્ધ ગ્રન્થ એના શબ્દાંશમાં ભલે કાંઈક ભિન્ન છે, પણ એના અર્થોશમાં તે એ લગભગ યથાપૂર્વ રક્ષિત હશે એમ માનવું અપ્રમાણ નથી. આ રીતે સૂત્રકૃતાંગ પ્રાચીન દષ્ટિઓના સ્વરૂપ ઉપર બહુ પ્રકાશ પાડે છે અને એને બૌદ્ધ બ્રહ્મજાલસુત્તમાં કરેલા નિરૂપણથી સ્વતંત્ર પુષ્ટિ મળે છે. એ દષ્ટિઓનું આ પુસ્તકના ઉપદ્યાતમાં સારું સ્પષ્ટીકરણ થએલું છે. એટલે એ સંબધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. તથાપિ એક વસ્તુ ઉમેરું. એમાં ઉલ્લેખાયેલા વદ પુરાણ સિદ્ધાન્તનાં વિકૃત રૂપ જણાય છે, અને એ વિકૃતરૂપે શ્રી મહાવીરસ્વામીના સમયમાં એ લોકમાં પ્રચલિત હશે એમ અનુમાન કરવું પડે છે. તેમ, મૂળ રૂપમાં પણ એ સર્વ વાદ અનેકાન્ત જેન દષ્ટિએ અપૂર્ણ સત્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને સહુથી મ્હોટી વાત લક્ષમાં, રાખવાની છે તે એ કે, અત્રે કરેલા જેન ઉપદેશ પ્રમાણે Page #15 -------------------------------------------------------------------------- ________________ “બાકી જ્ઞાનમાત્રને સાર આ જ છે કે, કઈ પણ જીવની હિંસા ન કરવી. પ્રાણીઓનું સ્થાવર હેવું કે જંગમ એ અમુક ચેકસ કારણોને લીધે હોય છે. બાકી બધાં જ છવભાવે સમાન છે. તેમાંય જંગમ પ્રાણીઓ વિષે તો આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પોતાની જેમ કેઈને દુઃખ નથી ગમતું. માટે કોઈની હિંસા ન કરવી. અહિંસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષએ ચાલવામાં, સૂવા બેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિભેર સંયમી ને નિરાસત રહેવું તથા ભાન, ક્રોધ, માયા ને લેભ તજવાં. આ પ્રમાણે સમ્યફ આચારવાળા થઈ, તથા કર્મો આત્માને ન લેપે એ સારુ અહિંસા, સત્યાદિ પાંચ મહાવ્રતરૂપી સંવર (એટલે કે છત્ર) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી, કર્મબંધનના આ લેકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતા સુધી રહેવું.” (પૃ. ૭૮–૯૧). - અમદાવાદ શ્રાવણ શુક્લ ૧૫ સેમવાર આનદશંકર બાપુભાઈ ધ્રુવ ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • • • • નિવેદન . પ્રસ્તાવના પ્રસ્તાવના • ઉપોદ્દઘાત • • ખંડ લે ૧. જુદા જુદા વાદે . ૨. કર્મનાશ . ૩. જુદાં જુદાં વિડ્યો ૪. સ્ત્રીપ્રસંગ . • ૫. પાપનું ફળ . ૬. ભગવાન મહાવીર . ૭. અધર્મીઓનું વર્ણન . ૮. સાચું વીરત્વ • • ૯. ધર્મ વિશે . ૧૦. સમાધિ . . ૧૧. મોક્ષમાર્ગ • • . • ૧૦૫ . ૧૦૮ ૧૧૪ • ૧૧૮ ૧૨૧ . ૧૨૬ ૧૨૯ • • . • • Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જુદા જુદા વાદીએ ૧૩, કેટલીક સાફ સાફ વાતા ૧૪. શાસ્ત્રજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ? ૫. ઉપસ’હાર ૬. ગાથા ૧. પુંડિરક ર. તેર ક્રિયાસ્થાને . ૩. આહારવિચાર ૪. તનિયમ ૫. કેટલીક સદાચારધાતક માન્યતાઓ . ૬. આઈક કુમાર ૭. નાલ’દાના એક પ્રસગ . સુભાષિતા સૂચિ કૃતિ ખંડ ૨જો • १६ # ૨૪ ૧૩૯ ૧૪૨ ૧૪૬ ૧૫૦ ૧૫૫ ૧૭૪ ૨૦૨ સર ૨૧૭ ૨૨૧ ૨૩૧ ૨૪૧ ૨૫૧ ૨૫૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત જે ગ્રંથને છાયાનુવાદ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે, તે ગ્રંથ જૈન ધર્મગ્રંથોમાં સૌથી પ્રાચીન ગણાતા બાર અંગ” ગ્રંથમાં મહત્ત્વનું બીજું સ્થાન ભેગવે છે. બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ જેમ ત્રિપિટક નામથી ઓળખાય છે, તેમ જૈન ધર્મગ્રંથ “ગણિપિટક” કહેવાય છે. ‘ગણું” એટલે સાધુઓને ગણ અથવા સમૂહને નાયક – આચાર્ય અને આચાર્ય પાસે રહેતી જ્ઞાનની પેટી તે પિટક.” આ સૂત્રકૃતાંગ ગ્રંથમાં જ (૨-૧–૧૧) જણાવ્યું छ । 'इमं समणाणं निग्गन्थाण दुवालसङ्गं गणिपिडग; तं जहा સવારો, લૂચો વાવ રિવાજો” “જૈન શ્રમણ નિગ્રંથનું આચારાંગ, સૂત્રકૃતાંગથી માંડીને દષ્ટિવાદ સુધીના ૧૨ અંગ ગ્રંથરૂપી ગણિપિટક છે.” * તે બારે અંગ ગ્રંથોનાં નામ તથા વિષયના ટૂંક વર્ણન માટે જુઓ ઉપઘાતને અને પરિશિષ્ટ ૧. Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તે અંગ ગ્રંથોમાં વર્ણવેલ સિદ્ધાંતભાગ જૈન ધર્મના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાને ઉપદેશેલો ભલે હોય; પરંતુ એ ગ્રંથે પિતે મૂળી તે ભગવાન મહાવીરના ૧૧ પટ્ટશિષ્યો જેઓ “ગણધર' કહેવાતા, તેમાંના પાંચમા સુધર્મ સ્વામીએ રચ્યા છે એમ કહી શકાય. કારણ કે તેવી પરંપરા હોવા ઉપરાંત, તે ગ્રંથની રચના જ એવા પ્રકારની છે કે જાણે સુધર્મસ્વામીને તેમના શિષ્ય જંબુસ્વામીએ પ્રશ્ન પૂળ્યો હોય અને તેના જવાબમાં સુધર્મસ્વામી તે તે અંગ કે તેમાંના અધ્યયનને વિષય કહી સંભળાવતા હોય. પરંતુ જે અગિયાર અંગગ્રંથ અત્યારે ઉપલબ્ધ છે, તેમનું અત્યારનું સ્વરૂપ ક્યારે કેવી રીતે નિયત થયું તથા જૈન પરંપરામાં તે અંગગ્રંથના રચયિતા “ ગણાતા શ્રી સુધર્મસ્વામીનું શું સ્થાન હતું એ વગેરે બાબતો સમજવા માટે આપણે પ્રથમ જૈન સંઘ વિષે ડીક એતિહાસિક માહિતી મેળવી લેવી પડશે. મહાવીર ભગવાને પિતાના જીવનકાળ દરમિયાન જ, પિતાના ચૌદ હજાર શ્રમણ (સાધુ) અનુયાયીઓને વ્યવસ્થિત તેમજ નિયંત્રિત કરવા જુદા જુદા ગણે – સમૂહે – માં વહેંચી નાખી, પિતાનાં ૧૧ પટ્ટશિષ્યોના નિયમન હેઠળ ગોઠવી દીધા હતા. તે અગિયાર શિષ્યો તે કારણથી “ગણધર” કહેવાતા. તે અગિયારમાં ગૌતમ દુભૂતિ મહાવીરના મુખ્ય શિષ્ય હતા ? ૧. તેમને વિષે વિશેષ હકીકત માટે જુઓ આ ગ્રંથ ખંડ ૨, અચ્ચ૦ ૭ ને અંતે ટિપ્પણ નં. ૧. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત મહાવીર ભગવાનના નિર્વાણ પછી ગૌતમ બાર વર્ષે કેવળજ્ઞાની તરીકે જીવ્યા (ઈ. સ. પૂર્વે ૫૧૫); પરંતુ કેવળજ્ઞાનીને સંઘવ્યવસ્થા વગેરે કાર્યો કરવાનાં હોય નહિ એટલે તે કામ પાંચમા ગણધર સુધર્મ સ્વામી ઉપર આવી પડયું. કારણકે તેમના સિવાય બીજ ગણધરે મહાવીરની પહેલાં જ નિર્વાણ પામી ગયા હતા. સુધર્મ સ્વામીને જન્મ ઈ. સ. પૂ. ૬૦૭માં એટલે કે ગૌતમને જન્મ જે વર્ષમાં થયો હતો તે જ વર્ષમાં નાલંદા નજીક આવેલા કોલ્લાકમાં થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ્લ તથા માતાનું નામ ભકિલા હતું સુધર્મા વેદપારંગત હેઈ સેંકડે શિષ્યના અધ્યાપક હતા. એક વખત અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાલ્ય બ્રાહ્મણે યજ્ઞ કર્યો, તેમાં તેણે ગૌતમ, સુધર્મા વગેરે તે વખતના અગિયાર સુપ્રસિદ્ધ બ્રાહ્મણોને યજ્ઞકર્મમાં કુશળ જાણી નેર્યા. એ અરસામાં ભગવાન મહાવીર તે જગાએ ફરતા ફરતા આવી ચડ્યા. તેમને આવેલા જાણી મનુષ્યસમુદાય યજ્ઞ છેડી તેમની પાસે જવા લાગ્યો. એટલે ચિડાઈને ગૌતમ વાદવિવાદમાં મહાવીરને હરાવવા તેમની પાસે ગયા. આખ્યાયિકા એવી છે કે તે અગિયારે વિપ્રો તત્ત્વજ્ઞાનાદિમાં કુશળ છતાં દરેકના મનમાં એક એક શંકા હતી. પરંતુ પિતાનું મહત્ત્વ ઘટવાને ભયે તેઓ એકબીજાને પૂછી તેનું નિવારણ કરી શક્તા નહોતા. તે દરેકની શંકાને ભગવાન મહાવીરે નિરાસ કર્યો એટલે તે અગિયારે જણ પિતાના શિષ્યો સાથે મહાવીરના પંથમાં ભળ્યા. પ્રથમથી જ તેઓ પ્રજ્ઞાવાન તથા વિચક્ષણ તે હતા જ Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ એટલે પિતાના હદયમાંથી મિથ્યાદર્શનરૂપી શૈલ્ય” દૂર થતાં તેઓ ઝટ સમ્યફજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરી શકયા. સંઘની વ્યવસ્થાનું કામ સંભાળતાં સંભાળતાં સુધર્મા સ્વામીને ૯૨ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે તેમણે સંઘનું કામ પિતાના શિષ્ય જંબુસ્વામીને સેપ્યું. ત્યારબાદ તે કેવળજ્ઞાની તરીકે આઠ વર્ષ જીવ્યા અને ૧૦૦ વર્ષની ઉંમરે ઈ. સ. પૂ. પ૦૭માં એટલે કે મહાવીરના નિર્વાણ પછી ૨૦ વર્ષે નિર્વાણ પામ્યા. જંબુસ્વામીને જન્મ રાજગૃહ નગરમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ઋષભદત્તનાં પત્ની ધારિણીને પેટે થયો હતો. તે નાનપણથી જ ચતુર હાઈ પોતાનાં માતાપિતાને અત્યંત લાડકા હતા. અને માતપિતા પણ પિતાની સર્વ રિદ્ધિસિદ્ધિથી તેમને ઉછેરતાં હતાં. તે સોળ વર્ષના થયા ત્યારે એક વખત સુધર્મસ્વામી ફરતા ફરતા તે ગામમાં આવી ચડ્યા. જંબુસ્વામી પણ બીજાઓની સાથે તેમને ઉપદેશ સાંભળવા ગયા. તે સાંભળતાં જ પોતાના પૂર્વસંસ્કારો જાગૃત થઈ આવવાથી તે સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પામ્યા અને જલદી માતપિતા પાસે આવી પ્રવજ્યા લેવાની રજા માગવા લાગ્યા. પરંતુ માતપિતા તેવી રજા કેમ કરીને આપે? અંતે માતાએ જણાવ્યું કે, તને પરણેલ જેવાને મારે ઘણો જૂને તેમજ ઉત્કટ મરથ છે. તે પૂર્ણ કરીને પછી ભલે તારી ખુશી હોય તે તું પ્રવજ્યા લેજે. જંબુસ્વામી માતપિતાની યુક્તિ સમજતા હતા છતાં તેમ કરવા કબૂલ થયા. જંબુસ્વામીને વિવાહ સંબંધ ત્યાર પૂર્વે રાજગૃહને જ કેટલાક પ્રસિદ્ધ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ધાત સાથે થઈ ગયેલેા હતા. તે લેાકા હવે ધસંકટમાં આવી પડ્યા. કારણ તે બધા જાણતા હતા કે જંબુકુમાર લગ્ન પછી તરત જ અવશ્ય પ્રત્રજ્યા લેવાને છે. પરંતુ તે કન્યાએએ ભારપૂર્વક પેાતાનાં માપતાને જણાવ્યું કે, તમે એક વાર મનથી તે અમને જંબુકુમારને જ આપી ચૂક્યાં છે એટલે હવે અમે ખીજા કાઈ સાથે લગ્ન કરનાર નથી; તેમજ લગ્ન પછી મુકુમાર જે માગ લેશે તે અમારે પણ થશે. પછી ધામધૂમથી તેમની સાથે જ મુકુમારનું લગ્ન થયું, ઘરનાં બધાં માણસા મેાડી રાત સુધી ઉત્સવમાં થાકી જઈ ધાર નિદ્રામાં પડ્યાં હતાં તે વખતે અવસર જોઈ જયપુરિનવાસી વિધ્યરાયને પુત્ર તથા ચારવિદ્યામાં નિષ્ણાત એવા પ્રભવ તે ઘરમાં દાખલ થયા. તે વખતે જ બુ જાગતા હતા, તેની સાથે પ્રભવને વાર્તાલાપ થયા. વાતચીત દરમિયાન પ્રભવે જાણ્યું કે આ બધે વૈભવ તથા પેાતાની તરુણ નવાઢા પત્નીઓને છેાડીને જંબુ ખીજે દિવસે જ સંન્યાસી થઈ જવાના છે, ત્યારે તેને ધણું આશ્ચય થયું અને જંબુને તેનું કારણ પૂછવા લાગ્યા. કારણ જાણ્યા પછી તેને પણ વૈરાગ્ય આવ્યા અને તેણે પણ જજીસ્વામી સાથે દીક્ષા લીધી. આ પુસ્વામીના પ્રશ્નાના જવાથ્યમાં સુધમ સ્વામીએ ખારે અંગેા કહ્યાં છે. તથા મહાવીરના મૂળ ઉપદેશને વણી લીધા છે. એવી પરંપરા છે. પરંતુ આપણે હજી આગળ ચાલીએ. જ ખુસ્વામીને સંધની વ્યવસ્થા કરતાં કરતાં કેવળજ્ઞાન તે કામ પોતાના મુખ્ય શિષ્ય ત્યાર બાદ તે કેવળજ્ઞાની તરીકે ૪૪ પ્રાપ્ત થયું એટલે તેમણે અનેલા પ્રભવને સોંપ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમ વર્ષ જીવ્યા અને ૮૦ વર્ષની ઉંમરે ઈ. સ. પૂ. ૪૬૩માં એટલે મહાવીર પછી ૬૪ વર્ષે નિર્વાણ પામ્યા. જંબુસ્વામી આ યુગના છેલ્લા કેવળજ્ઞાની કે કેવળી કહેવાય છે. કારણ કે જૈન માન્યતા પ્રમાણે મહાવીરસ્વામીના નિર્વાણ પછી જે દુઃષમા નામને ૨૧૦૦૦ વર્ષ પહોંચનારે યુગ બેઠે છે, તેમાં આ ક્ષેત્રે કઈ કેવળજ્ઞાન કે મેક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી. મહા પ્રયત્ન પણ મનુષ્ય ઉચ્ચ દેવગતિ જ પ્રાપ્ત કરી શકે અને ત્યાંથી પછી એક યા વધુ જન્મે ભલે મેક્ષ પામે. તેથી જંબુસ્વામી પછીના સંઘપતિઓ શ્રુતકેવળી જ કહેવાયા. કારણ કે તેમને મૃત એટલે શાસ્ત્ર મારફતે તોનું પરિપૂર્ણ જ્ઞાન હતું. મહાવીર પછી સાતમા સંઘપતિ સંભૂતિવિજ્યના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ સંધપતિ બન્યા. તે છેલ્લા શ્રુતકેવળી હતા એમ કહી શકાય. તેમના સમયમાં એટલે કે ઈ. સ. પૂ. ૩૧૦માં અશોકને પિતામહ ચંદ્રગુપ્ત મૌર્ય રાજગાદીએ આવ્યું તે અરસામાં, મગધ દેશમાં બાર વર્ષ મોટો દુકાળ પડ્યો. આવા કારમાં દુકાળને વખતમાં લોકો પર અસહ્ય બેજો નાખ્યા વિના આટલો મોટો ભિક્ષુસંઘ જીવનનિર્વાહ કરી શકશે નહિ તેમજ સંઘના સખત નીનિયમોનું પાલન અસંભવિત થઈ પડશે એમ લાગવાથી, ભદ્રબાહુ પિતાના કેટલાક વિશ્વાસુ અને ધર્મનિષ્ઠ અનુયાયીઓ, કે જેમની સંખ્યા ૧૨૦૦૦ કહેવાય છે, તેમને લઈને દક્ષિણમાં કર્ણાટક તરફ ચાલ્યા ગયા. બાકી રહેલાઓના નાયક સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર બન્યા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત * દુકાળના વખતની અતવ્યસ્ત સ્થિતિમાં પર પરાથી ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન ધણું હિન્નભિન્ન તથા લુપ્ત થઈ ગયા જેવી દશામાં આવ્યું હતું. તેને સમૂળગા લેપ થઈ જતા અટકાવવા બાકી રહેલા મગધના જૈનાએ પાટલીપુત્રમાં (આશરે ઈ.સ, પૂર્વે ૩૦૦ ના ગાળામાં) શાસ્ત્રગ્રંથા એકત્રિત કરવા સધ એકઠા કર્યો. તે વખતે અગિયાર અંગ ગ્રંથા એકત્રિત થઈ શક્યા. પરંતુ જેમાં જૈન ધર્માંને! પ્રાચીન ઉપદેશ સચવાઈ રહેલા મનાતા હતા, તે ૧૪ ‘ પૂર્વ’ ગ્રંથાવાળુ ખારમું અંગ દૃષ્ટિવાદ લુપ્ત થઇ ગયેલું માલૂમ પડયું. માત્ર ભદ્રબાહુ તે જ ચૌદે પૂર્વનું જ્ઞાન હતું. સ્થૂલભદ્ર માત્ર દશ પૂર્યોં જ યથા જાણતા હતા. એટલે સ્થૂલભદ્રના વખતથી પછીના સંધપતિ ‘દશ પૂર્વી ' કહેવાયા. એવા સાત ‘ દશ પૂર્વી ’ થયા. ત્યાર પછી તે! તે દશ પૂર્વનું જ્ઞાન પણ ધીમે ધીમે લુપ્ત થતું ગયું અને અત્યારે માત્ર ૧૧ અંગાનું જ જ્ઞાન બાકી રહ્યું છે. ( આ ‘ પૂર્વ ’ ગ્રંથા વિષે થાડા વિચાર કરી લેવા જરૂરને છે, વિશેષાવશ્યકમાં કહ્યું છે કે, “ચૌદે પૂર્વમાં અને તેથી તે પૂર્વેના જેના એક ભાગમાં સમાવેશ થતા હતા એવા દૃષ્ટિવાદ' નામના આરમાં અંગમાં બધા સિદ્ધાંતેા સમાયેલા છે. ( સર્વક્ષ્ય વાચક્ષ્ય અવતાર: પરંતુ ઓછી બુદ્ધિવાળા સામાન્ય મનુષ્યા તથા સ્ત્રી વગેરેથી તે સમજી શકાય તેમ ન હેાવાથી, તેમને વિસ્તારીને અ'ગ ગ્રંથ રચવામાં આવ્યા છે.” પ્રભાવકચરિત્રકાર પ્રભાચદ્રસૂરિ તા જણાવે છે કે, ‘તે પૂ ગ્રંથા સંસ્કૃતમાં રચાયેલા હતા તથા ૧. આ પછીને નાના અક્ષરવાળા ભાગ ચર્ચાત્મક હાઈ, તેને પડતા મૂકીને પણ આગળ ચાલી શકાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ અતિ પ્રખર બુદ્ધિવાળા વડે જ સમજી શકાય તેમ હોવાથી ધીરે ધીરે ઉચ્છિન્ન થઈ ગયા. તેથી હાલમાં સુધમ સ્વામીએ રચેલી એકાદશાંગી ચાલે છે. જો કે આ ઉપરથી એમ નથી માનવાનું કે મહાવીર ભગવાન સંસ્કૃતમાં ઉપદેશ આપતા હશે. કારણ, સમવાયાંગમાં જણાવ્યું છે કે, “ભગવાન અર્ધમાગધી ભાષા દ્વારા ધર્મને કહે છે.” હવે સવાલ એ થાય છે કે, મૂળ અને સ્વતંત્ર કહી શકાય એવા પૂવ ગ્રંથો બારમા અંગમાં શા માટે અને કયારે સમાવી દેવામાં આવ્યા, તેમજ અત્યારના અંગ ગ્રંથોમાં દ્વાદશાડગી— બાર અંગે - એવો ચો ઉલ્લેખ મળતો હોવા છતાં, તથા ચોથા અંગમાં તથા નંદી સૂત્રમાં બારમા અંગના વિષયોનું વર્ણન પણ વિસ્તારથી આપવામાં આવ્યું હોવા છતાં, તથા પછીના સમયની ટીકાઓમાં પણ પૂર્વ ગ્રંથોમાંથી ઉતારાઓ આપવામાં આવ્યા હોવા છતાં, ભદ્રબાહુના સમય જેટલા જૂના સમયમાં જ એ બામું અંગ લુપ્ત થઈ ગયું એવી પરંપરા શાથી ઊભી થઈ ? પરંપરામાં પણ ચૌદ પૂર્વો એકસામટાં લુપ્ત થઈ ગયાં મનાતાં નથી. ભદ્રબાહુ પછી દશ પૂર્વી રહ્યાં હતાં અને પછી પણ તે એક એક કરતાં ઓછાં થઈ ગયાં એમ માનવામાં આવે છે. એટલું તો શું, પણ મહાવીરસ્વામી પછી ૧૦૦૦ વર્ષો બાદ એટલે કે દેવગિણિએ ફરી વલભીને સંધ ભેગે કરી અંગ ગ્રંથે એકઠા કર્યા, ત્યારે પણ એક પૂર્વ બાકી રહેલું ગણવામાં આવે છે. ચાલી આવતી જૈન પરંપરામાં આવી કેટલીક શંકાઓ ઊઠવાથી ઘણા વિદ્વાને એવી કલ્પના કરે છે કે, “પૂર્વ ગ્રંશે” એ જૈન ધર્મના મૂળ પ્રાચીન ગ્રંથ હશે. મહાવીર પહેલાં જૈનધર્મ હતો એ તો પાર્શ્વનાથની ઐતિહાસિકતાથી જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ તે ગ્રંથના સિદ્ધાંત તથા ભાષા પછીના સમયમાં નિરપગી અથવા તે અધૂરાં માલુમ પડ્યાં હશે એટલે ચાલું લોકભાષામાં નવા અંગગ્રંથો કંઈક વિસ્તારથી રચવામાં આવ્યા હશે. ધીમે ધીમે Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત અંગગ્રંથાનેા જ પ્રચાર વધવાથી પૂગ્રંથા ભુલાવા લાગ્યા હશે એટલે તેમના ખાકી રહેલા ભાગે ૧૨મા દૃષ્ટિવાદ અંગમાં એકત્રિત કરી લેવામાં આવ્યા હશે. પરંતુ તે જ કારણે તે ખારમું અંગ પણ પછી ભુલાવા લાગ્યું હરશે. દુકાળ પૂરા થતાં દક્ષિણમાં ગયેલા સાધુએ પાછા આવ્યા. તે વખતે તેમને માલૂમ પડયું કે, ઉત્તરમાં રહેલા સાધુએએ શ્વેત વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ બીજી બાબતામાં પણ તેમનું જીવન ધર્માંના કડક નિયમોની ઈષ્ટએ કઈક શિથિલ માલૂમ પડયું. દક્ષિણમાં ગયેલાએ એ તેા નગ્ન રહેવાને મૂળ કડક નિયમ જ ચાલુ રાખ્યા હતા. ઉત્તરના સંઘે વસ્ત્રો પહેરવાનુ શા માટે શરૂ કર્યું તેનાં કારણા બતાવવાં અશક્ય છે, પરંતુ એટલું તેા નકકી જ કે, મહાવીરની પહેલાંના જૈન તીર્થોંકર પાર્શ્વનાથના અનુયાયીએ વસ્રો પહેરતા હતા, અને મહાવીરે જ વસ્ત્રો ન પહેરવાને નિયમ દાખલ કર્યા હતા, એટલે ત્યારથી જ વસ્ત્ર પહેરવા ન પહેરવા બાબતમાં મતભેદ જેવું તે જૈનસંધમાં ચાલતું જ હાવું જોઇ એ. અને તેમાં દુકાળની વિકટ પરિસ્થિતિએ કાંઇક કારણે ઉમેરી આપ્યાં હશે. ગમે તેમ હા પણ, તે વખત પૂરતા તે અંતે સધે શ્વેતાંબર અને દિગંબર એમ બે ભાગમાં વહેંચાઇ ન જતાં, સ્થૂલભદ્રના નેતૃત્વ હેઠળ જ એકઠા રહ્યા. એમ કહેવાય છે કે ભદ્રબાહુ જ આખા સત્ર સ્થૂલભદ્રને સોંપી તપશ્ચર્યાં કરવા તેપાલમાં ચાલ્યા ગયા. જયારે બીજી પરંપરા એવી પણ છે કે ભદ્રબાહુનું અવસાન દક્ષિણમાં ચંદ્રગિરિ ઉપર થયું હતું. હ પરંતુ ઉત્તરના અને દક્ષિણના સંધામાં વસ્ત્ર પહેરવા ન પહેરવાના મતભેદ કરતાં મુખ્ય મતભેદ તેા ઉત્તરના સધે Page #27 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સ ધમધમી ભદ્રબાહુની ગેરહાજરીમાં ભેગા કરેલા આગમ ગ્રંથની બાબતમાં પડ્યો. દક્ષિણના સંઘે એ ગ્રંથને પ્રમાણભૂત માનવાની ના પાડી અને જાહેર કર્યું કે, મૂળ ગ્રંથે તો સમૂળ નષ્ટ થઈ ગયા છે. આવી મુખ્ય બાબતમાં મતભેદ પડે એ સંઘની એકતા માટે બહુ હાનિકારક હતું. એટલે છેવટે છેલ્લા દશપૂવી વજીસ્વામીના શિષ્ય વજુસેનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૯ કે ૮૨ માં ) એટલે કે મહાવીર સ્વામી પછી લગભગ ૬૦૯ વર્ષે તે બે સંધે તાંબર અને દિગંબર નામથી હંમેશને માટે છૂટા પડી ગયા. ૧ વખત જતાં પાટલીપુત્રના સંઘે એકત્રિત કરેલા ગ્રંથ પણ ધીમે ધીમે લુપ્તપ્રાય થતા ચાલ્યા. એટલે તે ગ્રેને ફરી નવેસરથી નિયત સ્વરૂપ આપવાની આવશ્યકતા ઊભી થઈ. તે પ્રમાણે છેક ઈ. સ. ૪૫૪માં દેવદ્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં સંધ ફરી એકઠો થયો અને તેણે જૈન ધર્મગ્રંથ નિર્ણત કરવાને વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. - ત્યાર પછી તે નિશ્ચિત સ્વરૂપે બધા ગ્રંથે લિપિબદ્ધ થઈ ગયા. તે સ્વરૂપમાં જ તે અત્યાર સુધી ચાલ્યા આવે છે. ૧. તે બે પં િવચ્ચે એ ઉપરાંત મહાવીરના જીવનની કેટલીક હકીકતો વિષે પણ મતભેદ છે: જેમકે મહાવીરને ગર્ભ બ્રાહ્મણના પેટમાંથી ત્રિશલાને પેટમાં લાવવામાં નહોતો આવ્યો વગેરે. તેમના મતભેદના મુખ્ય મુદ્દા પાંચ કહેવાય છે : (૧) તીર્થંકરની પ્રતીમાં નગ્નાવસ્થામાં, આભૂષણ વિનાની તથા નીચે ઢાળેલી આંખો વાળી જોઈએ. (૨) સ્ત્રીઓ મેક્ષ ન પામી શકે. (૩) મહાવીરે લગ્ન નહોતું કર્યું. (૪) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળજ્ઞાની સ્થૂલ આહાર ન કરે. (૫) સાધુઓ વસ્ત્ર ન પહેરે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપાઘાત ૧૦ તે વખતે અગિયાર અંગેા ઉપરાંત પછીના આચાર્યોએ લખેલા ખીજા સિદ્ધાંતપ્રથાને પણ આગમનું પદ આપીને સ્વીકારી લેવામાં આવ્યા અને તે પ્રમાણે શ્વેતાંબરા ૪૫ ગ્રંથાને પોતાના આગમ ગ્રંથૈ! માને છે. . ( જીએ ઉપેાાતને અંતે પરિશિષ્ટ ૧ ) આ આગમગ્ર ંથામાંથી ‘અંગ' પ્રથા સૌથી પ્રાચીન છે. જો કે અત્યારે જે સ્વરૂપમાં તે ગ્ર ંથે! મા આવે છે તે સ્વરૂપ તે ઉપર જણાવ્યા પ્રમાણે, ઈ. સ. ૪૫૪ જેટલા પછીના કાળમાં નિયત થયું છે, એટલે તે ગ્રંથામાં પછીના સમયના ઘણા વિચાર। તેમજ પ્રક્ષિપ્ત ભાગે ઉમેરાયા હશે. પરંતુ તેમની ભાષા તેમજ તેમાં આવતા ખીન્ન ઐતિહાસિક ઉલ્લેખો ઉપરથી વિદ્વાને તેમને ઇ. સ. પૂર્વે ૩૦૦ના અરસામાં તે મૂકે જ છે, અને તે સમય પાટલીપુત્રના સ આગમ ગ્રંથો એકઠા કર્યાં તે સમયને લગતા છે, તે સમય સુધી પણ મહાવીરના ઉપદેશા કાંઈક નિીત સ્વરૂપમાં ચાલ્યા આવતા હોવા જોઈ એ. નહિ તા તેમને વ્યવસ્થિત રીતે ભેગા કરવા પ્રશ્ન જ ન ઊભા થાય. અને શ્વેતાંબરે તેમજ દિગબર અંતે ભદ્રબાહુ સુધીના આચાર્યંત શ્રુતકેવળી માને જ છે. એટલે એ પ્રથામાં ઘણું પ્રાચીન છે એમ માનવામાં કાંઈ જ વાંધે નથી. ઉપરાંત શિષ્યાની પરંપરા દ્વારા પ્રાચીન ધર્માંપ્રથાને સ્મૃતિને બળે જ અણીશુદ્ધ સાચવી રાખવાની પ્રણાલિ હિંદુસ્તાનમાં જૂના કાળથી ચાલતી આવેલી જ છે. ઈ.સ. પૂર્વે બીજા સૈકાના જૈન શિલાલેખા ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈતા લેખનકળાને ઉપયાગ બહુ જૂના વખતથી કરતા આવ્યા છે. એટલે ઈસ, ના પાંચમા સૈકા જેટલા પછીના સમયમાં વલભીપુરમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ભેગા મળેલા સંઘે એકઠા કરેલા ગ્રંથ તરફ તે કારણે જ અશ્રદ્ધાની નજરે જોવાની જરૂર નથી. હવે આપણે સૂત્રકૃતાંગ ઉપર આવીએ. મૂળસૂત્ર' ગણાતા ઉત્તરાધ્યયનમાં સૂત્રકૃતાંગ વિષે તેવીસા સૂકે ... ને મિક્ષ્ણ જય વિર છે ત્ર અરજી નં . ૩૧-૧૬ છે “જે ભિક્ષુ સૂત્રકૃતાંગસૂત્રના તેવીસ અધ્યયને જાણે છે તથા તે પ્રમાણે પ્રયત્નપૂર્વક આચરણ કરે છે, તે સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય છે.” સમવાય સૂત્રમાં તથા નંદીસૂત્રમાં સૂત્રકૃતાંગનાં વિષયપ્રજનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે – નવા દીક્ષા પામેલા શ્રમણોને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે સૂત્રકૃતાંગ ' (૧) “સૂત્રકૃતાંગ” શબ્દને અર્થ બતાવતાં નિયુક્તિકાર ભદ્રબાહુ કહે છે : सोऊण जिणवरमनं गणहारी काउ तक्खओवसमं । અક્ષવાળા ચ કૂત્તમિળે તેવા સૂયગs w ૧૮ જિનેશ્વર તીર્થકર ભગવાન મહાવીરના સિદ્ધાંત સાંભળીને તેમના પટ્ટશિષ્ય ગણધરેએ પોતાના જ્ઞાનનો પ્રતિબંધ કરનારાં કર્મને ક્ષય તથા ઉપશમ કરીને શુભ અધ્યવસાચથી આ સૂત્ર રચ્યું, માટે તેને સૂત્રકૃત કહેવામાં આવે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપોદઘાત સૂત્રમાં જેન સિદ્ધાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત બીજા વાદીઓના સિદ્ધાંતો તેમજ જીવઅજીવ, લેકઅલક, પુણ્ય પાપ, આત્રિવસંવર, નિર્જરા, બંધ અને મેક્ષ પદાર્થનું પણ વર્ણન કર્યું છે . . .” શ્રીમદ્ રાજચંદ્ર તેના વિષયને પિતાની પ્રાસાદિક ભાષામાં ટૂંકમાં આ પ્રમાણે વર્ણવી બતાવે છે: આ કર્મરૂપી જે કલેશ છવને પ્રાપ્ત થયો છે તે કેમ તૂટે ? એ પ્રશ્ન ઉદભવ કરી, “બોધ પામવાથી તૂટે' એવું એ સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે .. . તે બંધન શું અને શું જાણવાથી તે તૂટે એ બીજો પ્રશ્ન ત્યાં. સંભવે છે અને, તે બંધન વરસ્વામીએ કેવા પ્રકારનું કહ્યું છે' એ વાક્યથી એ પ્રશ્ન મૂક્યો છે. અર્થાત . . . પ્રશ્નમાં તે (વીરસ્વામી) શબ્દ મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું. કેમકે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ઈચ્છનારને માટે આત્મસ્વરૂપ પુરુષ જ અત્યંત વિશ્વાસ કરવા લાયક છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે, તે ફરીફરી વિચારવા ચોગ્ય છે . . . આ જે સમાધિમાર્ગ છે તે આત્માના નિશ્ચય વિના ઘટે નહિ. અને જગતવાસી જીવે અજ્ઞાની ઉપદેશથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાર્થ પણે નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્ય (૧) મૂળમાંનાં જાતિ, વચન, પ્રત્યય વગેરે બદલ્યાં છે. અનુ. Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમધમ છે એ સમાધિમાર્ગ, તે તેમને સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે એવું જાણી ગ્રંથકાર કહે છે : આવો માર્ગને ત્યાગ કરી કેટલાક શ્રમણબ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું. અન્યથા પ્રકારે માર્ગ કહે છે . . . તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે . . . ત્યાર પછી . . . યથાર્થ અભિપ્રાયને બોધ કરી, “યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહિ, જન્મ ટળે નહિ, મરણ ટળે નહિ, દુઃખ ટળે નહિ,' એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી ... અનુક્રમે . .. ઉપશમ કલ્યાણ – આત્માથે બળે છે. તે લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે.” આમ એક બાજુ સૂત્રકૃતાગમાં મોક્ષાર્થ પ્રતિપાદિત કર્યો છે અને બીજી બાજુ તે બાબતમાં બીજા વાદીઓ પિતપોતાની ભિન્ન ભિન્ન મતિ -રુચિ અનુસાર જે વાદ બાંધે છે તેનું વર્ણન કર્યું છે. ન મેક્ષાર્થ નિરૂપતા ગ્રંથમાં આટલા બધા વાદીઓને મેળો – સમવસરણ’– શા માટે એકઠા કરી નોંઓ હશે તેવો પ્રશ્ન કદાચ અત્યારે આપણને ઊભું થાય. પરંતુ મહાવીર સ્વામીના જમાના તરફ સહેજ દષ્ટિ કરીએ અને તે વખતે વિચાર અને આચારની અરાજકતાએ જે ઘમસાણ મચાવી મૂક્યું હતું તે જોઈએ, તે તરત દેખાઈ આવશે કે મહાવીર સ્વામીને મુખ્ય પ્રયત્ન જ તે અરાજકતા અને તેને પરિણામે વ્યાપેલી ઘેર હિંસામાંથી તત્વજ્ઞાન, ધર્મ અને સમાજને બચાવી લેવાનો હતે. સામાન્ય રીતે જૈન તેમજ બૌદ્ધ ધર્મોને હિંદુધર્મ સામેના બળવારૂપે વર્ણવવામાં આવે છે. પરંતુ તે વાત સાચી નથી. તેમણે કોઈની સામે બંડ ઉઠાવ્યું નથી; હા, ચારે બાજુ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉદઘાત ચોમાસાની વનસ્પતિની પેઠે ફૂટી નીકળેલા અનેક વાદ સામે હુમલે કરી, તેમણે તેમને ઉચ્છેદ કરી નાખે છે ખરા. અલબત્ત, તેમના તે સપાટામાંથી બ્રાહ્મણધર્મનાંય કેટલાંક અનિષ્ટ અંગે બચી ગયાં નથી, પરંતુ તે અંગેનો વિરોધ બ્રાહ્મણધર્મમાં જ ઓછો નથી થયો. યજ્ઞોનો વિરોધ ઉપનિષદેએ જ કયાં નથી કર્યો ? વેદોને અપરા વિદ્યા કહેનાર ઉપનિષદ જ છે ને ? પરંતુ એ બધી ચર્ચામાં ઊતરવા કરતાં આપણે તે વખતના ટૂંક ઇતિહાસ તરફ જ વળીએ. વેદકાળ છેડોને આપણે ઉપનિષદકાળમાં પ્રવેશ કરીએ છીએ કે તરત આપણને એક મોટામાં મેટે ફેર એ માલૂમ પડે છે કે, માણસની શોધનું કેંદ્ર, બાહ્ય જગત અને તેના નિયંતા મટીને આંતર જગત અને તેને પ્રેરક બન્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, “કયા દેવને હરિ વડે પૂજીએ,” એ પ્રશ્નને બદલે, “કાનાં પ્રેયી આ આંખ, કાન, મન વગેરે ડે છે એ પ્રશ્ન મુખ્ય બન્યો છે. પરંતુ આ બેની વચ્ચે આ બ્રાહ્મણયુગ અને આરણ્યકયુગ આવી જાય છે. નિર્મળ ભક્તિ અને ઉલ્લાસથી પરિપૂર્ણ વેદકાળ પછી યજ્ઞયાગ અને તેમના જટિલ વિધિઓમાં પર્યાપ્ત થતે બ્રાહ્મણયુગ શી રીતે આવ્યા તે વિષે માત્ર કપનાઓ જ કરવાની રહે છે. એમ તે, ત્રસ્વેદનાં સુકની સાથે સાથે અથર્વવેદનાં મારણ, જારણ, કામણું અને ઉચ્ચાટન કયાંથી આવ્યાં એ પણ એ જ પ્રશ્ન છે. વિદ્વાને એવી કલ્પના કરે છે કે વેદમાં આને બીજી Page #33 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ જાતિઓ સાથે થયેલા વિરોધના જે ઉલ્લેખ ઠેકઠેકાણે મળી આવે છે. તે ઉપરથી એવું સૂચિત થાય છે કે, બીજી જાતિઓ સાથેના સંસર્ગ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનું એ પરિણામ હોવું જોઈએ. બ્રાહ્મણગ્રંથમાં સર્વત્ર આપણને એક જ વસ્તુ તીવ્રતા અને સચોટતા સાથે વારંવાર રજૂ થતી માલૂમ પડે છે અને તે એ કે, અસુરોના યજ્ઞ, અસુરોના વિધિઓ અને અસુરોની ક્રિયાઓને બદલે દેવના યજ્ઞો, દેવોના વિધિઓ અને દેવેની ક્રિયાઓ સ્થાપવી. તે અસુરે બીજા કેઈ નહિ પણ આર્યોના જેવા જ “પ્રજાપતિના પુ’ કે જેઓ આની પહેલાં આર્યાવર્ત માં આવીને વસેલા હશે, તે જ હેવી જોઈએ એવી વિદ્વાનો કલ્પના કરે છે. તે અસુરની મેલી વિદ્યાઓ અને તેટલી જ મેલી ક્રિયાઓએ આર્ય પ્રજાના મોટા ભાગને આકર્ષવાની શરૂઆત કરી હશે. તે વખતે બ્રાહ્મણયુગના નેતાઓને તેવા જ પરંતુ કોઈકે શુદ્ધ સાધને, કાંઈક શુદ્ધ ભાવનાઓ અને કાંઈકે શુદ્ધ ઉદ્દેશો વાળા વિધિઓ પ્રચલિત કરી, આર્ય પ્રજાની સંસર્ગજનિત અધોગતિ રોકવા પ્રયત્ન કરવો પડ્યો હશે. આમ કરવા જતાં તેમને પિતાનું સારું એવું ઘણું છોડવું પડયું હશે અને હલકું ઘણું સ્વીકારવું પડયું હશે અથવા નવું ઊભું કરવું પડ્યું હશે. તથા સાથે સાથે સમાજની વ્યક્તિઓની ઘણું પ્રકારની સ્વતંત્રતા નિયંત્રિત કરી દેવી પડી હશે. આ સિવાય બીજી કોઈ કલ્પનાથી એ યુગની જટિલતાને ઉકેલ મળી શકતા નથી, એક આખી પ્રજા સ્વેચ્છાથી એવા જટિલ વિધિઓ અને ક્રિયાકાંડને જ સર્વસ્વ માની તેમાં બંધાઈ જાય તથા અમુક ખાસ વર્ગ પ્રવર્તાવેલા જટિલ અને ગૂઢ ક્રિયાકાંડોને જ અનુસરવામાં પોતાની ઈતિકર્તવ્યતા માની બેસી, તેથી બહાર, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપદુધાત બીજું જોવા વિચારવાનું જ છોડી દે એવી વસ્તુસ્થિતિ ઊભી થવા માટે તે પરજાતિસંઘર્ષણને કે સંસર્ગને વિકટ કાળ કલ્પવો જ જોઈએ. પરંતુ એ બધું જ્યાં સુધી આખી પ્રજા કઈ કટોકટીની સ્થિતિમાંથી પસાર થતી હોય ત્યાં સુધી જ ચાલે. જેમ જેમ નવી વસ્તુસ્થિતિ સહજ બનતી જાય અને પ્રજા તે મુજબ ગોઠવાઈ જાય, તેમ તેમ મનુષ્યજીવનના સ્વભાવિક પ્રશ્નો પિતાને જવાબ બમણા જોરથી માગવા માંડે જ. અને સમાજધુરીણેએ ઠરાવેલ સમાજધર્મના શ્રદ્ધાયુક્ત પાલનમાં જ મનુષ્યજીવનની ઇતિક વ્યતા દેખાતી બંધ થાય. પરિણામે આરણ્યક યુગમાં લેકે યજ્ઞ અને સમાજને (અથવા તે બંનેને એકત્રિત કરનાર એક શબ્દ “અગ્નિ” ને) છોડી એકાંત જંગલમાં જઈ ઉપાસના અને તપસ્યાનું જીવન ગાળવા જતા માલૂમ પડે છે. એ બધું બ્રાહ્મણ યુગના કર્મકાંડમાંથી સ્વાભાવિક રીતે નીકળી આવતું હોય એમ લાગતું નથી. જ્યાં સુધી માણસને પ્રચલિત વિધાનમાં અશ્રદ્ધા પેદા ન થાય, અથવા તેમનાથી સધાતા લક્ષ્યથી કૃતકૃત્યતા પ્રાપ્ત થતી ન લાગે, ત્યાં સુધી માણસ અગ્નિહોત્ર છોડી અરણ્યમાં ન જાય. અને એક વાર એમ બનવા માંડયું એટલે પછી, ચાર આશ્રમ વગેરેની વ્યવસ્થાથી તે વસ્તુસ્થિતિને અમુક અંશે સ્વીકારી લઈ, તેની ગતિ થોડા વખત ભલે ધીમી કરી શકાય, પરંતુ અંતે અધૂરા ઠરેલા યજ્ઞવિધિઓ ઊડી ગયા વિના ન રહે. પરિણામે, ઉપનિષદકાળમાં આપણને આ યજ્ઞવિધિઓ અને “પુત્રમય’ તથા વિત્તમય જીવનને ચેખો વિરોધ Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ થતે દેખાય છે. યજ્ઞવિધિઓ “અદઢ હોડીઓ” કરે છે અને વેદ “અપરા વિદ્યા” બની જાય છે, અને “પુત્ર વગેરે આ લેકનું અમારે શું કામ છે, અમારે તે અમરલેક જોઈએ છે, ” એવી બૂમ ચારે બાજુ ઊઠે છે. ઉપનિષદયુગની મુખ્ય શોધ એવું કાંઈક જાણવાની છે કે, જે જાણવાથી બધું જણાઈ જાય. ન વિજ્ઞાતે સર્વ વિજ્ઞાત મતિ (મું. ૧. ૧. ૩). તે વખતના જિજ્ઞાસુઓ પૂછે છે કે, એવી કઈ વસ્તુ છે કે “જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે, જેને આધારે ટકી રહે છે તથા જેમાં પાછું સમાઈ જાય છે. ” ( છો. ૩. ૧૪. ૧) તેમને એવું પદ જોઈએ છે કે જે “પાપરહિત, જનારહિત, મૃત્યુરહિત, શંકરહિત, સુધારહિત, તૃષારહિત, સત્યકામ તથા સત્યસંકલ્પ, હેય, અને જેને જાણવાથી સર્વ લોકો અને સર્વ કામે પ્રાપ્ત થાય,' (છો. અ. ૮. નં. ૭. ૧૨-૧૫) જેને જાણવાથી શોકમાત્રને તરી જવાય ( છ. અ. ૭. ખ. ૧. ૩) ઉપનિષદમાં આપણે પાને પાને સ્ત્રી અને પુરુષ, રાજા અને રંક, બ્રાહ્મણ અને શુદ્ર એમ બધાંને એ જ્ઞાન પ્રાપ્ત કરવા એક ઠેકાણેથી બીજે ઠેકાણે કે એક જ્ઞાની પાસેથી બીજા જ્ઞાની પાસે દેડતાં જોઈએ છીએ. કઈ એકાદ તત્ત્વના સાક્ષાત્કાર માટે કે એકાદ મૂંઝવણના ઉકેલ માટે ગુરુ કહે તે પ્રમાણે પચીસ પચીસ વર્ષ તપશ્ચર્યા કરવી, કે તેના ઘરમાં તેનાં બધાં સામાન્ય કામ કરતા રહેવું, અને તેને અંતે પણ બધી મુશ્કેલીઓને અંત ન આવતાં ગુરુ પાસે ફરી બીજા પચીસ વર્ષની તપશ્ચર્યા પામવી – એવા અનેક દાખલાઓ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપાદુઘાત આપણને ઉપનિષદોમાં મળે છે. નચિકેતા જેવા કુમારે પણ મૃત્યુના મુખમાં ઊભા ઊભાય એ જ પ્રશ્નનો નિવેડે લાવવાની ઈંતેજારી દાખવી રહ્યા હોય છે. પરિણામે, “તે મૂળતત્ત્વ શું છે એ પ્રશ્નના સેંકડે ભિન્ન ભિન્ન જવા ઉપનિષદોમાં આપણને મળે છે. કેઈએ તે શોધ ભૌતિક ક્ષેત્રોમાં ચલાવી હોય છે, તો કેઈએ માનસિક ક્ષેત્રમાં. પરંતુ અંતે સર્વને “અમૃત જોઈએ છીએ અને તે બધી શોધ તે કસેટીએ કસાય છે. તેથી કોઈ એકાદ તત્વ શોધી કાઢી અટકી પડનારે શોધક પિતાનું તત્ત્વ હજુ અધૂરું છે એવું લાગતાં, બીજા જાણકાર પાસે વિના આડંબરે, નમ્રતાથી અને શ્રદ્ધાથી દડી જાય છે. ઉપનિષદકાળમાં થયેલી એ જુદી જુદી છે અને નિર્ણનું વૈવિધ્ય જેનાં નવાઈ પામી જવાય છે. કેટલાક પાણને જગતનું મૂળકારણ માને છે (બૃહ. પ. પ. ૧); કેટલાક વાયુને (છાં ૪. ૩. ૧- ૨); કેટલાક આકાશને (છાં. ૧. ૯, ૧); કેટલાક પ્રાણને (છાં. ૪. ૩. ૩); કેટલાક અસતને (તે. ૨. ૧); કેટલાક મૃત્યુને (બુ. ૧. ૨ ૧ – ૨); કેટલાક અંડને (છો. ૩. ૧૯. ૧-૩); કેટલાક સતને (છો. ૬. ૨. ૧ –- ૪); કેટલાક પ્રજાપતિને (પ્ર. ૧. ૩ – ૧૩): કેટલાક આત્માને (બ. ૧. ૪ ૧ – ૪); કેટલાક અમૂર્ત પુરુષને (મું. ૨. ૧, ૨ – ૮); તે કેટલાક ઈશ્વરને (વે. ૩. ૨) સર્વનું કારણ માને છે. માનસિક ક્ષેત્રમાં પણ તેમણે જુદા જુદા મુદ્દાઓ ઉઠાવેલા આપણે જોઈએ છીએ. મરણ બાદ મનુષ્યનું શું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાવીરસ્વામીનો સયમધમ અગત્યનું સ્થાન હાય છે તેને પણ શરીરને ચલાવનાર થાય છે તે પ્રશ્ને પણ તેમનું ધ્યાન ખેચ્યું છે, એટલું જ નંહ પણ તે જ્ઞાનને જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન માનવામાં આવ્યું છે (છાં. પ. ૩૧. ૪); કઠ (૧. ૧. ૨૦ – ૨૯). સ્વપ્તાવસ્થા અને સુષુપ્તિ અવસ્થાની ચર્ચા પણ તેટલું જ ભાગવે છે. જીવનું સ્થાન શરીરમાં ક્યાં વિચાર થયો છે ( હૈ, ૧. ૬. ૧ – ૨ ). કાણ છે તેમજ ઇંદ્રિયેા કાના ઉપર આધાર રાખે છે તેની પણ ચર્ચા છે (મૈં. ૨. ૩ -૪), જીવાત્માનું કદ કેટલું છે .તે વિષે પણ ચર્ચા છે ( બૃહ. પ, ૬. ૧; કઠ. ૨. ૨. ૧૨; છાં. પ. ૧૮. ૧ ). આત્માની જાગ્રત, સ્વપ્ત અને સુષુપ્ત ઉપરાંત ચેાથી તુય્યવસ્થાનું પણ વર્ષોંન છે. અને અંતે, આત્મામાં સમગ્ર વિશ્વ સમાયું છે, આત્મા એ જ સમગ્ર જગતનું મૂળ તેમજ અધિષ્ઠાન છે અને તેના સિવાય ખીજાં કાંઈ નથી એવા માયાવાદ પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. પુનર્જન્મના સિદ્ધાંતની પણ્ સારી ચર્ચા થયેલી છે, અને દેવયાન, પિતૃયાન વગેરે માર્ગો તેમજ પુનર્જન્મ પ્રાપ્ત ન થાય તેવી મુક્ત સ્થિતિનું વર્ણન અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયે પણ ચર્ચાયા છે. કર્મોના નિયમ પણ નિશ્ચિત સ્વરૂપમાં આપણને માલૂમ પડે છે. તેમજ મુક્તિ માટે સમાજમાં રહી કર્મ કર્યાં કરવાં કે બધું ઇંડી વનમાં જઈ અધ્યાત્મયેાગપરાયણ જ રહેવું તેની પણ ચર્ચા છે. ( બૃહ. ૪. ૪. ૨૨; ઈશ. ૨ ). સારું' કે નરસું કરવું અથવા ન કરવું એ મનુષ્યના હાથની વાત છે ( ક. ૨ - ૧; મુક્તિ. ૨. ૫- ૬: ગૃહ, ૪. ૪. ૫) કે પ્રાણી તેા અવશ છે ( કૌ, ૩ -- ૯) એ પ્રશ્ન પણ ચર્ચાયા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ • ઉધાત આમ વિવિધ રીતે મનુષ્યજીવનને લગતા અંતિમ પ્રશ્નો છેડાવા શરૂ થવા, અને તે પ્રશ્નોનું નિરાકરણ જૂનાં શાસ્ત્રો કે વિધિઓમાં શોધવાને બદલે સ્વપ્રયને આત્મચિંતન અને અધ્યાત્મગથી ખોળવાનું છે એ ભાવ પેદા થવો, એ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ અત્યંત આવશ્યક હોવા છતાં, તેમાં તત્ત્વજ્ઞાન તેમજ આચાર બંનેને માટે ભારે જોખમે રહેલાં છે એ સહેજે સમજી શકાય તેવું છે. કારણ કે યજ્ઞકાંડના વિધિઓની બાબતમાં તે જે ફળ માટે તે કરવામાં આવતા, તે ફળ જે ઐહિક હોય તે તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિરૂપી પ્રત્યક્ષ પુરાવો નજર સામે રહેતે. એટલે ગમે તેવી ઉટાંગ કલ્પના તે બાબતમાં ન ચાલી શકે. તે જ પ્રમાણે શ્રદ્ધાથી અમુક પ્રાચીન ગ્રંથને જ અનુસરવાનું હોય, ત્યાં જે કે તે કઈ પ્રત્યક્ષ પુરાવો મળ શક્ય ન હોય, તે પણ, તે ગ્રંથે પોતાના જેવા માણસોથી સૈકાઓથી તપાસતા આવ્યા છે એવું સમાધાન રહેતું. પરંતુ આત્મજ્ઞાન એવી વસ્તુ છે કે, તેને એ કાઈ ખાસ બાહ્ય પુરાવો ન મળી શકે. કારણ જ્ઞાનીઓ પોતે જ તેને મન અને વાણીથી પર ઠરાવે છે. એટલે અમુક માણસે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નહિ તેની કસોટી સામાન્ય માણસ માટે એટલી જ રહેતી કે, તે માણસ સંન્યાસી છે, આત્મચિંતનને આવશ્યક એવા કઠોર તપશ્ચર્યા કરતો આવ્યો છે તથા તેના પુષ્કળ અનુયાયીઓ છે. એટલે પરિણામે, ગમે તેવા બિનજવાબદાર કે ધૂર્ત લેકે માટે ગમે તેવા સિદ્ધાંત અને ગમે તેવા પશે સ્થાપવાનો માર્ગ ખુલ્લો થઈ Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ગયો. તમારે છેક છેલ્લી કેટીને સુખવાદ જ ઉપદેશ હોય, તે પણ તમે સંન્યાસી થાઓ અને શરૂઆતમાં અમુક આકરી તપશ્ચર્યાઓ કરી બતાવે એટલે અનુયાયીઓ આવી જ મળવાના, અને એક વાર પ્રતિષ્ઠિત થયા પછી અનુયાયીઓએ શ્રદ્ધાપૂર્વક આપેલા કામભાગે સ્વીકારવામાં અથવા તે જાતે જ તેમને તેમ કરવાનું કહેવામાં વાંધો નહિ. કારણ જ્ઞાનીને પાપપુણ્યનો લેપ લાગે નહિ ! ઊલટું અંદર પ્રજવળતા જ્ઞાનને પ્રત્યક્ષ પુરાવો જ એ કહેવાય કે, ગમે તેવા ભૌતિક પદાર્થો અને વિષય ભોગવવા છતાં તમારા જ્ઞાનને બાધ આવતો નથી ! ઉપનિષદોમાં પોતામાં જ છેવટના ભાગમાં (તા. ૧) આવા વિવિધ ભ્રામક વાદોની નોંધ લેવાઈ છે અને કઠોપનિષદ વગેરેએ તેવા વાદીઓ અને તેમના અનુયાયીઓની આંધળા વડે ઘેરાતા આંધળાઓ” કહીને સખત ઝાટકણી કાઢી છે. પરંતુ તે બૂમ હવે કશી કામ આવી શકે તેમ હતી નહિ. જે થવાનું હતું તે થઈ ચૂકયું હતું. દુર્ભાગ્યે, એ સમયના એ બધા વાદેના કોઈ ખાસ અગત્યના કે સ્વતંત્ર ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. માત્ર તત્કાલીન સાહિત્યમાં વિરોધદષ્ટિએ જે છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે, તે ઉપરથી જ આપણને તેમને વિષે માહિતી મળે છે. તેમની ઉપર ઉપલક દષ્ટિ નાખી જનારને પણ જણાયા વિના નહિ રહે કે, જે હંમેશા માટે લુપ્ત થયું છે, તે ધાર્મિક તેમજ સામાજિક ઇતિહાસકારને માટે કેટલું અગત્યનું હતું. કારણ કે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉપઘાત ઉપનિષદે અને જૈન તથા બૌદ્ધ ધર્મના ઉદયના વચગાળામાં જે સમય ગયો છે તેની કલ્પના ઉપરથી જ આપણે મહાવીર ભગવાન તેમજ બુદ્ધ ભગવાનની સેવાની સાચી કિંમત આંકી શકીએ તેમ છીએ. વિચાર અને આચારની એ અવ્યવસ્થા અને અરાજકતામાંથી વ્યવસ્થા અને ધૈર્યનાં તો નિર્માણ કરવાં એ કેટલું અગત્યનું અને અઘરું કામ હતું, તથા તે કામ સફળતાથી પાર પાડીને તે બંને મહાપુરુષોએ આર્ય પ્રજાને કેટલી આભારી કરી છે, તેને ખ્યાલ આપણે ત્યારે જ બાંધી શકીએ. એ સમયની માહિતી આપણને મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ મળે છે? (૧) સૂત્રકૃતાંગ, આચારાંગ, ભગવતી સૂત્ર અને નંદી સૂત્ર જેવા જૈન આગમ ગ્રંથે. તેઓમાં ઠેકઠેકાણે ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ, એ ચાર મથાળાં હેઠળ (૧૮૦ + ૮૪ + ૬૭ + ૩૩) ૩૬૩ જુદા જુદા વાદે અથવા દર્શને તે સમયમાં હતાં એવા ઉલ્લેખ મળે છે. (૨) તેટલું જ સમકાલીન તેમજ તેનાથી તક્ત સ્વતંત્ર એવું બીજું સ્થળ તે બૌદ્ધ ગ્રંથે છે. જેમકે દીઘનિકાયના બ્રહ્મજાલ સૂત્રમાં બુદ્ધ ભગવાનના સમયમાં ૬ર અબૌદ્ધ વાદ પ્રચલિત હતા એમ જણાવવામાં આવ્યું છે. તેમની વિગતે અને તેમના પ્રવર્તકેમાંથી ઘણાનાં નામ જૈન ગ્રંથમાંથી મળી આવતી માહિતીને ઘણી વાર મળતાં આવે છે. જે કે જૈન અને બૌદ્ધ ગણનાઓમાં તે વાદેની સંખ્યા જે રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વા ના સચમધમ ગણાવવામાં આવી છે તે ઉપરથી ચાખ્ખુ માલૂમ પડી આવે છે કે, તે સંખ્યા પોતાના સિદ્ધાંતોથી વિરુદ્ધ કેટલા પ્રકારના વાદા હાઈ શકે એમ ગણીને ગુણાકારથી ઉપજાવી કાઢેલી છે. પરંતુ તે ઉપરથી તે ગણનાના બધા વાદેને અનૈતિહાસિક માનવાની જરૂર નથી. કારણ કે બને ગણનાએામાં અમુક વા અને વાદીએનાં નામ બધી વિગતમાં મળતાં આવે છે, એટલે તેમને તે ઐતિહાસિક માનવાં જોઈ એ. (૩) જૈન અને બૌદ્ધ ગણુનાઓને ટેકા આપે એવી કેટલીક માહિતી શ્વેતાશ્વતર ઉપનિષદ ( ૧. ૨. ૬. ૧); મૈત્રાયણી ઉપનિષદ ( ૬. ૧૪; ૬. ૨૦; ૭. <); માંડૂકય કારિકા ( ૧. ૭. ૯; ૨. ૨૦. ૮) વગેરે બ્રાહ્મણ ગ્રંથામાં મળી આવે છે. આ ગ્રંથમાં કાલ, સ્વભાવ, નિતિ, યદચ્છા, મહાભૂતા, પુરુષ, ઈશ્વર વગેરેને મૂળતત્ત્વ માનનારા વાદનું વર્ણન કે ખંડન છે. ઉપરાંત ષષ્ટિતંત્ર નામના સાંખ્ય ગ્રંથના વિષયાનું વર્ણન પંચરાત્રાની અહિં જ્ન્મ સહિતામાં મળી આવે છે. તેમાં સાંખ્યથી ભિન્ન એવાં ૩૨ તત્રેા એટલે કે પ્રમાણે ઃ ૨૪ દમૈાનુ વર્ણન છે. તે આ બ્રહ્મતંત્ર, પુરુષત ંત્ર, શક્તિત ́ત્ર, નિયતિત ંત્ર, કાલત ંત્ર, ૩ ગુણતત્રા, અક્ષરતંત્ર, પ્રાણતંત્ર, કર્તૃતંત્ર, સામિ (!) તત્ર, ४ જ્ઞાનતંત્ર, પક્રિયાત્રા, ૧ માત્રાત્રા, ૫ ભૂતતા. એ ત્રણે પ્રકારનાં સ્થળેામાં વર્ણવેલા જુદા જુદા વાદમાંથી કાલવાદ અથર્વવેદ (૧૯. ૫૩, ૪) જેટલે! જાતે છે. અને તેનું વિસ્તૃત વર્ણન મહાભારત ( શાંતિપ૨૨૩ ( ૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપાઘાત ૨૨૫) વગેરે ગ્રંથામાં મળી આવે છે. શ્વેતાશ્વતર 'ઉપનિષદમાં ( ૧. ૨. ૪; ૬. ૧૪. ૧૬ ) તેનું ખંડન કરેલું છે. ઉપરાંત પછીના જાતકપ્રથામાં ( નં. ૨૪૫), અશ્વધાના સૌદરાનઃ કાવ્યમાં ( ૧૬, ૧૭ ) તથા સાંખ્યસૂત્રમાં ( ૧. ૧૨ ) તેનું ખંડન છે. પરંતુ મહાવીર તેમજ મુદ્દે તે વાદનેા નામ દઈ તે ઉલ્લેખ કર્યો નથી, કે ખ ́ડન કર્યુ” નથી. શીલાંકાચાર્યે આચારાંગસૂત્રની ટીકામાં શ્વરવાદ, આત્મવાદ, નિયતિવાદ, સ્વભાવવાદ અને યદચ્છાવાદની સાથે કાલવાદને અક્રિયાવાદમાં સમાવી દીધા છે; કારણ તે વાદ પણ અંધ – મેાક્ષ, સુખદુઃખ વગેરેનું કારણ કાલને જ માનતા હાઈ એક પ્રકારના અક્રિયાવાદ જ છે. અક્રિયાવાદ એટલે કર્મની જવાબદારી તેમજ ફળમાં ન માનનારા વાદ. < શ્વરવાદ, આત્મવાદ, પુરુષવાદ વગેરે વાદા ઉપનિષદે માં સુપ્રસિદ્ધ છે. તે વાતે અક્રિયાવાદમાં સમાવવાનું કારણ એ લાગે છે કે, કૌશી॰ ૩–૯ વગેરેમાં આવેલા C સાધુ ારચત, एष असाधु कारयति, ઈશ્વર માણસ પાસે સારાં કર્માં કરાવે છે, તથા ખેાટાં કરાવે છે' વગેરે સિદ્ધાંતા, તેમજ આત્મા નિષ્ક્રિય છે, તેને પાપપુણ્યને લેપ થતા નથી વગેરે સિદ્ધાંતા છેલ્લી હદે લઈ જવામાં આવે, તેા અક્રિયાવાદ જ આવીને ઊભા રહે છે. સાંખ્ય સિદ્ધાંતમાં પણ પ્રકૃતિને જ બધી ક્રિયાનું મૂળ માનેલી છે અને પુરુષને નિર્ગુણ તથા નિલેપ માતેલા છે; એટલે તેની વિકૃતિમાંથી પણ અક્રિયાવાદ પ્રાપ્ત થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીનો સયમધમાં પંચમહાભૂતમાં જ પરલેાકમાં ન માનનારા ભૂતવાદીએ દેખીતા અક્રિયાવાદી છે. ર માનનારા તા આત્મા કે જ સ્વભાવ, નિયતિ અને યદચ્છાવાદીઓનું પણ તેમજ છે. અક્રિયાવાદીઓ ઉપરાંત મહાવીર ભગવાન ક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદીને ઉલ્લેખ કરે છે. જૈન તેમજ બૌદ્ધો અને ક્રિયાવાદીએ જ છે પર ંતુ તેએમાં ક્રિયાની બાબતમાં જ અમુક મતભેદ છે. તેનું તથા વિનયવાદીનું વર્ણન આગળ યાગ્ય સ્થળે કરેલું છે. અજ્ઞાનવાદીઓના સિદ્ધાંતનું વર્ણન સંજય એલટ્રીપુત્તના વનમાં આવી જાય છે એટલે હવે જૈન તેમજ બૌદ્ધ ગ્રંથમાં મોટે ભાગે સમકાલીન એવા જે કેટલાક પ્રસિદ્ધ વાદીઓને ઉલ્લેખ મળે છે, તેમનું જ વર્ણન અહીં ઉતારીએ. કારણ કે માત્ર વાદના ઉલ્લેખ કરતાં ઐતિહાસિક વ્યક્તિ રૂપે પ્રસિદ્ધ વાદીની હકીકત વધુ પ્રામાણિક ગણાય. ૫ ભગવાન મહાવીર અને યુદ્ધ બાદ કરતાં નીચેના પાંચ આચાર્યો તે સમયે અત્યંત પ્રસિદ્ધ હતા. તેમનાં નામ આ પ્રમાણે છે (૧) પૂરણુ કસ્સપ ( પૂર્ણ કાશ્યપ ) (૨) પધ કચ્ચાયન ( કંકુ કાત્યાયન ) (૩) અજિત કૈસકમ્બલી ( અજિત કેશક બલી ) (૪) મલિ ગેાસાલ ( મરિન ગોશાલ ) (૫) સંજય એલગ્નીપુત્ત. Page #44 -------------------------------------------------------------------------- ________________ ર૭. ઉપઘાત બદ્ધ ગ્રંથમાં તેમના સિદ્ધાંતનું જે વર્ણન મળે છે તે અહીં ઉતારવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગમાં નામ દીધા વિના તેમના જ સિદ્ધાંતોને ઉલેખ થયેલ છે એ વાચક તરત જોઈ શકશે. ૧. પૂરણકમ્સપ: તેનો સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યો છે: કોઈએ કાંઈ કર્યું હોય અથવા કરાવ્યું હોય, કાપ્યું હોય અથવા કપાવ્યું હોય, ત્રાસ આપે હોય અથવા અપાવ્યો હોય, પોતે શાક કર્યો હોય, પિતાને ત્રાસ થયે હોય અથવા બીજાને અપાવ્યો હોય, પોતે બી હોય અથવા બીજાને બીવરાવ્યો હોય, પ્રાણીને વધ કર્યો હોય ચોરી કરી હોય, ઘર ફાડયું હોય, ધાડ પાડી હોય, એકાદ ઘરમાંથી કાંઈ ચેર્યું હોય અથવા વાટમાં લૂંટ કરી હોય અથવા વ્યભિચાર કર્યો હોય, કે જૂઠું બોલ્યો હોય, તે પણ તેને પાપ લાગતું નથી. તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી જે કઈ પૃથ્વી ઉપર માંસની એક હાર અથવા ઢગલે કરે, તે તેમાં મુદ્દલ પાપ નથી. ગંગા નદીના દક્ષિણ તીર ઉપર જઈ કઈ મારામારી કરે, કાપે અથવા કપાવે કે ત્રાસ આપે અથવા અપાવે તો પણ તેમાં મુદ્દલ પાપ લાગતું નથી. અથવા ગંગા નદીના ઉત્તર કિનારા ઉપર જઈ કોઈ દાન દે અથવા દેવરાવે, યજ્ઞ કરે અથવા કરાવે, તે તેથી જરા પણ પુણ્ય થતું નથી. દાન, ધર્મ, સંયમ, સત્ય ભાષણ એ બધાથી કાંઈ જ પુણ્ય થતું નથી. એમાં જરા પણ પુણ્ય નથી.” ૧ આ તેમજ હવે પછી મૂકેલા બીજા વાદીઓના સિદ્ધાંતોના ઉતારા અધ્યાપક ધર્માનંદ કસુંબીના પુરાતત્ત્વ પુ. ૨ માં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી લીધા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પૂરણ કરૂપ ઈ. સ. પૂર્વે પ૭ર માં મરણ પામ્યો એમ કહેવાય છે. એટલે તે અમુક અંશે બુદ્ધને સમકાલીન જ કહેવાય. સામગ્ગાફલ સુત્ત ( દીધનિકાય) માં તેના વાદને અક્રિયાવાદ કહેવામાં આવ્યો છે. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧. ૧૩ માં તેના વાદ જેવો જ વાદ આવે છે. ટીકાકાર તેને અકારક વાદ કહે છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે નિષ્ક્રિય છે, તથા પાપપુણ્યથી પર છે એવા ઉપનિષદના વાદને અંતિમ હદે લઈ જવામાં આવે, તો આ જ વાદ આવીને ઊભો રહે. બૌદ્ધ સાહિત્યમાં પૂરણ કસપને “અચેલક” એટલે નગ્ન તપસ્વી તથા મેટા શિષ્યવૃંદના નાયક અને દેશભરમાં પ્રસિદ્ધ એવા તીર્થકર તરીકે વર્ણવવામાં આવ્યો છે. ૨. પફધ કચ્ચાયન : તેને સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે: આ જગત સાત પદાર્થોનું બનેલું છે અને તે પદાર્થોને કઈ પણ કારણથી વિનાશ નથી. તે સાત પદાર્થો કોઈએ કરેલા કે કરાવેલા, અથવા નિર્માણ કરેલા કે કરાવેલા નથી; તેઓ વંધ્ય, કૂટસ્થ અને સ્તંભ જેવા અચલ છે. તે હાલતા નથી, બદલાતા નથી, એક બીજાને ત્રાસદાયક થતા નથી કે એક બીજાનું સુખ કે દુઃખ અથવા બને ઉત્પન્ન કરી શકતા નથી. તે સાત પદાર્થો નીચે મુજબ છે : પૃથ્વી, આપ, તેજ, વાયુ, સુખ, દુ:ખ અને જીવ. આ સાતને મારનાર, મરાવનાર, સાંભળનાર, કહેનાર, જાણનાર અથવા વર્ણન કરનાર કેઈ પણ નથી. જે તીણ શસ્ત્ર વડે કોઈનું ડોકું કાપે છે, તે કેઈનું પણ જીવિત હરણ કરતો નથી. માત્ર આ સાત પદાર્થોની વચલી જગામાં શસ્ત્રોએ પ્રવેશ કર્યો એટલું જ.” Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત પકુધ કાયન પણ બુદ્ધને કંઈક અંશે સમકાલીન હતો. પ્રશ્નોપનિષદમાં કબધી કાત્યાયનો ઉલ્લેખ છે. કબધી અને કકુદ એ બંને શબ્દો એક જ શારીરિક બેડના વાચક છે. બુદ્ધિષ જણાવે છે કે, તે ઠંડુ પાણી કદી નહેાતે પીતે, ગરમ પાણી જ પીત; તેમજ તેના અનુયાયીઓ પણ તપસ્વી જીવન ગાળનારા હતા. એના વાદને શાશ્વતવાદ અથવા અનWવાદ કહેવામાં આવે છે. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧. ૧૫ – ૬ માં વર્ણવેલા વાદને વેણીમાધવ બરુઆ ? પકુધ ઉચ્ચાયનના વાદ તરીકે જણાવે છે. જો કે તેમાં આત્મા સાથે છ પદાર્થ માનનાર વાદીનું વર્ણન છે. ઉપનિષદોના, “આત્માને મારી શકાતો નથી, છેદી શકાતો નથી” (કૌશી. ૩. ૮; કઠ. 1. ૨. ૧૮ – ૨૫) એ સિદ્ધાંતને જરાક આગળ લઈ જઈએ, એટલે આ વાદ જ આવીને ઉભો રહે છે. ૩. અછત કેસકબા એને સિદ્ધાંત નાસ્તિક, ચાર્વાક કે લોકાતિક મતને જ મળતો આવે છે. આ વાદ દરેક કાળમાં કોઈને કોઈ સ્વરૂપે અસ્તિત્વમાં હોય જ છે. એ વાદને ભૂતવાદ પણ કહી શકાય. જગતના મૂળ કારણ તરીકે જડ ભૂત અને તેમની જડ શકિતઓ સિવાય બીજું કાંઈ ન સ્વીકારવું એ ભૂતવાદનું મુખ્ય લક્ષણ હોય છે. એક સામાન્ય વલણમાંથી વ્યવસ્થિત દર્શનનું સ્વરૂપ લેતાં આ વાદને વાર ન લાગે. કૌટિલ્ય તે પિતાના અર્થશાસ્ત્રમાં લોકાયત દર્શનને એક સ્વતંત્ર દર્શન તરીકે સ્થાન આપે છે. જે સમયે કોઈ બે તત્ત્વો નાનામાં નાની એકાદ વાત વિષે ૧. પ્રીબુદ્ધિસ્ટીક ઈન્ડિયન ફિલોસેફ, પા. ૨૮૧ – ૬. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મહાવીર સ્વામીને સંયમધર્મ પણ એકમત ન થઈ શકતા હોય, તેવે સમયે નકામી તાત્વિક ચર્ચાઓમાંથી પાછા ફરી, પ્રત્યક્ષ દેખાતા પદાર્થોમાં સામાન્ય બુદ્ધિ સમજી શકે તેવી રીતે ભૌતિક જીવન જીવવાને ઉપદેશ આપનાર તીર્થકરનું સ્થાન પામે જ. અછતને સિદ્ધાંત આ પ્રમાણે હતોઃ દાન, યજ્ઞ, હેમ વગેરે કાંઈ પણ નથી. સારા ખોટા કર્મનું ફળ અથવા પરિણામ પણ નથી. આ લેક, પરલેક માતાપિતા કે દેવો નારકીઓ વગેરે પારલૌકિક નિઓ પણ નથી. આ લેક અને પરલોકને જાણી અને બરાબર ઓળખી, બીજાને શીખવનારા, સર્વજ્ઞ અને સાચે માર્ગે જ જનારા શ્રમણ કે બ્રાહ્મણે આ જગતમાં નથી. મનુષ્ય ચાર ભૂતનો બનેલો છે. જ્યારે તે મરે છે ત્યારે તેનામાંથી પૃથ્વી ધાતુ પૃથ્વીમાં, આ ધાતુ પાણમાં, તેજે ધાતુ તેજમાં અને વાયુધાતુ વાયુમાં જઈ મળે છે અને ઈન્દ્રિયો આકાશમાં જાય છે. મરેલા માણસને ચાર પુરુષે ઠાઠડીમાં નાખી, રસ્તામાં તેના ગુણ ગાતા ગાતા સ્મશાનમાં લઈ જાય છે. ત્યાં ભૂખરા રંગનાં હાડકાં પડી રહે છે અને તેણે કરેલા યજ્ઞ, હામ અને આહુતિઓ રાખડીરૂપે બાકી રહે છે! દાન, (હેમ ની આ બેવકૂફી મૂર્ખ માણસોએ શોધી કાઢી છે. જે કોઈ આસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે, તેનું કહેલું તદ્દન ખોટું અને નકામી બડબડ છે. ડાહ્યા અને મૂર્ખ બંનેને શરીર જુદું પડ્યા પછી ઉચ્છેદ અને વિનાશ થાય છે. મરણ પછી તેમનું કાંઈ બચતું નથી.” ૧. બરાબર આવા જ શબ્દો સૂત્રકૃતાંગ ૨. ૯ માં આવે છે. ૨. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧૧ – ૨ માં આવા જ શબ્દો છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૩૧ અછત વાળનો બનાવેલો કામળે જ એઢતો તેથી તે કેશકુંબલી કહેવાતું. બૌદ્ધ ગ્રંથોમાં તેના વાદને ઉચછેદવાદ કહ્યો છે. ૪, મખલિ સાલ : આ એક તે સમયની ધ્યાન ખેંચે તેવી વ્યક્તિ છે. તે આજીવિક સંપ્રદાયનો ત્રીજો અને છેલ્લે તીર્થકર કહેવાય છે. વિરોધીઓએ તેનું જે રીતે વર્ણન કર્યું છે, તે રીતે જોતાં તે માણસ શી રીતે પિતાને પંથ ફેલાવી શક્યો એ જ નવાઈ લાગે છે. કારણ કે તેના સિદ્ધાંત પ્રમાણે માણસમાં સારું અથવા બેટું કાંઈ જ કરવાનું બળ, વીર્ય, પુરુષકાર કે પરાક્રમ જ નથી. ઉપાસકદશાસૂત્રમાં તે ગોસાલના અનુયાયી એક કુંભારને ભગવાન મહાવીરે માત્ર એટલી જ દલીલ કરીને સમજાવી દીધું છે કે, જે માણસમાં કશું જ કરવાનું બળ, વીર્ય ઈત્યાદિ ન હોય, તો કોઈ માણસ આવી આ તારાં વાસણ ચોરી જાય કે ભાગી નાખે અથવા આ તારી પ્રિય સ્ત્રી સાથે વ્યભિચાર કરે, તો તારે તેની સાથે ઝઘડવા ન બેસવું. કારણ તારે મને માણસમાં ચોરી કરવાનું, વ્યભિચાર કરવાનું... કે કાંઈ પણ કરવાનું બળ જ નથી! અને છતાં અશોક રાજાના શિલાલેખમાં ત્રણ વખત આજીવિક સંપ્રદાયનો માનપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તથા તેના પૌત્ર દશરથે તેમને માટે રહેવાની ગુફાઓ ભેટ આપી છે. વિરોધીઓ પણ એટલું તે કબૂલ કરે છે કે, તે લકે અચેલક (નગ્નાવસ્થામાં રહેનારા ) તપસ્વીઓ હતા; સર્વ વસ્તુઓમાં જીવ રહ્યો છે માટે તેમને ઈજા ન થાય એવી રીતે ચાલવું એમ માનતા; તથા સામાન્ય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મહાવીરસ્વામીને સચમધમ રીતે ભિક્ષા માગવા જતાં કૂતરું સામું ઊભું હોય કે માખા અભણતી હાય, તે તેમના હિસ્સામાંથી ભાગ પાડનારા ન બનવા ખાતર, ભિક્ષા લીધા વિના ચાલ્યા જતા. મજિઝનિકાયમાં જણાવ્યું છે કે, 'આજીવિક લેાકેા કદી ખીજાતે। હુકમ માની સ્વમાનભંગ થવા દેતા નથી, તેમજ પેાતાને માટે તૈયાર કરેલા ખારાક સ્વીકારતા નથી. લેકા ખાવા બેઠા હૈાય ત્યાંથી અથવા દુકાળના વખતમાં ભેગા કરેલા અન્નમાંથી તે ભિક્ષા માગતા નહિ તથા તે માછલી, માંસ કે માદક પદાર્થો ખાતા નહિ.’ઉપરાંત જૈન પરપરામાંથી પણ એટલું તે આપણે ચોક્કસ જાણી શકીએ છીએ કે, પાર્શ્વનાથના સંપ્રદાયના સાધુઓની આચારશિથિલતાથી ખિન્ન થઈ મહાવીર ગેાસાલ સાથે છ વર્ષ રહ્યા હતા, તથા-ગેાસાલે મહાવીરની પહેલાં બે વર્ષે જિનપદ પ્રાપ્ત કર્યુ હતું. મહાવીરના અને ગેાસાલના સિદ્ધાંતામાં કેટલીક બાબતમાં ધણું સામ્ય છે. તે ઉપરથી કાણુ કાની પાસે શીખેલું તે બાબત વિવિધ અટકળે ચાલ્યાં કરે છે. જૈનપરપરા જે આગ્રહથી ગામાલને મહાવીરને શિષ્ય ઠરાવવા પ્રયત્ન કરે છે. તે ઉપરથી મહાવીરને જ ગેાસાલના શિષ્ય તરીકે આધુનિક વિદ્યાને રાવે છે ! બૌદ્ધગ્રંથેામાં ગેાસાલને સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવ્યા છે : ૧. તે સામ્ય નીચેની ખાખતામાં છે : (૧) નિર્જીવ રૃખાતા જડ પદાર્થોમાં પણ જીવ રહેલા છે એવી કલ્પના (૨) પ્રાણીમાત્રના (લિંગ) શરીરના રંગ પ્રમાણે ભૂરા, પીળેા વગેરે છ ભેદ (૩) કદાચ હાય, કદાચ ન હાય, કદાચ હાય તેમજ ત્ પણ હાય, એવા ત્રણ રાશિવાળા વાક્યપ્રયાગ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત પ્રાણુઓની અપવિત્રતાનું કાંઈ પણ કારણ નથી; કાંઈ હેતુ સિવાય કે કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં પણ કાંઈ હેતુ નથી, કે કોઈ પણ કારણ નથી. હેતુ સિવાય, તેમજ કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પિતાના કે બીજાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી. બલ નથી, વીર્ય નથી; પુરુષની શક્તિ અથવા પરાક્રમમાં પણ કાંઈ નથી. સર્વે સરસર્વે પ્રાણી, સર્વે જીવ અવશ, દુર્બલ, અને નિર્વીર્ય છે. તેઓ નસીબ, જાતિવૈશિષ્ટ અને સ્વભાવ અનુસાર બદલાય છે. અને છ માંથી કોઈ પણ જાતિમાં રહીને સર્વ દુઃખને ઉપભોગ કરે છે. . . . “૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા બંનેના દુઃખનો નાશ થાય છે. આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિપકવ કર્મોને પદ્મ કરી નાખીશ અથવા “પરિપકવ થયેલાં કર્મોનાં ફળ ભોગવીને નહિ જેવાં કરી નાખીશ” એવું જે કંઈ કહે, તે તે બનવાનું નથી. ૧. “પદાર્થોની વિવિધતાનું કારણ નિયતિ, સગતિ અને ભાવ છે. ૨. ખાટકી, પારધી વગેરે લોકોનો કૃષ્ણ જાતિમાં સમાવેશ થાય છે. ભિક્ષ વગેરે કર્મવાદી લોકોને નીલ જાતિમાં, એક વસ્ત્ર રાખનાર નિરોને લોહિત જાતિમાં, સફેદ વસ્ત્ર પહેરનારા અચેલક આજીવિક શ્રાવકોનો હરિદ્ર જાતિમાં અને નંદ વચ્છ, કિસ, સંકિચ્ચ અને મખલિગોસાલ (આજીવિક સંપ્રદાયના મુખ્ય આચાર્યો) ને પરમ શુક્લ જાતિમાં. જૈનેનો લેશ્યાઓને સિદ્ધાંત આ સાથે સરખાવવા જે છે. તેઓ પણ ગુણકર્મ અનુસાર મને કૃત્તિના આવા રંગભેદ પાડે છે. ૩. એવી જૈન માન્યતાને આ વિરોધ છે. ક્રિયાવાદી ગણાતા બુદ્ધ પણ આ માન્યતાને પ્રબળ વિરોધ (મઝિમનિકાય, ચૂળદુખ – ખબ્ધ સુત્તમાં) કર્યો છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪. મહાવીરસ્વામીને સંયમ ધર્મ આ સંસારનાં સુખદુઃખ પરિમિત, પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં (નિયત) છે. અને તે કમીજાસ્તી અથવા વત્તાઓછાં કરાવી શકાય તેમ નથી. જે પ્રમાણે સૂતરને દડે ફેંકતા તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તેમ ડાહ્યા અને મૂર્ખના દુઃખનો (સંસારના) ફેરામાં ગયા પછી જ નાશ થશે.” બૌદ્ધગ્રંથોમાં એના સિદ્ધાંતને સંસારશુદ્ધિવાદ કહ્યો છે. તે હાથમાં “મસ્કર' એટલે દંડ ધારણ કરતા હોવાથી (એકદંડી) મશ્કરી ગોસાલ કહેવાય છે. તેનું સાલ નામ પડવાનું કારણ એમ બતાવવામાં આવે છે કે, તે ગૌશાળામાં જન્મ્યા હતા. ગેસલ મહાવીરનો સમકાલીન હતું તેમજ તે બંને છ વર્ષ સાથે રહ્યા હતા; એ ઉપરથી જૈન સૂત્રોમાં તેના વિષે વધુ માહિતી મળવી જોઈએ એમ સહેજે લાગ્યા વિના ન રહે. તે પ્રમાણે ભગવતીસૂત્ર, ઉપાસકદશા, સૂત્રકૃતાંગ વગેરેમાં ગેસલના વિસ્તૃત કે ટૂંકા ઉલ્લેબ મળે પણ છે. પરંતુ તે બધે ઠેકાણે તેને ચારિત્ર્યભ્રષ્ટ તેમજ મહાવીરને એક વખતને શિષ્ય ઠરાવવા એટલા બધા પ્રયત્ન કરેલા માલૂમ પડે છે કે, દેખીતી રીતે જ તે ઉલ્લેખ ઉપર બહુ આધાર ન રાખવાનું મન થઈ જાય છે. વિરોધીઓના ઉલ્લેખો ઉપરથી નિષ્પક્ષપાત દષ્ટિએ ગેસાના સિદ્ધાંતને શક્ય તેટલી સારી રીતે રજૂ કરવાનો પ્રયત્ન વેણીમાધવ બરુઆએ પિતાના પુસ્તકમાં કર્યો છે. ૧. પ્રીબુદ્ધિસ્ટીક ઇડિયન ફિલોસેફી પા. ૨૯–૩૧૮. Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત ૫ ૫. સંજય બેલટ્રીપુર : સંજય બુદ્ધને સમકાલીન નહતો. તે પણ પરિવ્રાજક હિઈ તીર્થંકર તરીકે પ્રસિદ્ધ હતો. બુદ્ધના મુખ્ય શિષ્યો સારિપુર અને મોગલાન પ્રથમ સંજયના અનુયાયીઓ હતા એમ જણાવવામાં આવે છે. સંજયના ઉપદેશનું વલણ વિક્ષેપવાદી કે અજ્ઞાનવાદીનું હતું. તે કહેતો ક, ““શું પરલોક છે ?' એમ મને પૂછવામાં આવે તો, પરલેક છે' એમ મને લાગે છે, પરલેક છે” એમ હું કહીશ. પરંતુ મને એમ પણ નથી લાગતું અને તેમ પણ નથી લાગતું. આ બંનેથી ભિન્ન એવું પણ નથી લાગતું. નથી' એમ પણ કાંઈ લાગતું નથી અને “નથી એમ નથી એમ પણ લાગતું નથી. એ જ પ્રમાણે ઔપપાતિક પ્રાણીઓ સારાં અને ખાટાં કર્મોનું ફળ તથા તથાગત મરણ પછી રહે છે કે નહિ એ બાબતનું પણ સમજવું. ” સૂત્રકૃતાંગમાં અજ્ઞાનવાદીનું વર્ણન ૧. ૬. ૨૭; ૧. ૧૨ ૧– ૨; ૨. ૨. ૭૬ માં આવે છે. આ અજ્ઞાનવાદ મનુષ્યોને ઇન્દ્રિયાતીત વસ્તુઓની વ્યર્થ ચર્ચાઓમાંથી પાછી મનુષ્યજીવનને લગતી સીધી વાતમાં ઠેકાણે લાવવા ઘણો ઉપયોગી થઈ પડે. બુદ્ધ પણ પિતાને એવા અંતિમ પ્રશ્નોની બાબતોમાં કોઈ પૂછે ત્યારે કહેતા કે, “તે વિષે હું કાંઈ કહી શકું તેમ છું એમ મેં કદી કેઈ ને કહ્યું નથી. તમને જગતમાં દુઃખ દેખાતું હોય અને તેમાંથી નીકળવાનો માર્ગ જોઈતું હોય, તે મારી પાસે ૧. ગર્ભવાસ પામ્યા વિના જ પરલોકમાં જન્મનાર દેવ નારકિ વગેરે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આવો. બાણ વાગ્યું હોય ત્યારે તેમાં પીંછાં કેટલાં છે અથવા તે કયા પક્ષીનાં છે એવી નકામી ચિંતામાં પડનાર મૂર્ખ છે. ખરી જરૂર બાણ વાગ્યું છે તે જાણવાની અને તેને કાઢી નાખવાની છે!” સબળ લેકોના હાથમાં એક ઉપયોગી સાધનની ગરજ સારી શકે તે એ વાદ, પરંતુ, નિર્બળ, થાકેલા અથવા સુખેશી લોકોના હાથમાં એક વિનાશક સાધન થઈ પડે. કારણ તેના આશરા હેઠળ, મનુષ્યજીવનના અંતિમ પ્રશ્નોની ટેકણી બુટ્ટી કરી, નિત્યપ્રાપ્ત ઐહિક જીવનમાં તથા તેનાં સુખમાં જ મગ્ન રહેવાની સગવડ ગમે તેને મળી જાય. અને કાંઇક તેવું જ પરિણામ તે જમાનામાં આવવા પણ લાગ્યું હતું. એક વાર એવું બન્યું, એટલે ફરી તત્ત્વજિજ્ઞાસા અને આચારને તેમને યોગ્ય સ્થાને સ્થાપી આપવાં એ ઘણું મુશ્કેલ બની જાય. તેમ કરતા પહેલાં, પ્રથમ લેકોના હાથમાં આવી પડેલું તે હથિયાર જ નકામું કરી નાખવું જોઈએ. તે કામ મહાવીરે સ્યાદ્વાદથી પાર પાડયું. સંજય કહેતો કે, કોઈ પણ વસ્તુ વિષે “તે છે ” એમ પણ ન કહી શકાય કે “તે નથી' એમ પણ ન કહી શકાય. કે “તે છે અને નથી” એમ પણ ન કહી શકાય. મહાવીર ભગવાને જણાવ્યું, અલબત, દરેક વસ્તુ અનંત ધર્મી યુક્ત હોવાથી, તેના કોઈ પણ અમુક ધર્મ ઉપર ભાર મૂકી, તેને વિષે નિરપેક્ષ કથન કરવા જઈએ, તે તેનાથી વિરુદ્ધ એવું કથન પણ એ રીતે અમુક દૃષ્ટિબિંદુથી કરી શકાય; અને એમ થતાં અજ્ઞાનવાદ આવીને ઊભો રહે. પરંતુ એમ કરવું એ જ ખોટું છે. અનંત ધર્મો યુક્ત વસ્તુ માટે, અમુક ધર્મની અપેક્ષાએ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત ૩૭ સ્યાઃ “એમ પણ હોઈ શકે” એવું જ કથન સંભવી શકે. અમુક દષ્ટિબિંદુથી એટલે કે અમુક ધર્મની, કાળની કે ક્ષેત્રની અપેક્ષાએ કઈ વસ્તુને આપણે છે (ાસ્તિ) એમ પણ કહી શકીએ. તે જ પ્રમાણે અન્ય ધર્મની, ક્ષેત્રની કે કાળની અપેક્ષાએ તે “નથી' (ચત્રાત) એમ પણ કહી શકીએ. તથા વિવિધ દૃષ્ટિબિંદુઓ ઉપર અનુક્રમે ભાર મૂકી, તે “છે અને “નથી” (સ્થાતિ, ચાડ્યાતિ) એમ પણ કહી શકીએ. પરંતુ તે બંને વિરોધી પ્રયોગને ક્રમ વિના એક જ સાથે કોઈ પણ વસ્તુની બાબતમાં સમજવા જઈએ, તે તે વસ્તુ અવક્તવ્ય (ાવવતવ્ય) બની જાય. કારણ બને વિરોધી ધર્મો એક સાથે એક વસ્તુમાં ચિંતવી ક કહી શકાતા નથી. આમ એ ચારે પ્રકારેને વળી એક બીજા સાથે ભેળવતાં, બીજા નીચેના ત્રણ પ્રકારે નીકળી આવે. જેમકે અમુક દષ્ટિબિંદુથી વસ્તુને “છે” એમ પણ કહી શકાય અને પાછી અવક્તવ્ય પણ કહી શકાય (ચાત્રાહિત ચાટવવતચ); તથા, તે જ પ્રમાણે જુદાં જુદાં દષ્ટિબિંદુથી તે “છે, તે “નથી” અને તે “અવક્તવ્ય” છે એમ પણ કહી શકાય. (ચારિત, ચાનાસ્તિ, સ્થાવત ).૧ લેકે વસ્તુના અમુક ધર્મો ઉપર જ ભાર મૂકવા જાય છે અને બીજા ધર્મો ઉપર દુર્લક્ષ કરી. એકાંતિક કથન કરવા જાય છે, તેથી વિવિધ વિરોધમાં સપડાઈ છેવટે અજ્ઞાનવાદ ઉપર આવીને ઊભા રહે છે. પરંતુ તેમ ન કરતાં, ૧. જેકેબી આ વિષે ટીકા કરતાં જણાવે છે કે, જે કેઈ વિરોધી વાદીને ચૂપ કરવો ન હોય, તો કેઈપણ તત્ત્વવિચારક આવી સામાન્ય વાત આટલા આડંબરથી રજૂ કરવાની જરૂર દેખી શકે ખરા? Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ જે વસ્તુને અનેક ધર્મો યુકત સ્વીકારી લઈ, તેને વિષે અનેક સાપેક્ષ કથને થઈ શકે એમ સ્વીકારી લઈએ, તે વસ્તુ પણ કાયમ રહે અને આપણે વ્યવહાર પણ ચાલે. જેમકે, આત્મા બધા ફેરફારમાં કાયમ રહે છે માટે તે ફૂટસ્થ નિત્ય છે એમ જ કહેવું એ જેમ બેટું છે, તેમ આત્મા જે ફેરફાર રૂપે દેખાય છે તે ક્ષણિક પર્યાયો જ સાચા છે અને તે ફેરફાર પાછળ નિત્ય કાયમ રહેનારી આત્મા જેવી વસ્તુ છે જ નહિ એમ કહેવું એ પણ છેટું છે. અને આમ નિત્ય આત્મા. પણ નથી, તથા ક્ષણિક પણ નથી એમ દેખી, આત્મા જેવી વસ્તુ જ છે કે નહીં એમ કશું કહી શકાય તેમ નથી એમ માની લેવું, એ પણ ખોટું છે. તેને બદલે દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયાત્મક છે, તેથી દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાય રૂપે અનિત્ય છે એમ માનીએ, તો વસ્તુ પણ કાયમ રહે અને આપણે વ્યવહાર પણ કાયમ રહે.” ૬. વિનયવાદઃ આ વાદને અર્થ સમજવામાં ઘણી સમફેર થતી જોવામાં આવે છે. વિનય એટલે ચાર વિષયક વિધાન. જૈન “વિનયવાદ જેવો જ બૌદ્ધ શબ્દ “સીલબતપરામાસ” છે. ધમ્મસંગણીમાં આ વાદને વર્ણવતાં જણાવવામાં આવ્યું છે કે, “આ લેકે માત્ર આચારના અમુક નિયમ પાળવાથી જ શીલશુદ્ધિ થાય છે એમ માને છે.” બુદ્ધ કહે છે કે, “અશિક્ષિત લોકે મને કેટલીક તુચ્છ અને બિનઅગત્યની વસ્તુઓ માટે વખાણે છે. જેમકે તેઓ કહે છે કે, ગૌતમ પ્રાણવધ અને જીવહિંસાને ત્યાગ કરનાર હોઈ, કેઈ આપે તેટલું જ લે છે . . . ઈત્યાદિ. પરંતુ આવી પૂલ બાબતે કરતાં બીજી વધુ મહત્ત્વની, સૂક્ષ્મ અને ગહન Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત ૩૯ વસ્તુઓ માટે ખરી રીતે તથાગતને વખાણવો જોઈએ.' ઉગ્નેહમાન કહે કે, કાયાથી કાંઈ પાપ ન કરે, વાણીથી કોઈને પીડા થાય તેવા શબ્દો ન બેલે, મનમાં કાંઈ પાપવૃત્તિ ન રાખે અને સદાચારી હોય, તે તે માણસ સંપન્નકુશલ એટલે કે “કરવાનું બધું કરી ચૂકેલે” કહેવાય.” ત્યારે બુદ્ધ કહ્યું કે, જે એમ હોય તે તરત અવતરેલું બાળક બધા નીતિનિયમો પાળનાર, સદાચારી, કૃતકૃત્ય, સંપન્નકુશલ અને અનુપમ શ્રમણ કરે. કારણ તેને શરીરનું ખાસ ભાન હેતું નથી કે જેથી તે કાયિક પાપ કરે. તેને ભાષા જ નથી હતી એટલે વાચિક પાપ પણ તે ક્યાંથી કરે છે અને તેને મન પણ નથી હોતું એટલે મલિન વૃત્તિ પણ ક્યાંથી રાખે? કેટલાક લેકે આચાર ઉપર જ ભાર મૂકી, આચારનું મૂળ જે જ્ઞાન, તેના તરફ દુર્લક્ષ કરતા. તેમને વિરોધ કરીને બુદ્દે જણાવ્યું છે કે, માત્ર પાપકૃત્ય ન કરનાર માણસ ધાર્મિક ન કહી શકાય. તે કહેતા કે, ચેતના વરામિ કમ્મ. યાજ્ઞવલ્કયે પણ કહ્યું છે કે, જે સંકલ્પ તેવું કર્મ.” કઈ પણ કર્મને કર્મ ત્યારે જ કહેવાય કે, જ્યારે તે મનુષ્યના સંકલ્પમાંથી નીપજ્યું હોય, તેની પાછળ અમુક હેતુ હોય, અને તે અમુક નિશ્ચિત લક્ષ્ય સિદ્ધ કરતું હેય. તે જમાનામાં સ્મૃતિકાએ આચારના અમુક વિધિઓના પાલન ઉપર જ ભાર મૂકવા માંડ્યો હશે તથા લેકો પણ તે વિધિઓના પાલનને ધર્મસર્વસ્વ માની, તે આચારના હેતુ અને લક્ષ્ય તરફ બેદરકાર બન્યા હશે, એટલે મહાવીર વગેરેને તેમની સામે વિરોધ કરવો પડ્યો હશે. તત્વાર્થરાજવાર્તિકમાં વિનયવાદીઓનાં જે નામ આપ્યાં છે, તેમાં સ્મૃતિકારે જેવાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહાવીરસ્વામીના સચમયમ નામે જ આપણને મુખ્યત્વે જણાઈ આવે છે. . જેમકે : વસિષ્ઠ, પારાાર, જાતુર્માણ, વામીકિ, રોહિં, સત્યદત્ત, વ્યાસ, શૈલાપુત્ર, ઔપમન્યવ, ચંદ્રદત્ત, અયસ્ફૂર્ણ ઇત્યાદિ. ६ આ બધા વાદાના અને વાદીઓને પરિચય અહીં સુધી કરતા આવેલા વાચકને એટલુ લાગ્યા વિના તે। નહિ રહે કે, જે જમાનામાં આવી ધૃષ્ટ કલ્પના અને એટલા જ ધૃષ્ટ આચારા શક્ય બન્યાં હશે, તે જમાના, બીજું કાંઈ નહિ તા તાત્ત્વિક સિદ્ધાંતાની બાબતમાં બહુ ઉત્સુક હાવા જોઈ એ. એક પછી એક વાદીએ પેાતપેાતાના વાદા અને અનુયાયીઓનાં ઝૂંડ લઈને, ગામ બહાર ઉદ્યાનમાં આવીને પડાવ નાખતા હોય અને પોતપોતાના વાદાના ઉપદેશથી અને આચારથી એધડક પ્રચાર કરતા હોય, તે વસ્તુસ્થિતિ શક્ય બનવાને એટલું તો કબૂલ રાખવું જ જોઈએ કે, આમપ્રજા એ બાબતમાં કાંઈ પણ સાંભળવાને, જાણવાને ક આચરવાને ઉત્સુક તા હતી જ. તે વખતના બધા જ વાદીએ લોકભાષામાં જ પોતપેાતાના સિદ્ધાંતા કહેતા માલૂમ પડે છે તેના અર્થ પણ એ જ છે. તત્ત્વજ્ઞાન અમુક વ કે શાસ્ત્રોની જ મિલકત ગણાતું હોય, ત્યાં આવું ન બને. તે વખતનું બધું તત્ત્વજ્ઞાન આમપ્રજા માટે છે, તથા આમપ્રજાને ઉદ્દેશીને ખેાલાયેલું છે. તે વખતની એધપતિ પણ એવી જ અનુરૂપ હેાતી. સૂત્રકૃતાંગમાં જીવહિંસાની કરપીણતા બતાવવા આપણા તત્ત્વજ્ઞ, અધા બેઠા હૈાય છે ત્યાં બળતા અંગારાની ભરેલી લેાઢાની કઢાઈ લાવીને ધરે છે અને દરેકને તે કઢાઈ ખુલ્લા હાથ વડે પકડવાનું કહે છે. બધા દાઝવાની Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપોદઘાત કે તેને હાથમાં લેવાની ના પાડે છે. ત્યારે તે તેમને કહી બતાવે છે કે, “વાહ! જેમ તમને દુઃખ અપ્રિય છે અને તમે દુ:ખથી બચવા ચાહે છે, તેમ બીજા પ્રાણીઓને પણ દુઃખ અપ્રિય છે અને તેઓ પણ તેનાથી બચવા ચાહે છે. માટે હવે જે જાણી જોઈને જીવહિંસા કરશે, તે જન્મજન્મ અનંત દુઃખ પામશે !” બ્રાહ્મણુયુગમાં જે જ્ઞાન યજ્ઞના પુરહિતોમાં જ છાનું રહ્યું હતું તથા ઉપનિષદકાળમાં જે અરણ્યવાસી મુનિ અને તેના સેંકડે શિષ્યોમાંથી કોઈ લાયક અધિકારી પૂરતું જ નિયત રહ્યું હતું, તે તત્ત્વજ્ઞાન હવે આમપ્રજામાં ઘસડાઈ આવ્યું છે. અને તેના ફાયદા તેમજ ગેરફાયદા હવે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અમુક અમુક નિયત મર્યાદાઓમાં જ સુંદર લાગતે ગમે તેવો મેટે સિદ્ધાંત પણ હવે સામાન્ય જનસમુદાય આગળ ખુલ્લામાં તપાસાય છે. પરિણામે, સામાન્ય બુદ્ધિ તેને જે અર્થ સમજી શકે અને સ્વીકારી શકે તે જ અર્થમાં તે સિદ્ધાંત રૂઢ થાય છે અને તેથી ગમે તેવા સારા સિદ્ધાંત પણ તેમની છેલ્લી હદે લઈ જવાતા આપણે જોઈ શકીએ છીએ. બીજી બાજુથી આડબરી છતાં ચતુર વાદીઓ પણ લેકેને વધારે ગૂંચવવામાં ઓછો ફાળો નથી આપી રહ્યા. બોલવામાં અમુક પ્રકારની ચાલાકી અને ધૃષ્ટતા, તથા આચારમાં તે જમાનામાં જ્ઞાનીનાં લક્ષણ તરીકે સ્વીકૃત થયેલાં કઠેર તપશ્ચર્યા અને બાહ્ય સંન્યાસ પોતાના જીવનમાં એક વાર દેખાડી બતાવે, એટલે તીર્થકર તરીકે સ્વીકારાતાં કાંઈ ભારે મુશ્કેલી નડે નહિ; અને એક વાર તીર્થકર તરીકે પ્રતિષ્ઠા મળી, એટલે Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીને સચમધમ પછી તેના ગમે તેવા અધૂરા કે વિપરીત સિદ્ધાંતા પણ વેદવાક્ય જ ઠરે. અને તે લેકે જાણી જોઈને જ તેમ કરતા હતા એમ પણ નહોતું. સૂત્રકૃતાંગમાં જ ( ૨ – ૧ ) એ વાત ભારપૂર્વક તૈાંધી છે કે, પ્રથમ તે તે લેાકાના મનમાં એવા નિશ્ચય હાય છે કે, આપણે શ્રમણ થઈ હિંસાદિથી વિરત યશું તથા અનંત સુખના માર્ગ પ્રાપ્ત કરીશું. પરંતુ પછી સાચે માગ ઝટ ન મળવાથી તથા અંતરમાંથી ભૌતિક સુખાની લાલસા દૂર થઈ ન હોવાથી, તે લેાકેા આ પાર ક પેલે પાર પહેાંચવાને મલે અધવચ જ કામભેાગામાં ડૂબી જાય છે. ’ આથી જ ઉત્તમ પણ ગજા ઉપરાંતનાં ધ્યેયે ગમે તેવા બિનઅધિકારી આગળ રજૂ ન કરવાની કાળજી રાખવાને તથા તેત્રાં ધ્યેયે। અમુક અધિકારી વર્ગ કે પુરુષોમાં જ મર્યાદિત કરવાના પ્રયત્ન વારવાર પ્રતિહાસમાં થતે આપણને માલૂમ પડે છે. પરંતુ, પરિસ્થિતિમાં ફેરફારો થતાં થતાં તે મર્યાદા તેડવાને પ્રસગ આવીને ઊભા રહે છે. તે વખતે સામા પ્રત્યાધાત થઈ, અમુક વર્ગ પૂરતી મર્યાદિત થયેલી તે મૂડી . આખા સમુદાયને વહેંચી નાખવામાં આવે છે; અને એક વાર તે પ્રજા ગાંડી બની – પેાતાના વિજયના ઉત્સાહમાં આંધળી બની તે ધ્યેયે! પાછળ દોડવા લાગે છે. આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ, તેમાં પણ તેવું જ કંઈક થતું આપણને માલૂમ પડે છે. તેથી જ આખી પ્રજાને ઉત્સાહમાં આવી જઈ, અતી દ્રિય ધ્યેયેા પાળ, ત્યાગા કરીને તથા ઠેરમાં ઠે - - ગમે તેટલા અસંભવિત લાગતા Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપોદુધાત સંયમો અને તપસ્યાઓને પણ ન ગણકારીને, દેડતી આપણે જોઈએ છીએ. પરંતુ આખી પ્રજા એવાં એ પાછળ લાંબે વખત દેડી શકે નહીં. પરિણામે આપણે ટૂંક સમયમાં જ વિવિધ વિકૃતિઓ પેદા થતી સ્પષ્ટ દેખી શકીએ છીએ. ધીમે ધીમે તે ભરતીને ઠેકાણે ઓટ જ આવતી આપણે દેખીએ છીએ. અને તેથી, એક વાર જેટલા જોરથી પ્રજા તે ઇંદ્રિયાતીત એ પાછળ દેડી હતી, તેટલા જ જેથી તે પાછી ભૂલ ભૌતિક ધ્યેય અને ઐહિક જીવનને જ રજૂ કરતા સિદ્ધાંતોને વળગતી દેખાય છે. પરિણામે તેવા ભૌતિક વદે ઉપરાંત પ્રજાના ઉન્માર્ગે થયેલા પ્રબળ પ્રયત્નને અંતે આવેલી નિષ્ફળતા અને હતાશતાના સૂચક નિયતિવાદ અને અજ્ઞાનવાદ પણ તેમના સ્કૂલમાં ધૂલમાં સ્વરૂપે પ્રચારમાં આવતા આપણને દેખાય છે. એક વાર પ્રજા આમ થાકીને તથા હતાશ બનીને પુરુષાર્થહીનતા તથા બધા જ પ્રકારના પ્રશ્નોની બાબતમાં આંખ મીંચવા તરફ જ વળી, એટલે તેને ફરી સચેત તથા પુરુષાર્થયુક્ત કરવાનું કામ કેટલું મુશ્કેલ બની જાય તે સહેજે સમજાય એવું છે. આમ તે સમયને પ્રશ્ન દિવિધ બની જાય છે. એક બાજુ, મૂંઝાયેલા તથા થાકેલા લકે અજ્ઞાનવાદ સ્વીકારી, ઐહિક સુખમાં જ મૂઢ થઈ બેઠા છે તેમનામાં ફરી સાચી તત્ત્વજિજ્ઞાસા જાગૃત કરવાની છે તથા તેમને સંયમધર્મમાં સ્થાપિત કરવાના છે. બીજી બાજુ, જે મોટા ભાગ હજુ તે દેડ અવળે માર્ગે ચાલુ રાખી રહ્યો છે, તેને યોગ્ય દિશા આપવાની છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમ ધર્મ એવા કટોકટીના સમયમાં જે મહાપુરુષોએ જીવનભરના પુરુષાર્થથી પ્રજાનું તે કામ બજાવી આપ્યું, તેમાંને ભગવાન મહાવીર એક હતા. મહાવીરને સમકાલીન સાહિત્યમાં “નિગ્રંથ નાતપુર” એટલે કે, “ જ્ઞાત નામના રાજવંશમાં જન્મેલે નિગ્રંથ તપસ્વી” એ નામથી ઓળખવામાં આવે છે. ઘણી વાર તેમને કાશ્યપ કે વૈશાલીય પણ કહેવામાં આવે છે. વર્ધમાન એ તેમનું માતપિતાએ આપેલું મૂળ નામ હતું અને મહાવીર, વીર, જિન, અહંત વગેરે નામો તેમને તેમના પ્રબળ પુરુષાર્થ અને વિજયને લીધે મળ્યાં હતાં. તેમને કાશ્યપ નામ તેમના ગોત્રને લીધે મળેલું છે અને વૈશાલીય નામ પિતે વૈશાલિ નગરીના હેવાથી મળેલું છે. વૈશાલિનું રાજ્ય તે વખતે આઠ નાનાં નાનાં ક્ષત્રિયકુળનું એક સમૂહતંત્ર હતું. તે દરેકના મુખિયાએ ભેગા મળી, તેને રાજકારભાર ચલાવતા, અને પોતામાંથી એકને રાજા તરીકે ચૂંટી કાઢતા. જ્ઞાત વંશ એ આઠ કુળમાંને એક હતો. મહાવીરના પિતા સિદ્ધાર્થ જ્ઞાતલોકના તે વખતે અગ્રણી હતા અને તેમનું લગ્ન તે વખતના વૈશાલિના રાજાની પુત્રો ત્રિશલાદેવી સાથે થયું હતું. મહાવીરને જન્મ ઈ. સ. પુ ૫૯૯ માં ચૈત્ર સુદ ૧૩ ને દિવસે થયો હતે. અત્યારે પટણથી નજીક આવેલા બરાર ગામને વૈશાલિનું અવશેષ માનવામાં આવે છે. તેમને ગર્ભવાસ થતાં કુટુંબની સંપત્તિ, યશ, કીતિ વગેરે વધતાં ચાલ્યાં એટલે તેમનું -નામ વર્ધમાન પાડવામાં આવ્યું હતું. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત યોગ્ય વયે તે મશોદા નામની ક્ષત્રિયકુમારીને પરણ્યા, અને તેમને પ્રિયદર્શના નામની પુત્રી જન્મી. દિગંબરે મહાવીરસ્વામીના લગ્નની વાત નથી રવીકારતા. તેમની માન્યતા પ્રમાણે નાનપણથી જ તે વૈરાગ્યવાન હતા અને આઠ વર્ષની વયે તે જૈન શ્રાવકનાં બાર વતે તેમણે સ્વીકાર્યા હતાં. શ્વેતાંબરે જણાવે છે કે, પિતાનામાં તીવ્ર વૈરાગ્ય હોવા છતાં, માતાપિતાના જીવનકાળ દરમ્યાન સંન્યાસ ન લેવાના સંકલ્પને કારણે તેમણે ૩૦ વર્ષ બાદ સંન્યાસ લીધે. દિગંબરો પણ ૩૦ મે વર્ષે તેમણે દીક્ષા લીધી એ બાબતમાં એકમત છે. પરંતુ તેઓ જણાવે છે કે, મહાવીરે માતાપિતાના જીવનકાળ દરમ્યાન જ સંસારત્યાગ કર્યો હતો. જ્ઞાતવંશી ક્ષત્રિયો ત્યારથી ૨૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથના સંપ્રદાયના અનુયાયીઓ હતા. * (1) પાંચ અણુવ્રત: હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહને ત્યાગ. (૨) ત્રણ ગુણવ્રત: પ્રવૃત્તિની દિશામાં મર્યાદિત કરવી, ઉપગપરિભેગના પ્રમાણને નિયમિત કરવું તથા નિરર્થક પાકિયાને ત્યાગ કર. (૩) ચાર શિક્ષાત્રતા : અમુક કાળ પર્યત સ્થિર થઈ ધ્યાનમાં બેસવા રૂપી સામાયિક વ્રત, પ્રવૃત્તિઓના ક્ષેત્રને મર્યાદિત કરવા રૂપી દેશાવકાશિક વ્રત, આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરી સાધુજીવન ગાળવારૂપી પિષધ વ્રત; અને શ્રમણ નિગ્રંથને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા રૂપી અતિથિ-- સંવિભાગ બત. 6 મહાવીરની પૂર્વે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મહાવીરસ્વામીને સંયમધમ વૈશાલિમાં ક્ષત્રિયો જે વિભાગમાં રહેતા હતા, તે કુંડગ્રામની બાજુના ઉદ્યાનમાં જ તે પંથના સાધુઓને ઉતારે હતે. એટલે સ્વાભાવિક રીતે મહાવીરે શરૂઆતમાં તે પંથને જ આચાર રવીકાર્યો હશે. પાર્શ્વનાથના અનુયાયીઓ વસ્ત્રો પહેરતા એટલે મહાવીર પણ શરૂઆતમાં વસ્ત્ર પહેરતા હશે. પરંતુ પછીથી તે સંપ્રદાયના સાધુઓની આચારશિથિલતાથી કંટાળી અથવા વધુ ઉગ્ર તપશ્ચર્યા કરવા તેમણે વસ્ત્રને અને તેમના સંસર્ગનો ત્યાગ કર્યો અને એકલી જ કઠોર સંયમધર્મ આચરતા વિચરવા લાગ્યા. એટલી હકીક્ત આપણે જુદી જુદી દંતકથાઓમાંથી તારવી શકીએ છીએ. દિગંબરો એમ માને છે કે, દીક્ષાને સમયે જ તેમણે તમામ વને ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ તેમને આજીવિક સંપ્રદાયના ગોસાલ સાથે ભેટો થયે અને તે બને છ વર્ષ સુધી સાથે રહ્યા. પછી કાંઈ મતભેદને કારણે તે બંને છૂટા પડી ગયા. ચોમાસાના ચાર મહિના બાદ કરતાં તે એક જગાએથી બીજી જગાએ એમ વિચર્યા કરતા. ગામડામાં કદી એક રાતથી વધારે નહેતા રહેતા અને શહેરમાં પાંચ રાતથી વધુ નહોતા રહેતા. એક ઠેકાણે પડી રહેતા સાધુ માટે કેવાં પ્રલોભનો ઊભાં થાય છે તેને તેમને પાર્શ્વનાથના સાધુઓના જીવન ઉપરથી ખ્યાલ આવી ગયો હતો. એટલે એ બાબતમાં તે બહુ સાવચેત હતા. સૂત્રકૃતાંગમાં પણ સાધુને જ્યાં જ્યાં ઉપદેશ આપે છે, ત્યાં ત્યાં અંતે આ શબ્દો આવે જ છે કે, “આમ કરતા કરતા તેણે મોક્ષ થતા સુધી વિચરવું.” Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદઘાત બાર વર્ષ આ પ્રમાણે ભિક્ષુવનમાં, તપશ્ચર્યામાં અને આત્મચિંતનમાં ગાળ્યા બાદ, ૧૩મે વર્ષે એક દિવસ પારસનાથની ટેકરીઓ પાસેના ભક ગ્રામમાં તેમણે ઉતારો કર્યો હતો. ત્યાં એક જૂના મંદિરની આસપાસ ખેતર આવેલું હતું અને તેમાં થઈને જુવાલિકા નામની નદી વહેતી હતી. બપોરનો સમય હતો અને મહાવીર એક શાલવૃક્ષની છાયામાં ધ્યાનમગ્ન થઈ બેઠા હતા. તેમને અઢી દિવસના ઉપવાસ થયા હતા. તે વખતે અચાનક જે પડદો તેમનામાં આવરણ ઊભું કરી રહ્યો હતું, તે સરી જતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને તેમની દીર્ઘ તપથૈયા સફળ થઈ તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને રૂંધનારાં કર્મોના છેક છેલલા અંશનો પણ નાશ થઈ ગયો અને તે મુક્ત બન્યા. બાકીનું જીવન તેમણે સફળતાથી ઉપદેશ કરવામાં અને અવળે માર્ગે ચડેલા કે મોહનિદ્રામાં પડેલા જનસમુદાયને જગાડવામાં કે સન્માર્ગે વાળવામાં ગાળ્યું. આમ કરતાં વિચરતાં વિચરતાં હર મા વર્ષે ઈ. સ. પૂર્વે પ૨૭માં, એટલે કે બુદ્ધિથી ૫૦ વર્ષ પહેલાં, તે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. જેનો પિતાના ધર્મને ૨૪ તીર્થકરે માને છે. મહાવીર એ ચોવીસમા અને પાર્શ્વનાથ એ તેવીસમા. પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસના ઈવાકુવંશના રાજા અશ્વસેનને ત્યાં જન્મ્યા હતા એવી પરંપરા છે. તેમણે પણ ૩૦મે વર્ષે સંસારત્યાગ કર્યો હતો અને ૮૩ દિવસનાં કઠેર તપ અને ધ્યાન પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ૭૦ વર્ષ સુધી તેમણે ઉપદેશ આપો Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંચમધમ હતા અને ઘણાં મનુષ્યોને પિતાના પંથમાં આપ્યાં હતાં. તેમને ધર્મ ચાતુર્યામસંવર કહેવાય છે. કારણ, તેમના ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર જ તે સ્વીકારવામાં આવ્યાં હતાં, અને બ્રહ્મચર્ય વ્રતનો અપરિગ્રહ વગેરેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેમના મૃત્યુ પછી, મહાવીરના સમય સુધીમાં, તે સંપ્રદાયના સાધુઓમાં તેને કારણે ભ્રષ્ટતા દાખલ થઈ ચૂકી હતી. તેથી મહાવીરે બ્રહ્મચર્યને પાંચમા વ્રત તરીકે દાખલ કર્યું અને પ્રતિક્રમણ વિધિ એટલે ગુરુ આગળ દેષની કબૂલાત કરી તેનું પ્રાયશ્ચિત્ત સ્વીકારવાનો વિધિ સ્થાપિત કર્યો. આમ મહાવીરે ને પંથ સ્થાએ એમ કહેવાને બદલે પાર્શ્વનાથને ધર્મને સંસ્કાર કર્યો એમ કહેવું જ ઉચિત છે. અને જૈન પરંપરા પણ મહાવીરને પાર્શ્વનાથની હારમાં જ ૨૪ મા તીર્થકર તરીકે મૂકી એ વસ્તુ સ્પષ્ટ કરે છે. જૈન પરંપરા ઋષભદેવને જૈન ધર્મના આદિ તીર્થકર માને છે. એટલું તે નક્કી કે મહાવીર અને પાર્શ્વનાથની પહેલાં પણ જૈન ધર્મ કેઈ સ્વરૂપમાં હશે જ. મહાવીર અને પાર્શ્વનાથ એ બને ઐતિહાસિક વ્યક્તિઓ હતી તે વિષે પૂરતાં પ્રમાણ મળે છે. બીજા બાવીસ તીર્થકરમાંથી ગષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ એ ત્રણનાં નામ યજુર્વેદમાં આવે છે. તેમજ ભાગવત પુરાણમાં, ઋષભદેવ જૈન ધર્મના સંસ્થાપક હતા એ ઉલ્લેખ મળે છે. પરંતુ જૈન પરંપરા પાર્શ્વનાથની પહેલાંના ૨૪મા તીર્થંકર નેમિનાથને જ પાર્શ્વનાથના નિર્વાણ પહેલાં ૮૩,૭૫૦ વર્ષ પૂર્વે નિર્વાણું પામેલા કહીને, ઐતિહાસિક કાલમર્યાદાનું ઉલ્લંઘન કરી જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ છે ઉપોદઘાત હવે આપણે ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંત તરફ પાછા વળીએ. મહાવીર પિતાના વાદને ક્રિયાવાદ કહે છે, અને તેને બીજાઓના અક્રિયાવાદ, અજ્ઞાનવાદ કે વિનયવાદથી જુદો પાડે છે. તે કહે છે: “માણસ જે આમ દુઃખી થાય છે, શોક પામે છે, ખૂરે છે, પિટાય છે, પીડાય છે, અને પરિતાપ પામે છે, તે બધું તેના પિતાના કરેલાનું ફળ છે. દુઃખ પિતાનું કરેલું થાય છે. બીજાનું કરેલું થતું નથી. તેમજ મેક્ષ પણ જ્ઞાન અને તદનુસાર ચારિત્ર્યથી પ્રાપ્ત થાય છે. આ વિવિધ પ્રાણીઓ જે સંસારની અંદર વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં છે, તે શાશ્વત છે. પ્રાણીઓ પિતપોતાનાં કર્મોનું ફળ પૂરેપૂરું ભોગવી રહે ત્યાં સુધી તે શાશ્વત સંસારમાં વારંવાર જન્મ પામ્યા કરે છે . . . આ જન્મમરણનું ચક્ર વિષમ છે અને કામ ક્રોધ વગેરે વિષયમાં ખૂંપી ગયેલા છે તેમાંથી સહેલાઈથી છૂટી શકતા નથી. આવા જગતમાં, પ્રાણીમાત્રના ચક્ષુરૂપ સર્વજ્ઞ સંતપુરુષે જ, જગતનું અને કર્મનું સત્ય સ્વરૂપ જાણુંને, તે ચક્રને અંત લાવે છે. તેઓ નાના કે મોટા પ્રાણોને પિતાના જેવા ગણે છે અને પ્રયત્નપૂર્વક તેમને સહેજ પણ ઈજા થવા દેતા નથી. તેવા જગતના તિરૂપ મહાત્માની સમીપમાં રહીને ધર્મનું સ્વરૂપ જાણવું. તે મહાપુરુષે જગતને, જીની ગતિ–અગતિને, જન્મ-મરણને તેમજ પ્રાણીઓના પરલોકમાં થતા જન્મને જાણે છે, ત્યાં જીવને ભેગવવાં પડતાં દુખે જાણે છે; કર્મ કેવી રીતે આત્મામાં દાખલ થાય છે તેમજ તેને કેવી રીતે રોકી શકાય છે તે જાણે છે; ટૂંકમાં, દુઃખ તેમજ તેને નાશ, ઉભયને જાણે છે.” Page #67 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ક્રિયાવાદનું કાંઈક આવું વર્ણન સૂત્રકૃતાંગ ૧. ૧૨ માં આવેલું છે. તેટલા ઉપરથી આપણે તેમના વાદને કાંઈક ખ્યાલ બાંધી શકીએ છીએ. તેમાં જીવ અને જગતની શાશ્વતતા જણાવી છે; તથા, “ જીવ કર્મો કરી શકે તેવો સ્વતંત્ર છે, અને બીજા કેઈનું કાંઈ કરાવ્યું થતું નથી,' તે વસ્તુ સ્વીકારી છે. ઉપરાંત તેમાં, બંધ સત્ય અને વાસ્તવિક હોવા છતાં, આત્યંતિક મેક્ષની શક્યતા પણ સ્વીકારી છે. એ ટૂંક વર્ણનમાંથી આપણે જેને તત્વજ્ઞાનમાં સ્વીકારાયેલાં તો સહેજે તારવી શકીએ. તે સાતે તો ક્રિયાવાદને સ્થાપિત કરવા તથા તેને અનુકૂળ એવા સ્વરૂપમાં જ દર્શાવેલાં છે, એ આ ઉપરથી તરત દેખાઈ આવે છે. પ્રથમ તે ક્રિયાની શક્યતા માટે તે ક્રિયાનો કરનાર (૧) ચેતન જીવ જોઈએ અને તે ક્રિયાના ક્ષેત્રરૂપ જગત અથવા (૨) અજીવ તત્ત્વ જોઈએ. તે જીવ નિર્ગુણ, નિષ્ક્રિય નથી, તેમ ક્ષણિક પણ નથી. પરંતુ નિત્ય હોવા છતા વિવિધ ક્રિયાઓ કરીને પાપી, પુણ્યશાળી, સુખી, દુઃખી વગેરે અવસ્થાએ પામી શકે તેવો છે. જીવ નિત્ય હોવા છતાં પરિણમી શી રીતે હોઈ શકે એવી ન્યાયશાસ્ત્રની દલીલને અહીં અવકાશ નથી. ક્રિયાવાદ સ્થાપવો હોય તે છવ નિત્ય પણ હોવો જોઈએ અને પરિણામ પણ હોવો જોઈએ, અજીવ તત્વ પણ જીવનાં કર્મ ભોગવાઈ રહે ત્યાં સુધી ટકી રહે તેવું એટલે કે જીવની પેઠે નિત્ય માનવું જોઈએ. તે બંનેને કોણે સર્યાં એ પ્રશ્ન ઊભો કરવાની જરૂર નથી. કારણ, તે પછી બધી ક્રિયાઓનો આધાર તેમને સૃજનાર ઈશ્વર બની જાય, અને બંધમેક્ષ તેની કૃપા અકૃપાનું પરિણામ બની જાય, તથા ક્રિયાવાદ સ્થાપિત ન થઈ શકે. એટલે તે બંનેના કારણુ તરીકે ઈશ્વરને માનીને પાછો તેને સ્વયંભૂ માનવ, તેના કરતાં જીવ અજીવ તને જ સ્વયંભૂ માની લેવામાં શું વાંધો છે ? Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત જીવ અને અજીવ એ બે 0 સ્વીકાથી એલેક બંનેનાથી શક્ય બનતી ક્રિયાને કારણે જીવ કર્મયુક્ત બનવાને. જૈન માન્યતામાં કર્મ એ ભૌતિક રજકણ જેવી વસ્તુ છે. અને શુભ અશુભ દરેક પ્રકારની ક્રિયા વખતે તે સૂક્ષ્મ કરજકણે આત્મામાં દાખલ થાય છે અને તેલવાળા શરીર ઉપર ધૂળ ચાટે તેમ તેને ચેટે છે. એ કર્મ રજકણેથી જીવાત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ મલિન - થયેલું છે. બીજા શબ્દોમાં, તે કર્મ રજકણો આત્માના શુદ્ધ સ્વરૂપને આવરે છે, અને તેને કારણે જીવ વિવિધ વાસનાઓ અને અપૂર્ણતાઓવાળો બને છે. આમ વિવિધ ક્રિયાઓ દ્વારા કર્મને આત્મામાં “આસ્રવ થત હોવાથી ત્રીજું તત્ત્વ તે “આસવ.” આસવ એ જીવ અજીવ જેવો પદાર્થ ન હોવા છતાં તેને તવ કહેવાનું કારણ એ છે કે, અહીં તત્ત્વને અર્થ “મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી એવું ય ” એવો લેવામાં આવ્યો છે. “આસ્રવ ની વાસ્તવિકતા સ્વીકારે એટલે બંધની વાસ્તવિકતા પણ સ્વીકારવી જ જોઈએ. એટલે બંધ” એ શું તત્વ. પરંતુ પ્રબળ પુરુષાર્થથી કર્મરાજને આવતી રોકી શકાય અને સમૂળગી નષ્ટ પણ કરી શકાય. એટલે “સંવર” અને “નિર્જરા” એ પાંચમું તથા ૬ હું તત્ત્વ થયાં. અને કર્મરાજ નષ્ટ થતાં આત્મા તેના બંધનમાંથી મુક્ત થાય, એટલે સાતમું “મેક્ષ તત્વ પણ આવીને ઊભું રહ્યું. વાચક જોઈ શકશે કે આ તોની આખી સંકલના તથા તેમનું સ્વરૂપ ન્યાયશાસ્ત્રની આવશ્યકતા અનુસાર નહિ, પરંતુ મોક્ષાર્થે પુરુષાર્થની શક્યતા બતાવવા અથવા ક્રિયાવાદની આવશ્યકતા અનુસાર કલ્પવામાં આવ્યાં છે. જે જમાનામાં તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપે Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમી વર્ચવામાં આવતા હતા તે જમાનામાં આટલા સીધા સરળ, સિદ્ધાંત લઈને હાજર થવું, એ ભારે બહાદુરીની વાત છે. સાચે જ જૈન તો એ જમાનામાં ગાંધીજીના રેંટિયા જેવાં લાગતાં હશે. અને છતાં વ્યાપક યંત્રયુગના વીસમી સદીના જમાનામાં એ સીધા સાદા રેંટિયાને પ્રજા સમક્ષ ધરનાર મહાપુરુષની હિંમત વખાણવી કે તેની પાછળ રહેલું સત્ય વખાણવું? મહાવીર ભગવાને જે સિદ્ધાંત પ્રજા આગળ રજૂ કર્યા. તેમાં કાંઈ જ નવીન નહોતું. એ સિદ્ધાંતે ત્યાર આગમચ જુદા જુદા વાદમાં જુદે જુદે સ્વરૂપે સ્વીકારવામાં આવેલા જ હતા. ઉપનિષદોમાં તેમને એકેએક સિદ્ધાંત આવી ગયેલો બતાવી શકાય તેમ છે. છતાં, અગત્યની વસ્તુને બીજી બિનઅગત્યની અથવા તો અંતિમ અવસ્થાની તથા. વિરલા જ અનુભવી શકે તેવી વસ્તુઓ સાથે ભેળવી દેવાથી પ્રજાને જે બુદ્ધિભ્રંશ થતું હતું, તે જોઈ લઈ આવશ્યક વસ્તુઓ જ પ્રજા આગળ મૂકવાની વિચક્ષણતા અને કુશળતા બતાવનારે, નવું નથી કર્યું એમ પણ કેમ કહી શકાય ? અને નવું છે કે ન હો, પણ તેમણે જે કર્યું તે કેટલું અગત્યનું હતું તે વિષે તે બે મત હોઈ શકે જ નહિ. તે મહા–વીરના પ્રબળ પુરુષાર્થથી સેંકડોથી ગણાતા વાદીઓનાં અને હજારની સંખ્યામાં ગણાતા તેમના અનુયાયીઓનાં નામ પણ અત્યારે હંમેશને માટે ભારતવર્ષના ઇતિહાસમાંથી લુપ્ત થઈ ગયાં છે. પરંતુ મહાવીર ભગવાનને ઉપર જણાવેલા અક્રિયાવાદીઓ, અજ્ઞાનવાદીઓ કે વિનયવાદીઓ સાથે જ યુદ્ધ કરવાનું Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત નહેતું. તે જમાનામાં ક્રિયાવાદી કહી શકાય તેવા વાદીએ પણ પિતાની કાંઈક શિથિલતા અથવા પ્રમાદને કારણે લેકીને તેમની અધોગતિમાં ઓછી મદદ કરી રહ્યા નહોતા. એ વાત તે બધા જ કબૂલ કરી શકે છે, કઈ પણ ક્રિયાના સારા નરસા પણાને આધારે તેના બાહ્ય પરિણામ કરતાં તેની પાછળ રહેલા હેતુઓ ઉપર વધારે રહેલો છે. ડૂબતા માણસને બચાવવા કેાઈ પૂરમાં ઝંપલાવે; તે ભલે અંતે તેને બચાવી ન શકે, પરંતુ તેથી કરીને તિના પ્રયત્નની કિંમત કાંઈ ઓછી થઈ શકે નહિ. પરંતુ જ્યારે માનસિક હેતુઓની શુદ્ધતાના બહાના હેઠળ શારીરિક ક્રિયાઓ તરફ દુર્લક્ષ કરવામાં આવે, અથવા તે અપ્રત્યક્ષ રીતે પણ જાણી જોઈને પાપક્રિયા જ કરવામાં આવે, ત્યારે એ સિદ્ધાંતને પડતો મૂકી, બાહ્ય ક્રિયાને પણ તેટલી જ અગત્યની ગણી તેના ઉપર ભાર મૂકે પડે. અત્યારે જૈન લોકોની જંતુઓ ન મરવા દેવા માટેની વધારે પડતી કાળજી જોઈ તેમની ઓછી ઠેકડી નથી કરવામાં આવતી. તે વખતે પણ સમકાલીન બૌદ્ધો વગેરેએ તેમની ઓછી ઠેકડી નથી કરી. અજાણતાં થતી હિંસાની ક્ષમ્યતા કદાચ આપણે સ્વીકારી શકીએ. પણ કઈ હિંસાને અજાણતાં થયેલી ગણવી તેને વિષે એકમત થવાય ખરું? અને તેનો દુરુપયોગ કરવા ઈચ્છનારાને એ સિદ્ધાંત હેઠળ ઊંટના ઊંટ ચાલ્યાં જાય તેવા દરવાજ ન મળી આવે ? સૂત્રકૃતાંગમાં જે વર્ણન મળે છે, તે ઉપરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે, તે વખતે ભિક્ષુએ અચૂક તે પ્રમાણે કરવા જ લાગ્યા હતા. એટલે ભગવાન મહાવીરે ઠેકડીનું જોખમ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાવીરસ્વામીનો સયમયમ વહારી લઈને પણ્, શારીરિક ક્રિયાની શુદ્ધિઅશુદ્ધિ ઉપર પણ વાચિક અને માનસિક ક્રિયા જેટલા જ ભાર મૂકયો અને પ્રમાદ અથવા દુરુપયોગનાં બારણાં હુંમેશને માટે અધ કરી દીધાં. * એક દાખલા બસ થશે. તે વખતે ભિક્ષુસ ધાને ગૃહસ્થી ભાજન માટે નિમંત્રણ આપતા. બૌદ્ધ ભિક્ષુએ તેવાં નિમ ત્રણા સ્વીકારતા. તે વખતે માંસાહાર તા પ્રચલિત હતા જ.૧ એટલે ગૃહસ્થા ભિક્ષુએના સત્કાર માટે સૂત્રકૃતાંગની ભાષામાં, · સ્થૂળ અને પુષ્ટ ધેટા મારી, તેના માંસને મીઠું નાખી, તેલમાં તળી, પીપર ભભરાવી ' તૈયાર કરતા અને તે માંસને સારી પેઠે ાંસતા છતા, અમે પાપથી લેપાતા નથી' એવું તે ભિક્ષુએ માનતા. અત્યારે પણ તિભેટ, બ્રહ્મદેશ વગેરેદેશામાં અહિંસક બૌદ્ધો બજારમાં વેચાતું માંસ ખરીદી, પાતે અહિંસક રહેવાને સતાષ પ્રાપ્ત કરે છે. કારણ કે બકરું કંઈ તેમણે પેાતાને હાથે માર્યું નથી ! ૧. આચારાંગ સૂત્રમાં તેમજ દશવૈકાલિક સૂત્રમાં જૈન ભિક્ષુને કહેવામાં આવ્યું છે કે, તેણે બહુ હાડકાંવાળું માંસ કોઈ આપે તે ન લેવું, પણુ આપનારને કહેવું' કે ભાઈ, તારે આપવું' હાય તે માત્ર માંસ આપ, હાડકાં ન આપ. આમ માંસભિક્ષાને સ્વીકાર જૈન ભિક્ષુએ પણ કરતા. પરંતુ મુદ્દો એ હતા કે, વનસ્પત્યાહાર શુ કે માંસાહાર શું અનેમાં સરખી જ હિંસા રહેલી છે. એટલે સાધુએ તે પેાતાને માટે કશું ખાવાનું જ તૈયાર ન કરવું કે ન. કરાવવું. પરંતુ ગૃહસ્થીએ પોતાને માટે જે કાંઈ તૈયાર કર્યું નાખી દેવાનું — જઈ ને માગી લાવવુ હાય, તેમાંથી વધ્યુ ધટયુ' અને સચમપૂર્વક દેહનિર્વાહાથે તેને ખાઈ લેવું. ddy - Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત ભગવાન મહાવીરે એ વસ્તુને તોડ એક જ સપાટે કાઢ્યો; અને તેનું નિમંત્રણ સ્વીકારવાની પદ્ધતિ બંધ કરીને. પિતે ગમે તે ઠેકાણે અચાનક જઈને ઊભા રહેવું અને ગૃહસ્થ પિતાને માટે જે કાંઈ તૈયાર ક્યું હોય, તેમાંથી વધ્યુંઘટવું અથવા તે આપી શકે તેમ હોય તે મેળવીને પિતાને નિર્વાહ ચલાવ. જૈનભિક્ષુએ પાણી પણ સીધું જળાશયમાંથી લેતા નહિ. પરંતુ બીજા કોઈએ વાસણ વગેરે દેવામાં વાપર્યું હોય તેવું મરેલું – નિર્જીવ થયેલું – પાણી વાપરતા. “ઠંડું પાણી ન વાપરવું ? તેને અર્થ એ જ કે જીવતું પાણી ન પીવું, મરેલું પીવું. મરેલાને અર્થ સામાન્ય રીતે ઉકાળેલું – ગરમ કરેલું – એ કરવામાં આવે છે. આ ક્રિયાવાદીઓ સાથેની ચર્ચા સૂત્રકૃતાંગમાં ઠેર ઠેર આવેલી છે. અને તેના વિવિધ જવાબ જુદે જુદે સ્થળે આપેલા છે. પરંતુ છેક છેવટે, મહાવીર ભગવાન એક સીધે જવાબ આપી દે છે; અને તે એ કે, ખાસ વ્રત – નિયમ – લઈને જે જે પાપ કે હિંસાનો ત્યાગ મનુષ્ય નથી કર્યો, તે તે પાપ કે હિંસાને માટે મનુષ્ય જવાબદાર છે જ. વનસ્પતિ વગેરે જીવોમાં પાપપુણ્યને વિચાર કરવાની શક્તિ નથી એમ કહેવામાં આવે છે, તે જ પ્રમાણે કેટલાક મૂઢ મનુષ્યમાં સ્વપ્નામાં પડેલા માણસ જેટલા પણ હોંસ હોતા નથી; છતાં તેઓ પણ તેમનાં બધાં કર્મો માટે જવાબદાર છે. અન્ય ક્રિયાવાદીઓની શિથિલતાના ઉપાય તરીકે જ મહાવીરભગવાનને સામી આટલી હદે તીવ્રતા બતાવવી પડી હશે, અને તેથી જ Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના સચમધમ અહિંસામાં અનેક ધર્માં માનતા હાવા છતાં, એકલા જૈન ધર્મમાં જ પ્રવૃત્તિનું ક્ષેત્ર ઘટાડતા જવાનું, મુસાફરીની દિશા નિયત્રિત કરવાનું, તેમજ ઉપભોગપભાગની વસ્તુઓ નિયત કરવાનું – એવાં વ્રતા માલૂમ પડે છે. - ૧૦ અંતમાં આ અનુવાદ વિષે બે ખેલ કહેવાની જરૂર છેઃ આ અનુવાદ કરવામાં પ્રે. જેકેાખીના અનુવાદ તેમજ પડિત . ખેચરદાસે ‘પુરાતત્ત્વ’ત્રૈમાસિકમાં લખેલા લેખાને ઘણા ઉપયાગ કર્યાં છે, તેની અત્રે નાંધ લેવી આવશ્યક છે, છતાં ઘણી જગ્યાએ યાગ્ય લાગતા જુદા અર્થા પણ કર્યાં છે; પરંતુ તે સબળ લાગતાં પ્રમાણાને આધારે જ કર્યો છે. ચેાગ્ય સ્થળાએ તેાંધ તથા ટિપ્પણે પણ આપ્યાં છે. તે વાચકને ઉપયાગી થઈ પડશે એવી આશા છે. આ સૂત્રનાં અન્ય ગૂજરાતી ભાષાંતરે થયાં જાણુમાં નથી. સૂત્રકૃતાંગની ટીકાના સળંગ અનુવાદ પાંચ ભાગમાં બહાર પડયો છે, પરંતુ તે સૂત્રકૃતાંગસૂત્રનેા અનુવાદ નથી. જૂની ટીકાઓમાં ટીકાકાર સૂત્રને સળંગ અ કદી નથી આપતા પરંતુ અમુક અમુક શબ્દો ઉપર વિવેચન કરે છે. ઉપર જણાવેલા અનુવાદમાં ટીકાના અર્થ પ્રમાણે સૂત્રની નીચે શબ્દા પણુ આપ્યા હોત, તેા વાચકવર્ગીને તે પુસ્તક કાંઈક ઉપયાગી થઈ પડત. ટીકાના અનુવાદ વગેરે વિષે અહીં કશું કહેવાની આવશ્યકતા નથી. શરૂઆતમાં જ જણાવ્યું હતું તેમ, સૂત્રકૃતાંગમાં મેક્ષાની સાથે સાથે જ પરવાદીઓના વાદીનું ખંડનમંડન Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત છે. પરંતુ તેથી તેનું વાચન અરસિક બને તેવું નથી. આ ઉપઘાતમાં પરવાદીઓને ઘેડે ઘણો પરિચય મેળવી લીધા પછી તો તે ચર્ચા વળી વધુ રસિક થઈ પડવાનો સંભવ છે. મહાવીર ભગવાનના સાચા અણુની કિંમત તો તેથી જ આંકી શકાય તેમ છે તે ઉપર જણાવી આવ્યા છીએ. સન્મતિતર્કના કર્તાએ તો પિતાના પુસ્તકને અંતે જિનવચનને પ્રણામ કરતાં એ વસ્તુને જિનવચનની વિશિષ્ટતારૂપે જણાવી છે. પરવાદીઓની જાળમાંથી પ્રજાને બચાવી, તથા તેમના સિદ્ધાંતને સમન્વય બતાવી, જિન સિદ્ધાંત લેકની અને તે વાદીઓની પોતાની ઓછી સેવા નથી બજાવી. એટલે આપણે પણ સન્મતિકારના - શબ્દોમાં જ ભક્તિભાવે જિન સિદ્ધાંતને આપણા પ્રણામ નિવેદિત કરી, આ પ્રસ્તાવના પૂરી કરીએ. भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥ સન્મતિ ૬૬ . -~-મિથ્યાદર્શનના સમુહરૂપ, અમૃત આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસે સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હો ! Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ શ્વેતાંબરના ૪૫ આગમ ગ્રંથ ૧૧ “અંગ પ્રથા (૧) આચારાંગ સૂત્ર (આયારાંગ): સાધુઓના આચાર વિષે. (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (સૂયગડાંગ): આ ગ્રંથ પોતે જ. (૩) સ્થાનાંગ સૂત્ર (ઠાણગ): જૈન ધર્મનાં મૂળતની ગણના અને વ્યાખ્યા. (૪) સમવાયાડગ સૂત્રઃ + (૫) વ્યાખ્યાપ્રજ્ઞસ્વંગ (વિયાહપત્તિ)ઃ સંવાદ અને કથાઓ દ્વારા ધર્મજ્ઞાનને ઉપદેશ. (૬) જ્ઞાતાધર્મકથાગ (નાયાધમ્મકહાઓ) : કથાઓ અને ઉદાહરણ દ્વારા ધમને ઉપદેશ. *(૭) ઉપાસકદશાંગ (ઉવાસગદસાઓ): જૈન ધર્મના ૧૦ ઉપાસકનાં જીવન. * આ સૂત્રને અનુવાદ આ ગ્રંથાવલીમાં પ્રસિદ્ધ થયેલો છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત (૮) અંતકૃદશાંગ (અંતગડદસાઓ): કર્મક્ષય કરનાર દશ સાધુઓની કથા. (૯) અનુત્તરૌપપાતિક દશાંગ (અનુત્તરવવાઈયદસાઓ): સર્વોચ્ચ સ્વર્ગ પામેલા દશ આચાર્યોની કથા. (૧૦) પ્રશ્નવ્યાકરણગ (પન્હાવાગરણઈ): ધર્મના વિધિનિષેધ. (૧૧) વિપાકસૂત્રાંગ (વિવાગસૂયમ) : કર્મફળના ભેગ વિષેની કથાઓ. બારમું “અંગ' દષ્ટિવાદ (દિષ્ટિવાઅ) જે લુપ્ત થઈ ગયેલું કહેવાય છે, તેના વિષયનું વર્ણન બીજા ગ્રંથમાં મળી આવે છે. તે આ પ્રમાણે છે. તેના નીચે પ્રમાણે પાંચ વિભાગ કહેવામાં આવે છે: () પરિક્રમ : દિગંબરોને મતે તેમાં ચંદ્ર, સૂર્ય, જબુદ્વીપ વગેરે દીપે અને સાગરો તથા જીવ અજીવ વગેરે તોનું વર્ણન છે. () સૂત્ર : તેમાં સાચું અને જ્ઞાન દેખાડનાર સૂવે છે. () અનુગ ઃ તેમાં ધાર્મિક મહાપુરુષોની કથાઓ છે. () પૂર્વગત : આ વિભાગમાં પહેલાં જણાવેલાં ૧૪ પૂર્વેને સમાવેશ થાય છે. તે દરેકના વિષયો અનુક્રમે નીચે પ્રમાણે છે : દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લય; મૂળતત્ત્વ અને દ્રવ્ય; દ્રવ્યની, મહાપુરુષોની અને દેવોની શક્તિ; નિર્ણયના સાત પ્રકાર અને ન્યાયનાં સાત પ્રમાણ વડે વસ્તુસ્થિતિનો નિર્ણય: સત્ય અને મિથ્યા જ્ઞાન; સત્ય અને અસત્ય વચન; આત્માને સ્વભાવ; કર્મ, કર્મક્ષય; વિદ્યા શી રીતે પ્રાપ્ત કરાય; ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ શલાકા પુરુષોની જીવનકથા; ઔષધ; સંગીત, વાવ આદિ કલાઓ અને ધર્મક્રિયાઓલોક, ધર્મક્રિયા અને ગણિત. (૪) ચૂલિકા : તે ટીકા જેવી છે. દિગંબરને મતે તેમાં જળ થંભાવવાની, તેમાંથી પાર નીકળવાની, અગ્નિને ખાવાની, મંત્રસાધનાથી દૂર દેશ જઈ શકવાની, ચમત્કારો કરવાની, સિંહ, હાથી વગેરેનું રૂપ ધારણ કરવાની, વનસ્પતિ અને ધાતુનાં રૂપ બદલવાની અને આકાશમાં ઊડવાની વગેરે જુદી જુદી સિદ્ધિઓ મેળવવાની વિદ્યાઓનું વર્ણન છે. ૧૨ ઉપાંગો ' (૧) ઔપપાતિક (ઓવવાય) : મહાવીરનાં દર્શને કેણિક રાજા ગયેલ તેનું અને દેવલોકમાં જન્મ કેમ પામી શકાય તેનું વર્ણન. (૨) રાજપ્રશ્રીય (રાયપણુઈ જજ) : પાર્શ્વનાથના અનુયાયી કેશિએ, પ્રદેશ રાજાને જૈનધર્મમાં આર્યો; પછી તે સૂર્યાભ નામનો દેવ થયો અને તેણે મહાવીરનું સન્માન કર્યું તેની કથા. (૩) જીવાભિગમ : જગતનું અને તેમાં વસતા જીવોનું વર્ણન. (૪) પ્રજ્ઞાપના (પન્નવણું) : જીવનાં રૂપ, ગુણ વગેરે અનેક બાબતોનું વર્ણન. (૫) સૂર્ય પ્રાપ્તિ (સૂરિયપત્તિ)ઃ સૂર્ય અને ગ્રહનક્ષત્રનું વર્ણન. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત (૬) જખ્ખદીપ પ્રાપ્તિ (જબુદીવપત્તિ)ઃ જંબુદ્દીપનું અને પ્રાચીન રાજાઓનું વર્ણન. (9) ચંદ્રપ્રજ્ઞપ્તિ (ચન્દપન્નત્તિ) : ચંદ્ર અને ગ્રહનક્ષત્રોનું વર્ણન. (2) નિરયાવલીઃ જે દશ કુમારે ઓરમાન ભાઈ રાજા કુણિક સાથે મળી, પિતાના દાદા વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઊતર્યા, માર્યા ગયા, અને નરકમાં ઊપજ્યા, તેનું વર્ણન. કલ્પાવર્તાસિકા (કપાવદંસિઆઓ): એ જ રાજાના પુત્રે સાધુ થયા અને વિવિધ સ્વર્ગમાં ગયા, તેનું વર્ણન. (૧૦) પુષ્પિકાઃ (પુષ્કિઆઓ): જે દેવોએ મહાવીરની પૂજા કરી તેમના પૂર્વજન્મની કથાઓ. (૧૧) પુષ્પચૂલિકા (પુષ્કલિઆ): ઉપરના જેવી જ કથાઓ. (૧૨) વૃષ્ણિદશાઃ (વહિદસાઓ): તીર્થંકર અરિષ્ટનેમિએ વૃષ્ણિવંશના દશ રાજાઓને જૈન ધર્મમાં આપ્યા એની કથા. ૧૦ પ્રકીર્ણ (૧) ચતુ શરણ (ચરણ) : પ્રાર્થના અને પ્રાયશ્ચિત્ત વિષે. આતુરપ્રત્યાખ્યાન (આઉરપચ્ચકખાન): જ્ઞાનીઓના અંત સમયના પ્રયત્ન. Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ (૩) ભક્તપરિજ્ઞા ( ભરપરિણું ): ઉપરના વિષયને લગતા વિધિ. સંસ્તારક (સંથારગ): મૃત્યુની ઇચ્છાએ જ્ઞાનીઓ જે કુશાસન ઉપર સૂતા તેનું વર્ણન. (૫) તંદુવૈતાલિકા ( તંદુવેયાલિયા): શરીરવિદ્યા, ગર્ભવિદ્યા ઈ. ચન્દ્રધ્યક (ચન્દાવિજઝય)ઃ ગુરુશિષ્યના ગુણે, પ્રયત્નો ઇત્યાદિ. (૭) દેવેન્દ્રસ્તવ (વિન્દથવ)ઃ સ્વર્ગના રાજાઓની ગણના. (૮) ગણિવિદ્યા (ગણિવિજજા): ફલિત, જ્યોતિષ ઇત્યાદિ. (૯) મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચકખાન) : પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ. (૧૦) વીરસ્તવ (વીરથવ)ઃ મહાવીરની નામાવલી. ૬ છેદસૂત્રો (૧) નિશીથ (નિસીહ) : સાધુઓના ધર્મો અને દેશનાં પ્રાયશ્ચિત્તે. (૨) મહાનિશીથ (મહાનિસીહ) : પાપ તથા પ્રાયશ્ચિત્ત. વ્યવહાર વવહાર): શાસનના વિધિ. (૪) આચારદશાઃ (આયારસાઓ) : આચારના વિધિ. આ ગ્રંથને નવમે અધ્યાય ભદ્રબાહુ દશાશ્રુતસ્કંધ રચિત “કલ્પસૂત્ર છે. તેમાં તીર્થકરનાં જીવનચરિત્રે, સાધુઓના આચાર વિષયક નિયમો તથા સંપ્રદાયનાં નામનું વર્ણન છે. અથવા Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત (૫) બૃહત્કલ્પસૂત્રઃ સાધુઓ અને સાધ્વીઓ માટેના વિધિ. (૬) પંચકલ્પ (પંચક૫): ઉપર પ્રમાણે. કેટલાક જિતકલ્પને છઠું છેદસૂત્ર કહે છે. ૨ સૂત્રો (૧) નંદીસૂત્ર: જ્ઞાનના પાંચ પ્રકારનું વર્ણન. (૨) અનુગદ્વારસૂત્ર (અનુગદાર) વિદ્યાસર્વસ્વનું વર્ણન. ૪ મૂલસૂત્ર (૧) ઉત્તરાધ્યયન (ઉત્તરજઝયન): સિદ્ધાંત ઉપર કથાઓ દષ્ટાતો, ઉપમાઓ, સંવાદ અને ઉપદેશે. આવશ્યક ( આવસ્મય ): દિનચર્યાને આવશ્યક વિધિઓ ઈત્યાદિ. (૩) દશવૈકાલિક (દશયાલિય)ઃ સાધુજીવનના નિયમે. (૪) પિપ્પનિર્યુક્તિ (પિંડનિજજુત્તિ ): સાધુઓએ દાન સ્વીકારવાના વિધિ. કેટલાક તેને ઘનિર્યુક્તિ પણ કહે છે. આ ૪૫ ઉપરાંત બીજા ર૦ પ્રકીર્ણ, ૧૨ નિર્યુક્તિ અને બીજા કેટલાક ગ્રંથો ઉમેરીને એકંદરે ૮૪ ધર્મગ્રંથની ગણના પણ કરવામાં આવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ વેતાંબરમાં પણ સ્થાનકવાસી સંપ્રદાયવાળા દશ પ્રકીર્ણો તથા છઠ્ઠા છેદસૂત્રને અને પિંડનિયુક્તિને પ્રમાણભૂત નથી માનતા. તેમના ધર્મગ્રંથની સંખ્યા એ હિસાબે ૩૨ છે. ૧. એ સંપ્રદાય મૂર્તિપૂજાના વિરોધમાંથી ઉદ્ભવેલો. ઈ. સ. ૧૪૭૪ ના અરસામાં અમદાવાદના લેકશાહે પ્રતીમાપૂજનનો વિરોધ કર્યો. અને ત્યાર બાદ તેમના પંથના ફાંટા તરીકે સ્થાનકવાસી કે ઢિયા સંપ્રદાય ઊભું થયું. લોકાશાહ તો વ્યવહારસૂત્રને પણ આગમગ્રંથ તરીકે નહેતા સ્વીકારતા. Page #82 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ દિગંબરોની માન્યતા પ્રમાણે આગમ ગ્રંથા જે પ્રાચીન ગ્રંથે! લુપ્ત થઈ ગયા છે, તેમને સ્થાને દિગમ્બરાએ કેટલાક અર્વાચીન ગ્રંથાને પ્રમાણભૂત સિદ્ધાંતપ્રથા તરીકે સ્વીકાર્યાં છે. તેમના ચાર વર્ગો છે : (૧) ઇતિહાસ, (૨) વિશ્વવ્યાખ્યાન, (૩) તત્ત્વજ્ઞાન, (૪) નીતિ. આ ચાર વર્ગને દિગમ્બરે ચાર વેદ કહે છે. એ બધા ગ્રંથા ઈ. સ. ૯૦૦ પૂર્વ રચાયેલા છે, તે ગ્રંથા નીચે પ્રમાણે છેઃ (૧) ઇતિહાસ (પ્રથમાનુયાગ) : વિસેનનું પદ્મપુરાણ (ઈ. સ. ૬૫૦) જનસેનનું હરિવંશપુરાણુ અને આદિપુરાણ (૭૮૩); ગુણભદ્રનુ ઉત્તરપુરાણ (૮૭૯). (૨) વિશ્વવ્યાખ્યાન ( કરણાનુયાગ ) : સૂર્ય પ્રપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, જયધવલ. Page #83 -------------------------------------------------------------------------- ________________ 3 મહાવીરસ્વામીને સચમધમ (૩) તત્ત્વજ્ઞાન (દ્રવ્યાનુયોગ) : કુન્દકુન્દને પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પૉંચાસ્તિકાય; ઉમાસ્વાતીનું તત્ત્વાર્થાધિગમસૂત્ર અને સમન્તભદ્ર (૬૦૦), પૂજ્યપાદ (૭૦૦), અકલ’ક (૭૫૦), વિદ્યાનન્દ (૮૦૦) વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ; સમન્તભદ્રની આપ્તમીમાંસા (૬૦૦) અને અકલંક, વિદ્યાનંદ વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ. (૪) નીતિ (ચરણાનુયાગ) : દેઉરને મૂત્રાચાર અને ત્રિવૉચાર; સમન્તભદ્રનેા રત્નકરણ્ડશ્રાવકાચાર (૬૦૦). Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધર્મ ખંડ ૧ લે Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું જુદા જુદા વાદ જીવના બંધનનું કારણ જાણ, તેને દૂર કરવું જોઈએ.” એ પરથી જંબુસ્વામીએ શ્રીસુધર્મસ્વામીને પૂછયું : મહારાજ ! મહાવીર ભગવાને બંધન કેને કહ્યું છે ? અને શું જાણવાથી તે ટળે ?” [૧] શ્રીસુધર્માએ ઉત્તર આપેઃ – હે આયુષ્યમાન ! જ્યાં સુધી માણસ જડચેતની વસ્તુઓમાં થેડીઘણું પણ પરિગ્રહ ૧. મૂળ: સવિત અને વત્તા જૈન માન્યતા પ્રમાણે, પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ વગેરે જડ દેખાતા પદાર્થો પણ છવયુક્ત તો છે જ; પરંતુ તેઓમાં ચિત્ત ન હેવાથી, પુરુષાર્થ સાધવાની શક્તિ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમમ બુદ્ધિવાળા હોય છે, કે બીજાના પરિગ્રહમાં અનુમતિવાળે છે, ત્યાં સુધી તે દુઃખમાંથી છૂટી શકતું નથી. જ્યાં સુધી તે જાતે પ્રાણુની હિંસા કરે છે, કે બીજા પાસે કરાવે છે, કે કરનાર કેઈને અનુમતિ આપે છે, ત્યાં સુધી તેનું વેર વચ્ચે જાય છે, અર્થાત્ તેને શાંતિ નથી હોતી. પોતાના કુળમાં કે સગાંસંબંધીમાં મેહમમતાવાળો મનુષ્ય, છેવટે છેતરાઈને નાશ પામે છે; કેમકે, ધન વગેરે પદાર્થો કે સગાંસંબંધી સાચું રક્ષણ કરી શકતાં નથી. આમ જાણીને, બુદ્ધિમાન મનુષ્યો પોતાના જીવનનું સાચું મહત્ત્વ વિચારી, આવાં કર્મબંધનનાં કારણોથી દૂર રહે છે. રિ-૫] પરંતુ આ સાધને ન ગણકારી, કેટલાક શ્રમણ ને બ્રાહ્મણ પિતાના મતમતાંતરને વળગી રહે છે ને કામભોગમાં રાવ્યા કરે છે. કેટલાક માને છે કે, “આ જગતમાં જે છે તે પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પાંચ ભૂતે માત્ર છે. છો જે દેહી કે જીવ, તે આ પાંચમાંથી જ નીપજે છે. એટલે એ પાંચ નાશ પામે તેની સાથે દેહી જીવને પણ અંત આવે છે. ૩ [ –૮] બીજા ૧. એટલે કે આસક્ત. જુઓ તત્ત્વાર્થસૂત્ર ૭. ૧૨ : મૂછ પરિષ: “પદાર્થોમાં આસક્તિ, તેનું નામ પરિગ્રહ.” ૨. બૌદ્ધ ગ્રંથોની પેઠે અહીં પણ શ્રમજીબ્રાહ્મણ એ ભેગે શબ્દ, “ જુદા જુદા પંથના પ્રચારક ” એવા સામાન્ય અર્થમાં જ વપરાયે છે. ૩. મૂળમાં આ મતનું કાંઈ નામ નથી. બીજા ખંડમાં (૨. ૧. ૧૦.) આ મતને મૂળમાં “પંચમહાભૂતિક” તરીકે ઉલ્લેખ્યો છે. નિયુક્તિકાર ભદ્રબાહુએ (ઈ. સ. પૂ. ૨૯૭) આ વિભાગને “પંચમહાભૂત” નો કહ્યો છે અને ટીકાકાર શીલાંકદેવે (ઈ. સ. ૮૭૬) આને ચાર્વાક મત કહ્યો છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદ કેટલાક મંદબુદ્ધિ આસક્ત લેક એમ જણાવે છે, “ધડે, ઠીકરું, ઈટ આદિપે એક જ માટી અનેકરૂપ દેખાય છે; એમ જ આ વિવ એક આત્મરૂપ હોવા છતાં, પશુ, પક્ષી, વનવૃક્ષાદિરૂપે અનેક દેખાય છે. અને એમનું કહ્યું માની ચાલનારાઓ, પાપ કરી કરીને દુઃખેમાં સવા કરે છે. [૯-૧૦] વળી કેટલાક એવું માનનારા છે કે, “આત્મા કે જીવ જે કાંઈ છે, તે આ પ્રત્યેક શરીર જ છે. એટલે મર્યા પછી જ્ઞાની કે અજ્ઞાની કહેવાતા કેઈ નથી રહેતા; પુનર્જન્મ છે જ નહિ; કે નથી પુણ્ય પાપ કે પરલોક. શરીરનાશની સાથે શરીરી જીવને પણ નાશ થાય છે.” [૧૧-૧૨] અને કેટલાક બીજા તે ધૃષ્ટતાપૂર્વક કહે છે કે, “ કરવા કરાવવા વગેરેની ક્રિયાઓ આત્મા નથી કરતો – એ તો અકર્તા છે !”૩ [૧૩]. આ પ્રમાણે કહેનાર લોકે આ વૈવિધ્યપૂર્ણ જગતની સાચી સમજ પછી શી રીતે મેળવી શકે ૨૪ પ્રવૃત્તિઓના ૧. મૂળમાં આ મતનું નામ નથી. નિયુક્તિકારે આ વિભાગને એકાત્મક” કહ્યો છે. ટીકાકારે આને એકાત્મ-અદ્વૈતવાદ કહ્યો છે. ૨. મૂળમાં આ વાદનું કશું નામ નથી. પરંતુ નિર્યુક્તિકાર તેમજ ટીકાકાર બંને આ વાદને ‘ત નવતરવા કહે છે આ વાદનું વધુ વર્ણન ૨. ૧. ૯ માં આવે છે. અને ત્યાં તેને મૂળમાં જ તે નામે ઉલ્લેખેલો છે. આની અને ચાર્વાકમતની વચ્ચેનો તફાવત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧. ૩. નિયુક્તિકાર આ મતને “અકારકવાદ” કહે છે. ટીકાકારે આને “સાંખ્ય કહ્યો છે. મૂળમાં તેનું નામ નથી. ૪. કારણ કે, ચાકમત અનુસાર પાપપુણ્યનાં ફળ જન્મજન્માંતરમાં ભોગવનાર કોઈ આત્મા જ ન હોય, અથવા એકાત્મવાદીના કહ્યા પ્રમાણે એક આત્મા સિવાય બીજું કાંઈ Page #89 -------------------------------------------------------------------------- ________________ ७२ મહાવીરસ્વાસીને સમધમ એમાંના કીડા જેવા એ અમેધ લેાકા વધારે ને વધારે અંધારામાં ખૂચ્ચે જાય છે. [૧૪] વળી ખીન્ન કેટલાક કહું. કેટલાક કહે છે, ‘છ તત્ત્વા છે : પાંચ આત્મા. અને તે બધાં શાશ્વત છે. થતા નથી. અને જે વસ્તુ અસત્ છે એ ઉત્પન્ન જ ક્યાંથી થાય ? આમ બધા પદાર્થો સથા નિત્ય છે.’૧ [૧પ-૧૬] અને કેટલાક દેઢડાવા મૂર્ખા કહે છે, ક્ષણે ક્ષણે ઊપજતા તે નાશ પામતા રૂપાદિ પાંચ સ્કંધાર સિવાય બીજો એક (આત્મા જેવા) પદા છે જ નહિ 6 નથી; પછી એ હેતુવાળા છે કે હેતુ વિનાના છે, બધાંથી ભિન્ન છે કે એકરૂપ છે, એવા કશી જાતનેય વાદ જ શે! ? પૃથ્વી, પાણી, તેજ અને વાયુ – આ ચાર ‘ધાતુએનું’ૐ રૂપ (એટલે કે શરીર, તેમજ આ સંસાર) બનેલું છે. ’૩ [૧૭–૧૮] જ ન હેાચ, તથા સાંખ્યવાદીના કહ્યા પ્રમાણે આત્મા પાપ કે પુણ્ય કરતા જ ન હોય, તેા કાઈ સુખી અને કોઈ દુ:ખી એવા બેટ્ટવાળું આ જગત શી રીતે ઘટી શકે ? ભ્રમ-વાદે તને મહાભૂત ને એકેને નાશ ૧. મૂળમાં આ વાદનું નામ નથી. નિયુક્તિકાર આને આત્મવાદી કહે છે. ટીકાકાર તેને શૈવાધિકારી (વૈશેષિક) કે સાંખ્ય મત હાવાનું જણાવે છે. ૨. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. " ૩. ધારણા કરે છે, પાષે છે, માટે તે તત્ત્વા ધાતુ ' કહેવાય છે. ૪. મૂળમાં આ મતનું નામ નથી. નિયુક્તિકાર એ બંને શ્લાકમાં વર્ણવેલા વાદને ‘અફલવાદ’ એવું એક જ નામ આપે છે. ટીકાકાર ૧૭મા શ્લેાકના વાદને ૌદ્ધ અને ૧૮મા ‘ઔવિશેષ ’તરીકે ઉલ્લેખે છે. શ્ર્લાકના વાને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જુદા જુદા વાદે અને વળી, આ બધા જ વાદીઓ પ્રતિજ્ઞા કરે છે કે, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી, જે કેાઈ અમારા સિદ્ધાંતનું શરણ લેશે, તે સર્વ દુઃખોમાંથી છૂટશે.” [૧૯]. હું તને કહું છું કે, આ બધા વાદીઓને નથી ખબર સાચા જ્ઞાનની, કે નથી ભાન સાચા ધર્મનું. પરિણામે તેઓ આ સંસારસાગર નથી તરી શકતા; અને જરા-મરણવ્યાધિ-પૂર્ણ આ સંસારચક્રમાં આંટા ખાતા દુઃખ ભોગવ્યા જ કરે છે. જ્ઞાતપુત્ર જિનેશ્વર મહાવીરે કહ્યું છે કે, તે બધા લેકે સારીનરસી એનિઓમાં ભમતા અનેક વાર જન્મશે ને મરશે. [૨૦–૨૧] વળી કેટલાક જાણવા જેવા મિથ્યાવાદો તને કહું. કેટલાક દૈવમાં માનનારા નિયતિવાદીઓ કહે છે : “જીવો છે, તેમને સુખદુઃખને અનુભવ થાય છે, તથા છેવટે તે સ્થાનભ્રષ્ટ થઈ નાશ પામે છે. આ તે બધા રવીકારશે. હવે જે સુખદુઃખાદિ છે, તે કોઈ જીવનાં જાતે કર્યા થતાં નથી. એ તે દેવાનિયત છે.” અને આવી વાત કરી, તે પોતાને પંડિત માની બીજીય અનેક દુષ્ટ કલ્પનાઓ દોડાવે છે; ને તે મુજબ ઉન્માર્ગે આચરણ કરી કરીને, દુઃખમાંથી છૂટી શકતા જ નથી. એ ઘમંડી લકને એટલું જ્ઞાન નથી કે, સુખદુઃખમાં તો દૈવ તેમજ પુરુષાર્થ બેઉ કારણો સંકળાયેલાં હોય છે. [૧-૫ - આ બધા લેકેની દશા કોના જેવી છે? શિકારીના ભયથી ભાગતું હરણ જેમ અભય સ્થાનમાં ભય પામે છે, ને ભયવાળાંમાં નીડર રહે છે, તથા જ્યાં જાળ હોય ત્યાં Page #91 -------------------------------------------------------------------------- ________________ છ૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તેને કદી જવાને કે તેની નીચેથી સરી જવાને બદલે, તેને દેખ્યા વિના તેમાં પડતું જ નાખે છે, અને એમ પિતાના જ અજ્ઞાને કરીને ફસાય છે, તેમજ આ મિથ્યાવાદી મૂર્ખ લોકેનું છે. સાચા ધર્મશાનથી તેઓ ગભરાઈને ભાગે છે, ને જ્યાં ભયસ્થાન છે, એવી અનેકવિધ પ્રવૃત્તિઓ, તેમાં નિર્ભય વિચરે છે. પ્રવૃત્તિઓનાં પ્રેરનારાં લેભ, માન, માયા ને ક્રોધનો ત્યાગ કરીને માણસ કર્મબંધથી છૂટી શકે. પરંતુ આ મૂઢ વાદીએ પેલા મૃગની પેઠે, એ જ નથી જાણુતા અને આ સંસારજાળમાં ફસાઈ વારંવાર જન્મ ને મરે છે. [૬–૧૩] કેટલાક બ્રાહ્મણે ને શ્રમણે વળી એવા છે કે, તે એમ જ માની બેઠા છે કે, “જ્ઞાન તે અમારી પાસે જ છે, બીજા તે બિચારા કાંઈ નથી જાણતા.' પરંતુ એમનું જ્ઞાન એટલે શું ? પરંપરાથી ઊતરી આવેલી તત્ત્વની વાત તે પિપટની પેઠે બોલે છે એ જ. એના પર પછી એ અજ્ઞાની લેકે તે દેડાવે છે. પણ તેથી તે કાંઈ જ્ઞાન મળતું હશે ? અને પોતે જ જ્યાં એવા અપંગ છે, ત્યાં તેઓ બીજાને તે શું જ આપી શકવાના હતા ? આમ આંધળાનું ગાડું કુટાયા કરે છે. નથી તેઓ બીજા પાસેથી સાચું જ્ઞાન લેતા, કે નથી ઘમંડમાં પિતાનું જ જ્ઞાન પૂરું માની હાંક્ય રાખવાનું છેડતા. પોતાનાં કલ્પના – સોની પ્રશંસા ને પારકાનાં વચનની નિંદા એ લેકે છોડતા જ નથી. પરિણામે પાંજરાના પક્ષી પેઠે તેઓ બંધાયેલા જ રહે છે. [૧૪–૨૩] ૧. મૂળ : સર્વાસ રચુરઝર્ષ, ધૂમ, ચપ્પત્તિર ! Page #92 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદ આ ઉપરાંત એક જૂના જમાનાથી ચાલતા ક્રિયાવાદન વિષે જાણવા જેવું છે. કર્મબંધન વિષે સાચું જ્ઞાન નહિ બતાવનાર એવા એ વાદને અનુસરીને કેટલાય લેકે સંસારમાં ફસાતા રહ્યા છે. આ વાદમાં એમ કહ્યું છે કે, “જે માણસ ઈરાદે છતાં શરીરથી હિંસા નથી કરતો, તથા જે અજાણમાં હિંસા કરે છે, તેઓને કર્મનો સ્પર્શ લાગે છે ખરે, પરંતુ તેનું પૂરેપૂરું પાપ નથી લાગતું. જ્યાંથી પાપ પૂરેપૂરું લાગે તેવાં સ્થાન ત્રણ છે : જાતે ઈરાદાપૂર્વક કરવાથી, બીજા પાસે કરાવવાથી કે બીજાના કરેલાને અનુમતિ દેવાથી. પરંતુ એ ત્રણ રીતે હદય જે પાપમુક્ત હોય, તે જરૂર નિર્વાણ મળે.” [૨૪-૨૭] અને એ વાદમાં એક દષ્ટાંત આપ્યું છે કે, “કોઈ ગૃહસ્થ પિતા દુકાળમાં ભૂખનો માર્યો પુત્રમાંસ ખાતે હોય, ને કઈ ભિક્ષુ તેમાંથી ભિક્ષા લઈને ખાય, તે તેને કર્મને લેપ ન લાગે.” [૨૮] કહું છું કે, આ વાદ અજ્ઞાન છે. મનથી પણ જે દેષ કરે છે, તેને નિર્દોષ ન માની શકાય. કારણ કે, તે સંયમમાં કાર્યો છે. પરંતુ ભોગાસક્ત લેક ઉપરની વાત માની પાપમાં પડ્યા કરે છે. આ બધા મિથ્યાવાદીઓ કેના જેવા છે ? કાણી હેડીમાં બેસી કોઈ જન્માંધ પ્રાણી ૧. “ક્રિયા છે,” અને “ક્રિયાનું ફળ છે ” એવું માનનાર વાદી તે ક્રિયાવાદી કહેવાય. એ રીતે તે જેને પોતે પણ ક્રિયાવાદી જ છે. પરંતુ ક્રિયાવાદીઓમાં પણ બૌદ્ધો જેવા કેટલાક માત્ર માનસિક હેતુ ઉપર જ ભાર મૂકનારા હોઈ, અજાણતાં થતાં કૃત્યો માટે બેદરકારી કે બેજવાબદારી દાખવતા. તેથી તેમનો અહીં વિરોધ કર્યો છે. આની જ વધુ ચર્ચા ૨. ૪ અને ૨. ૬ માં છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાર કરવા ચાહે, એના જેવી એમની દશા છે અને થાય છે. એવા અનાર્ય શ્રમણ સંસારમાં ચાક ખાયા જ કરે છે. [૨૮-૩૨] અને પેલા દષ્ટાંત વિષે તો શું જ કહેવું ? કેાઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ ભિક્ષુ માટે બનાવેલું ભોજન, ભલેને તે હજાર હાથમાં થઈને મળે, પણ જે તે નિષિદ્ધ હોય, તે તે ખાનારને દોષ લાગે જ. પરંતુ કેટલાક શ્રમણો આ વાત નથી સ્વીકારતા; દુનિયામાં ક્યાં જોખમ છે એનું એમને ભાન નથી; ને વર્તમાન સુખની લાલસાના માર્યા તેઓ આમાં પડે છે. પછી, ભરતી કાળે તણાઈ આવી, ઓટમાં જમીન પર રહી જતા માછલ્લાની પેઠે તેમને વિનાશ થાય છે. [૧-૪] વળી બીજા પ્રકારના કેટલાક મૂર્ખ વાદીઓ વિષે કહું છું તે સાંભળ. કોઈ કહે છે, દેવે આ જગત રચ્યું છે, ને કેાઈ કહે છે કે બ્રહ્માએ. કઈ વળી એમ જણાવે છે કે, જડચેતનથી ભરપૂર તથા સુખદુ:ખવાળું આ જગત ઈશ્વરે ઘડવું છે; અને કોઈ કહે છે, “ના, એ તો પ્રકૃતિનું કાર્ય છે, કોઈ મહર્ષિએ વળી એમ કહ્યું છે કે, સ્વયંભૂ આત્મામાંથી આ જગતની ઉત્પત્તિ છે; જ્યારે બીજું એક કથન છે કે, મૃત્યુએ પોતાની માયાશક્તિથી આ અશાશ્વત જગત રચ્યું છે. કેટલાક શ્રમણો ને બ્રાહ્મણે કહે છે, “ આ જગત ઈંડામાંથી ઉપજેલા પ્રજાપતિનું રચેલું છે. ૨ [ પ – ૭] (૧) બહદારણ્યકેપનિષદ 1. ૨. ૧ – ૨. (૨) શતપથ ૧૧. ૧. ૬ – ૧. Page #94 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદે ૭૭. સાચું રહસ્ય ન સમજનારા આ વાદીએ મિથ્યાભાષી છે. તેમને સાચી ઉત્પત્તિની ખબર જ નથી. એમ જાણે કે, આ સંસાર સારાં માઠાં કર્મોનું ફળ છે. પણ એ સાચું કારણ ન જાણનારા પેલા બધા વાદીઓ, તેમાંથી ઊગરવાને માર્ગ તે પછી કયાંથી જ જાણે? [૮–૧૦] એક બીજા મિથ્યાવાદ વિષે વળી કહું. કેટલાક કહે છે, “શુદ્ધ પાણી જેમ મલિન થઈ શકે, એમ જ પ્રયત્ન કરીને શુદ્ધ નિષ્પાપ બનેલો સંયમી મુનિ પણ પાછો પાપયુક્ત મલિન થાય. તે પછી બ્રહ્મચર્યાદિ પ્રયત્નનું શું ફળ રહ્યું? અને બધા વાદીએ પિતાપિતાના વાદનું ગૌરવ તો ગાય જ ને ! ”૧ વળી કેટલાક સિદ્ધિઓ ( અણિમા, ગરિમાદિ ) નું ગૌરવ કરતા કહે છે, “ જુઓ, અમે તે અમારા સિદ્ધિબળે કરીને સમાધિમાં, ને અોગ થઈ યથેચ્છ આ જગતમાં માણીએ છીએ. ”ર [૧૧-૧૫] પિતપોતાના સિદ્ધાંતની આવી આવી સમજે રાખીને, તેમાં જ ડૂખ્યા રહેનારા આ બધા અસંયમી લોકે, સંસારના આ અનાદિ ચક્રમાં ગોથાં ખાતા કલ્પ સુધી અધમ અસુરે બની અવતરશે [૧૬] રાગદ્વેષાદિથી જિતાયેલા આ બધા વાદીઓ પિતાને પંડિત માને છે, અને ત્યાગી સંન્યાસી બન્યા છતાં ૧. દાખલા તરીકે મકખલિ ગોશાલનું એવું કહેવું હતું કે, “પ્રાણીઓ કારણે સિવાય અપવિત્ર થાય છે અને કારણુ શિવાય શુદ્ધ થાય છે; અને શુદ્ધ થઈને પાછાં એમની મેળે અપવિત્ર થાય છે.... " ૨. ટીકાકારના કથા પ્રમાણે શૈવો અને એકદંડીઓ. Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમ ધર્મ સાંસારિક ઉપદેશ જ આપ્યા કરે છે. એવા એ મંદબુદ્ધિ પુરુષો તમારું શું ધળી શકવાના હતા ? એટલે, સમજુ વિદ્વાન ભિક્ષુએ એમની સેાબતમાં ન ફસાતાં, નિરભિમાન, નિરાસક્ત થઈ, રાગદેશાતીત એ મધ્યમ માર્ગ લઈને, મુનિજીવન ગાળવું. એવું કહેનારા લોક પણ પડ્યા છે કે, પરિગ્રહી તથા પ્રવૃત્તિમય હોવા છતાં મુક્ત થઈ શકાય. આ ન માનતાં ભિક્ષુએ તો અપરિગ્રહી અને નિવૃત્તિમયનું શરણું લેવું. વિદ્વાન ભિક્ષુએ બીજાને માટે તૈયાર કરેલ આહાર અને ખુશીથી જે આપવામાં આવે તે, રાજી થઈને ભિક્ષામાં લેવો. રાગદ્વેષરહિત થઈ, કોઈને તિરસ્કાર ન કરવો. કેવા કેવા લકવાદો પ્રચલિત હોય છે ! જેમકે, લોક અનંત છે, નિત્ય છે, શાશ્વત છે, અપરિમિત છે, ઈત્યાદિ. વિપરીત બુદ્ધિમાંથી ઊપજેલા કે ગતાનુગતિક ચાલેલા આ અને આવા બધા લેકવાદ ભિક્ષુએ સાવધાન રહીને જાણવા. [૧-૭] બાકી જ્ઞાનમાત્રને સાર તે આ જ છે કે, કોઈ પણ જીવની હિંસા ન કરવી. પ્રાણુઓનું સ્થાવર હેવું કે ૧. આ જગત અનંત છે કે સાંત છે કાળની અપેક્ષાએ) તથા અપરિમાણ છે (દેશની અપેક્ષાએ) એ પ્રશ્નોની બાબતમાં કોઈ પણ એક છેડે પકડવાની જરૂર નથી; પરંતુ, અપેક્ષાએ બંને દષ્ટિને સમન્વય કર એવું અહીં વિવક્ષિત છે. જુઓ ખંડ ૨, અધ્ય. પ, લે. ૧. ૩ તથા તેના ઉપર નોધ. બૌદ્ધ ગ્રંથોમાં આવા વાદેને લોકચિંતા શબ્દથી ઓળખવામાં આવ્યા છે. જુઓ દઘનિકાય – બ્રહ્મજા લસુ. ટીકાકાર આ ઉપરાંત લોકવાદોના બીજા દાખલા આ પ્રમાણે આપે છે : “અપુત્રની ગતિ ન થાય,” “કૂતરાં યક્ષ છે,” “ગાયથી મરનાર કે ગાયને મારનારની ગતિ નથી ઇત્યાદિ. • Page #96 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદો જંગમ॰ એ અમુક ચેકસ કારણાને લીધે હાય છે, બાકી બધાં જ જીવભાવે સમાન છે. તેમાંય જગમ પ્રાણીએ વિષે તે આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પેાતાની જેમ કાઈને દુ:ખ નથી ગમતું, માટે કાઈની હિંસા ન કરવી. અહિંસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષુએ ચાલવામાં, સૂવા મેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિભેર સંયમી ને નિરાસક્ત રહેવું તથા માન, ક્રોધ માયા તે લેાભ તજવાં.૨ આ પ્રમાણે સમ્યક્ આચારવાળા થઈ, તથા કમ્પ આત્માને ન લેપે એ સારુ અહિંસા, સત્યાદિ પાંચ મહાત્રતા રૂપી સંવર૪ ( એટલે કે છત્ર ) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી કમબંધનના આલેકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતા સુધી રહેવું. [૮–૧૩] આમ કહી શ્રીસુધ`સ્વામી થેાભ્યા. ૧. જૈન પરિભાષામાં સ્થાવરજ’ગમ જોડકાને માટે ત્રસંસ્થાવર એવા પ્રયાગ છે. ક્ર્મ એટલે ત્રાસ થતાં નાસી જઈ શકે તેવા જગમ. ૨. મૂળ શબ્દો હર્ષ, વન, બૂમ, મધ્યશ્ય ( આખા સસારમાં બધામાં રહેલા ). જીઆ ૧. ૧. ૨ - ૧૨; ૧. ૨. ૩ ૨૯. ૩. મૂળ : સમિત, એટલે કે ‘સમિતિ'એ યુક્ત અમુક પાંચ વિવેકયુક્ત સમ્યક્ પ્રવૃત્તિઓને જૈન પરિભાષામાં સમિતિ કહે છે. (સમ્-સમ્યક્ રીતે ચાલવું તે.) જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૩. ૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. * Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ટિપણે ટિપ્પણું ન ૦ ૧ ઃ આગળ આવી ગયેલો [૭–૪] ચાર્વાક મત જેને બીજા ખંડમાં (૨. ૧. ૧૦.) મૂળમાં જ પંચમહાભૂતિક વાદ તરીકે ઓળખાવ્યા છે – તેમાં અને તજજીવતછરીરવાદમાં ફેર આટલો જ દેખાય છે કે, તજીવતછરીરવાદ શરીરને જ આત્મા માને છે, જ્યારે પંચમહાભૂતવાદી શરીરાકારે ભેગાં થયેલાં પંચમહાભૂતમાંથી જુદું ચેતન તત્વ ઉત્પન્ન થાય છે, તથા તે શરીરની બધી ચેતન ક્રિયાઓ કરે કરાવે છે, એમ માને છે. જો કે, તે ચેતનનો પણ શરીરના નાશની સાથે નાશ થાય છે જ. ટિપ્પણ . ૨: બૌદ્ધો આત્મા જેવી સ્થાયી, અવિનાશી વસ્તુ નથી માનતા. પરંતુ ક્ષણે ક્ષણે બદલાતા પાંચ સ્કંધો માને છે. તે પાંચ કંધે આ પ્રમાણે: (૧) પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર મહાભૂતો તે રૂપસ્કંધ (૨) સુખકારક, દુઃખકારક અને ઉપેક્ષાયુક્ત એ ત્રણ પ્રકારની વેદનાઓ તે વેદનાત્કંધ (3) એક જ જડ સૃષ્ટિના બનેલા મૂર્ત અમૂર્ત એમ સર્વ પદાર્થોનું જે શક્તિ વડે આપણને ઘડે, ગામ એવું ભિન્ન ભિન્ન સ્વરૂપ લાગે છે, તે સંજ્ઞાસકધ (૪) પ્રેમાદિ કુશળ, વેષાદિ અકુશળ અને અમુક પ્રકારની અભિરુચિ, આવડત વગેરે અવ્યાકૃત સંસ્કારો તે સંસ્કારસ્કંધ (૫) ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિદ્દા, કાય અને મને એ છ વિજ્ઞાને તે વિજ્ઞાન સ્કંધ. ટિપ્પણુ નં૩ : પાંચ સમિતિઓ આ પ્રમાણે છે : (૧) ઈસમિતિ: કઈ જંતુને ઈજા ન થાય તેમ કાળજી પૂર્વક ચાલવું. (૨) ભાષાસમિતિ: સત્ય, હિતકર, પરિમત અને સંદેહ વિનાનું બોલવું. (૩) એષણા સમિતિ : જીવનયાત્રામાં આવશ્યક એવાં નિર્દોષ સાધન મેળવવા સાવધાનતાથી પ્રવૃત્તિ કરવી. (૪) આદાનનિક્ષેપસમિતિઃ વસ્તુમાત્રને જોઈ તપાસી કાળજીથી લેવી મૂકવી. (૫) ઉત્સર્ગ સમિતિ: અનુપયોગી વસ્તુ જતુ વિનાને સ્થળે જઈ તપાસી નાખવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદો ૧ વિષ્ણુ નં૦ ૪: સંવરના મૂળ અર્થ જૈન પિભાષામાં, ‘કર્માંને આત્મામાં દાખલ થતાં રોકવાં એવા થાય છે. કંધનની જૈન કલ્પના એવી છે કે, શુભ અશુભ પ્રવૃત્તિઓ વખતે કરજ આત્મા તરફ ખેંચાય છે અને ત્યાં તેલવાળા શરીર ઉપર ધૂળ ચાટે તેમ ચાટી જાય છે. કર્મો આત્મામાં દાખલ થાય તેને આસ્રવ કહે છે. અને તે આસ્રવને શકવા તેનું નામ સવર. ઉપર જણાવેલી સમિતિરૂપ સમ્યક્ પ્રવૃત્તિથી, તથા સમજપૂર્વક મન વાણી અને કાચાને ઉન્માર્ગે થી કવારૂપી ગુપ્તિ (રક્ષણ) થી, ક્ષમા, માદવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય રૂપ ધથી, જીવનશુદ્ધિમાં ઉપયાગી થાય તેવા તાત્ત્વિક ચિંતનથી (અનુપ્રેક્ષા), ધર્મ માર્ગમાં ટકી રહેવા અનેક ખંધને ખંખેરી નાખવા સમભાવપૂર્વક આચરેલી તિતિક્ષાથી (પરિષહ), તથા આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાના પ્રયત્નરૂપ ચારિત્રથી સવરસિદ્ધ થાય છે. જીઆ તત્ત્વાર્થ સૂત્ર અ. ૯, સૂત્ર ૨. Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ ફનાશ ૧ શ્રીસુધ સ્વામી પછી કહેવા લાગ્યા : મનુષ્યજન્મ મળવા દુર્લભ છે, અને એક વાર ગયેલી પળ પાછી ફરતી નથી. મૃત્યુ તે ખાલ્ય, યાવન ક જરા એ કાઈ પણ અવસ્થામાં ગમે ત્યારે આવીને ઊભું રહે છે. માટે તમે બધા સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા વેળાસર પ્રયત્ન કરે ! (૧) મૂળ: વૈયારુિચ । તેના બે અર્થ થાય. વૈરિછ તેમજ વૈતાઢીય । આ અધ્યયન વૈતાલિક છંદમાં છે એટલે વૈતાજીય અથ પણ એસે; તેમજ વિ. વિલ્ડ્રન ‘કમના નાશ' એ આ અધ્યયનના વિષય છે, એટલે વૈદિ અર્થાં પણ બેસે. Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્મનાશ મનુષ્ય જીવન દરમ્યાન કામજોગોમાં તેમજ સ્ત્રીપુત્રાદિના સ્નેહમાં અટવાઈ રહે છે. તથા પિતાને તેમજ પિતાનાં સંબંધીઓને માટે અનેક સારાનરસાં કર્મો કર્યા કરે છે. પરંતુ દેવ ગાંધર્વ સર્વને આયુષ્ય પૂરું થયે, ન ગમતું હોવા છતાં, પિતાના પ્રિય સંજોગો અને સંબંધ છેડીને અવશ્ય જવું પડે છે; તથા પિતપોતાનાં કર્મનાં ફળ જાતે એકલા ભોગવવા પડે છે. તે વખતે રાજ્યવૈભવ, ધનસંપત્તિ, શાસ્ત્રજ્ઞાન, ધર્મજ્ઞાન, બ્રાહ્મણપણું કે ભિક્ષુપણું કોઈને પિતાનાં પાપકર્મનાં ફળમાંથી બચાવી શકતાં નથી. માટે, વખત છે ત્યાં સુધી, એ શુદ્ર તથા દુઃખરૂપ કામગથી નિવૃત્ત થઈ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. જેથી, કર્મો તેમજ કર્મોના હેતુઓનો નાશ કરી, તમે આ દુ:ખચક્રમાંથી મુક્ત થઈ શકે. [૧-૭] આ અંતવાન જીવિત દરમ્યાન મૂઢ મનુ જ જગતના કામોમાં મૂર્ણિત રહે. સમજુ પુરુષે તે ઝટપટ તેમાંથી વિરત થઈ, પરાક્રમ અને પુરુષાર્થપૂર્વક નિર્વાણપ્રાપ્તિનો માર્ગ હાથ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. [૧૦,૧૨] પરંતુ, એ કર્મનાશને માર્ગ ઘણો સુક્ષ્મ તથા દુર્ગમ છે. ઘણય મનુષ્યો તે જ્ઞાન પ્રાપ્ત કરવાને ઈરાદે સંન્યાસી થઈ, ભિક્ષાચર્ચા સ્વીકારે છે, નગ્નાવસ્થા સ્વીકારે છે, તથા મહિના મહિનાને આંતરે ખાવારૂપી કઠોર તપશ્ચર્યાઓ કરે છે. પરંતુ પિતાની આંતર કામનાઓ નિર્મૂળ ન કરી શકતા હોવાથી, તેઓ કર્મચક્રમાંથી મુક્ત થવાને બદલે, તેમાં ને તેમાં રહેંસાયા કરે છે. મનુષ્ય પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારી, તેમની પાસેથી ગ્ય માર્ગ જાણે, તેમણે બતાવેલા માર્ગે પ્રયત્નપૂર્વક તથા યોગયુક્ત Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમ બની, આગળ વધવું. સામાન્ય માર્ગ ઉપર ચાલવામાં જ કેટલી આંટીઘૂંટી જાણવાની હોય છે ? તે પછી, આ કર્મનાશના દુર્ગમ માર્ગે જતાં ગોથાં ન ખાઈ જવાય તે માટે, પ્રથમ એ માર્ગના ભેમિયા પુરુષનું શરણ સ્વીકારવું જોઈએ. વળી સામાન્ય જીવનવ્યહારમાં જેમ અનેક મુશ્કેલીઓ સહન કરવાની હોય છે, તેમ જેને આત્માનું હિત સાધવું છે, તેને એ માર્ગે જતાં કેટલીય મુશ્કેલીઓને વીરતા પૂર્વક સામનો કરવાનું હોય છે. એ બધાથી ગભરાઈ ગયે કેમ ચાલે ? તેણે તો, છાણાં થાપેલી દીવાલ જેમ છાણ ઉખાડી નાખવાથી પાતળી થઈ જાય, તેમ પિતાનાં શરીર મનનાં પડ વ્રતસંયમાદિથી ઊખડી જવાથી, તે બંનેને કૃશ થઈ જતાં જેવાનાં છે. એ બધું કાંઈ સહેલું નથી. જે સાચે વૈરાગ્યવાન તથા તીવ્ર મુમુક્ષુ છે, સંત પુરુષોએ શાસ્ત્રમાં બતાવેલ માર્ગને જે અનુસરે છે, તથા જે કહેર તપસ્વી છે, તે જ ધૂળથી છવાયેલી પંખિણીની પેઠે પિતાનાં કર્મ ખંખેરી નાખી શકે છે. બીજું કોઈ નહીં. [૮–૯, ૧૧, ૧૩–૧૫]. સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા સાંસારિક સંબંધ છેડીને ચાલી નીકળેલા ભિક્ષુને, સૌથી પ્રથમ પિતાના પૂર્વ સંબંધીઓ પ્રત્યેની મમતા દૂર કરવી પડે છે. કોઈ વખત ભિક્ષા માગવા તે પિતાને ઘેર આવી ચડે છે, ત્યારે તે બધાં તેને સામટાં ઘેરી લઈ વિનંતિઓ, કાકલૂદીઓ અને રુદન વગેરેથી સમજાવવા લાગે છે. વૃદ્ધ માતપિતા વગેરે તેને કરગરતાં કહે છે કે, “અમને આમ અસહાય છેડી જવાને બદલે અમારું ભરણપોષણ કર. એ તારી સૈાથી પહેલી ફરજ Page #102 -------------------------------------------------------------------------- ________________ કનાશ છે. તેને જતી કરીને તું શું પુણ્ય પાપ્ત કરી શકીશ ? વળી તેએ તેને એક જ વશરક્ષક પુત્ર ઉત્પન્ન થતા સુધી જ ઘરમાં રહેવાનું કહીને સમજાવે છે; તથા બીજી પણ ઘણી લાલચે અતાવે છે. કાઈ વાર બળજબરી પણ વાપરે છે. છતાં જેને છાંવેત ઉપર મમતા નથી, એવા ભને તે કાંઈ કરી શકતાં નથી. પરંતુ સગાંસંબંધીમાં મમતાવાળા અસંયમી ભિક્ષુએ તે વખતે મેાહ પામી જાય છે, અને ઘેર પાછા કરી, ધૃષ્ટતાપૂર્વક બમણા વેગથી પાપકર્મો કરવાં શરૂ કરે છે ! માટે બુદ્ધિમાન ભિક્ષુએ પ્રથમ પાતામાં રહેલી એ માયામમતા દૂર કરવાના પ્રયત્ન કવે. આ મહામામાં પરાક્રમી પુરુષે જ અ ંત સુધી સ્થિર રહી શકે છે. [૧૬-૨૨] સગાંસ’'ધીમાં મમતા જેવું જ આ મામાં બીજાં મોટું વિઘ્ન તે અહંકાર છે. ઘણા ભિક્ષુએ ગાત્ર વગેરેને કારણે અભિમાન કરે છે તથા ખીજાને તિરસ્કાર કરે છે, પરંતુ સાચે મુનિ તે પેાતાની મુક્તાવસ્થાને પણ ગ નથી કરતા. તેમ, ખરા ચક્રવર્તી રાજા, સંન્યાસી થયેલા પેાતાના એક વખતના દાસાનુદાસનું પણ વિના સકાસે યથાયેાગ્ય સન્માન કરે છે, અહંકારપૂર્વક ખીજાના તિરસ્કાર કરવા, એ પાપરૂપ છે. માટે મુમુક્ષુએ, કશી વાતનું અભિમાન કર્યા સિવાય, અપ્રમત્ત રીતે, સાધુ પુરુષોએ બતાવેલ સ યમધમ માં સમાન વૃત્તિથી અણીશુદ્ધ રહેવું; ૧. જૈન મેાક્ષસાધન ‘ સંચમ’ અથવા ‘ સયધમ ’એને! પ્રયોગ ઘણા આવે છે. સંયમપ્રધાન હાવાથી, તેને માટે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ મહાવીરસ્વામીને સંયમધમ તથા દૂરને વિચાર કરી, શરૂઆતમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે તેપણું, પિતાના માર્ગમાં અડગ રહીને વિચરવું. આ પ્રકારે જે સતત્ સંયમધર્મનું સંપૂર્ણ પાલન કરી શકે છે, તથા સર્વ પ્રકારની આસક્તિ દૂર થવાથી જેની પ્રજ્ઞા સરવર જેવી નિર્મળ બની છે, તે મુનિ ધર્મને તથા પ્રવૃત્તિઓને અંત પામી શકે છે અને જગતના પદાર્થોમાં મમત્વવાળા અને પોતાની કામનાઓ તૃપ્ત ન થવાથી શેક કરતા અન્ય સંસારીઓને ઉપદેશ વડે માર્ગ બતાવી શકે છે. સંસારના સર્વ પ્રાણેને સુખદુઃખની બાબતમાં પોતાની સમાન જાણી, સર્વ પ્રકારની હિંસાથી વિરત થયેલો તે મુનિ, અંતકાળ પૂર્વે જ જ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થાય છે. માટે જગતના પદાર્થોને આ લોકમાં તેમજ પરલોકમાં પણ દુઃખ આપનાર તથા ક્ષણભંગુર જાણ, ઘરનો ત્યાગ કરી બહાર ચાલ્યા આવે. પદાર્થોમાં તીવ્ર આસકિત તથા જગતનાં વંદનપૂજન, એ કાંટો બહુ સૂક્ષ્મ છે તથા મહાકટે કાઢી શકાય તેવું છે. માટે બુદ્ધિશાળી પુરુષે જગતના સંસર્ગને ત્યાગ કરી, એકલા થઈ જવું અને મનવાણુને અંકુશમાં રાખી, સમાધિ અને તપમાં પરાક્રમી બનવું. [૧-૧૨] પરંતુ, એમ સર્વ સંબંધોને ત્યાગ કરી, એકલા ફરવું ઘણું મુશ્કેલ છે. એકલા વિચરનાર ભિક્ષુને નિર્જન સ્થાનોમાં કે શૂન્ય ઘરમાં નિવાસ કરવાનું હોય છે. ત્યાં જમીન ઊંચીનીચી હોય, ડાંસમચ્છર હોય તેમજ સાપ વગેરે ભયંકર પ્રાણીઓને પણ વાસ હોય. છતાં, તેણે તેથી ગભરાઈને, બારણાં બંધ કરી કે ઘાસ પાથરી, રસ્તો ન કાઢો. કારણ તેણે તે ભલેને જીતવાના જ છે. તો જ તે એવી નિર્જન જગાઓમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ કમનાશ શાંતિથી, એકાગ્રતાપૂર્વક સ્થિર થઈને ધ્યાનાદિ કરી શકે અથવા સૂર્યાસ્ત વખતે જ્યાં હોય ત્યાં ઉતારે કરવાના યતિધર્મનું પાલન કરી શકે. જ્યાં સુધી તે એકાંતમાં નિર્ભયતાથી રહી શકતો નથી, ત્યાં સુધી તે વસતીમાં કે સોબતમાં રહેવા પ્રયત્ન કરે છે. અને સાધુ માટે સંગ જેવી જોખમકારક એકે વસ્તુ નથી. બીજી બધી રીતે માણસ ઉચ્ચ ચારિત્ર્ય અને સંયમને પાળ હાય, છતાં જે તે સંગદેષને ત્યાગ ન કરે, તે તે તથાગત બન્યો હોય તો પણ સમાધિથી શ્રુત થઈ જાય. કારણ, સંગ એ કજિયાનું, આસક્તિનું તથા પૂર્વે ભગવેલા ભોગેની સ્કૃતિનું કારણ છે. માટે બુદ્ધિશાળી ભિક્ષુએ સંસારીઓના સંસર્ગથી દૂર રહેવું, તથા જીવિતને ક્ષણભંગુર જેઈ સર્વ પ્રકારનું પ્રમાદ દૂર કરી, મેહમાયાથી રહિત થઈ, સ્વચ્છેદે અનુસરવું છેડી દઈ શીતષ્ણ વગેરે દ્રો સહન કરી લઈ જ્ઞાની પુરુષોએ બતાવેલા ધર્મને જ અનુસરો. [૧૩–૨૨] વધારે શું કહેવું ? કુશળ દૂતકાર જેમ બેટા દાવ છેડી દઈ સારામાં સારો દાવ જ લે છે, તેમ તમે પણ સ્ત્રીસંગાદિ ગ્રામધર્મો તથા ભોગવેલા વિષયની કામના કરવાનું મૂકી દઈ, જગતને તારનારા સંતપુરુષોએ ઉપદેશેલા સર્વોત્તમ ધર્મમાર્ગને જ અનુસરવા માંડે. જેઓ મનને દૂષિત કરનારા વિષયમાં ડૂબેલા નથી, તેઓ જ સંત પુરુષના માર્ગને અનુસરવા શક્તિમાન થાય છે. માટે તમે મનના મહને દૂર કરી, માયા, લોભ, માન, ક્રોધ, પ્રમાદ કે ૧. મૂળ : કલિ, વેતા અને દ્વાપર નામના પાસા. કૃતને પાસો જ શ્રેષ્ઠ કહેવાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસના સમધમ શિથિલતાને ત્યાગ કરી, તેમજ નકામી વાતચીત, પદ્મપૂર્ણ કે વાતડહાપણું વગેરે નિરથ ક પ્રવૃત્તિઓમાં વખત ખાવાનું છેાડી, પોતાના કલ્યાણમાં તત્પર થાએ!, ધર્માર્થ સાધવાની ઉત્કંઠા વાળા અના અને તપ વગેરેમાં પ્રબળ પુરુષા દાખવે. મન વચન અને કાયા ઉપર જેણે કાબૂ મેળવ્યા નથી, તેને માટે આત્મકલ્યાણ સંધાવું સહેલું નથી. ૯ મહર્ષિ જ્ઞાતપુત્ર૧ વગેરેએ વા ઉપરની કરુણાથી, જગતનું સંપૂર્ણ તત્ત્વ જાણી, જે પરમ ધ'મા`ર ઉપદેશ્ય છે, તે અદ્ભુત છે, માટે સદ્ગુરુની આજ્ઞાનુસાર તે માર્ગો વડે આ સંસારરૂપી મહાન પ્રવાહના અંત લાવેા. [૨૨~૩૨] ૩ એ જ વિષયને આગળ ચલાવતા સુધ સ્વામી કહેવા લાગ્યાઃ કામેાને રાગરૂપ સમજી, જે સ્ત્રીઓથી અભિભૂત નથી થતા, તેમની ગણના મુક્ત પુરુષો સાથે થાય છે. જે કામભાગને જીતી શકે છે, તે જ તેમનાથી પર વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કાઈ વીરલા મનુષ્યા જ તેમ કરી શકે છે. બાકી, બીજા મનુષ્યા તા કામભોગામાં આસક્ત અને મૂઢ બની જાય છે. એટલું જ નહિ, ઊલટાં તેમાં બહાદુરી માને છે. તે માત્ર વર્તમાનકાળ જ દેખી ૧. જ્ઞાત નામના રાજવંશમાં ઉત્પન્ન થયેલ મહાવીર સ્વામી. ૨. મૂળ : સમાધિ । જૈન ગ્રંથમાં સમાધિ રાખ્યું યોગના રૂઢ અમાં નથી વપરાતે, પણ સમ્યક્ બાપીયત મોક્ષ પ્રતિ આત્મા ચેન એટલે કે, જે જે સાધન વ્યવસ્થિત થાય, તે બધાં સાધનના અમાં વપરાય છે. વડે આત્મા મેાક્ષ પ્રત્યે Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મનાશ શકે છે અને કહે છે કે, પલેક કાણુ જોઈ આવ્યું છે? તેવાં મનુષ્યને ગમે તેટલું સમજા પણ તેઓ પિતાનાં વિષયસુખે છેડી શકતાં જ નથી. નબળા બળદને ગમે તેટલે મારે મૂડે, પણ તે આગળ ચાલવાને બદલે ઊલટો ગળિયો થઈને બેસી પડે છે. તેના જેવી દશા વિષયરસ ચાખેલા મનુષ્યની છે. વિષય માં લેશમાત્ર સુખ નથી તથા તે ક્ષણભંગુર છે, એમ જાણવા છતાં, તથા આયુષ્ય પણ તેવું જ હોવા છતાં, તેઓ છેવટ સુધી તેમને વળગી રહે છે. અને અંતે, તે ભોગને કારણે કરેલાં હિંસાદિ અનેક પાપકર્મોનાં ફળ ભોગવવા, તેમને હીન આસુરી ગતિને પામવું પડે છે. તે વખતે તેઓ પસ્તાય છે અને વિલાપ કરે છે. આવાં મનુષ્યો દયા ખાવા જેવાં છે. કારણ, તેઓ જ્ઞાનીઓએ ઉપદેશેલા મોક્ષમાર્ગને જાણતાં નથી; તેમજ સંસારનું સત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કરી, જેણે તેમાંથી છૂટવાને માર્ગ બતાવ્યા છે, તેવા મુનિના વચન ઉપર પણ તેમને શ્રદ્ધા નથી. અનંત વાસનાઓથી ઘેરાયેલા તે અંધ મનુષ્યો પિતાની અથવા પિતાના જેવી બીજાની અંધતાને જ જીવનભર અનુસર્યા કરી, ફરી ફરી મોહ પામ્યા કરે છે અને સંસારચક્રમાં ભટક્યા કરે છે. [૨-૧૨] માટે, વિવેકી પુરુષે ગૃહસ્થાશ્રમ દરમ્યાન પણ, પિતાની ચોગ્યતાનુસાર અહિંસાદિ વ્રત પાળવા પ્રયત્ન કરો. અને જેને મહાપુરુએ કહેલા ઉપદેશને સાંભળી, સત્ય માર્ગ ઉપર શ્રદ્ધા જન્મી છે, તેણે તે પ્રવજ્યા લઈ સત્યપ્રાપ્તિ અર્થે જ સર્વ ભાવે પ્રયત્નશીલ બનવું તથા તેમાં સ્થિર થવું. તેણે તે રાગદેષાદિનો ત્યાગ કરી, મન વચન અને કાયાને સંયમમાં રાખી, નિરંતર પરમાર્થપ્રાપ્તિમાં જ મંડયા રહેવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાવીરસ્વામીને સચમધમ કારણ, મૂર્ખ મનુષ્ય જ સાંસારિક પદાથાં અને સંબધીઓને પોતાનું શરણુ માની, તેમાં બંધાઈ રહે છે. તે જાણતા નથી કે, અંતે તે તે બધાંને છેાડી એકલા જ જવાનું છે તથા પેાતાનાં કર્મોનાં વિષમ પરિણામા ભાગવતા, દુ:ખથી પીડાઈ હંમેશાં આ યાનિચક્રમાં ભટકવુ પડવાનું છે. પાતાનાં કાં ભાગવ્યા વિના કાર્યના છૂટકા જ નથી અને દરેકને તેનાં કર્મો અનુસાર જ દશા પ્રાપ્ત થાય છે. માટે જાગૃત થાઓ ! વર્તમાનકાળ એ જ એકમાત્ર તક છે અને મેધપ્રાપ્તિ સુલભ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. ત્રણે કાળના સ ંતપુરુષા ભારપૂર્વક એ જ વસ્તુ કહેતા આવ્યા છે તથા વિશાલા નગરીના રહેવાસી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું છે. સ` પ્રકારે॰ હિંસાદિ પાપકર્મોથી રહિત થા, આત્માના કલ્યાણમાં તત્પર બના, અને ફળની કામના રાખ્યા વિના સયમધર્માંમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. એ જ માગે અનંત પુરુષ સિદ્ધિ પામ્યા છે અને ખીજા પણ પામશે. [૧૩–૨૨] એમ કહી શ્રીસુધાં ચેાભ્યા, ૧. મન, વાણી અને કાયાથી; તથા કરવાથી, કરાવવાથી કે અનુમતિ આપવાથી. ૨. જીએ પ્રકરણને અંતે પ્પિણ ન’૧. Page #108 -------------------------------------------------------------------------- ________________ " કર્મનાશ ટિપ્પણે ટિ૫ણ ન ૧ : આ અધ્યયનનો ઉપદેશ ઋષભદેવે પોતાના ૯૦ પુત્રોને આપ્યો હતો એમ ટીકાકાર જણાવે છે. ઋષભદેવ સો પુને રાજ્ય વહેચી આપી, સાધુ થયા હતા. તેમાંથી ભારતે ચક્રવતી થવા પોતાના બધા ભાઈઓને પિતાને તાબે થવા જણાવ્યું. ત્યારે ૯૮ ભાઈએ પિતાની સલાહ લેવા ગયા. તે વખતે ઋષભદેવે તેમને સાંસારિક કામનાઓથી પર વસ્તુને ઉપદેશ આપી, તેમને સંસારથી વિમુખ કર્યા. એટલે તે સંન્યાસી થયા. ૯૯ મા ભાઈ બાહુબલિએ ભરતનું કહેણ સ્વીકાર્યું નહીં અને તેને હરાવ્યું. પરંતુ પછી તે પણ બીજા ભાઈઓને પેઠે સંન્યાસી થયા, એટલે ભરત પૂર્ણ ચકવતી થ. Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ જુદાં જુદાં વિઘ્ના ૧ શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા ઃ ઘણા લેાક આવેશમાં આવી જઈ, પ્રથમથી કશી મુશ્કેલીઓના વિચાર કર્યા વિના, ભિક્ષુજીવન સ્વીકારી એસે છે. પછી, જ્યારે એક પછી એક મુશ્કેલીએ આવતી નય છે, ત્યારે તેઓ હતાશ થઈ જાય છે તથા ઢીલા થઈ બેસી પડે છે. ઘણા ભિક્ષુએ! હેમંતની ટાઢ કે ગ્રીષ્મના તાપ દેખી ગભરાઈ જાય છે; જ્યારે કેટલાક ભિક્ષા માગવા જતાં ખિન્ન થઈ જાય છે. શેરીઓમાં કરડકણા કૂતરા તેમને જોઈ કરડવા દેાડે છે તથા ઘણા અસંસ્કારી લેાકેા તેમને ગમે તેવા શબ્દો સંભળાવી તેમને તિરસ્કાર કરે છે. તેઓ કહે છે કેઃ “કામ કરવું પડે એટલે સાધુ થયા !” વળી ખીજાએ તેમને, ‘નાગડા, ભિખારા, અધમ, મૂડિયા, ખસિયા, ગંદા, કે અપશુકનિયા ' કહીને ગાળેા ભાંડે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં વિદને ૯૩. તે વખતે નબળા મનને ભિક્ષુ ઢીલો થઈ જાય છે. વળી જ્યારે ડાંસમચ્છર કરડે છે, અને ઘાસની અણીઓ ખેંચે છે, ત્યારે તેને પોતાના ભિક્ષુજીવનની સાર્થકતા વિષે જ શંકા આવે છેઃ “કદાચ પરલોક જેવું કાંઈ જ ન હોય અને મરણ એ જ બધાનો અંત હોય તો !” બીજા કેટલાક, વાળ, ટૂંપાવવા પડતા હોવાથી ત્રાસી જાય છે અથવા બ્રહ્મચર્ય પાળી ન શકાવાથી હારી જાય છે. વળી કોઈ વાર ભિક્ષુ ફરતાં ફરતાં સરહદના ભાગમાં જઈ ચડે છે, તે ત્યાંના લોકે તેને જાસુસ કે ગેર સમજી પકડે છે અને મારે છે. તે વખતે, ગુસ્સામાં પતિને છેડી ચાલી નીકળેલી સ્ત્રીની પેઠે તે ઘર યાદ કરે છે ! આ બધાં વિધ્રો અલબત્ત બહુ કઠેર છે તથા દુ:સહ છે, છતાં તેમનાથી ગભરાઈ પાછા ભાગવાને બદલે, ધીરજથી તેમને સહન કરતાં શીખવું જોઈએ. વળી પિતાના નાજુક નેહસંબંધે તેડતાં પણ નવા ભિક્ષને ઓછી મુશ્કેલી નથી પડતી. તેને ભિક્ષા માગવા આવેલો દેખી, સગાંસંબંધીઓ તેને ઘેરી લઈ વિલાપ કરવા માંડે છે કે : “હે તાત ! અમે તને ઉછેરી માટે કર્યો, હવે તું અમારું ભરણપોષણ કર. તેમ કરવાને બદલે તું અમારે ત્યાગ કેમ કરે છે ? વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ કરવું એ તે આચાર છે. તેને ત્યાગ કરવાથી તેને ધર્મ શી રીતે પ્રાપ્ત થશે? તારા વડીલો મીઠી જીભના છે, તારા પુત્રો હજુ બાળક છે, તારી સ્ત્રી પણ જુવાન છે. રખે તે અવળે માર્ગે ચડી જાય ! માટે Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમી હે તાત ! તું ઘેર પાછો ચાલ. તારે હવે કાંઈ કામ નહીં કરવું પડે. અમે બધા તને મદદ કરીશું. તારું દેવું અમે વહેંચી લીધું છે અને વેપારધંધા માટે તારે ફરી પૈસા જોઈતા હશે તે પણ અમે આપીશું. માટે એક વાર તું પાછો ચાલ. પછી તને ન ફાવે તે ભલે પાછો ચાલ્યો જજે. એમ કરવાથી તારા શ્રમણપણને વાંધે નહીં આવે.” આ બધું સાંભળી, સ્નેહીઓના દુસ્તર સ્નેહબંધમાં બંધાયેલો નબળા મનને માણસ ઘર તરફ દેડવા માંડે છે. અને તેનાં સંબંધીઓ પણ, એક વાર તે હાથમાં આવ્યો એટલે તેને ચારે બાજુથી ભેગવિલાસમાં જકડી લઈ, પળ વાર વીલે મૂકતાં નથી. આ ઉપરાંત બીજા પણ ઘણાં પ્રલોભને છે. કોઈ પવિત્ર જીવન ગાળનારા ઉત્તમ સાધુને જોતાં જ રાજાઓ, અમાત્ય તથા બ્રાહ્મણક્ષત્રિયો તેને વીંટળાઈ વળે છે અને સત્કારપૂર્વક તેને પિતાને ત્યાં નિમંત્રણ આપે છે. તેઓ કહે છે, “હે મહર્ષિ ! અમારે આ રથવાહન, સ્ત્રી, અલંકાર, શમ્યા વગેરે સર્વ પદાર્થો આપના જ છે. આપ કૃપા કરી તેમને સ્વીકાર કરો, જેથી અમારું કલ્યાણ થાય. અમારે ત્યાં પધારવાથી આપના વ્રતને ભંગ નહીં થાય. તે ઉપરાંત, હવે આપે ઘણું તપશ્ચર્યા કરી છે. હવે આવા પદાર્થોને સ્વીકાર કરવાથી આપને દોષ નહિ લાગે. ” આવું સાંભળી, પરાણે ભિક્ષુ જીવન ગાળતા તથા તપશ્ચર્યાથી કંટાળેલા નબળા લેકે, ઢળાવ ચડતા ઘરડા બળદની પેઠે, અધવચ બેસી પડે છે અને કામભોગોથી ભાઈ સંસાર તરફ પાછા ફરે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં વિદને વળી કેટલાક ભિક્ષુઓ પહેલેથી જ આતમવિશ્વાસ વિનાના હોય છે. સ્ત્રીઓ વગેરેથી કે ગરમ પાણી પીવા વગેરેના કડક નિયમથી પિોતે કયારે હારી જશે, તેને ભરે એમને નથી હોતો. તેઓ પ્રથમથી જ, તેવો પ્રસંગ આવે ત્યારે આજીવિકામાં વાંધો ન આવે તે માટે, વૈદક, જ્યોતિષ વગેરે ગુજરાનનાં સાધન શોધી રાખે છે. આવા માણસેથી કાંઈ જ થઈ શકતું નથી. કારણ, મુશ્કેલી આવે ત્યારે તેની સામે ઝૂઝવાને બદલે, તેઓ પહેલેથી શોધી રાખેલાં બચાવનાં સાધનોને આશરે લઈ બેસી જાય છે. મુમુક્ષુએ તે પ્રાણ હાથમાં લઈ નિઃશંકતાથી અડગપણે પિતાના માર્ગમાં આગળ વધવું જોઈએ. [૧૭] ભિક્ષુને વળી ભિન્ન ભિન્ન આચારવિચારવાળા પરતીથિકાના આક્ષેપોનો પણ સામનો કરવાનો હોય છે. તે વખતે પોતાના માર્ગમાં દૃઢ નિશ્ચય વિનાને ભિક્ષુ ગભરાઈ જાય છે અથવા શંકિત બની જાય છે. પરતીથિ કે દ્વેષથી તેને ઉતારી પાડવા, તેના આચારવિચાર વિષે ગમે તેવા આક્ષેપ કરે છે. તે વખતે બુદ્ધિશાળી ભિક્ષુએ ગભરાયા વિના, ચિત્તને સ્વસ્થ રાખી, અનેક ગુણેથી યુકત એવી યુકિતસંગત વાણીથી તેમને રદિયો આપો. કેટલાક પરતીર્થિક, જૈન ભિક્ષુઓ સામે એવો આક્ષેપ કરે છે કે, “તમે લેકે પિતાના સંધને કઈ ભિક્ષુ માંદ પડે ત્યારે, તેને માટે ભિક્ષા માગી લાવી તેને ખવરાવે છે. એટલે તમે એકબીજામાં આસક્તિવાળા તથા ૧. બીજા તીર્થ –ધમમાર્ગ–ને અનુસરનાર, પરવાદી. એને સ ધને સાવે છે. એટલે તેને માટે જ Page #113 -------------------------------------------------------------------------- ________________ ક મહાવીરસ્વામીના સચમધમ એકખીજાને પરાધીન છેા.’ તે વખતે તેમને જવાબ આપવેા કે, ‘તમે તેા તેથી પણ ભૂડૂ' કરા છે. કેમકે, તેવે વખતે તમે ગૃહસ્થી પાસે માંદા માણસને ઉદ્દેશીને ભોજન તૈયાર કરાવી મંગાવેા છે અને તેમનાં જ વાસણામાં આરાગા છે ! આમ પેાતાને માટે ખાસ તૈયાર કરેલું' નિષિદ્ધ અન્ન ખાવું સારું કે પોતાના સાથીએ સાથીએ ગૃહરથે પાસેથી વધ્યુટયુ માગી આણેલું નિર્દોષ ભાજન ખાવું સારું ? ’ તેઓને આમ સચેટ દિયા મળે છે, ત્યારે તેએ આગળ ખેાલી શકતા. નથી. પછી તેએ ગાળાગાળી કરવા લાગે છે. પણ ડાહ્યા ભિક્ષુએ સ્વસ્થ રહી, સામેમાં વાદી તપી ન જાય તે રીતે તેને શાંતિથી ચેાગ્ય જવાબ આપવે. [૮-૧૯] ૪ બીજા કેટલાક પતીર્શિકા એવા આક્ષેપ કરે છે કે, “ બીજ ધાન્ય વગેરે ખાવામાં તેમજ ઇંડુ પાણી પીવામાં એવે તે શા વાંધે છે, કે તમે તેમને ત્યાગ કરે છે ? વિદેહને રાજા નિમ તેમજ રામગુપ્ત વગેરે ખીજ-ધાન્યાદિ પદાર્થો ખાતા હે।વા છતાં સિદ્ધિ પામ્યા હતા. તેમજ બાહુક તથા નારાયણ ઋષિ ઠંડું પાણી પીતા હતા અને અસિત, દેવિલ, દ્વૈપાયન અને પારાશર વગેરે તા ર ઠંડુ પાણી, ખીજ ધાન્ય ઉપરાંત લીલેાતરી વગેરેને ઉપયાગ કરતા હતા છતાં મુક્તિ ૧. જૈન આચારમાં ગરમ કરી નિર્જીવ કરેલું તથા બીજાએ પેાતાના ઉપયાગમાં લીધેલું પાણી વાપરવાના જ વિધિ છે; તેમજ ઊગવાની શક્તિ હજી જેમની નાશ નથી પામી તેવાં ધાન્ય વગેરે પદાર્થાનું ભિક્ષાત્ર ગ્રહણ કરવાના નિષેધ છે. સામાન્ય રીતે ત્રણ વર્ષ બાદ ખીજની ઉત્પાદક શક્તિ નાશ પામી જાય છે એમ મનાય છે. ૨. જુઓ પ્રકરણને અ ંતે ટિપ્પણુ નં: ૧. Page #114 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં વિદને પામ્યા હતા. તે પછી એ બધા પદાર્થોને ત્યાગ કરી, તમે શા માટે દુઃખ વેઠો છો?” [૧-૫ તે જ પ્રમાણે બીજા કેટલાક એ આક્ષેપ કરે છે કે, “સુખ વળી દુઃખકર સાધનેથી પ્રાપ્ત થતું હશે ? તો પછી તમે લોકો આત્યંતિક સુખની પ્રાપ્તિ માટે આવાં દુઃખકર કઠેર સાધને શા માટે આચરે છે ? આ તે તમારે કેવોક અવળા માર્ગ છે?” [૬-૭] તેમના જેવા જ બીજા વળી કહે છે, “સ્ત્રીઓ સાથે કામગ ભેગવવામાં શો દોષ છે કે તમે તેને ત્યાગ કરે છો ? તેમાં કોઈને પીડા નથી થતી કે કાંઈ પાપ ચોટતું નથી; પણ બેઉને શાંતિ થાય છે.” [૮–૧૨] પરંતુ મહાકામી નાસ્તિક પુરુષોના આવા શબ્દો સાંભળી, ડાહ્યા ભિક્ષુએ ડામાડોળ થઈ જઈ પોતાના સાધનમાર્ગ વિષે અશ્રદ્ધાળુ ન બની જવું. જગતમાં વિવિધ માન્યતાવાળા તથા વિવિધ આચારવાળા પુરુષો પિતાને શ્રમણ કહેવડાવતા ફરે છે. તેમના આવા લોભાવનારા કે આક્ષેપ કરનારા શબ્દો સાંભળીને ગૂંચવાઈ ન જવું. માત્ર વર્તમાન સુખમાં જ રાચતા તે મૂર્ખ લેકે જાણતા નથી કે, આયુષ્ય અને જુવાની તે ક્ષણભંગુર છે. અંતકાળે તે લેકે જરૂર પસ્તાય છે. માટે બુદ્ધિશાળી પુરુષે તે, વખત છે ત્યાં સુધી, પ્રબળ પુરુષાર્થથી વૈતરણ જેવા એ દુસ્તર કામભોગોમાંથી નીકળી જઈ સંત પુરુષોએ ઉપદેશેલા માર્ગ અનુસાર સંસારપ્રવાહથી મુક્ત થવાનો પ્રયત્ન કરો. જેઓ કામભોગને તથા પૂજન સત્કારની કામનાને ત્યાગ કરી શકયા છે, તેઓ જ Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમ ધર્મ આ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શક્યા છે, એ યાદ રાખવુ. [૧૩–૧૭) આવાં આવાં આંતર બાહ્ય અનેક વિ અને પ્રલોભને મુમુક્ષુના માર્ગમાં આવી પડે છે. તે બધાને પ્રથમથી સમજી લેનાર ભિક્ષુ, તે બધાં અચાનક આવી પડે ત્યારે ગભરાતો નથી. બાકી, ઘણા કાચા ભિક્ષુઓ, એ બધાં વિને દેખ્યાં નથી હતાં ત્યાં સુધી, પિતાને મહા શૂર માન્યા કરે છે, પણ પછી, પ્રથમ વિશ્ન જ બેસી પડે છે, – કૃષ્ણને જોયા નહોતા ત્યાં સુધી શિશુપાળ પિતાની બહાદુરીને ગર્વ કરતો હતો તેમ. પરંતુ જેઓ આ બધાં વિદનેને પ્રથમથી જાણી લઈ પ્રસંગ આવ્યે તેમની સામે પ્રાણાંત સુધી મૂકે છે, તેઓ જ પરાક્રમી નાવિકેની પેઠે આ સંસારરૂપી દુસ્તર સમુદ્રને અંતે તરી જાય છે. [૧૮] આટલું કહી શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #116 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં વિદને ટિપ્પણ ટિ૫ણ નં. ૧ : નમિ રાજા અને ઇંદ્રને સંવાદ ઉતરાવ્યયનસૂત્ર અ. ૯ માં આવે છે. ત્યાં નમિને રાજર્ષિ કહેલા છે; તથા વિદેહ દેશના રાજા હેવાથી તે વૈદેહી પણ કહેવાય છે, એમ ટીકાકારે ત્યાં જણાવ્યું છે. દમાં નમિ ઋષિને ઇંદ્ર સહાય કર્યાનો ઉલ્લેખ છે. (મંડળ ૬. સૂ. ૨૦, સં. ૬). મહાભારતમાં અનુશાસન પર્વને ૧૪ મા અધ્યાયમાં “નિમિ” નામના “તપેધનને ઉલ્લેખ છે. ભાગવત ૯૧૩માં ઇફવાકુવંશીય નિમિ'નું વૃત્તાંત છે. તેને ત્યાં વિદેહ, જનક, અને મિથિલ પણ કહ્યો છે. રામગુપ્તને ટીકાકાર રાજર્ષિ કહે છે. જેકોબી તે રામ હેવાનો તર્ક કરે છે. બાહુકનો ઉલ્લેખ મહાભારત (વન. ૭૩) માં નળના બીજા નામ તરીકે આવે છે. નારાયણને ટીકાકાર મહર્ષિ કહે છે. વિક્રમોર્વશીયમાં તેમનો ઉલ્લેખ છે. અસિત અને દેવલ એ બે નામો મહાભારતમાં તથા ગીતામાં એક સાથે આવે છે. ( આદિ. ૫૩-૮; સભા. ૪–૧૬; ૧૧-૨૪; શાંતિ. ૨૬-૫૨૮૧-૧; ગીતા અ. ૧૦-૧૩.) દેવલ સ્મૃતિમાં મહર્ષિ તરીકે તેમનું એકલાનું નામ પણ આવે છે. અસિત દેવલ એ એક જ નામ હોય એ સંભવ છે. વ્યાસમુનિનું બીજું પ્રસિદ્ધ નામ તે દ્વૈપાયન. મહાભારત આદિ. ૬૪માં તેમની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પારાશરની હકીકત મહાભારત આદિ. ૧૯૪માં વિગતવાર આવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ થું સીપ્રસંગે શ્રીસુધર્મસ્વામી આગળ કહેવા લાગ્યા : માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામભોગોનો ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાનો સંકલ્પ કરનાર ભિક્ષુને, ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારીનરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે, પ્રમાદથી અથવા તે પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગ વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે. કારણ, ઘણું દુશ્ચરિત્ર સ્ત્રીઓ તે વખતે જુવાન સુંદર ભિક્ષને લેભાવવા અનેક પ્રયત્ન કરે છે. તેઓ ગમે તે મિષે તેની લગોલગ આવીને બેસે છે તથા પિતાનાં સુંદર વસ્ત્રો તેમજ અંગપ્રત્યંગ તરફ તેનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. [૧-૩] તેઓ સુંદર વસ્ત્રાલંકારથી Page #118 -------------------------------------------------------------------------- ________________ સીપ્રસ ગ સજ્જ થઈ, તેની પાસે આવીને કહે છે, હું ભિક્ષુ ! હું સંસારથી વિરત થઈ ગઈ છું, માટે મને ધર્મોપદેશ આપે. [૨૫] ત્યારબાદ, સુતાર જેમ રથના પૈડાને ધીમે ધીમે ગેાળ બનાવે છે, તેમ તે સ્ત્રીએ, તે જાણે નહીં તેવી રીતે, તેને લેાભાવતી જાય છે. પછી, પાશમાં બંધાયેલા મૃગની પેઠે, તે ગમે તેટલા પ્રયત્ન કરે પણ તેમનામાંથી છૂટી શકતા નથી. [૯] પરિણામે, અગ્નિ પાસે મૂકેલા લાખના ઘડા જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પેાતાનાં સમાધિ યાગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. [૧૬-૨૬] વિષમિશ્રિત દૂધ પીનારની જેમ અંતે તે ભિક્ષુ ઘણા પસ્તાય છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીએ સાથેના પ્રસ`ગના ત્યાગ કરવા. ભલે તે પુત્રી હાય, પુત્રવધૂ હાય, પ્રૌઢા હાય કે નાની કુમારી હાય, તાપણુ તેણે તેને સંસ` ન કરવા. તથા કાઈ પણ્ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના એરડાઓમાં કે ઘરામાં એકલા ન જવું. [૯-૧૩] કારણ, સંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષા પણ સ્ત્રીઓને સંસગ રાખવાથી થાડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કાટીના બની જાય છે. [૧૨, ૨૦] પછી તા હાથપગ કાપા, ચામડી અને માંસ ઉતરડી નાખા, જીવતા અગ્નિમાં શેકા, શરીર છેદી છેદીને ઉપર તેજાબ છાંટા, કાન અને નાક કાપી નાખા, કે ડાકુ ઉડાવી દે, પણ તેઓ તેમને સંગ છેાડી શકતા નથી. તેએ પરસ્ત્રીસંગ કરનારને થતી બધી સજાએ સાંભળવા છતાં, તથા કામ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર મહાવીર સ્વામીને સંયમધમી શાસ્ત્રોમાં કુટિલ સ્ત્રીઓના હાવભાવ, તથા તેમનું માયાવીપણું જાણવા છતાં, અને હવેથી નહીં કરીએ એવા સંકલ્પ કરવા છતાં, એ અપકર્મ કર્યા જ કરે છે. [૨૧-૨૪] તેવા ભિક્ષુ બહારથી તો સદાચરણની અને મેક્ષમાર્ગની વાતે બમણા જોરથી કર્યા કરે છે. કારણ, દુરાચરણીનું જોર જીભમાં હોય છે ! છતાં, તેમનું સાચું સ્વરૂપ અંતે પ્રગટ થયા વિના રહેતું નથી. તે વખતે તે સાચી વાત કબૂલ કરવાને બદલે ઊલટા પિતાની નિર્દોષતાનાં બણગાં ફૂંકે છે, અને “એવું મહીન કર્મ તે હું કરું ?” એમ કહી, ઉપરથી ગલને બતાવે છે. કોઈ વાર ઉઘાડે છોક પકડાઈ જાય, તે તે કહે છે, “હું કાંઈ પાપ નહોતો કરતો, તે તે માત્ર મારા ખોળામાં સૂઈ રહી હતી!” આમ એ મૂર્ખ માણસ આબરૂ સાચવવા જૂઠું બેલી, બેવડું પાપ કરે છે. માટે પ્રથમથી જ સ્ત્રીઓના નિકટ પ્રસંગમાં આવવું નહીં, એ પ્રથમ બુદ્ધિલક્ષણ છે. [૧૭–૧૯, ૨૮-૨૯]. એક વાર તેવા પ્રસંગમાં આવી, કઈ સ્ત્રીના પ્રેમમાં પડન્યા પછી તેવા ભોગેચ્છ ભિક્ષુઓની શી દશા થાય છે તેના નમૂના તરીકે, ભિલુના ગૃહસંસારનું વર્ણન હું કહું છું તે તમે સાંભળો. અને એ બધું કંઈ કલ્પિત નથી પણ સ્ત્રીઓમાં ફસાયેલા ઘણા ભિક્ષુઓએ ખરેખર કરેલું છે ! જ્યાં સુધી ભિક્ષુ પિતાના વશમાં આવ્યા નથી હોતા, ત્યાં સુધી તે સ્ત્રી તેને અત્યંત સ્નેહ દર્શાવતી કહે છે, હે ભિક્ષુ, હું તમારી પ્રિયતમા હોવા છતાં, હું સંસારી હોવાને કારણે જ તમે મારી સાથે સહવાસ ન કરી શકતા હો, તો Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીપ્રસંગ ૧૦૩ હું મારા કેશ ટૂંપાવી નાખી સાધ્વી બનવા તૈયાર છું. પરંતુ મને મૂકીને ક્યાંય ચાલ્યા ન જશો. પણ પછી, જ્યારે તે ભિક્ષુ બરાબર પિતાને વશ થાય છે, ત્યારે તે સ્ત્રી તેને તિરસ્કાર કરવા માંડે છે. તથા પિતાનાં સારાનરસાં બધાં કામ તેની પાસે કરાવવા લાગે છે. તેને નવું ભિક્ષાન્ન ભાવે નહીં, એટલે તે શાક રાંધવા તપેલી, શાક, તથા બળતણની વ્યવસ્થા કરવાનું તેને કહે છે. પિતાનાં એંઠાં વાસણ પણ તેની પાસે જ મંજાવરાવે છે તથા પગચંપી પણ કરાવે છે. તેને માટે ગંધ, રજોયણું વગેરે પદાર્થો, અન્નવસ્ત્ર તથા (વાળ ટૂંપાવવાનું સહન ન થતું હોવાથી) હજામની જોગવાઈ પણ તેને જ કરવી પડે છે. [૧૬] આ તે સાધ્વી બનેલી સ્ત્રી સાથેના ગૃહસંસારની વાત થઈ. પણ જે તે ભિક્ષુ ગૃહસ્થી સ્ત્રી સાથે જ બંધાઈ જાય છે, તે તે પછી તેને માટે લાવવાની વસ્તુઓને પાર નથી રહે. સવારમાં જ દાંત સાફ કરવાનું મંજન, નાહવા માટે લોધચૂર્ણ તથા આમળાં, મેએ ઘસવાનું તેલ, ઠે લગાડવાનું નંદીચૂર્ણ, અંબેડે પહેરવા લેધકુસુમ, નાકના વાળ ટૂંપવાનો ચીપિય, વાળ ઓળવાને કાંસકે, વેણું બાંધવાની ઊનની દોરી, તિલક કરવાની અંજનની સળી તથા કંકુ, અને કાજળ; પછી પહેરવાનાં વસ્ત્રો અને આભૂષણ; ત્યાર બાદ ખાવાપીવાની તથા તેનાં સાધનાની જોગવાઈ : ઘડે, તપેલી, શાકપાન, અનાજ, સૂપડું, ખાંડણિયો વગેરે; અને ખાધા બાદ જોઈતાં સેપારી તથા તંબળ. તે ઉપરાંત છત્રી, મેજડિયે, સીવવાના સોયદેરા, કપડાં ધોવા માટે કુંડી તથા ખાર અને કપડાંનો રંગ ઝાંખો થાય એટલે તેમને અવારનવાર રંગાવવાની વ્યવસ્થા પણ કરવાની. સંગીત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ માટે વીણા વગેરે વાઘ તથા વર્ષાકાળ આવે ત્યારે ઘર, અનાજ, નવી દોરીઓવાળો ખાટલે તથા કાદવમાં પગ ન પડે માટે પહેરવાની પાવડિયો વગેરે પણ ખરાં જ ! [૭-૧૫] એમ કરતાં કરતાં તે ગર્ભિણી થાય, એટલે તો તેના દેહને પાર ન રહે. તે બધા પણ તેણે નાકે દમ આવે તેય પૂરા કરવાના. પછી જ્યારે દંપતીજીવનના ફળરૂપ પુત્ર ઉત્પન્ન થાય, ત્યારે તો તે ભિક્ષુમાં અને ભાર વહેનાર ઊંટમાં કશે તફાવત જ રહેતો નથી. તેની સ્ત્રી વારંવાર તેને તિરસ્કાર કરી, છોકરાને રમાડવાનું તથા સંભાળવાનું કહ્યા કરે છે, તથા કોઈ વાર ગુસ્સે થઈ તેને ફેંકી દેવાનું પણ કહે છે. રાત્રે પણ તેને ઊંઘમાંથી ઊઠીને પુત્રને હાલરડાં ગાઈ ઊંઘાડવો પડે છે; અને શરમ આવતી હોય છતાં, સ્ત્રીને ખુશ કરવા, તેનાં કપડાં ધોવાં પડે છે. [૧૫-૧૭ આમ, ભેગોને માટે સ્ત્રીઓને વશ બનેલા ઘણા ભિક્ષુઓએ કરેલું છે. માટે ડાહ્યા પુરુષ સ્ત્રીઓની શરૂઆતની લેભાવનારી વિનંતિઓ તરફ લક્ષ આપી, તેમને પરિચય કે સહવાસ ન વધારવો. સ્ત્રી સાથેના કામભાગે એ હિંસાપરિગ્રહાદિ સર્વ મહાપાપનાં કારણ છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. એ ભોગો ભયરૂપ છે અને કલ્યાણુથી વિમુખ કરનારા છે. માટે, નિર્મળ ચિત્તવાળા બુદ્ધિમાન ભિક્ષુએ તે આત્મા સિવાયના સર્વ પર પદાર્થોની કામનાનો ત્યાગ કરી, મન વચન અને કાયાથી સર્વ સ્પર્શે સહન કરતા કરતા, મેક્ષ પામતા સુધી, વીરભગવાને બનાવેલા માર્ગને અનુસરવું. [૧૮-૨૨] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ પાપનું ફળ મેં સુધર્માએ એક વાર મહર્ષિ કેવલી મહાવીરને પૂછ્યું હતું: “હે મુનિ ! અજ્ઞાનીઓની નરકમાં શી દશા થાય છે ? ત્યાં કેવા પ્રકારનાં દુઃખ હોય છે? હું એ જાણતા નથી, તો તે મને કહો.” [૧] એટલે તીવ્રબુદ્ધિ કાશ્યપે જવાબ આપે, “સાંભળ, દુષ્કર્મીએ દીન બનીને કેવાં અપાર દુઃખે ભગવે છે, તે હું કહું છું. પોતાના જીવને અર્થે પાપકર્મો કરનારા મંદબુદ્ધિ દૂર લેકે; પિતાના સુખને કારણે પ્રાણુઓની છડેચોક હિંસા કરનારા; તેમને વિવિધ રીતે રિબાવનારા; ચેરી કરનારા; જરા પણ સંયમધર્મ નહિ રાખનારા ને ધૃષ્ટતાપૂર્વક નિરંતર પ્રાણુ વધ કર્યો જનારા; -- આવા આવા દુષ્કર્મી અજ્ઞાની લેકે નરકગામી બને છે. [૨-૫] હિંસા ન પણ ગણવા અગામી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ “ ત્યાંના નરક-દે “મારે, કાપે, ચરે, બાળા ” એવી ગર્જનાઓ કરતા હોય છે. બિચારા નરકગામીઓ, આ સાંભળતાં ભયથી બેબાકળા બની, કયાંક નાસવા ચાહે છે; પણ તેમને માય મળતો નથી, અને અવશ બની ત્યાંના તાપથી દાઝતા ને ચીસો પાડતા, ત્યાં જ લાંબા કાળ સુધી બળ્યા કરે છે. [૬–૭] હે વત્સ! અસહ્ય દુઃખકારક એવી નરકની વૈતરણું નદી વિષે તે સાંભળ્યું છે? અન્નાની ધાર જેવા કારી નીરવાળી એ નદી પાર કરવા આ નરકગામીઓને ત્યાંના દૂતો ભાલા ને બાણે ભેંકી ભોંકીને ધકેલે છે; અને ક્યાંક રાહત મેળવવા વચ્ચે ભે, તે તેમને શૂળ ને ત્રિશૂળથી પાછા ગેદાવે છે. [૮–૯] અને આ વૈતરણી જેવાં દુ:ખદરિયાનાં તે અનેક સ્થાને ત્યાં પડેલાં છે. દુગન્ધ, તાપ, અગ્નિ, અંધકાર અને અનેકવિધ શસ્ત્રાને માર – આવાં નર્યા રિબાવવાનાં જ સાધનથી ભરપૂર એવાં એ સ્થાને માં આ જીવોને રિબાવ્યા જ કરવામાં આવે છે. કેઈ નગરની કતલ ચાલતી હોય તેમ, ત્યાંથી સતત અતિશય દુઃખી ચીસ સંભળાયા જ કરે છે. નરક–દેવ પાપીઓને તેમનાં કર્યાં પાપ યાદ દઈ દઈને માર્યો જાય છે. અને બિચારા જીવોને એ માર અને એ ત્રાસસામગ્રીમાં નિરંતર જાતે ને એકલા જ સડવું પડે છે; કોઈ તેમને ત્યાં બચાવી પણ શકતું નથી. અનેક પાપે એકઠાં ૧. મૂળમાં આ દેવો માટે પરમ અધાર્મિક, અસાધુકર્મ, રકમ, વગેરે શબ્દો છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પાપનું ફળ કરનારા એ અનાર્યોને, પિતાની બધી ઈષ્ટ અને પ્રિય વસ્તુઓથી વિખૂટા પડી, આવાં અત્યંત દુર્ગધયુક્ત, ભીડથી સબડતાં, ચીતરી ચડે એવાં ને માંસપરુથી અસહ્ય એવાં નરકસ્થાનમાં લાંબો કાળ કાઢવો પડે છે. અને પૂર્વના વૈરી હેય એમ, પિલા નરક-દે ક્રોધ કરી કરીને એમનાં શરીર પર શસ્ત્રાસ્ત્રનો મારો ચલાવ્યે જાય છે. હે આયુષ્યમાન ! એવું વિકરાળ ત્રાસસ્થાન આ નરક છે. પૂર્વે જેવું કર્યું હોય, તેવું પરલોકમાં સાથે આવે છે. પાપીઓને ભાગ આવાં નરકમાં સડવાનું હોય છે. હે આયુષ્માન ! બુદ્ધિમાન મનુષ્ય આ જાણીન, સમસ્ત વિશ્વમાં કોઈની હિંસા નહિ કરે; પણ સંસારને વશ ન થતાં, સર્વ પ્રકારે પરિગ્રહબુદ્ધિ છેડીને, સાચા સિદ્ધાંતનું શરણ લઈ, પરમ બોધને પામશે. પશુ, પક્ષી, દેવ, મનુષ્ય બધાં આ કર્મફળના ચક્રમાં રહેલાં છે, એ જાણીને, મતિમાન મનુષ્ય, મરણ પર્યત સંયમધર્મ આચરવાનો બોધ લેવો.” આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬ હું ભગવાન મહાવીર ભગવાન મહાવીર વિષે વધુ જાણવાના પ્રસંગ જોઈ જંબુસ્વામી પૂછવા લાગ્યા : હે ભગવન્ ! અસંખ્ય જીવાને હિતકર એવા ધમ ઉપદેશનાર મહાવીરસ્વામીએ કાણુ હતા તથા કેવા હતા તે જાણવાની મારી પેઠે બીજા ઘણાએાને ઇચ્છા છે. માટે તમે જે રીતે સાંભળ્યું હોય કે જાણ્યું હોય, તે પ્રમાણે અમને કહી સંભળાવા શ્રીસુધ સ્વામી કહેવા લાગ્યા : તે મહાપુરુષ સર્વોદેશી હતા, કેવળજ્ઞાની હતા, કાંઈ પણ દૂષણ વિનાના હતા, ધૃતિમાન તથા સ્થિર ચિત્તવાળા હતા. તે બધી ગ્રંથીઓને પાર કરી ગયેલા હાઈ, તેમને હવે ફરી જન્મ નથી. તે ધરબારના ત્યાગ ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ્ નં. ૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૦૯ કરનારા સન્યાસી તથા સૂર્યની પેઠે અનુત્તમ તપ કરનારા તપસ્વી હતા. [૧-૬] પ્રજ્ઞાનમાં તે અક્ષય સાગર જેવા હતા; અગાધતા અને સ્વચ્છતામાં મહાસાગર જેવા હતા; તેજમાં દેવાધિપતિ ઈંદ્ર જેવા હતા, તથા સહન કરવામાં પૃથ્વી જેવા હતા. તે અનુભવી હતા; કુશળ હતા; તીવ્ર બુદ્ધિમાન હતા; ક્રોધ, માન, માયા અને લાભ વગેરે દાષાથી રહિત હતા; મુક્ત હતા; પરિપૂર્ણ પરાક્રમી હતા; તથા પર્વ તેમાં ઉત્તમ સુદČન ( મેરુ )ની જેમ, તથા આનંદના ધામરૂપ દેવભૂમિની જેમ, અનેક ગુણીયુક્ત હતા. [૭–૧૪] લંબાઈવાળા પવ તામાં નિષધ પર્વતની પેઠે,ર ઘેરાવવાળા પ તામાં રુચકની પેઠે, વૃક્ષોમાં સુપ દેવાના ક્રીડાસ્થાન શામતિ વૃક્ષની પેઠે, વર્તામાં નંદનવનની પેઠે, શબ્દોમાં મેઘગર્જનાની પેઠે, તારાઓમાં ચંદ્રની પેઠે, સુગંધી પદાર્થાંમાં ચંદનની પેઠે, સાગરામાં સ્વયંભૂરમણુ મહાસાગરની પેઠે, નાગામાં ધરણેન્દ્રની પેઠે, રસામાં શેરડીના રસની પેઠે, હાથીઓમાં ઐરાવતની પેઠે, જાનવામાં સિંહની પેઠે, નદીમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડની પેઠે,૪ ચાદ્દાઓમાં કૃષ્ણનીપ પેઠે, પુષ્પામાં. કમળની પેઠે, ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ ન. ૨ ૧ – ૩. નિષધ અને રુચક્ર એ મને જ બુદ્ધીપની પાર આવેલા મનાતા પૌરાણિક પતા છે, ૪. મૂળમાં છે જેના (!) 2 — . ગરુડ વેણુદેવ છે. વેણુ એટલે વિષ્ણુ દેવ જેકાખી. ૫. મૂળમાં : ‘ વિશ્વક્સેન, ’ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ક્ષત્રિયોમાં દંતવક્રની પેઠે, દાનોમાં અભયદાનની પેઠે, સત્ય વચનામાં પારકાને પીડા ન ઉપજાવનાર વચનની પેઠે, તપમાં બ્રહ્મચર્યની પેઠે, વધુ જીવનારાઓમાં લવસતમ દેવોની પેઠે. સભાઓમાં સુધર્માની ૩ સભાની પેઠે, તથા સર્વ ધર્મોમાં નિર્વાણની પેઠે, તે જ્ઞાતપુત્ર મહામુનિ મહાવીર સર્વ મુનિઓમાં તથા સર્વ મનુષ્યોમાં જ્ઞાન, શીલ અને તપની બાબતમાં સર્વોત્તમ હતા. [૧૫,૧૮-૨૪] આ લોક તથા પરલોકના સર્વ કામગોનો ત્યાગ કરી, દુઃખક્ષય કરવાના હેતુથી તેમણે અતિ દુષ્કર તપ આચર્યું હતું; અને સ્ત્રીભગ, રાત્રોજન તથા તમામ ભોગ પદાર્થોનો હમેશાં ત્યાગ કર્યો હતો. પછી સર્વોત્તમ શુકલ ધ્યાન પ્રાપ્ત કરી, તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેમના સમયમાં પ્રચલિત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વૈનયિક અને અજ્ઞાનવાદીઓને સર્વ વિરોધી વાદે જાણવા છતાં, તેમણે જીવનપર્યત પિતાને યોગ્ય લાગતે સંયમધર્મ આચર્યો હતો. તથા સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણુને, લેકે ના કલ્યાણ અર્થે હિતકર એ તે ધર્મ, દીપકની પેઠે પ્રગટ કર્યો હતો. તેજસ્વી અગ્નિની જેમ તે ધર્મ સર્વ કર્મોને નાશ કરનાર છે. [૧૫–૧૯; ૨૬-૨૮] ૧. મહાભારત, સભાપર્વ, અ. ૩૨. લે. ૩ માં એમનું વર્ણન છે. ૨. “લવ” એટલે મુહૂર્તને ૧૭ મે ભાગ. આ દેવ વિષે એમ કહેવાય છે કે, તેઓ માત્ર સાત લવ વધારે છે તે સિદ્ધ થઈ જાય. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૧૨ શુદ્ધ યુક્તિથી સંસ્થાપિત તે ધર્મને તમે પણ શ્રદ્દાપૂર્વક તથા પ્રમાદરહિતપણે અનુસરે. તે ધર્મને ખરાબર સમજી શ્રદ્ધાપૂર્વક અનુસરનારા, કાંતે સ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અથવા દેવાના અધિપતિ ઇંદ્ર જેવું ઉત્તમ પદ પામે છે. [૨૯] ટિપ્પણા મતિ, શ્રુત, જ્ઞાનેન્દ્રિયા ટિપ્પણુ ન॰ ૧: જ્ઞાન પાંચ પ્રકારનાં છે : અવિધ, મન:પર્યાંવ અને કેવલ. મતિજ્ઞાન એટલે પાંચ અને મન વડે થતું જ્ઞાન. શ્રુતજ્ઞાન એટલે શાસ્ર કે આ વચન સાંભળવાથી થતું જ્ઞાન. અવધિજ્ઞાન એટલે ઇંદ્રિયા કે મનની સહાય વિના જ, આત્માની યાગ્યતાના બળથી થતું સમગ્ર લાકનાં રૂપી, મૂર્ત દ્રબ્યાનું જ્ઞાન. મન:પર્યવજ્ઞાન એટલે સામા માણસના મનનાં ચિંતનાનું જ્ઞાન. કેવળજ્ઞાન એટલે સ વસ્તુ અને ભાવાનું સપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન. પ્રથમનાં ચાર જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હેય તા પણુ, ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપ હોવાથી, એક પણ વસ્તુના સમગ્ર ભાવે જાવાને અસમર્થ છે. કેવળજ્ઞાન ચેતનાશક્તિના સપૂર્ણ વિકાસ વખતે, સવ આવરણ દૂર થયા બાદ પ્રગટે છે. ટિપ્પણું ન. ૨૨ જૈન માન્યતામાં મેનુ વર્ણ ન માટે ભાગે હિંદુ માન્યતા જેવું છે. તે એક લાખ યાજન ઊંચા છે, જેમાંથી હજાર ચાજન જમીનની અંદર છે, તેને પૃથ્વી, સેાનું અને વૈય એ ત્રણના ત્રણ કાંડ – મજલા છે, તેના ઉપર ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એમ ચાર વન છે. તેના રંગસાનાને છે; તેની આસપાસ સૂર્વી ફરે છે; અને તેના ઉપર મહેન્દ્રો આન ક્રીડા કરે છે. ટિપ્પણુ નં.૩: દેવાની ચાર જાતિ છે. (૧) અસુરકુમાર, નાગકુમાર, સુપ કુમાર વગેરે ૧૦ પ્રકારના દેવા ભવનપતિ કહેવાય છે. (ર) કિન્નર, ગાંધવ, યક્ષ, ભૂત, પિશાચ વગેરે આઠ પ્રકારના દેવે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ વ્યંતર કહેવાય છે. (૩) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ પાંચ પ્રકારના દેવ જ્યોતિષ્ક કહેવાય છે. (૪) વૈમાનિક દેના બે પ્રકાર છે : ૧. કલ્પમાં રહેનારા અને ૨. કલ્પાતીત. સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેન્દ્ર એમ કલ્પના બાર વિભાગ છે. એ બાર કલ્પની ઉપર કલ્પાતીત દેનાં નવ રૈવેયક અને (વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનો છે. તેમની ઉપર મુક્ત જીવોનું સિદ્ધક્ષેત્ર જ છે. ક ૨૪માં જે લવસત્તમ દેવાની વાત છે, તે પાંચ અનુત્તર (કે અનુત્તરમાંથી પાંચમા) વિમાનમાં રહેનારા દેવની વાત છે. તેમનું આયુષ્ય સંસારી જીવોમાં સૌથી વધારે (૩૩ સાગરોપમ વર્ષ) છે. એ જ શ્લોકમાં સુધર્માની સભાની વાત છે. તે કલ્પપપન્ન વૈમાનિકેમાંના પહેલા સ્વર્ગ સૌધર્મકલ્પના શક નામના ઇદ્રની સભાની વાત છે. ટિપ્પણ ન૪: આર્ત, રૌદ્ર, ધર્મ અને સુલ એવા યાનના ચાર ભેદ છે. તેમાંથી પ્રથમ બે સંસારનાં કારણ હોઈ હે છે. અપ્રિય વસ્તુ કે દુ:ખના વિગ માટે તથા પ્રિય વસ્તુને પ્રાપ્ત કરવા માટે સતત ચિંતા કર્યા કરવી તે આર્તધ્યાન, અને હિંસા, અસત્ય, ચેરી અને વિષયરક્ષણ ઇ. માટે સતત્ ચિંતા તે રૌદ્રધ્યાન. જ્ઞાનીઓએ શી આજ્ઞા કરી છે, દોષ કયા છે, તેમાંથી કેમ છુટાય વગેરે ધાર્મિક બાબતોને વિચાર કરવામાં મનોગ આપો તે ધર્મધ્યાન. શુક્લધ્યાન એ વધુ સૂક્ષ્મ છે : આખા જગતના ભિન્ન ભિન્ન વિષયોમાં અસ્થિરપણે ભટક્તા મનને કોઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે, અને પછી એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન પણ તદ્દન શાંત-નિખૂકંપ થઈ જાય, અને શરીરની શ્વાસોચ્છાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જઈ, આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રગટે, તે વખતે સર્વ આસો, અને બંધનો નિષેધ થઈ, સર્વ કર્મો ક્ષીણ થાય છે અને જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી, સર્વજ્ઞપણું પ્રગટે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મું અધર્મીઓનું વર્ણન શ્રી સુધર્મસ્વામી કહેવા લાગ્યા : કેટલાક લેકે ગૃહસંસારનો ત્યાગ કરી, સંન્યાસી થઈ અગ્નિ સળગાવ્યા કરે છે અને માને છે કે, તે (યજ્ઞાદિકથી કે ધૂણી તાપ્યા કરવા)થી મેક્ષ મળશે. પરંતુ તેથી તે તેઓ અને કરીને માત્ર ભયંકર હિંસા જ રળે છે. એમને ભાન નથી કે, અંડજ, જરાયુજ, સ્વેદજ અને રસજ વગેરે જંગમ પ્રાણની પેઠે પૃથ્વી, પાણું, અગ્નિ અને વાયુ તથા તૃણ, વૃક્ષ અને બીજ વગેરેમાં પણ સ્વતંત્ર જીવો છે. એટલે, અગ્નિ સળગાવતાં અશ્ચિના, પૃથ્વીના, તથા બીજા આજુબાજુ ઊડતા ધાણું જ નાશ પામે છે. છાણ વગેરેમાં તથા લાકડાંમાં રહેતા જીવો પણ અગ્નિ સળગાવતાં નાશ પામે છે. આમ, તે મૂઢ મનુએ પોતાના સુખ ખાતર, અનેક જીવને નાશ કરી, પાપકર્મ બાંધી, મુક્ત થવાને બદલે સંસારને જ ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧. Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પામે છે; અને જુદી જુદી યોનિઓમાં સ્થાવર કે જંગમરૂપે જન્મી, પિતાનાં દુષ્કર્મોનું ફળ ભોગવતાં, (પોતે જે રીતે અન્ય જીવોને નાશ કર્યો હોય તે રીતે, કે બીજી રીતે) વિનાશ પામ્યા કરે છે. [૧-૮] વળી તે લેકેની મૂઢતાને પણ શું કહેવું? સવારસાંજ અગ્નિ સળગાવવાથી કે ધૂણી તાપવાથી જે મેક્ષ મળતું હેય, તે લુહાર વગેરેને તે પાકા સિદ્ધ કહેવા જોઈએ ! [૧૮] વળી કેટલાક મૂઢ લેકે એમ કહે કે છે કે, મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તે લકે મીઠું તે છોડે છે; પણ મધ, માંસ અને લસણ તે આરોગ્યા જ કરે છે ! જેમની બુદ્ધિ આમ છેક મંદ બની ગઈ છે, તેવા તે લેકે મેક્ષને બદલે તેથી ઊલટી જ ગતિ પિતાને માટે તૈયાર કરે છે. [૧૨-૧૩] વળી બીજા કેટલાક એમ માને છે કે, ઠંડા પાણીથી (સવારસાંજ નાહવાધોવાથી) મોક્ષ પ્રાપ્ત થાય છે. સવારસાંજ પાણીમાં નાહ્યા કરવાથી જે મોક્ષ પ્રાપ્ત થતું હોય, તો પાણુમાં રહેનાર માછલાં વગેરે જળચર પ્રાણીઓને તો મોક્ષ તરત જ પ્રાપ્ત થઈ જાય ! પાણીથી જે પાપકર્મો જોવાઈ જતાં હોય, તો પુણ્યકર્મો પણ સાથે ધેવાઈ ન જાય વાર! આમ એ લોકેના સિદ્ધાંતે વગર વિચાર્યું ઉપજાવેલા છે. તે પ્રમાણે સિદ્ધિ મળે જ નહિ; ઊલટું તે અજ્ઞાનીઓ વિવિધ પ્રકારે અગ્નિ, પાણી વગેરે જીવોની હિંસા કરીને, સંસારને જ પામ્યા કરે છે. પોતાના સુખને ખાતર બીજાની હિંસા કરનારે મુકત ક્યાંથી થાય? માટે બુદ્ધિમાન મનુષ્ય તે ૧. મૂળઃ આહારસંપન્જનન – “આહારમાં રસ (સંપત્તિ) લાવનાર Page #132 -------------------------------------------------------------------------- ________________ અધર્મીઓનું વર્ણન સ્થાવરજંગમ સર્વ પ્રાણુઓની હિંસાથી સર્વ પ્રકારે વિરત થવું તથા બીજાં પણ વિવિધ પાપકર્મોથી પોતાના આત્માનું રક્ષણ કરવું. કારણ, દરેક પાપ કરનારાને અંતે રડવું પડે છે તથા રિબાવું પડે છે. [૧૪-૨૦] આ તે વિધર્મી લોકોની વાત પણ થઈ, પરંતુ સદ્ધર્મ રૂપી માર્ગ પામેલા જૈન ભિક્ષુઓમાંના પણ કેટલાક, અમુક બાહ્ય આચારનું પાલન કરી, પછી બીજી રીતે અનાચાર કરે છે. તેઓ પણ અધર્મીઓ જ છે. જેમકે, કેટલાક ભિક્ષુઓ કંદ, બીજ વગેરે સજીવ આહારને ત્યાગ કરે છે, તથા જીવ વિનાનું તથા બીજાએ પોતાના ઉપયોગ માટે તૈયાર કરેલું નિર્દોષ અન્નપાણું પ્રાપ્ત કરવાને વ્યવહાર પાળે છે; પરંતુ પછી તે નિર્દોષ ભિક્ષાને પણ સંધરે કરે છે; અથવા જ્યાં સ્વાદવાળી ભિક્ષા મળતી હોય, તેવા ઘર તરફ ઉત્સાહથી દોડે છે; અથવા ઉદર ભરવાની લાલસાથી ધર્મોપદેશ આપે છે; અથવા અન્નને કારણે પિતાની કે બીજાની પ્રશંસા કરે છે; અથવા અન્યની ખુશામદ કરે છે. નીવારના લોલુપ ડુક્કરની પેઠે અન્નલાલુપ તે ભિક્ષુઓ, ભેડા જ વખતમાં આચારભ્રષ્ટ, કુશીલ તથા દાણા વિનાનાં ફોતરાં જેવા નિઃસાર થઈ, વિનાશ પામે છે. સાચા ભિક્ષુએ તે ઓળખાણ ન હોય તેવે ઠેકાણે જઈ ભિક્ષા મેળવવા પ્રયત્ન કરે, તેમજ પિતાની તપશ્ચર્યાને કારણે પૂજનસત્કારની આકાંક્ષા ન રાખવી. મુનિને આહાર સંયમના નિર્વાહાથે જ હોય. તે જ પ્રમાણે નિર્દોષ પાણીને પણ જીવવા પૂરતો જ ઉપયોગ કરવાને હેય. કારણ, ગમે તેટલું નિર્દોષ હોય તે પણ, પાણીમાત્રના ઉપયોગમાં કર્મબંધન રહેલું જ છે. છતાં, કેટલાય જૈન ભિક્ષુઓ આચાર પ્રમાણે, બીજાએ ઉપયોગમાં લીધેલું, ગરમ કરેલું, નિર્જીવ Page #133 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તથા નિર્દોષ પાણી માગી લાવી, પછી શરીરની તથા કપડાંની ટાપટીપ અર્થે નાહવાધેવામાં તેને વાપરે છે. એવા ભિક્ષુઓ સાચા ભિક્ષુપણાથી ક્યાંય દૂર છે. બુદ્ધિમાન ભિક્ષુ તે પિતામાંથી સર્વ પાપ દૂર થઈ સંયમધર્મમાં પૂર્ણતા પ્રાપ્ત થાય એ અર્થે જ શરીર ધારણ કરતું હોય છે. તેણે સર્વ સંગે તથા સર્વ પ્રકારના કામોની આસકિતનો ત્યાગ કર્યો હોય છે, તે સર્વ જીવોને અભયદાન દેનારે તથા નિર્મળ અંત:કરણવાળા હોય છે; પિતામાં રહેલી સર્વ પાપવૃત્તિઓ સામે, તે સંગ્રામને ખરે ખૂઝનારા વીરની પેઠે સૂઝતું હોય છે, તથા પિતાનું પરિપૂર્ણ પરાક્રમ દાખવતે હોય છે. તેમાં તે બધી તરફથી (આંતરબાહ્ય શત્રુઓ વડે) પાટિયાની પેઠે ભલે છેલાઈ જાય, કે મેત પણ આવીને ઊભું રહે; પણ, એક વાર કર્મોને ખંખેરી નાખ્યા પછી, ધરી ભાગેલા ગાડાની પેઠે, ફરી તે સંસાર તરફ ડગલું ભારતે નથી. [૨૧-૩૦] આમ કહી, શ્રીસુધર્માસ્વામી થેભ્યા. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધર્મીઓનું વર્ણન ટિપણે ટિ૫ણ નં. ૧: આ સૂત્રમાં અનેક જગાએ જણાવ્યું છે કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધામાં માનવ જેવું ચૈતન્ય છે. તેમને લગતી બીજી માહિતી જૈન ગ્રંથોમાં આ પ્રમાણે હોય છે : તે બધાં આહાર કરે છે, શ્વાસોચ્છાસ લે છે, અને તે બધાને આપણી પેઠે આયુષ્યમર્યાદા હોય છે. એ બધા એકેદ્રિય જીવો છે. એટલે કે, તેઓ માત્ર એક સ્પર્શ ઈદ્રિયથી જ પિતાનો વ્યવહાર ચલાવે છે. તે બધામાં આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો છે; તેઓ સ્પાઇકિય દ્વારા રાક મેળવે છે; તે બધાં જ્યારે મરણ પામે છે. ત્યારે પિતાની એ પાંચ યોનિમાંની કોઈ એક યોનિમાં આવવાની કે બે, ત્રણ, ચાર અને પાંચ ઇદ્રિવાળા જેની નિમાં આવવાની પણુ યોગ્યતા ધરાવે છે. માત્ર અગ્નિ અને વાયુના જીવો મનુષ્યની ચિનિમાં આવવાની યોગ્યતા ધરાવતા નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ સુ સાચુ વીરત્વ શ્રીજ મુસ્વામી પૂછે છેઃ ' “ હું ભગવન ! વીરતા એ પ્રકારની કહેવાય છે. તેમાં ધર્મવીરનું વીરત્વ શામાં રહેલું છે, તથા તેનું વન શી રીતે કરવામાં આવ્યું છે, તે અમને કહેા.” [૧] શ્રીસુધ સ્વામી કહેવા લાગ્યા : હે આયુષ્મન્ ! તારું' કહેવું બરાબર છે. લેાકેામાં તે વિષે બે પક્ષ પડેલા દેખાય છે. કેટલાક કને વી કહે છે, જ્યારે કેટલાક સુન્નતી મુનિએ અકતે વી કહે છે. પ્રમાદ એ ક્રમ છે અને અપ્રમાદ એ અકમ છે. જે જે પ્રવૃત્તિ પ્રમાયુક્ત છે, એટલે કે સત્ય ધર્મ'થી વિમુખ છે, તે બધી પ્રવૃત્તિએ કમરૂપ છે, તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિએ પ્રમાદરહિત એટલે સદ્ધમ અનુસાર છે, તે અકમ છે, અને તે કરવા યાગ્ય છે. જેમકે, પ્રાણીઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં, કે કામભોગા માટે માયાદિ આચરવામાં, કે સંયમરહિતપણે Page #136 -------------------------------------------------------------------------- ________________ કરાવન અને હવે શાણા : હાઈ હેય છે સાચું વીરત્વ ૧૧૯ વેરભાવયુક્ત બની, મન વચન અને કાયાથી આ લોક કે પરલોકને લગતાં કર્મો કરવામાં – ટૂંકમાં, જેથી આત્માનું અહિત થાય, એવી રાગદ્વેષયુકત પ્રવૃત્તિઓમાં – દાખવેલું વીય અથવા પરાક્રમ, સંસાર પ્રાપ્ત કરાવનાર કર્મ (બંધન)નું કારણરૂપ હેઈ, હેય છે. [૧-૯] હવે શાણું લેકોનું અકર્મવીર્ય કહું છું, તે સાંભળ. બુદ્ધિમાન પુરુષ સમજે છે કે, જેમ જેમ માણસ વધારે ને વધારે પાપકર્મ કર્યું જાય છે, તેમ તેમ ચિત્તની અશુભતા વધતી જાય છે, અને મનુષ્ય વધારે ને વધારે વેરેમાં બંધાતો જઈ અંતે દુ:ખને જ ભાગી થાય છે. ઉપરાંત, સ્વગદિસ્થાને પણ નિત્ય રહેનારાં નથી; તથા સગાંસંબંધી અને મિત્રો સાથે સહવાસ પણ અનિત્ય છે. તેથી, સમજુ લોક બધી મમતાને ત્યાગ કરી, સર્વ શુભધર્મયુકત અને શ્રેષ્ઠ પુરુષએ કહેલા તથા મુક્તિ માર્ગે લઈ જનારા આર્ય ધર્મનું શરણ લઈ પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. કારણ, પિતાના કલ્યાણને જે કોઈ ઉપાય જણાવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે છે. [૯–૧૫] તે બુદ્ધિશાળી મનુષ્ય, સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય સમજી લઈ તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા, ઘરબારને ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચ જેમ પિતાનાં અંગે પિતાના શરીરમાં સમેટી લે છે, તેમ તે સર્વ પાપવૃત્તિઓને, તથા હાથપગ વગેરે કર્મેન્દ્રિ અને પાંચે જ્ઞાનેન્દ્રિયો સહિત મનને અને તેમના દોષને પોતામાં સમેટી લે છે; સર્વ પ્રકારની સુખશીલતાને ત્યાગ કરે છે; અને કામનાઓથી ઉપશાંત થઈ, આસક્તિ વિનાનો બની, Page #137 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમ મોક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ધર્મવીરનું છે. [૧૫–૧૮] તે પ્રાણની હિંસા કરતો નથી; ચેરી કરતો નથી; વિશ્વાસઘાત કરતા નથી; જૂઠું બેલતો નથી; ધર્મનું ઉલ્લંધન મનવાણીથી ઈચ્છતો નથી; તથા જિતેન્દ્રિય થઈ આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતા વિચરે છે. તે થોડું ખાય છે, થોડું પીવે છે, તથા ડું બેલે છે, તે ક્ષમાયુકા અને નિરાતુર બની સદા પ્રયત્નશીલ રહે છે, તથા સર્વ પ્રકારની પાપવૃત્તિઓને ત્યાગ કરી, તિતિક્ષાને પરમધર્મ સમજી, ધ્યાનયોગ આચરતો મેક્ષ પર્યત વિચરે છે. [૧૯-૨૧; ૨૫-૬] આમ, જ્ઞાની તેમજ અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં, અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબોધનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે; પરંતુ જ્ઞાન અને બધયુકત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે અને તેનું કાંઈ ફળ તેને ભોગવવું પડતું નથી. ચોગ્ય માર્ગે કરેલું તપ પણ જે કીર્તિની ઇચ્છાથી કરાયું હોય, તે તે પણ શુદ્ધ નથી. પરંતુ જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. [૨૨-૨૪] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૯ મું ધર્મ વિષે જંબુસ્વામી પૂછે છે? “હે ભગવન! મતિમાન બ્રાહ્મણ મહાવીરે કર્યો ધર્મ કહ્યું છે? તે અમને કૃપા કરી કહે. જેથી, તે જાણીને અમે તેમાં પ્રયત્નવાન થઈએ.” શ્રીસુધર્મસ્વામી કહે છે : જિનેશ્વરે બેધલે જિનેને તે સીધે યથાર્થ માર્ગ હું તમને કહી સંભળાવું છું. તે તમે સાંભળે. તે ધર્મ જાણવાને અને આચરવાનો અધિકાર કોને છે તે હું પ્રથમ તમને કહું. જે પુરુષ પિતામાં વિવેક પ્રગટવાથી જગતના પદાર્થો અને ભાવો પ્રત્યે વૈરાગ્યયુકત બન્યું છે, તથા જે મનુષ્ય આસકિતપૂર્વક કરાતી વિવિધ પ્રવૃત્તિઓથી બંધાતું Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧રર મહાવીરસ્વામીને સંયમ ધર્મ વેર તથા પુષ્ટ થતા કામો અને તેમનું દુઃખરૂપી ફળ જાણ છે, તે આ માર્ગને અધિકારી છે. તે જાણે છે કે, માણસ જે જે પદાર્થો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તે બધા પદાર્થો મૃત્યુ બાદ સગાંસંબંધીઓના જ હાથમાં જાય છે અને તેને પિતાને તે પિતાનાં કર્મોનું ફળ જ ભેગવવાનું રહે છે. તે વખતે, જેમને માટે તે બધી પ્રવૃત્તિઓ કરી હતી, તે બધાં – માતપિતા, ભાઈ, પત્ની, પુત્રો તથા પુત્રવધૂ – રક્ષણ કરવા આવતાં નથી. આ વિચાર કરી, તે મમતા અને હુંપણું તજી દઈ, જિનભગવાને કહેલા પરમ માર્ગનું શરણ સ્વીકારે છે. મનુષ્યના વિવેક અને વૈરાગ્યની સાચી પરીક્ષા એ છે કે, પ્રાપ્ત થયેલા કામો પ્રત્યે પણ આકર્ષણ ન થાય. આ વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી, અધિકારી મનુષ્ય ધનસંપત્તિ, પુત્રો, સગાંસંબંધી, મમતા અને શોક તજી, તથા સંસારથી નિરપેક્ષ થઈ, સંન્યાસી બને. [૧-૭, ૩૨] પછી તે મુમુક્ષુ સુંદર પ્રજ્ઞાવાળા, સંપૂર્ણ તપસ્વી, પરાક્રમી, આત્મજ્ઞાનના વાંછુક, ધૃતિમાન તથા જિતેંદ્રિય એવા ગુરુનું શરણુ શોધે. કારણકે, જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરનારા ઉત્તમ પુરુષો જ મુમુક્ષુ જનનું પરમ શરણ છે. તેઓ સર્વ બંધનોથી મુક્ત હોઈ, જીવિતની તેમજ વિષયની આકાંક્ષા વિનાના તથા સર્વ પ્રકારની પાપી પ્રવૃત્તિઓથી રહિત હોય છે. એવા સદ્દગુરુનું શરણ સ્વીકારીને, તેણે નિગ્રંથ મહામુનિ મહાવીરે ઉપદેશેલા માર્ગમાં પુરુષાર્થ આદર. [૩૨–૩૪] પૃથ્વી, (પાણી, ) અગ્નિ અને વાયુ; તૃણ, વૃક્ષ અને Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિશે ૧૨૩. બીજ; અંડજ, પિતજ, જરાયુજ, રસજ, દજ, તથા ઉફ્રિજજ એમ છના છ વર્ગો છે. તેમને જાણી, વિદ્વાન પુરુષે મન વાણું અને કાયાથી તેમની હિંસાને તેમજ પિતાના સુખ ખાતર તેમના પરિગ્રહનો ત્યાગ કરવો. તે જ પ્રમાણે તેણે જૂઠ, મૈથુન અને ચોરીને પણ મહત, પાપ સમજી છેડવાં. માયા, લોભ, ક્રોધ, અને માન પણ જગતમાં કર્મબંધનનાં કારણે છે એમ જાણી, તેમને પણ ત્યાગ કરે. [૮-૧૧] તેણે શરીરના સર્વ સંસ્કારો – જેવા કે બસ્તીકર્મ, વિરેચન, વમન, અંજન, ગંધ, માલ્ય, સ્નાન, દતપ્રક્ષાલન (દાતણ), દેવું, રંગવું વગેરે – ને તેમને સંયમના વિરોધી ગણી, ત્યાગ કરવો. તે બધા પરિગ્રહ તથા કામવાસનાના કારણરૂપ છે. તે જ પ્રમાણે તેણે પગરખાં, છત્રી, માં, પલંગ, ચામર વગેરેનો ત્યાગ કરવો. અને નિર્જીવ તથા સાફ કરેલા નિર્દોષ પાણીથી પણ અંગે વગેરે ન ધોવાં. [૧૨-૩; ૧૮-૯]. (૧) બચ્ચાં રૂપે જ પેદા થનારાં હાથી વગેરે. (૨) એરથી વીંટળાઈને જન્મતાં ગાય, મનુષ્ય ઈત્યાદિ. (૩) દહીં, આ વગેરેમાં થતા. (૪) પરસેવાથી થતાં જ, માંકડ, ઇત્યાદિ. (૫) સામાન્ય રીતે આનો અર્થ જમીન ફેડીને નીકળતી વનસ્પતિ એવો થાય. પણ ટીકાકાર અહીં તેને અર્થ “કાંઈ કેડીને બહાર નીકળતાં દેડકાં વગેરે” એ લે છે. (૫) આ ચારે માટે મૂળમાં અનુક્રમે આ શબ્દો છે : પત્રિકુન વકતા પમાડે છે માટે. મગન : બધા વડે ભજાય છે માટે થઇew: આત્માને વેરાન ખેતર જે બનાવે છે માટે. કદાચ : માણસ માતી ઊઠે છે માટે. (૬) જુએ પ્રકરણ ૧૧ ને અંતે ટિપ્પણ નં. ૧. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આહારની બાબતમાં તેણે પૂર્ણ સંયમ સ્વીકારવો. પિતાને ઉદેશીને ગૃહસ્થ તૈયાર કરેલું, ખરીદેલું, ઊછીનું આણેલું, કે પોતે જ્યાં રહેતો હોય ત્યાં ગૃહસ્થ લઈ આવ્યો હોય તેવું, કે તે બધાના અંશેવાળું ભિક્ષાન્ન તેણે ન સ્વીકારવું. તેણે માદક આહારનો સર્વથા ત્યાગ કરે. તથા જેનાથી માત્ર જીવિત ટકી રહે, તેટલું જ અન્નપાન માગી લાવવું. વધારે માગી લાવી, બીજાને આપી દેવું પડે તેમ ન કરવું. [૧૪-૫, ૨૩] ચારિત્રવાન ભિક્ષુએ કઈ ને સંગ ન કરવો. કારણ, તેમાં સુખના વેશમાં જોખમ રહેલાં છે. માટે વિદ્વાને તેનાથી ચેતતા રહેવું. તેણે સંસારીઓ સાથે મંત્રણ, તેમની ક્રિયાઓની પ્રશંસા, તેમની સાંસારિક ગૂંચવણમાં સલાહ, તેમના ઘરમાં બેસીને કે, તેમના વાસણમાં ભોજન કે પાન, તેમનાં કપડાં પહેરવાં, તેમના ઘરમાં બેસી તેમના ખબર સમાચારની પૂછપરછ, તેમના તરફથી યશ, કીતિ, પ્રશંસા અને વંદન પૂજનની કામના, તેમના ઘરમાં ખાસ કાંઈ કારણ વિના સૂઈ જવું, ગામનાં છોકરાંની રમતમાં ભળવું, અને મર્યાદા મૂકીને હસવું—એ બધાંને ત્યાગ કરે. કારણ, તેમાંથી અનેક અનર્થોની પરંપરા જન્મે છે. [૧૬–૯; ૨૦–૨; ૨૮-૯] તેણે નકામી છતાં અનર્થકારક પ્રવૃત્તિ સહેજ પણ કરવી નહી. જેમકે, જુગાર રમતાં ન શીખવું, કલહકંકાસ ન કરવા, કે પૂર્વે કરેલી ક્રીડાઓનું સ્મરણ ન કરવું. તેણે બેલવામાં પણ ધર્મથી નિષિદ્ધ એવું કાંઇ બેલિવું નહીં; તથા બોલવા બેસે ત્યારે બેલ્યા જ ન કરવું. બીજના મર્મસ્થાનને આઘાત પહોંચે તેવું બેલવાની Page #142 -------------------------------------------------------------------------- ________________ ધમ વિષે ૧૨૫ છા ન કરવી, કે બીજા છેતરાય તેવું ન બેસવું. તેણે પૂરતો વિચાર કરીને જ બેલવાની ટેવ પાડવી. તેણે બધી સાચી અને અધી ડી એવી ત્રીજી કેટીની વાણું તજવી, તેમજ બીજાની ગુપ્ત વાત કહી ન દેવી. તેણે કોઈને બોલ્યા–“એલ્યા” કહીને ન બોલાવ, કે યાર” સ્ત’ કહીને કે ગોત્રનું નામ દઈને ન બેલાવ. તું–તાં કરવું એ શિષ્ટ નથી; માટે તેમ તે કદી જ ન કરવું.. ૧૭; ૨૧; ૨૫-૭] આ પ્રમાણે નિરર્થક પ્રવૃત્તિમાં પડ્યા વિના, તેમજ સુંદર પદાર્થોની ઉત્સુકતા રાખ્યા વિના, પ્રયત્નશીલ રહી, પ્રમાદ કર્યા વિના વિચરવું અને તેમ કરતાં જે કાંઈ દુખ આવે, તે સહન કરવાં. કોઈ મારે તે ગુસ્સે ન થવું કે કઈ ગાળો ભાંડે તે તપી ન જવું. પરંતુ, પ્રસન્ન મનથી બધું સહન કરી લઈ શાંતિ રાખવી. [૩૦–૧] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા. ૧. વાણુની ચાર કેટીઓ આ પ્રમાણે છે : (૧) સત્ય. (૨) અસત્ય. (૩) સત્ય-અસત્ય. (૪) ન સત્ય-ન સી . Page #143 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મું સમાધિ શ્રી સુધર્મસ્વામી આગળ કહેવા લાગ્યા : હું જે મોક્ષમાર્ગ તમને કહી સંભળાવું છું, તે માર્ગ મતિમાન મહાવીરે ધર્મને સાક્ષાત્કાર કર્યા બાદ ઉપદેશેલે છે. તે માર્ગ સીધે તેમજ અમેઘ છે. તેને સ્વીકાર કરનારા ભિક્ષુએ ચિત્તની સર્વ પ્રકારની ચંચળતા દૂર કરી, તથા સર્વ સંકલ્પથી રહિત બની, કોઈ પણ ભૂતપ્રાણીને દુઃખનું કારણ બન્યા વિના વિચરવું. એક વખત સંન્યાસ લીધા પછી તેણે દીન તથા ખિન્ન ન બની જવું. જેઓ ભેગેની બાબતમાં દીન વૃત્તિવાળા હોય છે, તેઓ પાપકર્ષ કર્યા જ કરે છે. તેથી જિનાએ ચિત્તની અત્યંત સ્વસ્થતા અને એકાગ્રતા પ્રાપ્ત કરવાનું ઉપદેશ્ય છે. માટે મનુષ્ય જાગ્રત રહેવું, એકાગ્ર રહેવું તથા વિવેકવિચારમાં પ્રીતિવાળા થઈ સ્થિર ચિત્તવાળા બનવું. [૧-૩; ૬-૭] જુઓ તે ખરા ! સ્ત્રીઓમાં આસક્ત થયેલા જુદા જુદા પ્રાણે અને સરવો દુઃખથી પીડિત થઈ કેટલે Page #144 -------------------------------------------------------------------------- ________________ સમાધિ ૧૨૭ પરિતાપ પામે છે ! સ્ત્રીઓમાં વિશેષ પ્રસંગ રાખનારા અજ્ઞાની પાપકર્માંના ચક્રમાં ફસાય છે. તે પાતે હિંસાથી પાપકર્મો કરે છે. એટલું જ નહિ, પણ ખીજા પાસેય કરાવે છે. તે અન્નાની ભિક્ષુ પછી ધનસપત્તિના સંચય કરવા લાગે છે તથા કામનાથી ઉત્પન્ન થતાં વેરામાં ખૂપતા જઈ, પાપકર્યું એકઠુ કર્યે જાય છે. પરિણામે, મરણ બાદ તે દુસ્તર નરકને પામે છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ ધર્માંને સારી રીતે સમજી, સર્વ તરફથી નિઃસંગ થઈ, કયાંય આસક્ત થયા વિના વિચરવું અને સ પ્રકારની લાલસાના ત્યાગ કરી, તથા સમસ્ત જગત પ્રત્યે સમભાવયુક્ત દૃષ્ટિ રાખી, કોઈ નું પ્રિય કે અપ્રિય કરવાની કામના ન રાખવી. [૪-૫; ૭-૧૦] 3 તેણે નિષિદ્ધ અન્નની કદી ઇચ્છા ન કરવી. તથા તેમ કરનારની સેાબત પણ ન કરવી, પોતાના અંતરના વિકાસ ઇચ્છનાર તે ભિક્ષુએ કશાની અપેક્ષા રાખ્યા વિના, તથા જરા પણું ખિન્ન થયા વિના, બાહ્ય શરીરને ઘસાઈ જવા દેવું, પણ જીવિતની કામના કરી પાપકર્મી ન કરવું. તેણે પેાતાની એકલી અસહાય દશાને વિચાર વારવાર કર્યો કરવેા. એ ભાવનામાં જ મુક્તિ રહેલી છે. એ મુક્તિ કઈ મિથ્યા વસ્તુ નથી. પણ સર્વોત્તમ વસ્તુ છે. પરંતુ તે ગમે તેનાથી પ્રાપ્ત કરી શકાતી નથી. સ્ત્રીસ ભાગથી નિવૃત્ત થયેલા, અપરિગ્રહી, તથા નાના મોટા વિષયામાંથી અને અસત્ય, ચૌ' વગેરે પાપામાંથી પેાતાનું રક્ષણ કરનારા ભિક્ષુ જ મેક્ષના કારણરૂપ સમાધિ નિઃસશય પ્રાપ્ત કરે છે. માટે ભિક્ષુએ પ્રીતિ અને અપ્રીતિ ઉપર વિય મેળવી, તૃણુ, ઠંડી, ગરમી, ડશ વગેરે શારીરિક કષ્ટોથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાવીર સ્વામીને સંચમધર્મ ગભરાયા વિના, મન વાણું અને કાયાને (પાપકૃત્યેથી) સુરક્ષિત રાખી, સમાધિયુક્ત થવું; તથા તે પ્રકારે નિર્મળ ચિત્તવૃત્તિવાળા થઈને, પ્રસંગ પડયે પિતે આચરેલે તે ઉત્તમ ધર્મ બીજાને ભલી પ્રકારે સમજાવતા વિચરવું. [૧૧-૧૫] જગતમાં કેટલાય જુદી જુદી માન્યતાવાળા લોકો ફરે છે. તેમાંના ઘણા નિષ્ક્રિય આત્માની તેમજ ક્રિયાવાદ કે અક્રિયાવાદની વાતો કરે છે અને મોક્ષને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ વિમુક્તિના કારણરૂપ સદ્ધર્મને જાણતા નથી. તેઓ અજરામર હોય તેમ, અજ્ઞાન અને મૂઢતાપૂર્વક, પાપથી જરા પણ બન્યા વિના, સગાંસંબંધીઓ અને ધનાદિની મમતામાં બંધાયેલા રહે છે, તથા રાતદિવસ બીજાનાં શરીરને દુઃખ થાય તેવી પ્રવૃત્તિઓ અસંયમીપણે કર્યા કરે છે. પરંતુ, બુદ્ધિમાન મનુષ્ય તો સદ્દધર્મને સમજી, વનનાં નાનાં પ્રાણીઓ સિંહથી દૂર રહે તેમ, પાપથી દૂર રહેવું. કારણ બધી પાપપ્રવૃત્તિઓમાં હિંસા અનિવાર્ય છે. અને હિંસામાંથી વેર બાંધનારાં અને મહા ભયવાળાં પાપ અચૂક બંધાય છે. પરિણામે, મનુષ્યની દુઃખમાંથી મુક્તિ થતી નથી. માટે ભિક્ષુએ તે જીવિતની કે મરણની પરવા કર્યા વિના કશા ફળની આકાંક્ષા રાખ્યા વિના, તથા શરીરની પણ મમતા છોડી દઈ, મતિમાન બ્રાહ્મણ મહાવીરે ઉપદેશેલા માર્ગને નિષ્કપટતાથી અનુસરી, એ પાપચક્રરૂપી દુસ્તર સંસારને તરી જવા પ્રયત્ન કરવો. [૧૬–૨૪] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા. ૧. “પવિત્ર અને જ્ઞાની પુરુષ' એવા અર્થમાં. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ મું મેક્ષમાર્ગ શ્રીજંબુસ્વામી પૂછવા લાગ્યા : હે મહામુનિ ! સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર એવો, મહાવીર ભગવાને ઉપદેશેલો ઉત્તમ માર્ગ તમે જે રીતે જાણે છે તે રીતે અમને કહી સંભળાવો. શ્રીસુધર્મસ્વામી કહેવા લાગ્યા : કાશ્યપ ઋષિએ ઉપદેશેલા તે મહાવિકટ માર્ગ મેં જે પ્રમાણે સાંભળ્યો છે, તે પ્રમાણે તમને યથાક્રમે હું કહી સંભળાવું છું. તેને અનુસરીને અત્યાર આગમચ ઘણાય લેકે, વેપારીઓ જેમ દુસ્તર સમુદ્રને તરી જાય છે, તેમ આ અપાર સંસારને તરી ગયા છે અને ભવિષ્યમાં પણ તરશે. [૨–૬] પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ધાનાં બીજો સહિત તૃણ અને વૃક્ષો; અને હાલી ચાલી શકે તેવાં પ્રાણીઓ – એમ છાના છ વર્ગો છે. એ છ વર્ગો જ એક Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મહાવીર સ્વામીને સંયમધમ બીજા પ્રત્યે હિંસા પરિગ્રહાદિથી કર્મબંધનના નિમિત્ત બને છે. બુદ્ધિમાન માણસે પિતાના દાખલા ઉપરથી, અનુકૂળ તક વડે વિચાર કરો કે, મારી પેઠે કઈ પ્રાણીને દુઃખ ગમતું નથી, માટે મારે કોઈની હિંસા ન કરવી જોઈએ. જ્ઞાનીના જ્ઞાનને સાર પણ એટલો જ છે કે, તે કેઈની હિંસા કરતું નથી. અહિંસાનો સિદ્ધાંત પણ એ જ છે, તથા તેને જ શાંતિ કે નિર્વાણ પણ કહે છે. [૭–૧૧]. પરંતુ જ્યાં સુધી મનુષ્યમાંથી સર્વ પ્રકારના દોષો દૂર થયા નથી, ત્યાં સુધી તે મન વાણી અને કાયાથી સંપૂર્ણ અહિંસા પાળી શકવાનો નથી. માટે મહાપ્રજ્ઞાવાળા બુદ્ધિશાળી મનુષ્ય જિતેંદ્રિય થઈ, વિષયભોગથી નિવૃત્ત થવું અને સંયમાદિમાં પરાક્રમી બની વિચરવું. તેણે અતિ માન, માયા, ક્રોધ અને લેભથી દૂર રહેવું. ટૂંકમાં, તેણે સર્વ સારાં કર્મ આચરવાં અને પાપકર્મો ત્યાગવાં. તેણે તપાચરણમાં પરાક્રમી બની, નિર્વાણને નક્ષત્રોમાં ચંદ્રમાની પેઠે શ્રેષ્ઠ માની, તેને સાધવામાં પુરુષાર્થ થવું. જેમ આ જગત સર્વ ભૂતપ્રાણીઓનું આધારસ્થાન છે, તેમ જે બુદ્ધો થઈ ગયા છે અને હજુ થવાના છે, તેમનું નિર્વાણ એ જ આધારસ્થાન છે. માટે તેણે ઈદ્રિયોનું દમન કરી, તે નિર્વાણને જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. [૧૨, ૩૩૬, ૨૨] મહાપ્રજ્ઞાવાળા તે બુદ્ધિશાળી પુરુષે વિધિ પ્રમાણે જે કાંઈ ભિક્ષા મળે, તેના વડે નિર્વાહ કરે અને નિષિદ્ધ અન્નને ત્યાગ કરે. પ્રાણીઓની હિંસા કરીને કે પોતાને ઉદ્દેશીને તૈયાર કરવામાં આવ્યું હોય તેવું અન્નપાન તેણે ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. Page #148 -------------------------------------------------------------------------- ________________ સેક્ષમાગ ૧૩ ન સ્વીકારવું, તેવા અન્નના અંશવાળુ` કે જરા સરખી શ’કાવાળું ભિક્ષાન્ત પણ તેણે ન સ્વીકારવું, કાઈ હિંસા કરતું હોય, તેને તેણે કાઈ પણ પ્રકારે અનુમતિ ન આપવી. ગામ કે નગરમાં વિચરતાં તેવા ઘણા પ્રસંગો તેના ઉપર આવી પડે છે. જેમકે, ગામમાં ઘણા લે¥ા દાન પુણ્યને નિમિત્તે ( માંસાદિ યુક્ત ) ભોજન તૈયાર કરે છે, હવે જે ભિક્ષુ તેની પ્રશંસા કરે, તેા તેવા કાર્યને ઉત્તેજન મળે અને પરિણામે વધુ પ્રાણીવધ થાય, અને જો તેના પ્રતિષેધ કરે, તેા કાર્યના પેટ ઉપર પગ મૂકયા જેવું થાય. માટે તે એમાંથી એક પણ પ્રકારે કાંઈ કહ્યા વિના, તેણે પેાતાની ક્રિયાનું દમન કરતા વિચરવું. [૧૩-૨૧] આમ, જે ભિક્ષુ પેાતાના આત્માનું (પાપપ્રવૃત્તિથી ) રક્ષણ કરવામાં તત્પર હાય, સદા ઇંદ્રિયનિગ્રહી હાય, સંસારભ્રમરૂપી પ્રવાહને જેણે પાતાપૂરતા હુંમેશને માટે અટકાવી દીધા હોય, તથા જે સથા પાપરહિત હોય, તેવા ભિક્ષુ જ શુદ્ધ, પરિપૂર્ણ અને અનુત્તમ ધર્મોને ઉપદેશી શકે, તેવા ભિક્ષુ જ સ`સારપ્રવાહમાં તણાતાં અને કર્મા વડે રિબાતાં પ્રાણીઓને જગતની પ્રતિષ્ઠારૂપ નિર્વાણુદ્રીપ બતાવી શકે. [૨૩-૪] આ વસ્તુ ન જાણનારા તથા પાતે અજ્ઞાની હાવા છતાં પેાતાને જ્ઞાની માનતા અને લેાકેાને તે પ્રમાણે જણાવતા પુરુષ! સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. તેએ ગમે તેવું નિષિદ્ધ અન્નપાન સ્વીકારે છે અને પછી ધ્યાન ધરવા એસે છે. પણ એ મિથ્યા માન્યતાવાળા અનાર્ય શ્રમણાનું ધ્યાન બગલા જેવાં જળચર પ્રાણીઓના જેવું વિષયપ્રાપ્તિનું જ હાઈ, કલુષિત અને અધમ હાય છે. તે બિનઅનુભવી લેકા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મહાવીરસ્વામીના સચમધમ સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. શુદ્ધ માર્ગોનું ઉલ્લંધન કરી, ઉન્માર્ગે વળેલા તે લેકા દુ:ખ અને વિનાશના જ ભાગી થાય છે. છિદ્રોવાળા નાવમાં એસી પાર જવાની ઇચ્છા કરતા જન્માંધ માણસની પેઠે, તેઓ અધવચ્ચે જ સંસારપ્રવાહના મુખ્ય ભાગમાં સપડાઈને નાશ પામે છે, [૨૫૩૧] પરંતુ કાશ્યપે ઉપદેશેલા આ ધર્મનું શરણ લઇને મતિમાન ભિક્ષુ સંસારરૂપી મહાધાર પ્રવાહને તરી જાય છે. પેાતાના આત્માનું રક્ષણ કરતા, નાનાં મોટાં વિદ્યોથી મેરુની જેમ અપિત રહેતા, તથા મરણની રાહ જોતા તે આનંદથી વિચરે છે. [૩૨, ૩૭-૮] આમ કહી, શ્રીસુધ સ્વામી થાભ્યા. Page #150 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ટિપણે ટિપ્પણ નં૧ : સૂત્રકૃતાંગમાં ઠેરઠેર એવું વાક્ય આવે છે કે : “ભગવાને પૃથ્વી આદિ જીવોના છ વર્ગોને કર્મબંધનનાં નિમિત્ત કહ્યા છે. ” પુનરાવર્તન દૂર કરવાના ઇરાદાથી, એ વાકય અનુવાદમાં ટૂંકાવ્યું છે કે પડતું મૂક્યું છે. પરંતુ આ એક ઠેકાણે નીચેની નોંધ કરતા જવાની જરૂર છે. તે, એ વાક્ય પાછળ રહેલા પાપ વિષેના જૈન સિદ્ધાંતની. એ સિદ્ધાંત એવો લાગે છે કે, દરેક પ્રકારના પાપકર્મથી આપણે કોઈ ને કોઈ પ્રાણી પ્રત્યે દ્રોહ કે હિંસા કરીએ છીએ. તેથી એમ કહી શકાય કે, દરેક પાપકર્મ કોઈ ને કોઈ પ્રાણ પ્રત્યે હોય છે. બીજા શબ્દોમાં, જુદાં જુદાં પ્રાણીઓ દરેક પાપકર્મમાં નિમિત્તરૂપે હોય છે. તેથી જ જૈન ધર્મ અહિંસારૂપી એક જ વ્રતમાં બધાં પાપકર્મોને ત્યાગ સમાવી લે છે. કારણ કે, તમામ પ્રકારનાં પાપકર્મને ત્યાગ કર્યા વિના સંપૂર્ણ અહિંસક થવાય જ નહિ. એટલે જૈન દષ્ટિએ અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે – એક જ ધર્મ છે. એટલે આ તથા પહેલાંના પ્રકરણમાં સંપૂર્ણ સમાધિ, મોક્ષમાર્ગ કે ધર્મ કહી બતાવવાનું કહી, સૂત્રકાર માત્ર અહિંસા જ રજૂ કરે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુધ`સ્વામી કહેવા લાગ્યા : હે આયુષ્મન્ ! હવે હું લેાકામાં પ્રચલિત એવા અનેક વા વિષે કહું છું, તે સાંભળ. તે વાદને, નીચેના ચાર વિભાગમાં મુખ્યત્વે વહેંચી શકાય, જેમકે : (૧) ક્રિયાવાદ (૨) અક્રિયાવાદ (૩) વિનયવાદ (૪) અજ્ઞાનવાદ.* [૧] ( તેમાંના અજ્ઞાનવાદીઓ કહે છે કે, પરલેાક, સ્વ, નરક અને સારાંખાટાં કર્મોનું ફળ વગેરે બાબતે! વિષે આપણે કાંઈ જાણી શકીએ તેમ નથી. તે વસ્તુએ છે એમ પણ કહી શકાતું નથી, કે નથી એમ પણ કહી અધ્યયન ૧૨ મુ જુદા જુદા વાદીઆ * આ બધા વાદે અને વાદીઓ વિષેના ઉલ્લેખો માત્ર આવાં જૈન આગમા તેમજ સમકાલીન બૌદ્ધ ગ્રંથેામાંથી જ મળી શકે તેમ હેાવાથી, અહીં શબ્દશ: અનુવાદ આપવામાં આવ્યેા છે. ઉમેરેલા વધારાના ભાગને કૌંસમાં મૂક્યા છે. બૌદ્ધ વગેરે ગામાં મળી આવતું આવી જ જાતના વાદે વિષેનું વર્ણન ઉપાધ્ધાતમાં આપેલુ છે. ――― Page #152 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદીએ ૧૩૫ શકાતું નથી. અથવા તે બંનેથી ભિન્ન એવું પણ કાંઈ કહી શકાતું નથી. આમ,) આ અજ્ઞાનવાદીઓ દલીલે કરવામાં કુશળ હોવા છતાં, અસંબદ્ધ બેલનારા છે. તેઓ પોતે જ શંકાને પાર પામ્યા નથી હોતા. તેઓ પોતે અજ્ઞાન હોઈ અજ્ઞાન લેકેને ખોટું ખોટું સમજાવે છે. [૨] (વિનયવાદીઓ આચારની કેટલીક તુચ્છ અને બિનઅગત્યની વસ્તુઓને જ સર્વસ્વ માની, તેમાં વ્યાપચ્યા રહે છે. તે સિવાય બીજું કાંઈ તેઓ દેખી શકતા જ નથી.) આમ સત્યને અસત્ય સમજનારા અને અસાધુને સાધુ કહેનારા એ વિનયવાદીઓ, કોઈ પૂછે એટલે પિતાને સિદ્ધાંત અચૂક કહેવા લાગે છે. [૩] (અક્રિયાવાદીઓ તે ક્રિયામાં કે તેના ફળમાં જ નથી માનતા. તેમનામાંના કેટલાક આત્માને નિષ્ક્રિય માને છે. કેટલાક આત્મામાં જ માનતા નથી, જ્યારે બીજા કેટલાક જગતને જ માયારૂ૫ માને છે અથવા ઈશ્વર, નિયતિ કે કાલ વગેરેને બધી ક્રિયાઓ માટે જવાબદાર માની, પ્રાણી કાંઈ કરતું નથી અથવા કરી શકે તેમ નથી, એમ માને છે.) આમ, કર્મ અને તેમનાં ભવિષ્યમાં થનારા ફળથી ડરનારા અક્રિયાવાદીઓ “ક્રિયા જ નથી ” એમ કહે છે. પિતે જ જણાવેલા તત્ત્વમાં પિતે ચોકસ ન હોવાથી, તેઓ એમ કહે છે કે, “આ વસ્તુ આમ અમને દેખાય છે.” કઈ કંઈ પૂછે તે તેઓ કશું ચોકસ કહી શકતા નથી; પણ “આ બે પક્ષવાળું છે,' “આ એક પક્ષવાળું છે' એમ કહ્યા કરે છે. અને કર્મ છે ઇકિ. કરે છે (અમે કરતા નથી) એમ કહે છે. અબૂજ Page #153 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના સચમધમ કા અક્રિયાવાદી જુદું જુદું. ( ધણું ) કહે છે. તેઓને મતે આખું જગત વધ્ય અને નિયત છે.૧ તેમના પ્રમાણે તે સૂર્ય ઊગતે વધતે નથી કે ઘટતા નથી, વાતા નથી ! આંખા વિનાને છતાં કશું દેખી શકતા નથી, તેમ રૂંધાઈ ગયેલી બુદ્ધિવાળા આ ક્રિયાવાદીએ ક્રિયા હેાવા છતાં તેને દેખતા નથી, [૪-૮] બાકી, જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, ઉત્પાતનું શાસ્ત્ર તથા આઠે અંગેાવાળુ નિમિત્તશાસ્ત્ર ભણીને ઘણાય લેકે ભવિષ્યમાં થનાર ક્રિયા કે ફળ જાણી જ શકે છે ને ? જો ક્રિયા કે તેનું ભવિષ્યમાં થનારું ફળ હાય જ નહીં, તે આમ કેમ બને ? જો કે, અક્રિયાવાદીએ તે એમ જ કહેવાના કે, તે શાસ્ત્રોનું પણ બધું ક્યાં . સાચું પડે છે ? તેએ પોતે તે શાસ્ત્રો શીખ્યા જ નથી હેાતા, છતાં તેમને જાડાં કહેવામાં તેમને કશા વાંધા આવવાને નહિ ! [૯-૧૦] પરંતુ જગતને સત્ય વિયાર કરનારા શ્રમણા અને બ્રાહ્મણે! એમ જ કહે છે કે, દુઃખ પોતાનું જ કરેલું થાય છે, ખીજાનું કરેલું નહીં, તેમજ મેક્ષપણુ જ્ઞાન અને તે પ્રમાણેનાં આચરણથી પ્રાપ્ત થાય છે. [૧૧] પ્રજાને જે લેાકા આવા હિતકર ઉપદેશ આપે છે, તે જ આ જગતના ચક્ષુરૂપ નાયા છે. તેમણે આ સંસારને પણ શાશ્વત કહ્યો છે તેમાં રાક્ષસે, દેવા, સુરા ગાંધર્વાથી માંડીને આકાશગામી કે પૃથ્વી ઉપર રહેનારા ૧૩૩ નથી કે આથમતા નથી, ચંદ્રમા નદીએ વહેતી આંધળે! જેમ નથી કે પવન દીવા હેવા ૧. એટલે કે નિયત થયેલા ઉપરાંત નવુ' કશું આ જગતમાં થઈ શકે તેમ નથી; તથા જે કઈ થાય છે, તેનું કશું ફળ નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વાદીએ પાતપાતાનાં કર્મો અનુસાર, સુખદુઃખ તે ચક્રમાંથી ફામભાગેામાં તથા બધા જીવાને, ભોગવતા જન્મમરણને પામ્યા કરવું પડે છે. મહાકષ્ટ છૂટી શકાય છે. વિષયેા આસકત એવાં અજ્ઞાન પ્રાણીએ તેમાં વારંવાર કરે છે. કારણ, કર્મોથી કર્મોનો ક્ષય થઈ કાઈ વિરલા બુદ્ધિશાળી પુરુષે જ અકર્મોથી કરી, તે ચક્રના અંત લાવી શકે છે. [૧૨-૧૫ ૧૩૭ બીજા પણ જેને તે ચક્રમાંથી છૂટવું હોય, તેણે તેવા જગતના જ્યોતિરૂપ તથા ધર્મના સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનારા મહાત્માએની સમીપ હ ંમેશાં રહેવું. કારણ, તેએ જ પોતાની જાતને, તેમજ જગતને, જવાની ગતિને તેમજ અગતિને, જન્મને તેમજ ૧ મરણને, શાશ્ર્વતને તેમજ અશાશ્વતને તથા મનુષ્યના પર જન્મને જાણે છે. તે કમ આત્મામાં કેવી રીતે દાખલ થાય છે, અને તેને રીતે રેકી શકાય છે, તે જાણે છે. તથા તેમજ કર્મીના નાશને પણ જાણે છે, કેવી કર્માંના ફળને તે જગતનુ સપડાયા જ શકે નહિ. કા ક્ષય ' ૧. ‘ જીવાની ગિત ’ એટલે જીવા પાતાનાં કર્મોને કારણે ક્યાં જાય છે અને જન્મ પામે છે તે. ‘ વાની અગતિ ’ એટલે કચક્રમાંથી પુરુષાર્થ વડે મુક્ત થયેલા જીવા કઈ સ્થિતિ પામવાથી ફરી આ સંસારમાં પાછા નથી આવતા તે. ટૂંકમાં, ગતિ અને અતિ એટલે 'ધ અને મેાક્ષ કહી શકાય. ૨. મૂળ આસ્રવ | જીએ પા. ૮૧, ટિ॰ ૪. 3. મૂળ : સવર. એ પા. ૮૧, ટિપ્પણ ન૦ ૪. ૪. મૂળ : નિર્જરા. આત્મા સાથે બંધાયેલા કમને એ પ્રકારે નારા થાય છે. એક તા તે કર્માંનુ ફળ ભાગવાઈ જવાથી, અને ખીનું ઉચિત તપ વગેરેના મળથી, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ન મહાવીરસ્વામીના સમયમ અતીત, વમાન અને અનાગત સ્વરૂપ યથાર્થ જાણતા હાઈ, તે જ આ જગતના નેતા છે. તેમના નેતા કાઈ નથી.. [૧૬, ૧૯–૨૧] તેઓ નાના કે મેટા બધા પ્રાણાને અને સર્વે જગતને પોતાના જેવું ગણે છે. તેઓ જાતે કાઈની હિંસા કરતા નથી કે ખીન્ન પાસે કરાવતા નથી. સવકાળ જિતે દ્રિય રહી અને મેાક્ષમાગ માં તત્પર બની, તેએ વીરપદ પામ્યા હોય છે. આ મહા ગહન સ`સારમાં તેએ જ માત્ર જાગતા હાય છે. તેમને શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયામાં આસક્તિ કે દ્વેષ હેાતા નથી, તેમજ વિતની કે મરણની પણ કામના હોતી નથી, સંયમથી સુરક્ષિત એવા તે પુરુષો, પેાતાની મેળે કે બીજા પાસેથી સત્ય જાણી, આ સંસારમાંથી મુક્ત થયા હાય છે. તેએ જ ક્રિયાવાદને ઉપદેશ આપવાને તેમજ બીજાને સંસારસમુદ્રમાંથી બચાવવાને શક્તિમાન થાય છે, [૧૭-૮; ૨૧–૨] આમ કહી, શ્રીસુધ`સ્વામી થેાભ્યા. Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ મું કેટલીક સાફ સાફ વાતો ? શ્રી સુધસ્વામી બેલ્યા : હવે હું તમને મનુષ્યના વિવિધ પ્રકારના સ્વભાવ વેષે કેટલીક સ્પષ્ટ વાત કહી સંભાળવું છું. રાત્રીદિવસ પ્રયત્નશીલ એવા તથાગત પાસેથી સદ્ધર્મ જાણવા છતાં, કેટલાક અધમ ભિક્ષુઓ ઉપદેશવામાં આવેલા સમાધિમાર્ગને સેવતા નથી; ઊલટા, ઉપદેશ આપનારને જ ગમે તેવી વાણું સંભળાવે છે; અથવા સાચે અર્થ સાંભળ્યા છતાં તેનો પોતાની મરજી મુજબ અર્થ કરે છે અને પરમાર્થને છુપાવે છે; અથવા પિતાને શંકા હોય તો બીજા જાણકાર પાસેથી ખુલાસે મેળવવાને બદલે) જૂઠું કહે છે અને આચરે છે. તેવા માયાપૂર્ણ દુર્જને અનંત વિનાશ પામે છે, એમ તમે જાણે. [૧૪] વળી કેટલાક અભિમાની પુરુષે, પિતામાં સાચી શક્તિ ન હોવા છતાં, ખોટી બડાઈ કરે છે અને સામા માણસને ૧. બદ્રીય એ અધ્યયનનું મૂળ નામ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પિતાના પડછાયા જેવો તુચ્છ ગણે છે, અથવા સંન્યાસી ભિક્ષુક થઈને પણ પિતાના બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર કે લિચ્છવીર કુળનો ગર્વ કરે છે. તેવા મનુષ્ય સંન્યાસી છતાં ગૃહસ્થીનું આચરણ કરનારા કહેવાય. તેઓને મુક્તિ પ્રાપ્ત થવી અશકય છે. કારણકે, દીર્ઘકાળ સેવેલા જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કોઈને બચાવી શકતાં નથી. [૮-૧૧] ભલેને કઈ ભિક્ષુ ભાષા ઉપર કાબૂવાળે હેય કે પ્રતિભાવાન પંડિત તથા ગાઢ પ્રજ્ઞાવાળા વિચારક હોય, તો પણ, તે જે પિતાની બુદ્ધિ કે વિભૂતિને કારણે મદમસ્ત થઈ, બીજાને તિરસ્કાર કરે, તે તે પ્રજ્ઞાવાન હોવા છતાં સમાધિ પ્રાપ્ત કરી શકે નહિ. માટે ભિક્ષુએ પ્રજ્ઞામદ. તમદ, ગેત્રમદ તથા ચોથે ધનમદ એ ચાર મદ ન કરવા. જે એવા મદ નથી કરતે, તે જ પંડિત છે અને ઉત્તમ સત્ત્વવાળો છે. ગાત્ર વગેરેથી પર થયેલા મહર્ષિએ જ ગોત્ર વિનાની પરમ ગતિને પામે છે. [૧૩-૧૬] જે ભિક્ષુ સર્વસ્વનો ત્યાગ કરીને તથા લૂખાસુકા મળે તેવા આહાર ઉપર જીવનારો હોવા છતાં, માનપ્રિય અને સ્તુતિની કામનાવાળા હોય છે, તેને એ સંન્યાસ તેની આજીવિકા જ છે. તે ભિક્ષુ જ્ઞાન પામ્યા વિના જ ફરી ફરી આ સંસારને પામે છે. [૧૨] ૧. આવશ્યક સૂત્રમાં, જે ક્ષત્રિય આરક્ષક (રખેવાળ) અને ઉગ્ર દંડ ધારણ કરનારા હતા, તે ઉગ્ર કહેવાતા હતા, એમ જણાવ્યું છે. ૨. એક પ્રસિદ્ધ ક્ષત્રિય વંશનું નામ છે. તેના વિષે સવિસ્તર, વન માટે જુઓ પુરાતત્ત્વ, પુત્ર ૧, પા. ૧૨૫. Page #158 -------------------------------------------------------------------------- ________________ - કેટલીક સાફ સાફ વાતે ૧૪૧ કેટલાક ભિક્ષુઓ કજિયાખોર, કલહપ્રિય તથા તીખા અને ક્રોધી હોય છે. તેઓ ઝઘડાઓમાંથી કદી શાંતિ પામી શકતા નથી. ભિક્ષુએ તો ગુરુની આજ્ઞાનુસાર વર્તનારા, લજ્જાશીલ, પોતાના કામમાં જ નજર રાખનારા, નિષ્કપટ, મધુર તેમજ ડું બોલનારા, પુરુષાથી, જાતવાન, સરળ આચરણવાળા, તથા શાંત હોવું જોઈએ. ધર્મમાં સ્થિર થવા ઈચ્છનાર, તિરસ્કારવા યોગ્ય કે પાપજનક પ્રવૃત્તિઓથી દૂર જ રહે. [૫-૭, ૧૯] શાંતિદાયી કાંતિવાળા તથા ધર્મનું રહસ્ય સમજનારા ભિક્ષુએ, ગામ કે નગરમાં દાખલ થયા બાદ, અન્નપાનનો લોભ રાખ્યા વિના, રતિ અરતિ દૂર કરીને, તથા સંધમાં હોય કે એકલે હોય તો પણ કઠેર સંયમમાં સ્થિર રહીને, પિતાની આખરની એકલી અસહાય દશાની ભાવના કરતા કરતા વિચરવું. તેણે પિતાની મેળે (શાસ્ત્રમાંથી) સમજીને કે ગુરુ પાસેથી સાંભળીને, પ્રજાને હિતકર ધર્મ ઉપદેશો. પરંતુ, કેઈનો ભાવ તર્કથી જાણ્યા વિના, ગમે તેવા શુદ્ર અને અશ્રદ્ધાળુ મનુષ્યને ઉપદેશ ન આપો. સામા માણસનાં કર્મ અને છંદ સમજીને, તેને દુષ્ટ સ્વભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો. કારણ, લેક ભયાનક વિષમાં ગાઢપણે ખેંચાઈ ગયેલા હોય છે. તેણે પૂજન કે પ્રશંસાની ઇચ્છી ન રાખવી કે કેાઈનું પ્રિય કે અપ્રિય કરવાની કામના ન કરવી. એ પ્રમાણે સર્વ અનર્થોને ત્યાગ કરી, મનથી પણ આકુળ કે ગુસ્સે થયા વિના, સર્વ પ્રાણીઓ પ્રત્યે હિંસાને ત્યાગ કરી, જીવિત કે મરણની કામનાથી રહિત થઈ, તેણે સંસારચક્રમાંથી મુક્ત થતા સુધી વિચરવું. [૧૮, ૨૦-૨૩] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. . Page #159 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? શ્રીસુધર્મસ્વામી બેલ્યા : હે વત્સ, શાસ્ત્રનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું તે હવે તને કહું. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ કામભોગની આસકિત ત્યાગીને, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહી, પ્રમાદરહિત બનીને ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. [૧] સમાધિના મૂળ કારણરૂપ ગુરુના સહવાસની શિષ્ય * હંમેશાં ઈચ્છા રાખવી. કારણ કે ગુરુના સહવાસ વિના સંસારનો અંત લાવી શકાતું નથી. મુમુક્ષુ તથા બુદ્ધિશાળી શિષ્ય તે સહવાસની બહાર ન નીકળવું. કારણકે, પાંખે બરાબર આવ્યા વિના માળાની બહાર ઊડવા પ્રયત્ન કરતાં પંખીનાં બચ્ચાંને જેમ ઢક પક્ષીઓ ઉપાડી જાય છે, તેમ ધર્મની બાબતમાં દઢ ન થયેલા શિખાઉને, ગર કે સંધમાંથી વિખૂટો પાડ્યા બાદ તે આપણા કાબૂમાં આવશે” એમ માનતા અનેક હીનધર્મીઓ હરી જાય છે. [૨-૪] Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ૧૪૩ પિતાને કઠેર શબ્દો કહેવામાં આવે તો પણ, શિષ્ય ગુરુ પ્રત્યે દ્વેષયુક્ત ન થવું. પરંતુ, નિદ્રા કે પ્રમાદ સેવ્યા વિના, ગમે તેમ કરી પોતાના સંશય ટાળવા. નાને, મોટા, તેની ઉપરની કેટીન કે સમાન ઉંમરને જે કોઈ તેને શિખવાડતો હોય, તેને તેણે સ્થિરતાથી આદરપૂર્વક સાંભળો. એટલું તો શું, પણ પિોતે ભૂલ કરતો હોય ત્યારે ઘરનું હલકું કામ કરનારી પનિયારી દાસી કે સામાન્ય ગૃહસ્થ પણ તેને સુધારે, તે ગુસ્સે થયા વિના તે કહે તે પ્રમાણે કરવું. કારણ કે, વનમાં માર્ગ ન જાણનારને માર્ગ જાણનાર રસ્તા બતાવે, તે તેમાં તેનું જ શ્રેય છે, તેમ તેણે પણ સમજવું. ધર્મની બાબતમાં પરિપકવ ન થયેલ શિખાઉ શરૂઆતમાં ધર્મને જાણી શકતો નથી. પણ જિન ભગવાનના ઉપદેશથી સમજણ આવ્યા બાદ, સૂર્યોદય થયે જેમ આંખ વડે રસ્ત દેખી શકાય છે, તેમ તે ધર્મને જાણી શકે છે. [૬-૧૩] ગુરને યોગ્ય સમયે શિષ્ય પિતાની શંકાએ પૂછવી તથા તે જે માર્ગ કહી બતાવે, તે કેવલી પુરુષનો માર્ગ છે એમ જાણીને હૃદયમાં સ્થાપવો. એ માર્ગમાં સારી રીતે સ્થિર થયેલા અને પિતાનું અને બીજાનું (પાપ તથા હિંસાથી) રક્ષણ કરનારા ગુરુઓ પાસે જ શંકાસંશયનું યોગ્ય સમાધાન મળી શકે છે. એવા ત્રિલોકદર્શી લોકો જ એવી રીતે ધર્મ કહી શકે છે કે, જેથી શિષ્ય ફરી ભૂલમાં પડતો નથી. સ્થાન, શયન, આસન અને પરાક્રમની બાબતમાં યોગ્ય આચરણવાળા તથા શુભાશુભમાં વિવેકવાળા ગુરુએ પણ, શિખવતી વખતે દરેક વસ્તુ ખુલાસાથી અલગ અલગ સમજાવવી [૧૫-૬૫] તેવા ગુરુ પાસેથી પોતાનું ઈચ્છિત જ્ઞાન શીખનારે શિષ્ય જ પ્રતિભાવાન તથા કુશળ બને છે. તેવો શિષ્ય શુદ્ધ Page #161 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમ ધર્મ માર્ગ પામીને, મેક્ષની ઈચ્છાયુક્ત થઈ, સર્વ સ્થાવરજંગમાં પ્રાણીઓ પ્રત્યે અપ્રમાદી તથા મનમાં પણ બુદ્ધિરહિત બને છે, તથા તપ અને મૌન આચરી, મોક્ષ પામે છે. [૧] ગુરુ પાસેથી ધર્મને બરાબર સમજીને, તેનું રહસ્ય પામ્યા બાદ, તથા તેને પરિપૂર્ણ રીતે સમજાવી શકે તેવા થઈને શિષ્ય બીજાને ઉપદેશ આપવા જવું; તથા સારાખોટાને વિવેક કરી, ગુરુએ કહેલાની મર્યાદા ન ઓળંગાય એ રીતે ઉપદેશ આપવો. એ મોક્ષમાર્ગ કેવી રીતે ઉપદેશો એ જે જાણે છે, તેવા શ્રદ્ધાળુને હાથે સિદ્ધાંતને આંચ આવતી નથી. [૨૪-૨૫). જે સત્યને ચેરત નથી કે છુપાવત નથી, અલ્પ અર્થવાળી વસ્તુને આડંબરથી મટી કરતું નથી, તથા સૂત્ર કે તેના અર્થની બનાવટ કરતો નથી, તે માણસ સિદ્ધાંતનો સાચો રક્ષક છે. ગુરુ પ્રત્યે ભકિતવાળે તે શિષ્ય, ગુરુના કહેલાને વિચાર કરીને, સાંભળેલી વસ્તુ બરાબર કહી સંભળાવે છે. [૨૬,૨૩] જે શાસ્ત્રોને શુદ્ધ રીતે સમજે છે, જે તપસ્વી છે, જે ધર્મને વિગતવાર જાણે છે, જેનું કહેવું પ્રામાણિક છે, જે કુશળ છે તથા વિવેકયુક્ત છે, તે મોક્ષમાર્ગ ઉપદેશવાને યોગ્ય છે. ધર્મને સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરીને જેઓ ઉપદેશ આપે છે, તે બુદ્ધ પુરુષો સંસારને અંત કરાવી શકે છે. પિતાની તેમજ બીજાની મુક્તિ સાધનારે તેઓ જુગજૂના પ્રશ્નોને નિડે આપી શકે છે. [૨૭, ૧૮] જ્ઞાની પુરુષ જ્ઞાનના બદલામાં માનઆબરૂની કે આજીવિકાની કામના ન કરે. તે સત્યને છુપાવે નહીં કે તેને લેપ કરે નહીં; અનર્થકારક ધર્મ ના ઉપદેશે; બેટા Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ૧૪૫ સિદ્ધાંતની પણ તુચ્છકારપૂર્વક ઠેકડી ન કરે; સાચું પણ કર્કશ ન બોલે તથા પિતાની બડાઈ ન કરે. પિતાને અમુક બાબતમાં શંકા ન હોય છતાં તે બાબતમાં પણ તે દુરાગ્રહી ન થાય અને સ્વાસ્વાદનું અનુસરણ કરે. પ્રજ્ઞાવાન પુરુષે સમતાપૂર્વક દરેક બાબતમાં “આ અમુક દષ્ટિએ આમ પણ છે અને અમુક દૃષ્ટિએ આમ પણ છે” એમ બેવડી વાણી બોલવી. [૧૯-૨૨] પિતે ઉપદેશેલું શિષ્ય કદાચ ઊંધું સમજે, તોપણ તેને શાંતિથી અને કર્કશ ભાષા વાપર્યા વિના તે વસ્તુ ફરી સમજાવવી, પરંતુ કદી અપશબ્દથી તેને તિરસ્કાર ન કરવો. [૨૩] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. ૧. મૂળ : વિભજ્યવાદ. સ્યાદ્વાદના અર્થ માટે ઉદ્દઘાતમાં સંજયબેલીપુત્તવાળે વિભાગ જુઓ. Page #163 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫ મું ઉપસંહાર શ્રીસુધર્મ સ્વામી બેલ્યા: હે આયુમન ! અત્યાર સુધી મેં તને ભગવાન મહાવીરે પ્રબંધેલા સંયમધમ વિષે કહ્યું. સારાંશે હવે કહું છું કે: ભગવાન મહાવીર અતીત, વર્તમાન તથા ભવિષ્યને જાણે છે. કારણકે, તેમણે સત્ય દર્શન (અને જ્ઞાન) માં અંતરાયક કર્મોનો અંત આપે છે. સંશયને અંત લાવનાર તે ભગવાને આ અનુપમ ધર્મ કહેલો છે. તેવા ઉપદેશક ઠેરઠેર નથી થતા. તેમણે દરેક બાબત ઉપર યથાર્થ ૧મૂળ : નમયમ્ “ચમક વાળું. “શૃંખલાયમક અલંકારમાં દરેક ગ્લૅકનો કે ચરણનો છેલ્લો અક્ષર એ પછીના શ્લોક કે ચરણને પહેલે અક્ષર બને છે. નિર્યુક્તિકારે આ અધ્યયનનું બીજું નામ આદાનીયસંકલિયા (શૃંખલા) સૂચવ્યું છે. તેમાં પણ આ ખલા ચમક નામનું જ સૂચન છે.” – જેકેબી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઉપદેશ આપેલો છે. કેમકે, તેઓ સદા સત્યથી સંપન્ન હે હંમેશાં ભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીયુક્ત હતા. [૧-૩] ભૂતપ્રાણીઓને દેષ ન કરે એ જ સંયમી પુરુષોનો સાચે ધર્મ છે. બુદ્ધિમાન પુરુષો આ જગતમાં રહેલા પાપને જાણ, તેમાંથી છૂટા થઈ જાય છે. કારણ, કર્મનું યથાર્થ સ્વરૂપ સમજી જે નવું કર્મ કરતા નથી, તેને નવું કર્મબંધન પણ પ્રાપ્ત થતું નથી. બાર ભાવનાઓ રૂપી ગથી વિશુદ્ધ થયેલા અંત:કરણવાળે તે સંયમી પુરુષ નાવની પેઠે સામે કિનારે પહોંચી જઈ, સર્વ દુઃખેથી મુક્ત થાય છે. [૪-૭] મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. મનુષ્યજન્મથી યુત થનારને પછી સમ્યમ્ જ્ઞાન થવું દુર્લભ છે, તેમજ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. મનુષ્યલકમાં આપણે ધર્મની આરાધના માટે જ મનુષ્ય થયા છીએ. લેકત્તર ધર્મનું અનુસરણ કરનાર કાંતિ કૃતકૃત્ય થઈ જાય છે, અથવા ઉત્તમ ગતિને પામે છે. માટે મનુષ્યદેહ પ્રાપ્ત કરી, કર્મોને નાશ થાય એવું પરાક્રમ પ્રગટાવી, ઈદ્રિના પ્રવાહોને રોકી, વિકારરહિત થવા પ્રયત્નો કરો. કારણકે, ત્યાં સુધી ધર્મમાર્ગમાં આચરણ અસંભવિત છે. સ્ત્રીઓ અને તેવા બીજા કામભોગો ડુકકરને ફાંસામાં સપડાવનારની નીવાર જેવા છે. જેઓ સ્ત્રીઓને સેવતા નથી, તેઓ આ સંસારમાં મુક્ત (જેવા) છે. વિષયે છાનો અંત લાવનાર પુરુષ મનુષ્યના ચક્ષુરૂપ છે. માટે એ “અંત પામવાને જ પ્રયત્નશીલ થાઓ. ૨, જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ જુઓને, અસ્ત્રાનો પણ અંત” (ધાર) જ કામ આવે છે અને પિંડું પણ અંત (નેમિ) ઉપર જ ફરે છે. બુદ્ધિમાન મનુષ્ય વસ્તુઓના “અંત ૧ સેવે છે, તેથી જ સંસારનો પણ અંત લાવી શકે છે. [૧૩, ૧૫-૮, ૨૨] આમ જેણે પૂર્વે બાંધેલું કર્મ ખંખેરી નાખ્યું છે, અને નવું થવા દીધું નથી, તે મહા વીર પછી જન્મતો નથી કે મરતો નથી. વાયુ જેમ વાળાને ઓળંગી જાય છે, તેમ તે જગતના મને રમ કામગોને ઓળંગી જાય છે તેને હવે કશે સંકલ્પ રહ્યો નથી તેમજ જીવિત કે મરણની પણ કામના રહી નથી. તે હવે જગતના ચક્ષુરૂપ બને છે. પિતાનાં પૂર્વકર્મોને લીધે તે હવે મોક્ષમાર્ગ ઉપદેશે છે. તે ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓ પ્રમાણે ભિન્ન ભિન્ન હોય છે. તેને જગતના પૂજન સત્કારની દરકાર હોતી નથી. જે મનુષ્ય શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વોત્તમ ધર્મનો ઉપદેશ આપતો હોય અને પિતે પણ તે ધર્મને સ્થાનરૂપ બન્યું હોય, તે પ્રજ્ઞાવાન તથાગતને હવે બીજા જન્મની વાત કેવી ? [૮, ૧૦–૧, ૧૯-૨૦ તે ઉત્તમ સ્થાન કાશ્યપે કહી બતાવ્યું છે. તેને પ્રાપ્ત કરીને નિશ્ચિંત થયેલા કેટલાય બુદ્ધિશાળી લેકે પરમ શાંતિ પામ્યા છે. સર્વ સાધુ પુરુષોને સંમત એ તે મોક્ષમાર્ગ કર્મરૂપી શલ્યને ઉખેડી નાખે છે. એ દુર્બોધ માર્ગનો અંત પ્રગટ કરનારા મુક્ત પુરુષો પૂર્વે થઈ ગયા છે અને બીજા પણ તેવા સુંદર આચરણવાળા હજુ થશે. [૨૧, ૨૪-૨૫] (૧) જેમકે ગામને “અંતે એટલે કે ગામ બહાર રહેવું; ખોરાકનો “સંત” એટલે જીવનનિર્વાહ પૂરતો લૂખોપા બરાક. તે જ પ્રમાણે ઇચ્છાઓના અંત વગેરેનું સમજવું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ટિ૫ણે ટિપ્પલ્સ નં. ૧ : ૧. “બધું અનિત્ય છે ” એવું ચિંતન તે અનિત્યભાવના. ૨. “દુઃખ-મરણમાંથી કેઈ બચાવી શકે તેમ નથી ” એવું ચિંતન તે અશરણભાવના. ૩. “અનેક યોનિઓવાળે આ સંસાર સ્તર છે ” એવું ચિંતન તે સંસારભાવના. ૪. કર્મોનું ફળ એકલાને જ ભોગવવું પડવાનું છે ” એવું ચિંતન તે એકત્વભાવના. ૫. “શરીરથી આત્મા અન્ય છે અથવા દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ કોઈનું નથી” એવું ચિંતન તે અન્યત્વભાવના. ૬. “આ દેહ અપવિત્ર છે ” એવું ચિંતન તે અશુચિભાવના. ૭. “આપણું પ્રવૃત્તિઓ મારફતે કર્મ આપણુમાં દાખલ થાય છે ” એવું ચિંતન તે આસ્રવભાવના. ૮. “તેને શુભ પ્રવૃત્તિઓથી અટકાવી શકાય છે” એવું ચિંતન તે સંવરભાવને. ૯. “તેને તપ સંચમ આદિથી દૂર કરી શકાય છે” એવું ચિંતન તે નિર્જરાભાવના. ૧૦. “દેવ મનુષ્ય સર્વ ગતિઓમાં સુખ નથી, સુખ માત્ર આ સંસારની ટોચ ઉપર આવેલા સિદ્ધકમાં છે, જ્યાં આત્મા પિતાના મૂળ શુદ્ધ સ્વરૂપે બિરાજે છે' એવું ચિંતન તે લેકભાવના. ૧૧. “સંસારમાં આત્માને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે ” એવું ચિંતન તે બેધાર્લભભાવના. ૧૨. “ધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રના બોધક ગુર અને એને ઉપદેશ દુર્લભ છે” એવું ચિંતન તે ધર્મદુલભભાવના. Page #167 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ મુ ગાથા શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા : આ પ્રમાણે જે ઇંદ્રિયનિગ્રહી હેાય,મુમુક્ષુ હાય, તથા શરીર ઉપર મમતા વિનાના હાય, તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય. તે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે, તે રાગદ્વેષ, કલહ, ખાટી નિ ́દા, ચુગલી, કુથલી, સંયમમાં અતિ, ૧. આ આખું અધ્યયન ગદ્યમાં હાઈ, તેનું બાહ્ય રૂપ કે વિષય એમાંથી એકે તેના નામને અનુરૂપ નથી. નિરુક્તિકાર તેનું આ નામ સાથે છે એવું ઠરાવવા બે ત્રણ ખુલાસા આપે છે, તે ત્રણમાંથી, • આગલાં પંદર અધ્યયનાના ઉપદેશ આમાં ગાથીકૃત એટલે કે એકત્રિત કરેલા છે. માટે તેનું નામ ગાથા છે,’ એ ખુલાસા વજૂદાળા કહી શકાય. આ આ ૧૬મા અધ્યયનના નામ સૂત્રમાં (૩૧–૧૩) સાળમા અધ્યયનનું નામ ગાથા છે) કહ્યો છે. ઉપરથી જ ઉત્તરાધ્યયન પ્રથમ ખંડને વથાપોદરા ('જેના Page #168 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં રતિ, કુડકપટ અને જૂઠ વગેરે સર્વ પાપકર્મોથી વિરત થયે હેય છે; મિથ્યા માન્યતાઓ રૂપી કાંટા વિનાને હોય છે; સમ્યક્ પ્રવૃત્તિવાળો હોય છે; હંમેશાં યત્નવાન હોય છે; પિતાના કલ્યાણમાં તત્પર હોય છે; કદી ગુસ્સે થતું નથી તથા અભિમાન કરતું નથી. [૧] તે શ્રમણ એટલા માટે કહેવાય છે, તે વિઘોથી હારી જતો નથી, તથા સર્વ પ્રકારની આકાંક્ષાઓ વિનાને હોય છે. વળી તે પરિગ્રહ, હિંસા, જૂઠ, મૈથુન, ક્રોધ, માન, માયા, લેભ, રાગ તથા ટ્રેષરૂપી પાપનાં મૂળ કારણ, કે જેમના વડે પાપકર્મ બંધાય છે તથા જે આત્માને દેષિત કરે છે, તે સર્વથી પહેલેથી જ વિરત થયેલ હોય છે. [૨] તે ભિલું એટલા માટે કહેવાય છે, તે અભિમાન વિનાને હોય છે, નમ્ર હોય છે તથા ગુરુની આજ્ઞાનું પાલન કરનારો હોય છે. તે વિવિધ પ્રકારનાં કષ્ટો અને વિઘોથી દબાઈ જતું નથી. અધ્યાત્મયોગથી તેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું હોય છે. તે પ્રયત્નશીલ હોય છે, સ્થિર ચિત્તવાળો હોય છે અને પારકાએ આપેલા ભેજનથી મર્યાદામાં રહીને જીવનનિર્વાહ કરતો હોય છે. [૩] તે નિગ્રંથ એટલા માટે કહેવાય કે, તે એકલો હેય છે, એકને જાણનાર હોય છે, જાગેલું હોય છે, ૧. રાગદ્વેષરહિત અથવા સંન્યાસી. ૨. ટીકાકાર એવો અર્થ ઘટાવે છે કે : તે આત્માને એક (કોઈની સહાય વિનાને તથા એકલો જ પિતાનાં કર્મફળ ભોગવનાર) જાણે છે. અથવા તે “એક એટલે શ્રેષ્ઠ એવા મોક્ષ અથવા ધર્મને જાણે છે, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાપકર્મોના પ્રવાહોને રોકનારો હોય છે, સુસંયત હેય છે, સમ્યક્ પ્રવૃતિવાળો હોય છે, સમભાવયુક્ત હોય છે, આત્મતત્ત્વ સમજનારે હોય છે, વિદ્વાન હોય છે, ઇદ્રિની વિષયો તરફની પ્રવૃત્તિ તથા અનુકૂળ પ્રતિકૂળ વિષ તરફ રાગદ્વેષ – એમ બંને પ્રકારના પ્રવાહને રોકનારે હોય છે, પૂજાસત્કાર અને લાભની ઈચ્છા વિનાનો હોય છે, ધર્માથી હોય છે, ધર્મસ હોય છે, મેલપરાયણ હોય છે તથા સમતાપૂર્વક વર્તનારે હોય છે. (ભગવાન મહાવીરે કહ્યું છે કે, “આ બધું મેં કહ્યું છે તેવું જ તમે જાણે. કારણ હું ભયમાંથી રક્ષણ કરનાર (સર્વ) છું.”૧. - આમ કહી, શ્રીસુધર્મસ્વામી ભા. ૧. આ શબ્દો કોના ગણવા તે સહેજે ગૂચવે તેવો પ્રશ્ન છે. ટીકાકાર આ શબ્દો સુધર્મ સ્વામીના જ ગણું, આ અર્થ કરે છે: “કારણ, ભયમાંથી રક્ષણ કરનાર (મહાવીર ભગવાને જેમ કહ્યું છે) એમ હું કહું છું. ” દરેક અધ્યયનને અંતે એમ હું કહું છું” એવા શબ્દો હોય છે. તે આ વાક્ય સાથે જોડી દેવાથી તે અર્થ થાય પણ ખરો. Page #170 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધર્મ ખંડ ૨ જે Page #171 -------------------------------------------------------------------------- ________________ Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું પુંડરીક શ્રી સુધર્મસ્વામી બુસ્વામી વગેરેને ઉદ્દેશીને બોલ્યા : એક વખત ભગવાન મહાવીરે એક અબુત રૂપક કહેલું તે તમે સાંભળોઃ એક ઘણું પાણી તથા કાદવવાળી, ધોળાં કમળથી ભરેલી, જોવાલાયક, રમણીય તથા મનહર પુષ્કરિણી હતી. તેમાં અહીંતહીં ચારેબાજુ મોટી સંખ્યામાં કમળોમાં શ્રેષ્ઠ એવાં શ્વેત કમળો ઊગ્યાં હતાં. તે પુષ્કરિણીને બરાબર મધ્યભાગમાં તે સર્વ શ્વેત કમળોમાં પણ શ્રેષ્ઠ એવું એક મોટું શ્વેત કમળ ઊગ્યું હતું. તે યોગ્ય સ્થળે ઊગેલું હોઈ ઊંચું, તેજસ્વી, રંગ, ગંધ, રસ અને કોમળતાથી ભરેલું તથા જોવાલાયક, રમણીય અને મને હર હતું. [૧] હવે, પૂર્વ દિશામાંથી એક પુરુષ તે પુષ્કરિણી તરફ • આવી ચડ્યો. તેણે કિનારા ઉપર ઊભા ઊભા પેલું મેટું કમળ જોયું. તેને જોઈને તે કહેવા લાગે : “હું એક Page #173 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ જાણકાર, કાળ, પંડિત, વિવેકી, બુદ્ધિમાન, પાકી ઉમરનો, માગે રહેનાર, તથા માર્ગ તેમજ માર્ગની આંટીઘૂંટી જાણનારે માણસ છું. માટે હું કમળમાં શ્રેષ્ઠ એવા આ શ્વેત કમળને લઈ આવું.' આમ વિચારી તે માણસ પુષ્કરિણીમાં ઊતર્યો. પણ તે જેમ જેમ પુષ્કરિણીમાં ઊતરવા લાગે, તેમ તેમ પાણી અને કાદવ વધતાં ચાલ્યાં. આમ તે કિનારાથી ઘણે દૂર નીકળી ગયો, પણ તકમળ સુધી પહોંચી શક્યો નહીં. પછી તે તે ન પાછો આવી શકે તેમ રહ્યું, કે ન સામે પાર નીકળી શકે તેમ રહ્યું. આમ પુષ્કરિણીની અધવચ જ તે પ્રથમ પુરુષ કાદવમાં કળી ગયે. [૨] પછી દક્ષિણ દિશામાંથી એક બીજો પુરુષ આવ્યું. તેણે પિલું કમળ તેમજ તેને લેવા જતાં અધવચ કળી ગયેલે પેલે પુરુષ જે. પછી તેના કરતાં પિતાને વધુ જાણકાર અને અનુભવી માની, તે પુરુષ પણ તે કમળ લેવા અંદર ઊતર્યો અને પ્રથમ પુરુષની માફક જ અધવચ કળી ગયો. [૩]. તે જ પ્રમાણે પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુની અને ઉત્તર દિશામાંથી આવેલા ચોથા પુરુષની પણ વલે થઈ. [૪–૫] ત્યારબાદ રાગદ્વેષથી રહિત, (સંસારને) સામે પાર પહોંચવાની કામનાવાળા, જાણકાર, કુશળ...એ કેાઈ એક ભિક્ષુ એકાદ દિશામાંથી કે ખૂણામાંથી ત્યાં આવી ચડ્યો. તેણે તે કમળને તથા કળી ગયેલા પિલા ચારે પુરુષોને જોયા. Page #174 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક ૧૫૭ તે સમજી ગયો કે આ લેક પિતાને જાણકાર તથા કુશળ માની, આ કમળ લેવા જતાં તળાવના કાદવમાં કળી ગયા છે. પરંતુ આ કમળ એ રીતે લેવા ન જવું જોઈએ. એમ વિચારી, તેણે કિનારા ઉપર ઊભા ઊભા જ બૂમ પાડી : “હે શ્વેત કમળ ! અહીં ઊડી આવ.' એટલે પેલું શ્વેત કમળ ઊડીને તેની પાસે આવી પડયું ! [૬] ભગવાન મહાવીરે કહેલી આ કથાનું તાત્પર્ય કોઈ સાધુ કે સાધ્વી ન સમજી શકવાથી, તેમણે પિતે જ તેનું રહસ્ય આ પ્રમાણે કહી સંભળાવ્યું: આ રૂપકમાં પુષ્કરિણી એ સંસાર છે, તેનું પાણી તે કર્મો અને કાદવ તે કામભોગે. છેત કમળો. તે જનસમુદાય, અને શ્રેષ્ઠ કમળ તે રાજા. જુદા જુદા વાદીઓ (મતપ્રચારકે) તે પિલા ચાર પુરુષપેલો ભિક્ષુ તે બીજે કાઈ નહિ પણ સદ્ધર્મ. કિનારો એટલે સંધ. ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ અને કમળનું ઊડી આવવું તે નિર્વાણ પ્રાપ્તિ. એટલે કે સદ્ધર્મ સિવાય બીજું કોઈ સંસારમાંથી નિર્વાણ અપાવી ન શકે. જે બધા વાદીઓ પિતે જ કર્મો અને કામગોમાં બંધાયેલા હોય છે, તે બીજાને નિર્વાણ અપાવતા પહેલાં પિતે જ સંસારમાં ડૂબી મરે છે. [૭-૮] - આ સંસારમાં જુદી જુદી દિશાઓમાં સર્વત્ર અનેક મનુષ્ય પોતપોતાનાં કર્મ અનુસાર ઊંચનીચ જાતિ કે ગેત્રમાં ઓછીવત્તી વિભૂતિ સાથે જમ્યાં હોય છે. તે બધાંમાં સૌથી વધારે રૂપ, ગુણ, બળ અને વૈભવયુક્ત એ એક રાજા હોય છે. તે પિતાની પ્રજાનું આંતર બાહ્ય સર્વ શત્રુઓથી રક્ષણ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મહાવીર સ્વામીને સંયમ ધર્મ કરી, પ્રજાનું બધી રીતે પાલન કરતે હોય છે. તેની સુખ્યાતિ -સાંભળી, જુદા જુદા પંથના શ્રમણબ્રાહ્મણો, તેને આપણા મતમાં લાવીશું તે તેની સમસ્ત પ્રજા પણ આપણું મતમાં આવશે અને પછી આપણને સુખસામગ્રીની મણું નહિ રહે એમ માની, તેને પિતાના પંથમાં લાવવા તેની પાસે જાય છે અને તેને જઈને કહે છે કે, અમે અમુક ધર્મ સારી રીતે સમજાવી તથા શીખવી શકીએ તેમ છીએ. અમારે તે ધર્મ આ પ્રમાણે છે : પગના તળિયાથી ઊંચે, માથાના વાળના મૂળિયાથી નીચે, તથા આજુબાજુ ચામડીની સપાટી સુધીનું જે શરીર એ જ જીવ છે. શરીર ટકી રહે છે ત્યાં સુધી તે ટકી રહે છે અને શરીર મરણું પામતાં તેને પણ નાશ થાય છે. પછી તેને બાળી નાખવા લેકે લઈ જાય છે. અગ્નિથી તે શરીર બળી જાય છે ત્યારે ભૂખરા રંગનાં હાડકાંઓ પડી રહે છે. ફક્ત ૧. મૂળમાં રાજાના વર્ણનમાં વાપરેલાં નીચેનાં કેટલાંક વિશેષણ જેવા જેવાં છેમાતાપિતાથી સારી રીતે જન્મેલે અને ઊછરેલું હોય છે. બીજાઓ માટે મર્યાદા નક્કી કરનાર તથા પિતે મર્યાદાનું ધારણ કરનાર હોય છે; બીજાનું ક્ષેમ કરનાર તથા ધારણ કરનાર હોય છે; જનપદને પિતા, પુરોહિત, સેતુ અને કેતુ હોય છે; ધન મેળવવામાં અને તેનો પ્રયોગ કરવામાં કુશળ, બળવાન, દુબળોનો રક્ષક તથા વિરોધીઓ અને શત્રુઓને નિમૂળ કરનારો હેય છે. તેણે દુકાળ, મહામારી તથા બીજા રોગોના ભયથી પ્રજાને મુક્ત કરી હોય છે. તે રાજાની પરિષદ પણ ભોગવંશીય, ઐક્વાકુવંશીય, જ્ઞાતૃવંશીય, કૌરવવંશીય, લિચ્છવીવંશીય, ઉગ્રવંશીય, ક્ષત્રિય તથા બ્રાહ્મણે અમાત્યો અને સેનાપતિઓની બનેલી હોય છે. ” Page #176 -------------------------------------------------------------------------- ________________ પુડરીક ૧૫૯ ગામમાં ક્રે તેના ખાટલા અને તેને ઊંચકનારા ચાર જણા છે. માટે શરીરથી જીવ જીંદો નથી. જે લેાકા એમ કહે છે કે, જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓને પૂછે તે ખરા, કે ભલા, એ જીવ લાંખે! છે, ટૂંકા છે, ત્રિકાળુ છે, ચેારસ છે, રાતા છે, પીળા છે, સુગંધી છે, દુગંધી છે, કડવા છે, તીખા છે, બરછટ છે, સુંવાળા છે, ભારે છે કે હલકા છે...? જેમ કાઈ પુરુષ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકે છે, તેમ આત્માને શરીરમાંથી ભુદે કાઢીને કાઈ બતાવી શકતું નથી; અથવા જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે, કે દહીમાંથી માખણ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને કાઈ શરીરમાંથી જુદા કાઢીને બતાવી શકતું નથી. માટે હૈ ભાઈએ ! આ શરીર છે ત્યાં સુધી જ જીવ છે. પરલેાક અરલેાક કાંઈ નથી. કારણ, મર્યા પછી ત્યાં જનાર જ કાઈ નથી. માટે શરીર છે ત્યાં સુધી બાળા, રાંધો, લૂંટ, ઝૂટા — ફાવે સુખી થાઓ. મારા, ખાદે, છે, - તેમ આમ કેટલાક વિચારી લેાકેા પ્રત્રજ્યા લઈ પેાતે કલ્પી કાઢેલા ધમ ઉપદેશ છે. તે ક્રિયા-અક્રિયા, સુકૃતદુષ્કૃત, કલ્યાણ–પાપ, સાધુ-અસાધુ, સિદ્ધિ—અસિદ્ધિ, નરક કે ન–નરક એવું કાંઈ માનતા નથી. તેએ વિવિધ પ્રવૃિત્તિ કરો, — પણ WA ૧. મૂળમાં એ ઉપરાંત ખીન્ન નીચેના દાખલા પણ છે : મુંજમાંથી સળી, માંસમાંથી હાડકું, હાથમાંથી આમળું, શેરડીમાંથી રસ, અને અણુિમાંથી અગ્નિ. ૨. કારણ, મરણ પછી પણ આત્મા કાયમ રહેતા હાય અને પાપપુણ્યનું ફળ ભોગવવું પડતું હોય, તા જ એ બધા શબ્દોનો કાંઈ કે અથ હાઈ શકે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મહાવીરસ્વામીને સંયમ ધર્મ દ્વારા વિવિધ કામગે સેવ્યાં કરે છે. તેમનામાં શ્રદ્ધા રાખનારા લેકે પણ તેમને કહે છે : વાહ ! ઘણું સારું કહ્યું, ઘણું સાચું કહ્યું. હે શ્રમણ, હે બ્રાહ્મણ, હે આયુમન ! અમે ખાનપાન, મુખવાસ, મીઠાઈ, વસ્ત્ર, પાત્ર, કબળ અને રજેયણાથી આપનું પૂજન કરીએ છીએ ! આમ કેટલાય (સુખોપભોગ તથા) પૂજન સત્કારની લાલચે એ માર્ગ તરફ વળી જાય છે અને પછી બીજાને પણ લલચાવે છે. શરૂઆતમાં તો તેઓ પાપકર્મને ત્યાગ કરવાને અર્થે ઘરબાર, પુત્ર, પશુ ત્યાગી, ભિક્ષુક શ્રમણ બન્યા હોય છે. પરંતુ પિતે કામનાઓથી પર ન બન્યા હોવાથી, જાતે પાપકર્મો કરે છે અને બીજા પાસે કરાવે છે. એવા સ્ત્રી વગેરે કામગોમાં આસક્ત, લંપટ તથા લુબ્ધ પુરુષો પિતાની જાતને પણ મુક્ત કરી શકતા નથી કે બીજાને પણ મુક્ત કરી શકતા નથી. ગૃહસંસાર છોડવા છતાં, આર્ય માર્ગને ન પામેલા તેઓ, નથી આ તરફ આવી શકતા કે નથી સામે પાર જઈ શકતા; પરંતુ વચ્ચે જ કામભોગમાં ખેંચી જાય છે. આમ, “જે શરીર છે તે જ જીવ છે ” એવું માનનારા તજજીવત૭રીરવાદી ” નું વર્ણન પૂરું થયું. [૯] હવે પંચમહાભૂતમાં માનનારા બીજા પુરુષનું વર્ણન કહેવામાં આવે છે. તે પણ રાજા પાસે આવીને કહે છે : હે રાજન ! આ લોકમાં પાંચ મહાભૂતો જ છે. તેમના વડે ઘાસના તણખલા સુધીની બધી વસ્તુઓ અમે ઘટાવી શકીએ છીએ. પાંચ મહાભૂત તે આ પ્રમાણે પૃથ્વી, પાણ, તેજ, વાયુ અને આકાશ. તેમના એકઠા મળવાથી આ બધા પદાર્થો બન્યા છે. પણ તેમને પિતાને કેઈએ Page #178 -------------------------------------------------------------------------- ________________ પુરીક ૧૩૧ નિમ્યો નથી. તેમે અનાદિ અને અવિનાશી છે. તેગ્મા કાર્યો ઉત્પન્ન કરે છે પણ તેમાં તેમને પુરૅહિતની જરૂર પડતી નથી. તેઓ સ્વતંત્ર છે. શરીરાકારે એકઠાં થયેલાં આ પાંચમાંથી છૂટ્ટો આત્મા ઉત્પન્ન થાય છે અને શરીર નાશ થયે પાછે! નાશ પામી જાય છે. જે વસ્તુ પ્રથમથી અસત્ હાય છે, તેની ઉત્પત્તિ થતી નથી. અને સત્ હોય છે તેને નાશ થતે નથી. બધાં પ્રાણીએ, બધા પદાર્થો અને આખું જગત એ પંચ મહાભૂતાનું જ બનેલું છે, અને એ પચ મહાભૂતો જ તણખલા સરખી પણ લેાકપ્રવૃત્તિનું મુખ— સાધન છે. માટે માણસ કઈ ખરીદે--ખરીદાવે, હો ણાવે, રાંધે ર ધાવે, અરે ખુદ માણસને ખરીદીને તેનું માંસ રંધાવે, તાપણું તેમાં કાંઈ ાષ નથી. આમ આ લૈકા પણ ક્રિયા—અક્રિયા, સુકૃત-દુષ્કૃત, કલ્યાણપાપ યાદિ કાંઈ માનતા ન હેાવાથી, વિવિધ પ્રવૃત્ત દ્વારા વિવિધ કામબાગા ભોગવ્યાં કરે છે, તે પણ નથી આ તરફ આવી શકતા, કે નથી સામે પાર જઈ શકતા; પરંતુ વચ્ચે જ કામભોગામાં ખેંચી જાય છે. આમ પંચ મહાભૂતમાં માનનારા બીજા પુરુષનું વર્ણન પૂરું થયું. [૧૦] હવે ઇશ્વરને સનું કારણ માનનારા ત્રીજો પુરુષ આવે છે. તે કહે છે : જગતના અધા પદાર્થોનું આદે પણ શ્વર છે, અંત પણ ઈશ્વર છે. તેમને ઈશ્વરે બનાવ્યા છે. તેએ ―――― ' ૧. મૂળમાં શરૂઆત ઈશ્વર ’ થી કરી, પછી ખધે ઠેકાણે પુરુષ' શબ્દ વાપર્યો છે, અને ઉપસંહાર પા। ‘ ઈધરકારકિ’ શબ્દથી કર્યો છે. ટીકાકારે આ વાદીને ઈશ્વરકારણિક તથા આત્મવિવત વાદી – અદ્વૈતવાદી – પણ કહ્યો છે. આ અતિમ અ ઘડાવવા માટે ‘પુરુષ’ના અ આત્મા ' સમજવા જોઈએ. " Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર મહાવીર સ્વામીને સંયમ ધર્મ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયા છે; તેઓ ઈશ્વર વડે પ્રકાશિત થયા છે; સર્વ પ્રકારે ઈશ્વરમાં રહેલા છે અને ઈશ્વરને આશ્રીને વર્તે છે. જેમ ગૂમડું તથા બેચેની શરીરમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં રહે છે અને શરીરને આશ્રીને વર્તે છે, તેમ ૧ શ્રમનિગ્રંથોએ ઉપદેશેલાં, રચેલાં અને પ્રચારમાં આણેલાં બાર અંગારૂપી ગાપિટક મિથ્યા છે, ખરાં નથી, તેમજ યથાર્થ નથી. પરંતુ અમારે આ સિદ્ધાંત સાચે છે, તથા યથાર્થ છે. આમ બધું જ ઈવધીન માનનારા તેઓ ક્રિયા–અક્રિયા, સુકૃત-દુષ્કત વગેરે કાંઈ માનતા નથી. એટલે પછી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કામગે જ ભોગવ્યાં કરે છે. પિતાની આવી અવળ સમજ તેઓ બીજાઓમાં પણ ઊભી કરે છે અને સર્વત્ર ફેલાવે છે. તેઓ પણ, પક્ષી પાંજરામાંથી છૂટી ન શકે તેમ, પિતાની અવળી સમજથી ઉત્પન્ન થતા કર્મો અને દુઃખોમાંથી છૂટી શકતા નથી. અને આ પાર કે પેલે પાર પહોંચવાને બદલે ૧. મૂળમાં તેવા જ બીજા દાખલા પણ આપ્યા છે : કીડીને રાફડે અને માટી, વૃક્ષ અને જમીન, તલાવડી અને જમીન, પાણીને સમુદાય અને પાણી પાણીનો પરપેટે અને પાણું. ૨. જુઓ ઉપઘાત, શરૂઆતને ભાગ. . . ૩. તેઓ જીવની સવ શુભાશુભ ક્રિયાનું કારણ ઈશ્વરને જ માને છે, અને જીવને કર્મની સર્વ જવાબદારીમાંથી મુક્ત કરે છે : अज्ञो जन्तुरनीशः स्यादात्मनः सुखदुःखया : । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥ एष ह्येव साधु कम कारयति तं यमेभ्यो लोकेभ्य उन्निनीषत, एष उ एवासाधु कर्भ कारयति तं यमो निनीषत ।। શી. રૂ. Page #180 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક અધવચ જ કામગોમાં ખૂંપી જાય છે. આમ ઈશ્વરને સર્વનું કારણ માનનારા ત્રીજા પુરુષનું વર્ણન પૂરું [૧૧] હવે નિયતિને સર્વનું કારણ માનનારે ચૂંથો પુરુષ આવે છે. તે કહે છે : આ જગતમાં બે પ્રકારના માણસો હોય છે. એક ક્રિયાને માને છે અને બીજા અક્રિયામાં માને છે. તેઓ બંને એક જ સમાન વસ્તુનું કારણ ભિન્ન ભિન્ન સમજતા હોય છે. તેમાં જે મૂર્ખ હોય છે, તે આવું કારણ સમજે છે: “ હું દુઃખી થાઉં છું, શોક પામું છું, મૂરું છું, પિટાઉ છું અને પરિતાપ પામું છું... એ બધું મારાં કરેલાંનું ફળ છે. તે જ પ્રમાણે બીજો કોઈ પણ જ્યારે દુઃખી થાય છે અને શોક પામે છે, ત્યારે તે પણ તેનાં કરેલાંનું ફળ છે.” તે મૂર્ખ માણસ પિતાના અથવા બીજાના દુઃખનું કારણ આમ સમજે છે. પરંતુ બુદ્ધિશાળી મનુષ્ય તેનું કારણ આ પ્રમાણે સમજે છે : “ હું જે દુઃખ શોક કે પરિતાપ વગેરે પામું છું, તે બધું મારાં કરેલાંનું ફળ નથી. તે જ પ્રમાણે બીજે પણ જ્યારે દુઃખ શોકાદિ પામે છે, ત્યારે તે બધું તેનાં કરેલાંનું ફળ હોતું નથી; એ બધું નિયતિ – બનવાકાળ – પ્રમાણે બન્યા કરે છે. આ બધા જે સ્થાવર-જંગમ પ્રાણ છે, તે નિયતિને કારણે જ શરીરસંબંધ પામે છે તથા બાલ્ય–યૌવન તેમજ કાણાપણું, લંગડાપણું, રોગ, શોક વગેરે અવસ્થાએ ભોગવે છે; તથા તે જ પ્રમાણે નિયતિને કારણે જ શરીરથી પાછા વિખૂટા પડે છે. આ બધું નિયતિથી થયેલું છે એમ માની, તેઓ ક્રિયા–અક્રિયા સુકૃત–દુષ્કત વગેરે કાંઈ માનતા નથી. અને થી, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કામભાગે ભગવ્યાં Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીનો સંયમ ધર્મ કરે છે. આમ તે અનાર્યો એકે પાર પહોંચવાને બદલે અધવચ જ કામભોગમાં ડૂબી મરે છે. આમ નિયતિને સર્વનું કારણ માનનારા ચોથા પુરુષનું વર્ણન પૂરું થયું. આમ જુદી જુદી બુદ્ધિ, રુચિ તથા પ્રકૃતિવાળા તે લેક ઘરબાર છેડીને પણ આ માર્ગને ન પામી, અધવચ જ કામ ભાગોમાં ખૂંપી જાય છે. [૨] પરંતુ જગતમાં કેટલાક વિચક્ષણ પુરુષો એવા હોય છે કે, જેઓ વિવિચારથી જગતના પદાર્થો અને ભોગોનું સ્વરૂપ સમજી લે છે. તેઓ જુએ છે કે, લોકે ખેતર, ઘર, ધન, સંપત્તિ, મણિમાણેક વગેરે પદાર્થો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયોને અને કામભોગોને પિતાના માને છે અને પોતાને તેમના માને છે. પરંતુ ખરું જોતાં તે પદાર્થોને પિતાના કહી શકાય નહીં. કારણકે, જ્યારે રોગ, શોક વગેરે પોતે નહિ ઈચ્છેલા, પિતાને નહીં ગમતા. તથા દુઃખપૂર્ણ પ્રસંગે આવે ત્યારે કઈ પિતાને કામભોગોને કહેવા જાય કે, “હે કામભોગે ! આ દુઃખપૂર્ણ વ્યાધિ વગેરે તમે લઈ લે, કારણ કે હું ઘણે દુઃખી થાઉં છું,' તે જગતના તમામ કામભોગો તેનું તે દુ:ખ કે વ્યાધિ લઈ શકવાના નથી. વળી, કોઈ વખત માણસને પોતાને જ તેમને છોડીને ચાલ્યા જવું પડે છે, તો કોઈ વેળા તે કામોગા જ તેને છોડીને ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે પ્રિયમાં પ્રિય લાગતા કામગ પણ આપણું નથી અને આપણે તેમના નથી. તો પછી તેમનામાં શા માટે આટલી બધી મમતા રાખવી ? આમ વિચારી, તેઓ તેમનો ત્યાગ કરે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક ૧૬૫ વળી ઉપરના પદાર્થો તો બહિરગ છે. પણ નીચેની વસ્તુઓ તો તેથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે માતા, પિતા, સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પૌત્ર, પુત્રવધૂઓ મિત્રો, કુટુંબીઓ, તથા ઓળખીતાઓ. માણસ એમ માને છે કે, તે બધા પોતાના સંબંધીઓ છે અને પોતે પણ તેમને છે. પરંતુ, જ્યારે રેગવ્યાધિ વગેરે દુઃખ આવી પડે છે, ત્યારે બીજાનું દુઃખ બીજે લઈ શકતા નથી અને બીજાનું કરેલું બીજે જોગવી શકતું નથી. માણસ એકલા જ જન્મે છે એકલો જ મરે છે અને એકલો જ બીજી એનિઓમાં જાય છે. દરેકના રાગદેષ તથા દરેકનું જ્ઞાન, ચિંતન અને વેદના સ્વતંત્ર હોય છે. વળી કેઈ વખત માણસને જ તેમને છોડી ચાલ્યા જવું પડે છે, તો કઈ વખત તે સંબંધીઓ જ તેને છોડી ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે નિકટ ગણાતા સંબંધીઓ પણ આપણાથી ભિન્ન છે અને આપણે તેમનાથી ભિન્ન છીએ. તે પછી તેમની અંદર શા માટે મમતા રાખવી? આમ વિચારી, તેઓ તેમને ત્યાગ વળી નીચેની વસ્તુઓ સગાંસંબંધીઓથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે, “મારા પગ, મારા હાથ, મારા સાથળ, મારું પેટ, મારું શીલ, મારું બળ, મારે વર્ણ, મારી કાંતિ” વગેરે. મનુષ્યો તે બધાંને પિતાનાં જ ગણી તેમના પ્રત્યે મમતા કરે છે. પરંતુ ઉમર જતાં તે બધાં, આપણને ન ગમતું હોય છતાં, જીર્ણ થઈ જાય છે; મજબૂત સાંધાઓ ઢીલા પડી જાય છે; કેશ ધોળા થઈ જાય છે; અને ગમે તેટલા સુંદર વર્ણ તથા અવયવોવાળું Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મહાવીરસ્વામીને સંચમધમ તથા વિવિધ આહારાદિથી પિલું શરીર પણ વખત જતાં છોડી દેવા જેવું ધુણાજનક થઈ જાય છે. આવું જોઈએ તે વિચક્ષણ પુરુષે તે બધા પદાર્થોની આસકિત છોડી, ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે. કેટલાક પોતાનાં સગાંસંબંધી તેમજ માલમિલકત છોડીને ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે, તો બીજા કેટલાક જેમને પોતાનાં સગાંસંબંધી કે મિલકત નથી હોતાં, તેઓ તેમની આકાંક્ષા છોડીને ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે. [૧૩] . પછી સદ્દગુરુનું શરણ સ્વીકારી, સદ્ધર્મનું જ્ઞાન પામેલે તે ભિક્ષુ જોઈ શકે છે કે, આ જગત સ્થાવર અને જંગમ એ બે પ્રકારે વિભકત થયેલું છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં (ત્રીસ) પ્રાણીઓ એમ છ પ્રકારના જીવોના વર્ગો પોતપોતાનાં કર્મ અનુસાર આવી રહ્યા છે. એ છ વર્ગો જ એકબીજામાં આસક્તિથી, પરિગ્રહથી તથા પરિણામે થતાં હિંસાદિથી કર્મબંધનનાં નિમિત્ત બને છે. પરંતુ, જેમ મને કઈ લાકડી વગેરેથી મારે અથવા પીટે અથવા કોઈ મારો તિરસ્કાર કરે ક બીજી રીતે મને રિબાવે અથવા મારી નાખે – અરે માત્ર મારા વાળ ઉખાડે, તે પણ મને દુઃખ થાય છે, તેમજ બધા જીવોને પણ થાય છે. માટે, કોઈ પણ જીવની હિંસા ન કરવી, તેમજ કોઈ પણ પ્રાણીને મારવું નહીં, રિબાવવું નહીં, બળાત્કારથી તેની પાસે કામ કરાવવું નહીં કે તે ઈચ્છાથી તેને પાળવું નહીં. જે કોઈ અરિહંત ભગવાન થઈ ગયા છે. હાલમાં છે કે ભવિષ્યમાં થશે, તે બધા (1) જુઓ પાન ૧૩૩ ઉપર ટિપ્પણ નં. ૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ પુરીક ૧૩૭ આમ જ કહે છે તથા આમ જ ઉપદેશે છે. એ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે તથા શાશ્વત છે અને સમગ્ર લાકનું સ્વરૂપ જાણીને, અનુભવી તીથ કરેાએ કહેલા છે. આવું જાણી, તે ભિક્ષુ અહિંસાધનું સંપૂર્ણ પાલન કરવાની ઇચ્છાથી, હિંસા, પરિગ્રહ વગેરે પાંચ મહાપાપાથી વિરત થાય છે. તે સ્થાવર કે જંગમ કાઇ પ્રાણીની ત્રણે પ્રકારે હિંસા કરતો નથી તેમજ જ કે ચેતન કામભાગાના પદાર્થોને ત્રણે પ્રકારે પરિગ્રહ કરતુ નથી. તે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્ધા વગેરે વિષયાની મૂર્છાનેદ પરિત્યાગ કરે છે તથા ક્રોધ, માન, માયા, લેાલ, રાગદ્વેષ, કલહ, નિંદા, ચાડીચુગલી વગેરેને પણ ત્યાગ કરે છે, તે સંયમમાં અપ્રીતિવાળા નથી થતા તથા અસંયમમાં પ્રીતિવાળા નથી તે!. તે માયાવીપણે અસત્ય નથી ખેલતા : તથા મિથ્યા સિદ્ધાંતામાં માન્યતા નથી રાખતા. ટૂંકામાં, તે ભિક્ષુ સંસાર પ્રાપ્ત કરાવનારાં સમેટાં મોટાં પાપસ્થાનોથી ત્રણે પ્રકારે નિવૃત્ત તેમજ વિરત થાય છે. તે જાણે છે કે, જગતમાં સામાન્ય રીતે ગૃહસ્થીએ તેમજ કેટલાક શ્રમણબ્રાહ્મણેા હિંસાપરિગ્રહાદિ युक्त હોય છે. તે ત્રણે પ્રકારે પ્રાણીઓની હિંસાથી તેમજ કામભોગોના જડ કે ચેતન પદાર્થાના પરિગ્રહથી નિવૃત્ત થયા નથી હોતા, પરંતુ મારે તે અહિંસક અને અપરિગ્રહી થવું છે. છતાં, મારે મારું સન્યાસીજીવન તે તે હિંસાપરિગ્રહાદિ યુક્ત ગૃહસ્થા વગેરેને આધારે જ ગાળવાનું છે. કારણ તેઓ પહેલાં પણ હિંસા વગેરેથી રહિત કે ૧. મન વાણી કાયાથી; અથવા, જાતે કરવી, ખીજા પાસે કરાવવી તથા કાઈ કરતું હોય તેને અનુમતિ આપવી એ ત્રણ પ્રકારે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મહાવીરસ્વામીને સંયમધમ સંયમી નહાતા અને અત્યારે પણ તેવા જ છે. આમ વિચારી, તે ભિક્ષુ માત્ર શરીરયાત્રા પૂરતું જ તેમને આધાર સ્વીકારી, પિતાના માર્ગમાં પ્રયત્નશીલ થાય છે. ભિક્ષુ જીવનમાં આહારશુદ્ધિ જ મુખ્ય વસ્તુ હોવાથી, તે બાબતમાં તે ઘણે કાળજીપૂર્વક વર્તે છે.૧ ગૃહસ્થોએ પિતા માટે તૈયાર કરેલામાંથી વધ્યુંઘટયું માગી લાવીને જ તે પોતાનો નિર્વાહ કરે છે. તે જાણે છે કે, ગૃહસ્થોને ત્યાં પોતાને માટે, કે પિતાનાં માટે અન્ન તૈયાર કરવાની કે સંઘરી રાખવાની પ્રવૃત્તિ હોય છે. એવું બીજાએ પોતાને માટે તૈયાર કરેલું અને તેમાંથી વધેલું, આપનારના, લેનારના અને લેવાના એ ત્રણ પ્રકારના પોથી રહિત, પવિત્ર, નિજીવ, હિંસાના સંભવ વિનાનું, ભિક્ષા માગીને આણેલું, સાધુ જાણુને આપેલું તથા માધુકરીની રીતે થોડું થોડું ઘણું જગાએથી પ્રાપ્ત થયેલું ભોજન જ તેને માટે ગ્રાહ્ય હોય છે. તેવું ભોજન પણ તે ભૂખના ખાસ પ્રયોજનથી, પ્રમાણસર, ધરીને ઊંજવા તેલ જોઈએ કે ગુમડા ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, સંયમને નિર્વાહ થાય તેટલા પૂરતું, તથા સાપ જેમ દરમાં પેસે છે તેમ (મેંમાં સ્વાદ માટે ફેરવ્યા વિના) ખાય છે. ખાવાને સમયે ખાય છે, પીવાને સમયે પીવે છે, તથા બીજી પણ પહેરવા સૂવાની તમામ ક્રિયાઓ તે ભિક્ષુ યોગ્ય સમયે જ કરે છે. વળી તે ભિક્ષુ પ્રથમથી એવી ઈચ્છા નથી રાખતો કે, મેં જે કાંઈ જોયું છે, સાંભળ્યું છે, ચિંતવ્યું છે કે જાણ્યું છે ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૨. પિોતાની નાતજાતને કે સગે કે સંપ્રદાયને જાણીને નહીં. Page #186 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક તેનાથી, અથવા મેં વિધિપૂર્વક આચરેલાં તપ, નિયમ કે બ્રહ્મચર્યથી, કે સંયમના નિર્વાહપૂરતું જ જીવન ગાળવારૂપી ધર્મથી હું આ દેહ છેડીને, સર્વ કામ અને ભેગે જેને સ્વાધીન છે એવો દેવ થાઉં, કે સર્વ પ્રકારનાં અનિષ્ટોથી રહિત સિદ્ધ થાઉં, કે આ લોકમાં જન્મ પામું કે ન પામું. મર્યાદાના ભાનવાળે તે ભિક્ષુ ફરતો ફરતે જ્યાં ગયા હોય છે, ત્યાં ધર્મોપદેશ સ્વાભાવિક રીતે કરે છે. અને પ્રવજ્યા લેવા તૈયાર હોય કે ન હોય તે પણ સાંભળવાની ઇચ્છાવાળા બધાને શાંતિ, વિરતિ, નિર્વાણ, શૌચ, ઋજુતા, મૃદુતા, લઘુતા, તથા સર્વ જીવની, પ્રાણની, ભૂતની અને સવોની અહિંસારૂપી ધર્મ કહી સંભળાવે છે. તે ભિક્ષુ અન્ન માટે, પાન માટે, વસ્ત્ર માટે, રહેઠાણ માટે, પથારી માટે કે બીજા વિવિધ કામો માટે ધર્મોપદેશ નથી આપત, પણ પોતાના પૂર્વ કર્મોને કારણે જ ગ્લાનિ પામ્યા વિના આપે છે. એવા ગુણવાન ભિક્ષુ પાસે ધર્મ સાંભળીને તથા સમજીને, પરાક્રમી પુરુષ પ્રયત્નપૂર્વક તે ધર્મમાં પ્રવૃત્ત થાય છે; તથા તેમ કરીને સર્વ શુભ સાધનસંપત્તિથી યુક્ત થાય છે, સર્વ પાપસ્થાનોથી નિવૃત્ત થાય છે, વિરત થાય છે, તથા સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આમ, ધર્મમાત્રના પ્રજનવાળે, ધર્મવિ, તથા પરાયણ કઈ ભિક્ષુ જ પવોમાં શ્રેષ્ઠ એવા તે શ્વેત ૧. આ ચારે શબ્દો સમાનાર્થ છે. પરંતુ ભેદ બતાવવા ટીકાકારો નીચેના અર્થ આપે છે : બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇદ્રિયવાળા તે પ્રાણ : વૃક્ષ વગેરે તે ભૂત : પાંચે ઈદ્રિયવાળા તે જીવઃ પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના છે તે સત્વ. Page #187 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંચમધમ કમળને પામી શકે છે અથવા નથી પણ પામતે ! કર્મસંગ તથા સંસારનું સ્વરૂપ જાણનારે, ઉપરાંત, સમ્યક પ્રવૃત્તિવાળો, પિતાના કલ્યાણ માં તત્પર, તથા જિતેંદ્રિય. તે ભિક્ષુ શ્રમણ, બ્રાહ્મણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુક્ત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ, રુક્ષ, મુમુક્ષુ અને ચરણકરણને પાર જાણનાર કહેવાય છે. [૧૪-૧૫] આમ કહી, શ્રી સુધર્મસ્વામી થોભ્યા. ૧. અશુભ પ્રવૃત્તિઓથી પિતાનું રક્ષણ કરનારે. ૨. કઠોર સંયમ પાળનાર. 3. પંચમહાવત તે ચરણ અને તેમની રક્ષાર્થે જે સમિતિ ગુપ્તિ વગેરે તે કરણ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ટિપ્પણુ નં. ૧: ભિક્ષુએ અન્નપાન ગર રાવવાન ( ગવેષણા ), સ્વીકારવામાં ( ગ્રહણૈષણા ), અને ભાગવવામાં (પરિભાગૈષણા ) કાળજી રાખવાની છે. ભિક્ષાત્રની ગવેષણામાં તેણે દાતા (ગૃહસ્થને) મુખ્યત્વે લગતા ૧૬ ઉદ્ગમદાષા અને લેનાર (સાધુ)ને લગતા ૧૬ ઉત્પાદન દેખા ટાળવાના છે. તે જ પ્રમાણે ગ્રહણેષણામાં ાતા અને ગ્રાહક બનેને લગતા દશ દોધા ટાળવાના છે. ચાર રાખે ભિક્ષા ભગવતી વખતના છે, તે ભિક્ષુને પેાતાને જ લગતા છે. ૧૬ ઉદ્ગમદા :—(૧) આધાર્મિક જે અન્ન ગ્રહ ( ખધા સંપ્રદાયના ) સાધુઓને ઉદ્દેશીને કર્યુ. હાય તે. (૨ ઉદ્દેશિક : સાધુ આવી પહેાંચે ત્યારે તેને ઉદ્દેશીને અનાવી આપવામાં આવે ( કે ગાળ ધી વગેરેથી “સ“સ્કૃત કરવામાં આવે) તે. (૩ પૂતિક : આધામિક વગેરેના અશાથી સમિશ્રિત. (૪) મિશ્રકમ : થોડાક પેાતાને નિમિત્તે અને થાડેાક સાધુને નિમિત્તે એમ પહેલેથી ભેગા આહાર રાંધવા તે. (૫) સ્થાપનાક : સાધુ આવશે ચારે આપીશું' એમ કરી રાખી મૂકેલે. (૬) પ્રાકૃતિક : ધારી રાખેલી ઉપહારરૂપે આપેલી ભિક્ષા. [ ] (૭) પ્રદુષ્કરણ : અંધારામ પ્રકાશ કરીને મુનિને લાવી આપેલી. (૯) ક્રીત: સાધુ માટે ખરીદેલી. (૯) પ્રામિત્ય : ઉધાર લાવીને આપેલી. (૧૦) પરાવૃત્ત: પેાતાને ત્યાંનું હલકા પ્રકારનું પાડોશીને બદલામાં આપી તેની પાસેથી સારુ લાવીને આપવું તે. (૧૧) અભ્યાદ્ભુત : પાતાને ઘેરથી કે બીજે ગામ સાધુને મુકામે લાવીને આપેલું. (૧૨) ઉભિન્ન ; છાણ વગેરેથી કાઢ કાઠીમાં લીંપીને બંધ કરેલું 'એવું ઉખાડીને કાઢી આપેલું, (૧૩ માલાત : માળ વગેરે ઊંચી જગાએથી નિસરણી વગેરેથી ઉતાર આપેલું. (૧૪) આચ્છેદ્ય: નબળા પાસેથી કે નાકર પાસેથી ઝૂંટવીને આપેલું. (૧૫) અનિસૃષ્ટ : બે ત્રણ જણાના સહિયારામાંથી એક જણ ખીનને પૂછ્યા વિના આપે તે. (૧૬) અધ્યવપૂર: રંધાતા આહારમ સાધુને દેખી વધારે ઉમેરે તે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મહાવીરસ્વામીને સંચમધમ ૧૬ ઉત્પાદન -(૧) ધાત્રીકમ આહાર મેળવવા ગૃહસ્થના છોકરાને દાઈની માફક રમાડે. (૨) દૂતકર્મ સગાંવહાલાંના સમાચાર લાવી આપે. (૩) નિમિત્ત: સુખદુઃખ, લાભ, નુકસાન વગેરે ભવિષ્ય ભાખે. (૪) આજીવિક: પોતે દાન આપનારનાં જ્ઞાતિકુળને છે એમ કહે. (૫) વનપક: ગૃહસ્થની કે તેને ઈષ્ટની ભાટાઈ કરે, પિતાનું દુ:ખ રહે છે. (૧) ચિકિત્સા: વૈદું કરે. (૭) ક્રોધપિડ : શાપ વગેરેની ધમકી આપે. (૮) માનપિંડ: મેં તારે ત્યાંથી ભિક્ષા મેળવવાની હોડ બકી છે વગેરે કહે. (૯) માયાપિઠ: વેષપલટે વગેરે છેતરપિંડી કરે. (૧૦) લોભપિંડ: રસયુક્ત ભોજન મેળવવા રખડે. (૧૧) સંસ્તવપિંડ: આહાર લેતા પહેલાં અને પછી ગૃહસ્થની સ્તુતિ કરે. (૧૨) વિદ્યાપિંડ: વિદ્યા વડે મેળવે. (૧૩) મંત્રપિંડ: મંત્રજાપથી મેળવે. (૧૪) ચૂર્ણયોગ: વશીકરણ વગેરેનાં ચૂર્ણ આપીને કે શીખવીને મેળવે. (૧૫) ગપિંડ: અદશ્ય થવા ઇ. માટેનાં અંજન વગેરે યોગો બતાવીને મેળવે. (૧૬) મૂલકર્મ: મધા, મૂલા વગેરે નક્ષત્રોની શાંતિ સારુ મૂળ વગેરેથી સ્નાન ઈ. અનુષ્ઠાન બતાવીને મેળવે. ગ્રહણષણાના ૧૦ દે: (૧) શંકિત: દાતાને આહાર આપતાં (સદોષ નિર્દોષની) શંકા હોય. (૨) પ્રક્ષિત : ઉદક વગેરે સચિત્ત પદાર્થોથી ખરડાયેલે. (૩) નિક્ષિપ્ત: સચિત્ત પદાર્થો ઉપર કે તેમની વચ્ચે મૂકેલો. (૪) પિહિતઃ આહાર પતે અચિત્ત હોય પણ સચિત્ત પદાર્થોથી આચ્છાદિત હોય (અથવા તેથી ઊલટું પણ). (૫) સંહૃત: મોટા વાસણમાંથી બીજા વાસણમાં કાઢીને આપેલો (અથવા, વાસણમાંથી ઉતરાં વગેરે ન આપવા જેવું, સચિત્ત પૃથ્વી વગેરે ઉપર એકઠું કરી, તે વાસણુ વડે આપેલો). (૬) દાયક: અગ્ય અવસ્થાના દાતા પાસેથી લીધેલો આહાર. (૭) ઉન્મિશ્રિત : સચિત્તથી મિશ્રિત. (૮) અપરિણત: હજુ બરાબર ન રંધાયેલું કે બે પુરુષનું સહિયારું હોઈ એક બીજાની મરજી વિરુદ્ધ સાધુને આપેલું. (૯) લિપ્ત : દહીં દૂધ વગેરે દ્રવ્ય કે જેનાથી હાથ કે વાસણુ ખરડાય અને જેથી પછી હાથ વગેરે દેવારૂપી પશ્ચાત્ કર્મ કરવું પડે તે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક ૧૭૩ થી આ સે. ૧૦. છદિત : આપતાં આપતાં ઢળાતું હોય તેવું લે. નીચેના ચાર પરિગેષણાના દે છે : ૧. સંયોજના : દૂધ, ખાંડ, ઘી વગેરે ભેળવીને સ્વાદુ કરીને ખાય. ૨. અપ્રમાણ : જેટલો આહાર લેવાની વિધિ હોય તેનાથી વધારે પ્રમાણમાં ખાય. ૩. ઇંગલિ–ધૂમ : સારો આહાર આપનારની સ્તુતિ કે ખરાબ આપનારની નિંદા કરીને ખાય. ૪. અકારણ : શાસ્ત્રમાં કહેવા પ્રસંગે બહાર સ્વાદ અન્ન ખાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ તેર ક્રિયાસ્થાના શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા : હે આયુષ્મન્ ! ભગવાન મહાવીર પાસેથી મેં ક્રિયાસ્થાના એટલે કે કબ ધનનાં સ્થાને વિષે સાંભળેલેા ઉપદેશ તને યથાક્રમે કહી બતાવું છું. તેમાં મુખ્યત્વે ધમ અને અધમ એ . એ સ્થાનનું વિવરણ છે. તે એમાં ધર્મનું સ્થાન ઉપશમયુક્ત હાય છે અને અમનુ તેથી ઊલટુ' હાય છે, પ્રાણીઓ સામાન્ય રીતે બીજા' પ્રાણીઓ ૧૩ પ્રકારે પાપકમ કરે છે, તેને કારણે તેમને થાય છે. તેથી તે દરેક પ્રકારને ક્રિયાસ્થાન કહે છે. સ્થાને આ પ્રમાણે છે : અ` ' (૧) અડપ્રત્યયિક — એટલે કે, કાંઈક પ્રયેાજનને કારણે કરેલા પાપ ( દંડ ) તે લીધે પ્રાપ્ત થતું ( પ્રત્યે નીચેના બંધન તે ૧૩ ૧. મૂળમાં ચારે ગતિ પામેલાં પ્રાણીનાં નામ છે : નારિક, પશુપક્ષી, મનુષ્ય અને દેવ. Page #192 -------------------------------------------------------------------------- ________________ તેર કિયાસ્થાને ૧૭૫ ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ પિતાને માટે કે પિતાનાં માટે સ્થાવરજંગમ પ્રાણની હિંસા કરે કે કરાવે તો તે અર્થદંડ પ્રત્યયિક૩ ક્રિયાસ્થાન કહેવાય. (૨) અનર્થદંડ પ્રત્યયિક – એટલે કે કાઈ પણ પ્રોજન વિના કરેલા પાપને લીધે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કેઈ અવિવેકી મૂર્ખ મનુષ્ય કાંઈ પ્રયજન વિના જ ૧. સામાન્ય રીતે સૂત્રમાં આને બદલે માતાપિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરે કુટુંબીઓ, અન્ય સંબંધીઓ, નોકરચાકર, ઓળખીતાઓ તથા મિત્રો વગેરેની ગણતરી કરાવી હોય છે. અનુવાદમાં તે બધા માટે “પોતાનાં” એટલે જ શબ્દ વાપરવામાં આવ્યું છે. તે બધાં ઉપરાંત અહીં “ઘર, નાગ, ભૂત અને ચક્ષ” એટલાં વધારે છે. ૨. સામાન્ય રીતે ત્રણ પ્રકારો લખેલા હોય છે : જાતે કરવી, બીજા પાસે કરાવવી અને કોઈ કરતો હોય તેને અનુમતિ આપવી. અનુવાદમાં હવેથી કરવું કરાવવું ” એ બે પ્રકારે જ રાખીશું. ૩. “પ્રત્યચિક” એટલે “ને કારણે ઉત્પન્ન થતું ૪. મૂળમાં પ્રયોજનના દાખલા નીચે પ્રમાણે છે : પ્રાણીઓના શરીર, ચામડી, માંસ, લેહી, હદય, પિત્ત, વસા, પછાં, પૂછડી, વાળ, સીંગડા, દાંત, દૃષ્ટા, નખ, સ્નાયુ, હાડકાં, હાડકાંની મજ્જા વગેરે માટે; અથવા તેમણે મને ઈજા કરી હતી, કરે છે, કે કરશે એવા ખ્યાલથી; અથવા પોતાના પુત્ર કે પશુ વગેરેના પાષાણું માટે; અથવા પોતાનાં ઘર મેટાં કરવા માટે; અથવા શ્રમણબ્રાહ્મણોના નિર્વાહ માટે; કે પોતાના કાંઈ પ્રજન માટે. Page #193 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ સ્થાવરજંગમ પ્રાણોને હણે કે રિબાવે તો તે અનર્થદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. (૩) હિંસાદડપ્રત્યયિક –એટલે કે, પ્રાણની હિંસારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ, “અમુક પ્રાણીએ કે મનુષ્ય મને, મારાને કે બીજ કોઈને ઈજા કરી હતી, કરે છે, કે કરશે” એમ માની, સ્થાવરજંગમ પ્રાણોની હિંસા કરે, તે તે હિંસાદંડ પ્રત્યયિક કિયાસ્થાન કહેવાય. (૪) અકરમાદંડપ્રત્યયિક – એટલે કે, અજાણતા થયેલા પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કેઈ પુરુષ મૃગ વગેરે જાનવરોને મારીને આજીવિકા ચલાવતે હેય; તે માણસ કેઈક પ્રાણીને મૃગ માની, તેને મારવા બાણ છેડે, અને અજાણતાં કોઈ બીજા જ પ્રાણીને વીંધી નાખે, ૧. મૂળમાં સ્થાવર પ્રાણના નામ નીચે પ્રમાણે છે : ઈડ, જંતુગ, પરગ, મેખ, તૃણ, કુશ, કચ્છ વગેરે તૃણો અને વનસ્પતિઓ. ૨. મૂળમાં તેના દાખલા નીચે પ્રમાણે આપ્યા છે . જ્યાં હંમેશાં પાણી રહેતું હોય, ધરે હોય, નીચાણવાળી જગ્યા હોય કે ઝડથી ઢંકાયેલી અંધારી જગા હોય – એટલે કે, જ્યાં જીવજતુ હોવાનો સંભવ વિશેષ કરીને હેય, ત્યાં ઘાસના ઢગલા કરીને આગ લગાડે; અથવા જ્યાં આજુબાજુ વૃક્ષ, ખાઈ, કે વનના કિલાએ જેવું હોય, પર્વત હોય કે પર્વતની આજુબાજુ કિલા જેવું હેય – એટલે કે, જ્યાંથી પ્રાણીઓ ઝટ બહાર નાસી જઈ શકે તેમ ન હોય, ત્યાં આગ લગાડે. ૩. મૂળમાં તેમનાં નામ નીચે પ્રમાણે છે : તેતર, બટેરે, ચકલો, લાવરી, કબૂતરવાં કે. કપિલ Page #194 -------------------------------------------------------------------------- ________________ - તેર ક્વિાસ્થાને ૧૭૭ અથવા કોઈ માણસ ધાન્યના ખેતરમાંથી નકામું ઘાસ નીંદવા જાય અને અજાણતાં મૂળ ધાન્યના છોડને જ કાપી નાખે, તો તે અકસ્માદંડ પ્રત્યાયિક ક્રિયાસ્થાન કહેવાય. (૫) દષ્ટિવર્યા દંડ પ્રત્યયિક – એટલે કે, નજરચૂકથી થયેલા પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કઈ પુરુષ સગાંવહાલાં સાથે કઈ ગામ કે નગરમાં રહેતે હેય. તેવે વખતે અચાનક તે ગામ કે નગરમાં કાંઈક દરેડ પડે. તે વખતે, ચોર ન હોય તેને ચોર માની તે પુરુષ મારી નાખે, તો તે દૃષ્ટિવિપર્યાસડપ્રત્યયિક ક્રિયસ્થાન કહેવાય. (૬) મૃષાવાદપ્રત્યયિક – એટલે કે, જૂઠું બોલવારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ માણસ પિતાને માટે કે પિતાનાં માટે જૂઠ બોલે કે બેલાવે, તે તે મૃષાવાદપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. (૭) અદત્તાદાનપ્રત્યાયિક – એટલે કે, ચોરી કરવારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ ૧. મૂળમાં ધાન્યનાં નામો આ પ્રમાણે છે :- શાળી, ડાંગર, કોદરા, કાંગ, બંટી, રાલ. ૨. મૂળમાં નકામા ઘાસનાં નામે આ પ્રમાણે છે :-શ્યામાક, તણગ, મુકુંદક, વીહિશિત, કાલેષક. ૩. મૂળમાં તે ઉપરાંત નીચેનાં નામ પણ છે :-બેટ (નદી કે પહાડને આશરે વસેલું નાનું ગામ); ખર્વટ (પર્વતથી વીંટળાયેલું ગામ); મંડળ (જેની ચારે બાજુ યોજન સુધી બીજું ગામ ન હોય તેવું ગામ); દ્રોણમુખ (નદી કે દરિયાકિનારે જ્યાં ભરતી આવતી હેય, ત્યાં વસેલું ગામ); પટ્ટણ્ (રત્નની ખાણવાળું ગામ); આશ્રમ (તાપસનું સ્થાન); સંનિવેશ (વેપારી કાફલા કે લકરને ઉતારે) નિગમ (વેપારી વાણિયાઓનું મથક)તથા રાજધાની. Page #195 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને સંયમ ધર્મ માણસ પિતાને માટે કે પિતાનાં માટે ચોરી કરે કે કરાવે, તે તે અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. (૮) અધ્યાત્મપયિક -- એટલે કે, ફેધાદિ દૂષિત મનવૃત્તિઓરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ માણસ ક્રોધ, માન, માયા કે લેભ એ ચારમાંથી કોઈ એકાદ કે એ ચારે દુષ્ટ મનોવૃત્તિઓ યુક્ત બની, કોઈએ દૂભવ્યા ન હોવા છતાં, હીન, દીન, દ્વેષયુક્ત, ખિન્ન તથા અસ્વસ્થ બની, શોકસાગરમાં ડૂબી જઈ, હથેળી ઉપર માથું ટેકવી, ચિંતામગ્ન થઈ બેઠે બેઠે દુષ્ટ વિચાર કર્યા કરે, તો તે અધ્યાત્મપત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. (૯) માનપ્રત્યયિક – એટલે કે, માન–અહંકારરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ પિતાનાં જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય કે, પ્રજ્ઞા વગેરેને કારણે મદમત્ત થઈ, બીજાની અવહેલા કે તિરસ્કાર કરે, અને પિતાની બડાઈ કરે, તે તે માનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. તે મનુષ્ય ઘણો દૂર, અક્કડ, ચપળ અને અભિમાની હોય છે. તે મર્યા બાદ એક એનિમાંથી બીજી યોનિમાં તથા એક નરકમાંથી બીજા નરકમાં ભટક્યા કરે છે. (૧૦) મિત્રદોષપ્રત્યયિક એટલે કે, સગાંસંબંધીઓ પ્રત્યે વિનાકારણ કે હદબહાર કૂરતારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. કોઈ માણસ પોતાનાં માતપિતા, ભાઈબહેન, ભાર્યા, પુત્ર-પુત્રી અને પુત્રવધૂ વગેરે સાથે રહેતો હોય; તે તેમના નાના સરખા વાંક માટે પણ તેમને ગમે તેવી કારમી સજા કરે : જેમકે, તેમને ઠંડા પાણીમાં ડબોળે કે તેમના ઉપર ગરમ ગરમ પાણી રેડે Page #196 -------------------------------------------------------------------------- ________________ તર ક્રિયાસ્થાના ૧૭ કે તેમને અગ્નિથી ડામે કે તેમને તેતર કે દારડા વગેરેથી મારી મારી તેમનાં પડખાં ચીરી નાખે કે લાકડી વગેરે સાધનથી તેમને પ્રહાર કરે. તેવા માણસ ઘરમાં હોય છે ત્યાં સુધી બધાં માણસે ત્રાસેલાં રહે છે અને તે બહાર જાય છે ત્યારે રાજી થાય છે. તે જરા જરામાં તપી જાય છે, ગમે તેવી સજા કરે છે અને સામાની પીઠ સુધીનું માંસ બળી જાય તેવાં તાતાં વેણ મિત્રદોષપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. ખેલે છે. આ (૧૧) માયાપ્રત્યયિક૦ એટલે કે, માયા−છળકપટરૂપી પાપને કારણે પ્ર!સ થતુ. ક્રિયાસ્થાન, કેટલાક લોકા માયાવી તથા માબાજ હાય છે. તેઓનાં કશાં કામ સીધાં હાતાં નથી. તેઓ હંમેશાં ખીજાને ભેાળવવાની દાનતવાળા હાય છે; તેમની પ્રવૃત્તિ ગૃઢ અને છૂપી હોય છે. તે અંદરથી તુ૰૧ હાવા છતાં, બહારથી ભારેખમપણાના ડાળ કરે છે. તેએ આ હાવા છતાં અનાય લેાકાની ભાષાએમાં (ગુપ્ત સંકેતોથી ) ખેલે છે, પૂછયુ હોય તેનાથી જીદુ' કહે છે, તથા કહેવાનું હાય તેનાથી ઊલટું કહી બતાવે છે. તેવા માયાવી માસાનું ચિત્ત કદી નિર્માળ નથી હતુ. તે પોતાના દોષ કબૂલ કરતા નથી; ફરીથી તેમ ન કરવાના નિશ્ચય પણ કરતા નથી; પેતાનાં મૃત્ય તરફ્ નિંદા કે જુગુપ્સા પણ બતાવતા નથી; કે યથાયેાગ્ય તપકમથી તેનું પ્રાયશ્ચિત્ત પણ કરતા નથી. તેવા માણસોને આ લેકમાં કાઈ વિશ્વાસ કરતું નથી અને પરલેાકમાં પણ તેએ નરક વગેરે હીન ગતિ વાર વાર પામે છે. આ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. ૧. મૂળમાં ‘ ઘુવડના પીંછા જેવા તુચ્છ, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મહાવીરસ્વામીને સંયમધર્મ (૧૨) લેભપ્રત્યચિંક – એટલે કે, કામભાગે વગેરે વિષયોમાં આસક્તિરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. કેટલાક (તાપસ અથવા સાધુઓ) અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહે છે, અને કોઈ કાંઈ ગુપ્ત ક્રિયાઓ કે સાધનાઓ કરે છે. પરંતુ તેઓ ખાસ સંયમ નથી હોતા કે સર્વે ભૂતપ્રાણીઓ(ની કામના કે હિંસા)થી ખાસ વિરત પણ થયા નથી હોતા. તેઓ સ્ત્રી વગેરે કામભાગોમાં આસક્ત તથા મૂર્ણિત હેય છે. તેઓ પોતાને વિષે ગમે તેવી સાચી જૂઠી વાત બીજાઓને જણાવે છે. જેમકે : બીજાને મારવા પણ અમને ન મારવા; બીજને હુકમ કર પણ અમને ન કરવો; બીજાને ગુને થતાં પકડવા પણ અમને ન પકડવા; બીજાને ન કરવી પણ અમને ન કરવી; બીજાને પ્રાણદંડ દે, પણ અમને ન દે.” એ લોકો એ પ્રમાણે થોડે અથવા વધારે વખત કામ ભોગે ભોગવી, નિયત સમયે મૃત્યુ પામી, અસુરે અને પાતકીઓનાં સ્થાન પામે છે; અને તેમાંથી છૂટીને પણ વારંવાર જન્મથી મૂંગાબહેરા, આંધળા કે માત્ર મૂગા થઈને જન્મે છે. આ લેભપ્રત્યધિક ક્રિયસ્થાન કહેવાય.' ૧. આ ક્રિયાસ્થાનની વ્યાખ્યા તેમજ દષ્ટાંત બીજાં કિયાસ્થાનની પેઠે પ્રાસંગિક નથી. લોભનો અર્થ પણ “કામભેગોની આસક્તિ' એવો વિરતૃત કર્યો છે તથા દાખલો પણ સામાન્ય ગૃહસ્થીને ન લેતાં, અમુક આરણ્યકનો લીધે છે. આ આ ફકરે પછી પણ બીજા પ્રસંગોમાં પરંતુ આ જ શબ્દોમાં બે વખત આવે છે. એટલે, રાજા કે નગરનાં વર્ણનોના અમૂક નિયત ફકરા કે જે આખા અંગસાહિત્યમાં પ્રસંગ આવતાં એક જ શબ્દોમાં વાપરવામાં આવે છે, તેમના જેવો જ આ પણ હોય અને તેની વિગતોને પ્રાસંગિક વર્ણન સાથે બહુ નિસબત ન પણ હોય. Page #198 -------------------------------------------------------------------------- ________________ તેર કિયાસ્થાને ૧૮૧ આ બારે ક્રિયાસ્થાને મુમુક્ષુ શ્રમણબ્રાહ્મણે સારી રીતે સમજી લઈને ત્યાગવાં. કારણકે, તે બધાં અધર્મનાં સ્થાનરૂપ છે. હે વત્સ, હવે તેરમું પથિક ક્રિયાસ્થાન તને કહું. પથિક એટલે કે, શુદ્ધ સાધુજીવન (ઈર્યાપથી ગાળતા મુનિ વડે પણ અજાણતાં અવશ્ય થતી કેટલીક સ્વાભાવિક ક્રિયારૂપી પાપ. આત્મભાવમાં સ્થિર રહેવા માટે સર્વ પ્રકારની મન–વાણ-કાયાની પ્રવૃત્તિઓ સાવધાનતાપૂર્વક કરનાર તથા ઇંદ્રિયો વગેરેને વશમાં રાખી, સર્વ પ્રકારના દોષથી પિતાનું રક્ષણ કરનાર સંયમી મુનિ વડે પણ, પાંપણના હાલવાચાલવા જેવી સૂક્ષ્મ ક્રિયાઓ થઈ જાય છે. તેમનાથી તેને કર્મ બંધાય છે. પરંતુ તે કર્મ પ્રથમ ક્ષણમાં બંધાય છે અને આત્માના સંબંધમાં આવે છે, બીજી ક્ષણે તેનું ફળ અનુભવાઈ જાય છે અને ત્રીજી ક્ષણે તે નાશ પામી જાય છે. પછી તેટલા પૂરત તે ભિક્ષુ કમરહિત થઈ જાય છે. પરંતુ તે ક્રિયા સ્થાન ધર્મના સ્થાનરૂપ છે અને તેથી અવશ્ય સેવવા યોગ્ય છે. ભૂતકાળમાં અરિહંતો અને ભગવતેએ તેને ઉપદેશેલું છે તથા સેવેલું છે. વર્તમાનમાં પણ ઉપદેશે છે તથા સેવે છે, અને ભવિષ્યમાં પણ ઉપદેશશે તથા સેવશે. ૧. મૂળમાં એ સાધુજીવનની વિગતોમાં સમિતિ, ગુપ્તિ વગેરેનું વર્ણન કરેલું છે. ૨. “પ્રવૃત્તિમાત્રથી આત્મામાં કર્મને પ્રવેશ થવાનાં દ્વાર ખૂલી જાય છે એ વાત ખરી. પરંતુ જે તે પ્રવૃત્તિ કેધ, લોભ આદિ કષાપૂર્વક થઈ હોય, તે જ કર્મ આત્મા સાથે ચેટી જઈ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નહીં તે સૂકી ભીંત ઉપર લાગેલા લાકડાના ગોળાની માફક તરત જ છૂટી જાય છે.” Page #199 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના સચમધમ આ તેરે ક્રિયાસ્થાને જે અરિતા અને ભગવતા પૂર્વ થઈ ગયા છે, જે અત્યારે છે અને જે વિષ્યમાં થવાના છે, તે બધાએ કહી બતાવ્યાં છે તથા ઉપદેશ્યાં છે, વમાનમાં પણ ઉપદેશે છે અને ભવિષ્યમાં પણ ઉપદેશશે. કેટલાક લેાકા મંત્ર, તંત્ર, જારણ, મારણ, લક્ષણ, જ્યાતિષ, વગેરે જુદી જુદી મેલી વિદ્યાએથી જુદી જુદી સિદ્ધિઓ મેળવે છે. એ બધી વિદ્યાએ તેઓ ખાનપાન, વસ્ત્ર, ઘરબાર વગેરે ઉપભાગસાગગ્રી મેળવવા માટે તેમજ ખીજા પણ વિવિધ કામભોગો ભોગવવા માટે યાજે છે. એવી મેલી વિદ્યા સેવતા તે અનાર્યો ખાટે માર્ગે ચડી, પરિણામે. મરણને સમય આવતાં મૃત્યુ પામી, પાતકીએનાં સ્થાનામાં જન્મે છે, અને ત્યાંથી મૂંગા, બહેરા કે આંધળા થઈને જન્મે છે. અસુરે અને છૂટીને પાછા ૧૮૨ કેટલાક લેાકેા કાષ્ઠના અનુગામી સેવક કે ચાકર થઈ, (તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરી, લાગ ો ) તેને મારી કે તેનું ખૂન કરી, તેનું ધન વગેરે પડાવી લઈ, પેાતાને કે પોતાનાં માટે આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે. કેટલાક લેાકેા વાટપાડુ બની, મુસાફ્રેશને મારી લૂંટીને, કે ચાર થઈ, કાઈના ઘરમાં ખાતર પાડીને, કે ખીસાંકાતરુ અનીને પેાતાને કે પેાતાનાં માટે આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે. કેટલાક લેાકેા ભરવાડ બની, ધેટાંને કે ખીજા પ્રાણીને મારી કાપીને આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે; તે ખીજા, ખાટકી બની, પાડા કે બીજા પ્રાણીને મારી કાપીને, ૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પુ ન, ૧. Page #200 -------------------------------------------------------------------------- ________________ તેર ફિયાસ્થાને અથવા જાળ પાથરનારો વાઘરી બની, હરણ વગેરે પ્રાણીને મારી કાપીને, અથવા પંખી પકડનાર વ્યાધ બની, પંખી વગેરેને મારી કાપીને, અથવા માછી બની, માછલાં વગેરેને મારી કાપીને, અથવા ગાયો વગેરે પાળનારે ગોવાળ બની, ગાયે વગેરેને મારી કાપીને, અથવા ગાય કાપનારે ખાટકી બની, ગાય કે બીજા કેઈ પ્રાણુને મારી કાપીને, અથવા શિકારી કૂતરાં પાળનારે બની, તે કૂતરાને કે બીજા પ્રાણીને મારી કાપીને, અથવા શિકારી કૂતરાં પાળનારને મદદગાર બની, તેને જ અથવા બીજા પ્રાણીઓને મારી કાપીને – પિતાને કે પિતાના માટે આહાર વગેરે ભેગસામગ્રી મેળવે છે. આમ એ બધાં મહાપાપકર્મો વડે તેઓ પિતાની અધોગતિ કરે છે. વળી કેટલાક લેકે મિજલસમાં બેઠા હોય છે, ત્યારે કાંઈ કારણ વિના જ ઊભા થઈને કહે છે કે : “ જુઓ હું પેલા પંખને મારું છું'. એમ કહી, કેઈ તેતર, બટે, લાવ, કબૂતર કે કપિંજલને કે બીજા કોઈ પ્રાણીને મારે છે. વળી કેટલાક લોકે ખળાની વહેંચણીમાં કે દારૂની વહેંચણીમાં વાંધો પડવાથી, કે તેવા કાંઈ કારણથી ચિડાઈ જઈ સામા ગૃહસ્થનાં કે તેના પુત્રનાં અનાજથી ભરેલાં ખેતર જાતે કે બીજા પાસે સળગાવી મુકાવે છે; અથવા તેમનાં ઊંટ, ગાય, ઘેડા, ગધેડાં વગેરે પશુઓના જાધ વગેરે અવયવો જાતે કે બીજા પાસે કપાવી નખાવે છે; અથવા તેમનાં જાનવરના તબેલાઓ કે વાડાઓ, કાંટા ઝાંખરાંથી ભરી કાઢી, જાતે કે બીજા પાસે સળગાવી મુકાવે છે; અથવા ૧. ટીકાકાર અહીં “કઈ ગાય આડી અવળી ચાલે તે તેને મારે કરે” એ અર્થ સૂચવે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મહાવીર સ્વામીને સંયમધર્મ તેમનાં કુંડળ મણિ, મોતી વગેરે કીમતી વસ્તુઓ જાતે કે બીજા પાસે લૂંટાવે છે; અથવા તેમને ઘેર આવેલા શ્રમણબ્રાહ્મણોનાં છત્ર, દંડ, પાત્ર વગેરે જાતે કે બીજા પાસે પડાવી લેવરાવે છે. એમ કરી, તેઓ મહાપાપકર્મોથી પિતાની અધોગતિ કરે છે. વળી બીજા કેટલાક કાંઈ કારણ વિના જ તે બધું કરે છે અને એમ કરી પોતાની અર્ધગતિ કરે છે. કેટલાક માણસે કઈ શ્રમણ કે બ્રાહ્મણને આવેલ દેખી, કાંતિ તેને ચપટી વગાડી ચાલ્યા જવાનું કહે છે, અથવા તેને કઠેર વચન સંભળાવે છે. ભિક્ષાકાળે આવેલા તેને કાંઈ આપવાને બદલે, તેઓ કહી સંભળાવે છે કે, મજૂરી કરવી પડતી હોય કે કુટુંબને ભાર ઊંચકી શકાતું ન હોય કે આળસુ, હલકી વર્ણન કે નકામે માણસ હેય, તે શ્રમણ થઈને આમ રખડે છે. તેવા નાસ્તિક લોકો આ જીવનને – આ પાપી જીવનને – વખાણે છે. તેમને પરલોકની કાંઈ પડી નથી હોતી. તેઓ પોતાના સુખને કારણે બીજાઓને ગમે તેવાં દુઃખ દે છે, અને જરા પણ પાછું વળીને જોતા નથી. તેઓ મેટી મેટી પ્રવૃત્તિઓ અને હિંસા વગેરે પાપકર્મોથી મનુષ્ય જીવનના ઉત્તમ કામો ભોગવે છે. ખાન, પાન, વસ્ત્ર, શયન વગેરે બધું તેમને વખતસર જોઈએ છે. નાહી ધોઈ બલિકર્મ કરી, કૌતક, મંગળ તથા પ્રાયશ્ચિત્તથી પરવારી, માથું ઓળી, કંઠમાળ, કંદરે, હાર ૧. ઉતાર; નજર વગેરે લાગી હોય તે માટે. ૨. સેનું, દહીં, સરસવ વગેરે માંગળિક વસ્તુઓ સવારના પહેરમાં જેવી સ્પર્શવી વગેરે. ૩. રાત્રે કુરવપ્નાદિ આવ્યાં હેય તથા સવારમાં ઊઠતાં અપશુક થયા હોય, તેમનું નિવારણું. Page #202 -------------------------------------------------------------------------- ________________ તેર ફિયાસ્થાને માંસુવર્ણાદિથી પેાતાને • શણગારી, તે માથે માળાઓવાળા મુગટ ધારણ કરે છે. તેમનું શરીર ઢ અવયવાવાળુ હોય છે, તેમણે નવાં કકડતાં કપડાં પહેર્યાં હાય છે તથા અંગે ચંદનના લેપ કર્યો હોય છે. પછી મેટી, સુશોભિત તથા કિલ્લાઓ વગેરેથી સુરક્ષિત હવેલીઓમાં મેટાં સુશોભિત સિંહાસન ઉપર એસી, સુંદર સ્ત્રીએ અને ‘દાસદાસીએથી વી’ટળાઈ, આખી રાત સળગતા દીવાએના અજવાળામાં, નૃત્ય, ગીત તથા વીણાવાજિંત્રાના જોરગારથી તથા કુશળતાપૂર્વક કરાતા મધુર અવાજો વચ્ચે તેએ ઉત્તમ એવા માનુષી કામભોગે ભાગવતા વિહરે છે. તથા દ્ર તેઓ એક જણને હુકમ કરે તેટલામાં તે ચાર પાંચ માણસે વગર કહ્યે દોડી આવે છે અને કહેવા લાગે છે, હું દેવાને પ્રિય! કહો. અમે શું કરીએ?' તેમને દેખીને અના પુરુષોચિવવે છે : “અરે! આ માસ દેવ છે. તેને દેવા પણ પૂજે છે. તે દેવાને પણ જિવાડનારા છે અને બીજા પણ કેટલાય તેને આધારે જીવે છે !' પરંતુ તેમને દેખીને આય. પુરુષો ચિતવે છે : ‘આ અતિશય ક્રૂર કર્મોમાં પ્રવૃત્ત થયેલા મૂઢ, અસખ્ય પાપકમાં વડે જીવી રહ્યો છે તથા અસંખ્ય પાપકમાં બાંધી રહ્યી દક્ષિણાયનમાં કૃષ્ણપક્ષમાં મરશે તથા નરકે જશે. જન્મમાં પણ તેને જ્ઞાન દુભ થશે. છે. તે જરૂર પછીના 3 ૧૯૫ કેટલાય કેટલાય ભિક્ષુ, કેટલાય ગૃહસ્થા, તથા તૃષ્ણાવુર સંસારીઓ એ સુખા અને એ ઐશ્ચર્યની કામના કર્યાં કરે છે. પરંતુ એ અધર્મસ્થાન અનાર્ય છે, અશુદ્ છે, હંમેશાં અપૂર્ણ રહેનારું છે, અન્યાયે ઉપર પ્રતિષ્ઠિત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ થયેલું છે, સંયમરહિત છે, મેક્ષમાર્ગથી વિરુદ્ધ છે, સર્વ દુઃખોનો ક્ષય કરવાના માર્ગથી વિરુદ્ધ છે. અત્યંત મિથ્યા છે, તથા અયોગ્ય છે. હવે હું ધર્મરૂપી દ્વિતીય સ્થાનનું વિવરણ કરું છું તે સાંભળો. આ જગતમાં સર્વત્ર કેટલાય મનુષ્યો પિતા પોતાનાં કર્મો અનુસાર વિવિધ કુળોમાં વિવિધ ઐશ્વર્ય સહિત જમ્યા હોય છે. તેમને નાનાં મોટાં ઘર, તથા ખેતર અને થોડા અથવા વધારે નોકરચાકર હોય છે. તેવી સ્થિતિમાં જન્મ પામીને પણ કેટલાક તે બધા પદાર્થોને દુ:ખરૂપ જોઈ, સાચી તથા કાયમની શાંતિ પ્રાપ્ત કરવાને અર્થે ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે; સગુરુ પાસેથી મહાપુરુષોએ કહેલો ધર્મ જાણી, તેમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થાય છે; અને સર્વ પાપસ્થાનેથી નિવૃત્ત થઈ તથા સર્વ શુભ સાધનસંપત્તિ પ્રાપ્ત કરી, સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ ધર્મસ્થાન આર્ય છે, શુદ્ધ છે. . . મેક્ષ માર્ગને અનુકૂળ છે તથા સર્વ દુઃખોને ક્ષય કરવાના માર્ગરૂપ હોઈ અત્યંત ચોગ્ય છે. હે વત્સ, કેટલાક લેકે બાહ્યતઃ ધર્મસ્થાનમાં લાગતા છતાં અધર્મસ્થાન સેવતા એવા મિશ્રસ્થાની હોય છે. તેઓ તાપસ અથવા સાધુઓ બની, અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહી, કાંઈ ને કાંઈ ગુપ્ત ક્રિયાઓ કે સાધનાઓ કરે છે. પરંતુ તેઓ ખાસ સંયમી નથી હોતા કે સર્વે Page #204 -------------------------------------------------------------------------- ________________ તેર કિયાસ્થાને ભૂતપ્રાણીઓની કામના કે હિંસાથી ખાસ વિરત પણ થયા નથી લેતા. સ્ત્રી વગેરે કાપભેગમાં મૂઢ એવા એ લેકે છે અથવા વધારે વખત તે કામગ ભેગવી, નિયત સમયે મૃત્યુ પામી, અસુરે અને પાતકીઓનાં સ્થાન પામે છે, અને તેમાંથી છૂટીને પણ વારંવાર જન્મથી મૂંગા, બહેરા કે આંધળા કે મૂંગા થઈને જમે છે. [અધર્મરૂપી પ્રથમ સ્થાનનું ફરી વર્ણન કરે છે ] આ જગતમાં કેટલાક લેકે મટી ઈચ્છાઓવાળા, મેટી પ્રવૃત્તિઓવાળા, મેટા પરિગ્રહવાળા, અધાર્મિક, અધર્મપરાયણ, અધર્મને અનુમોદન આપનારા, અધર્મને ઉપદેશ આપનારા, મોટે ભાગે અધર્મથી જ જીવનારા, તથા અધર્મયુક્ત શીલ અને આચારવાળા હોય છે. તે લેકે સંસારમાં રહી, અધર્મ વડે જ આજીવિકા ચલાવતા વચરે છે. - તેમના હાથ પ્રાણીઓના લેહીથી ખરડાયેલા રહે છે. તેઓ ચંડ, રુદ્ર તથા સાહસિક હોય છે. તેઓ કુડકપટથી ભરપૂર, દુષ્ટ ચારિત્ર અને વ્રતવાળા, તથા મહા કષ્ટ રીઝવી શકાય એવા અસાધુ હોય છે. તેઓ સર્વ પ્રકારની હિંસાથી માંડીને સર્વ પ્રકારના પરિગ્રહ સુધીના તથા ક્રોધથી માંડીને મિથ્યા માન્યતાઓ સુધીનાં સર્વ પ્રકારનાં પાપકર્મોમાં લાગેલા હોય છે. તેઓ સર્વ ૧. પાંચ મહાપાપ. ૨. જુઓ પાનું ૧૬૭. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મહાવીરસ્વામીને સંયમધર્મ, પ્રકારનાં સ્નાન, મન, ગંધ, વિલેપન, માલ્ય, અલંકાર તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયોમાં ફસ્યા રહે છે. તેઓ સર્વ પ્રકારનાં યાનવાહન, તથા શયનઆસન વગેરે સુખ સામગ્રીઓ ભેગવવા-વધારવામાંથી પરવારતા નથી. તેઓને જીવનભર ખરીદવા–વેચવામાંથી માસ-અરધો માસે કરી તોલવામાંથી, કે રૂપિયા વગેરેના વેપાર-ધંધામાંથી ફુરસદ હોતી નથી. તેઓ જીવનભર ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મેતી, શંખશિલા પરવાળાં વગેરેનો મેહ છોડતા નથી. તેઓ જીવનભર સર્વ પ્રકારનાં બોટાં તોલકાટલાં વાપરવાથી અટકતા નથી. આમ, તેઓ જીવનભર સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ અને હિંસાથી, સર્વ - પ્રકારના કરવા-કરાવવાથી, રાંધવા-રંધાવવાથી, ખાંડવાકુટાવવાથી, તર્જન-તાડનથી, તથા બીજને વધબંધનાદિ કલેશ આપવાથી વિરત થતા નથી. તેઓ જીવનભર બીજાં પણ જે કાંઈ તેવા પ્રકારનાં દોષયુક્ત, જ્ઞાનનું આવરણ કરનારાં, બંધનનાં કારણરૂપ, બીજાને પરિતાપ આપનારાં તથા અનાર્યો વડે સેવામાં કર્યો છે, તેમનાથી પણ વિરત થતા નથી. આમ પિતાના સુખ માટે જ જીવન ભોગવતા તેઓ વિનાકારણ ચેખા, દાળ, તલ, મગ વગેરે વનસ્પતિપ્રાણની ૧. મૂળમાં તેમનાં નામ આ પ્રમાણે છે : ગાડાં, રથ, ગાડી, મ્યાને, ડાળી, બે ઘોડાની ગાડી, પાલખી વગેરે. ૨. મૂળમાં: કલમ, ( ખા) મસૂર, તલ, મગ, અડદ, વાલ, કુલથી, ચેખા, કાળા ચણા – આટલાં નામ છે. પિતાનું જીવન વડે કાંઈક ધર્મ સિદ્ધ કરતા હતા, તો તે તે બધું ખાઈને તેમની હિંસા કરેલી સાર્થક થાત – એ અભિપ્રાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ તેર કિયાસ્થાને ૧૮૯ તથા તે જ પ્રમાણે પંખી, પશુ કે બીજાં પેટે ચાલતાં પ્રાણીઓની હિંસા કરે છે. પિતાનો બાહ્ય પરિવાર જેવા કે, નોકરચાકર, દાસદાસી, બેડૂત કે આશ્રિતો વગેરે – તેના પ્રત્યે તેઓ અત્યંત ક્રૂર તથા કઠોરપણે વર્તે છે. તેમનો નાને સરખો અપરાધ થતાં તેઓ તેમને જાતે કારમી શિક્ષા કરે છે, તથા ભયંકર કમોતે મરાવી નાખે છે. તે જ પ્રમાણે પિતાને આંતરિક પરિવાર જેવા કે, માતાપિતા, ભાઈબહેન, ભાર્યા, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરે --- તેમને પણ થોડે ઘણે અપરાધ થતાં તે જાતે કઠોર શિક્ષા કરે છે. આ પ્રમાણે તેઓ બધાને દુ:ખ, શેક ૧. મૂળમાં પંખીઓ માટે : તેતર, બતક, લાવક, કબૂતર અને કપિંજલનાં નામે છે. પશુઓ માટે : મૃગ પાડે અને ભૂંડનાં નામે છે. પેટે ચાલનારાં માટે : ગાહા, કાચબા અને સાપ વગેરે – એટલાં નામે છે. ૨. મૂળ : ભાગે ખેડનાર. ૩. મૂળમાં તેના પ્રકારે આ પ્રમાણે વર્ણવ્યા છે : દંડ કરવો, વાળ ઉખાડાવી નંખાવવા, તિરસ્કાર કરો, માર માર, બાંધી રાખવા, હેડબેડીમાં નાખવા, હાથપગ છેદાવી નાંખવા, લિંગ વગેરે અંગો પાવી નાખવાં, પડખાં ભગાવી નાંખવાં, આખે ફેડી નાખવી, દાંત તોડી પાડવા, નાગા કરવા, જીભ ખેંચી કાઢવી, ઊંધા લટકાવવા, જમીન ઉપર ઘસડાવવા, ઘુમાવવા, શૂળીએ ચડાવવા, બાલા મારવા, ઘા ઉપર ખારે છાંટો, વાહન પાછળ બાંધી ખેંચાવવા, સિંહને કે બળદને પૂંછડે બંધાવવા, બળતા અગ્નિમાં નાંખવા, કાગડા-ગીધ પાસે ફડાવી નંખાવવા, ભૂખે તરસે મારવા, જીવનકેદ કરવી, ચાબખા મરાવવા વગેરે. Page #207 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ અને પરિતાપ આપે છે. તથા તેમ કરતાં જીવનભર જરા પણ વિરમતા નથી. આ પ્રમાણે, સ્ત્રી વગેરે કામગોમાં આસક્ત તથા મૂર્ણિત એવા તે લેકે થોડો આવા વધુ સમય તે કામભોગે ભગવી, અનેક વેરબંધને અને પાપકર્મો ભેગાં કરી, આયુષ્ય પૂરું થયું, પથ્થર કે લોઢાનો ગોળ જેમ પાણીને તળિયે જઈને બેસે, તેમ પૃથ્વીતળ વટાવી, નીચે આવેલાં નરકને તળિયે જઈને બેસે છે. તે નરક અંધકાર, રુધિર, પરુ વગેરેથી ભરેલાં, ગંદાં, અસહ્ય દુર્ગધવાળાં તથા દુખે તરી શકાય તેવા અશુભ અને ભયંકર હોય છે. ત્યાં તેમને ઊંધ, સ્મૃતિ, રતિ, ધતિ કે મતિથી રહિત થઈ, અપાર વેદનાઓ સતત ભોગવવી પડે છે. પર્વત ઉપરનું ઝાડ કાપી નાખતાં જેમ નીચે ખાઈમાં ગબડી પડે, તેમ તેઓ એક યોનિમાંથી બીજી એનિમાં, અને એક નરકમાંથી બીજા નરકમાં લાંબા કાળ સુધી અપાર દુઃખ ભોગવતા ભટક્યા કરે છે. અને ત્યાંથી છૂટીને પણ તેઓ ઝટ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. [ હવે ધર્મરૂપી બીજું સ્થાન ફરી ટૂંકામાં કહે છે: ] અહીં જગતમાં કેટલાક લેકે મેટી ઇચ્છાઓ, આરંભે તથા પરિગ્રહ વિનાના, ધાર્મિક, ધર્મિષ્ટ તથા ધર્મપૂર્વક આજીવિકા ચલાવનારા હોય છે. તેઓ સર્વ પ્રકારની હિંસા વગેરે જ્ઞાનને આવરણ કરનારાં, બીજાને પરિતાપ આપનારાં તથા બંધનનાં કારણરૂપ પાપકર્મોથી જીવનભર વિરત થયેલા હોય છે. ઘરને ત્યાગ કરી ચાલી નીકળેલા તે ભગવંત સાધુઓ ચાલવામાં બાલવામાં વગેરેમાં સાવધાનીથી તથા કઈ Page #208 -------------------------------------------------------------------------- ________________ તેર કિયાસ્થાને ૧૯૧ પ્રાણુને કલેશ ન થાય તેવી રીતે વર્તન કરનારા હોય છે. તેઓ કેધ, માન, માયા અને લોભ વિનાના, શાંત, મેહરહિત, ગ્રંથીરહિત, શોકરહિત તથા અમૂછિત હોય છે. તેઓ કાંસાના વાસણની પેઠે નિર્લેપ, શંખની પેઠે નિર્મલ, જીવની પેઠે સર્વત્ર ગમન કરનારા, આકાશની પેઠે અવલંબન વિનાના, વાયુની પેઠે બંધન વિનાના, શરદઋતુના પાણીની પિઠે નિર્મળ હૃદયવાળા, કમળના પાનની પેઠે નિર્લેપ, કાચબાની માફક ઇંદ્રિયોનું રક્ષણ કરનારા, પંખીની માફક છૂટા, ગેંડાના શીંગડાની પેઠે એકાકી, ભારંડપક્ષીની પેઠે સદા જાગ્રત, હાથીની માફક શક્તિશાળી, બળદની માફક બળવાન, સિંહની પેઠે દુધઈ, મંદર પર્વતની પઠે નિકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્ય કાંતિવાળા, સૂર્ય જેવા તેજસ્વી, કંચનની પેઠે દેદીપ્યમાન, પૃથ્વીની પિઠે સર્વે સ્પર્શી સહન કરનારા, તથા ઘી હોમેલા અગ્નિની પેઠે તપના તેજથી જવલંત હોય છે. આ ભગવંતને પશુ, પંખી, નિવાસસ્થાન કે વસ્ત્રાદિ સાધનસામગ્રી - એ ચાર પ્રકારના અંતરામાંથી એકે પ્રકારનો અંતરાય પિતાને જે દિશામાં જવું હોય ત્યાં જવામાં બાધા કરતો નથી. તેઓ નિર્મળ, અહંકારરહિત ૧. કાંસાના વાસણને પાણું ચાટતું નથી. ૨. આ પક્ષીને બે ડોક અને ત્રણ પગ હોય છે એમ કહેવાય છે. તે જે સહેજ પણ પ્રમાદ કરે, તો અવશ્ય મરી જાય. કારણકે, પિતાને જ બે મુખ છે એ ભૂલી જઈ, જે બંને મુખ એક બીજાના મેનું ઝુંટાવવા પ્રયત્ન કરે તો તે નાશ પામે. અથવા તેને બે શરીર વચ્ચે ત્રણ પગ જેવું થયું, એટલે ચાલવામાં સહેજ ગોટાળે કરે તે ગબડી પડી નાશ પામે. Page #209 -------------------------------------------------------------------------- ________________ હર મહાવીરસ્વામીને સચમધમ તથા અલ્પ પરિગ્રહવાળા હાર્ટ, સયમ અને તપથી આત્માને વાસિત કરતા ગમે તે દિશામાં વિચરે છે. તે ભગવંતા ફક્ત સયમના નિર્વાહ માટે આવશ્યક હાય તે પ્રમાણે, ચેાથી ટંકે, હઠ્ઠી ટકે, આમી ટકે, દશમી ટકે એમ છ મહિના સુધીને આંતરે રહીને પણ ખાય છે અને તે પણ વિધિપુરઃસર, નિર્દોષ અન્ન ભિક્ષાથી મેળવીને જ ખાય છે. તે સ્થિર આસને બેસી ધ્યાન ધરે છે; ભિક્ષુની પ્રતિમાએ રૂપી ભારે તપુર આરે છે. તેએ વાયેસવામાં પણ નિયમવાળા હેાય છે. તેઓને શરીરની મમતા હોતી નથી, તથા તેએ કેશ, દાઢી, મૂ, રામ, નખ વગેરેના તેમજ શરીરના તમામ સંસ્કારાથી રહિત થઈને વિચરે છે. તેએ વસ્ત્ર પણ પહેરતા નથી, ખજ ખણુતા નથી કે ભ્રૂ'કતા નથી. આ પ્રકારની નિર્દોષ તથા પુરુષાયુક્ત ચર્ચા પ્રમાણે ચાલતાં ચાલતાં બહુ વર્ષો સુધી શ્રમણુપણું પાળીને જ્યારે શરીર !ગ તથા વૃદ્ધાવસ્થા વગેરે વિવિધ સ’કટાથી ઘેરાઈ જાય, ત્યારે અથવા એમ ને એમ પણ તે ખાવાપીવાનું છેાડી દે છે, તથા જેને માટે પોતે નગ્નાવસ્થા સ્વીકારી હતી, મુંડન કરાવ્યું હતું, સ્નાન તથા ક્રુતપ્રક્ષાલન ત્યાગ્યુ હતું, છત્ર તથા પગરખાં ત્યાગ્યાં હતાં, ભૂમિશય્યા કે પાટિયા ઉપર પડી રહેવાનું, કબૂલ કર્યું હતું, વાળ ચૂટાવ્યા હતા,, બ્રહ્મચર્ય પાળ્યું હતું, પારકાને ઘેર ભિક્ષા માગી હતી, અને. ૩ ૧. જીઆ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ ન. ૩. ૩. જુઓ પાન ૧૯૬ ઉપરની નોંધ. Page #210 -------------------------------------------------------------------------- ________________ તેર ક્રિયારથાને ૧૯૩ . તે પણ મળે કે ન મળે તેની દરકાર કરી નહેાતી, માનાપમાન, અવહેલા, નિંદા, અવજ્ઞા, તિરસ્કાર, તર્જન તથા તાડન સહન કર્યાં હતાં, તથા વિવિધ અનુકૂળપ્રતિકૂળ ઇંદ્રિયસ્પર્શી સહન કર્યા હતા તે વસ્તુને ચિત્તમાં આરાધે છે. ત્યાર બાદ, જ્યારે તેમના છેવટના શ્વાસેાફ્સ ચાલતા હાય છે, ત્યારે તેઓ અનંત, સર્વોત્તમ, વ્યાઘાતહિત, આવરણ વિનાનું, સંપૂર્ણ તથા પરિપૂર્ણ એવું ઉત્તમ ‘કેવળ ' જ્ઞાનદર્શન પ્રાપ્ત કરે છે, તથા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ, પરિનિર્વાણ પામે છે, અને સ દુઃખાતે અંત લાવે છે. કેટલાક ભગવ તાનું એ એક જ હેલ્લું શરીર હાય છે. જ્યારે, બીજા કેટલાક પૂર્વકર્માને લીધે દિવ્ય ઋદ્ધિ, શ્રુતિ, રૂપ, વર્ણ, ગંધ, સ્પર્શ, દેહ, આકૃતિ, તેજ, પ્રકાશ, પરાક્રમ, યશ, બળ, પ્રભાવ તા સુખવાળી દેવત પામે છે. તે ગતિ અને સ્થિતિ કલ્યાણયુક્ત હાય છે. વિષ્યમાં પણ તેએ ભદ્ર અવસ્થાને જ પામવાના હાય છે. આ સ્થાન આાય છે, શુદ્ધ છે તથા સર્વાં દુ:ખાના ક્ષય કરવાના મારૂપ છે. : તથા [હવે મિશ્ર નામના તૃતીય સ્થાનનું વર્ષોંન કહે છે ] અહી કેટલાક લેાકેા અલ્પ પરિગ્રહવાળા, ધર્મિષ્ઠ, ચલાવનારા હાય છે. તે પ્રસન્ન કરી શકાય તેવા પ્રકારની હિંસાથી વિરત હિંસાથી જન્મભર વિરત થયા હાતા નથી. ઇચ્છા, આર્ભ તથા ધર્મ પૂર્વે ક આજીવિકા સુશીલ, સુન્નતી તથા સહેલાઈથી સજ્જન હેાય છે. થયા હોય છે, પણ અમુક તે અમુક પ્રકારની તે જ પ્રમાણે १३ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તેઓ તેવાં બીજાં પણ જે કાઈ દેષયુક્ત કર્મો છે, તેમાંનાં કેટલાંકથી વિરત થયેલા હોય છે અને કેટલાંકથી વિરત થયેલા હોતા નથી. જેમકે, કેટલાક શ્રમ પાસકે જીવ અને અજીવ ત સંબંધી સમજવાળા હોય છે, પાપ અને પુણ્યનો ભેદ જાણતા હોય છે, કર્મો કેમ કરીને આત્મામાં દાખલ થાય છે (આઢવ) અને તેમને કેમ કરીને આવતાં રોકી શકાય (સંવર), તેમનાં ફળ કેવાં હોય છે, તેમને કેમ કરીને નાશ કરી શકાય છે (નિર્જરા ), ક્રિયા કેને કહેવાય, તેનું અધિકરણ શું છે, બંધ કોને કહેવાય તથા મોક્ષ કોને કહેવાય – એ બધું જાણતા હોય છે. બીજી કોઈની મદદ ન હોવા છતાં પણ દેવ, અસુર, રાક્ષસ કે કિનર વગેરે પણ તેમને તે સિદ્ધાંતમાંથી ચલિત કરી શકતા નથી. તેમને જૈન સિદ્ધાંતમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા રહ્યાં હતાં નથી. તેઓએ જૈન સિદ્ધાંતનો અર્થ જાણીપૂછીને નિશ્ચિત કરેલો હોય છે. તેમને તે સિદ્ધાંતમાં, હાડકાં અને મજજા જેવો પ્રેમ અને અનુરાગ હોય છે. તેમને ખાતરી હોય છે કે, “આ જેના સિદ્ધાંત જ અર્થ તથા પરમાર્થરૂપ છે, અને બીજા બધા અનર્થરૂપ છે.” તેમ ઘરના આંગળા હંમેશાં ઊંચા રાખેલા હોય છે. તેમનાં કમાડ હંમેશાં અભ્યાગતો માટે ૧. એટલે કે શ્રમણના ઉપાસકો. જેઓ ગૃહસંસાર ત્યાગી, શ્રમણું થવા તૈયાર નથી, પરંતુ પોતાનાથી બને તેટલાં શ્રમણનાં વ્રત પાળે છે તેવા ગૃહસ્થો. ૨.' મનની ડામાડોળ સ્થિતિ તે શંકા; ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી અને ઘડીકમાં બીજી ધારણ કરવી તે કક્ષા; અને વ્રત નિયમનું ફળ મળશે કે નહીં એ સંશય તે વિચિકિત્સા. Page #212 -------------------------------------------------------------------------- ________________ તેર ક્વિાસ્થાને ૧૫ ખુલ્લાં હોય છે. તેમનામાં પારકાના ઘરમાં કે અંતઃપુરમાં પેસવાની કામના હેતી નથી. તેઓ ચૌદશ, આઠમ, અમાવાસ્યા તથા પૂનમ ઉપર પરિપૂર્ણ પોષધવ્રત વિધિસર પાળે છે. નિગ્રંથ શ્રમણને તેઓ નિર્દોષ અને સ્વીકારવા યોગ્ય ખાન-પાન, મે–મુખવાસ, વસ્ત્ર–પાત્ર, કંબળ, રજોયણું, ઓસડસડ, બેસવા-સૂવાનાં પાટિયાં, શય્યા અને રહેઠાણ વગેરે પૂરાં પાડે છે. આમ, તેઓ ઘણું શીલવત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાનવત", પિષધપવાસ વગેરે તપકર્મો દ્વારા આત્માને વાસિત કરતા વિહરે છે. આ પ્રકારની ચર્યા પ્રમાણે લાંબો વખત અનુસરતાં અનુસરતાં જ્યારે તે શ્રમણોપાસકનું શરીર રોગ, વૃદ્ધાવસ્થા ૧. એ વ્રતને દિવસે શ્રાવક ઉપવાસ કરે છે, સ્નાનવિલેપન વગેરે શારીરિક સંસ્કારનો ત્યાગ કરે છે, દાભ કે કાષ્ઠની પથારીએ રહીને તથા વીરાસન વગેરે આસને બેસી ધર્મનું ચિંતન કરે છે, અને નિંદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. મૂળ : ૩પવાથ (૩૫ ) તેમાં ઉપાસના અને ઉપવાસનો ભાવ સ્પષ્ટ છે. એટલા વખત પૂરતો તે સાધુજીવન તથા તેનાં વ્રત પાળે છે. ૨. એટલે કે સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચૌર્ય, સ્કૂલ અબ્રહ્મચર્ય અને સ્થૂલ અપરિગ્રહને ત્યાગ. * ૩. એટલે કે નીચેનાં ત્રણ કે દરેક દિશામાં અમુક જ પ્રદેશ સુધી જવાના નિયમરૂપી દિગ્ગત; ઉપગ પરિભાગ (ની વસ્તુઓની સંખ્યા પ્રકાર વગેરે) પરિમાણુ (નક્કી તથા સંકુચિત કરવારૂપી) વ્રત; તથા કેઈનું અશુભ તાકવું બીજને હિંસામાં ઉતારવા અથવા હિંસાયુક્ત દ્રવ્યોને વેપાર ત્યાગવારૂપી અનર્થદંડત્યાગવત. ૪. એટલે કે, અમુક યિા કે પ્રવૃત્તિથી વિરમવાનું વ્રત. ૫. એટલે કે, અમુક જાતના ત્યાગનો નિયમ. * Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ વગેરે વિવિધ સંકટોથી ઘેરાઈ જાય છે, ત્યારે અથવા એમને એમ પણ તે ખાવાપીવાનું છોડી દે છે તથા પોતે કરેલાં પાપકર્મો ગુરૂને નિવેદિત કરી, તેમનું પ્રાયશ્ચિત્ત સ્વીકારી, સમાધિયુક્ત થાય છે, તથા આયુષ્ય પૂરું થયે મરણ પામી, મહાકદ્ધિવાળા તથા મહાદ્યુતિવાળા દેવલોકમાંના કોઈ એક દેવલેકમાં જન્મ પામે છે. આ સ્થાન આર્ય છે, શુદ્ધ છે, સંશુદ્ધ છે તથા સર્વ દુઃખોને ક્ષય કરવાના માર્ગરૂપ છે. આમ મિશ્ર નામના ત્રીજા સ્થાનનું વિવરણ થયું. જે મનુષ્ય પાપથી વિરત નથી થતું, તે બાળક જેવો મૂઢ છે; અને જે થાય છે, તે પંડિત છે, જે અમુક બાબતમાં થાય છે અને અમુક બાબતમાં નથી થતો, તે બાલ તથા પંડિત બને છે. જે સ્થાનમાં બધી બાબતોને વિષે અવિરતિ છે, તે સ્થાન હિંસાનું છે તથા ત્યાગવા લાયક છે. અને જે સ્થાનમાં બધી બાબતોમાં વિરતિ છે, તે સ્થાન અહિંસાનું છે તથા સ્વીકારવા એગ્ય છે. તથા જ્યાં અમુક બાબતમાં વિરતિ અને અમુક બાબતોમાં અવિરત બને છે, તે સ્થાન હિંસા અહિંસા બંનેનું છે. (છતાં) તે આર્ય છે, સંશુદ્ધ છે તથા સર્વદુઃખને ક્ષય કરવાના માર્ગરૂપ છે. ૧. આ પ્રમાણે કાળ, ઉંમર કે ઉપસર્ગ (વિશ્નો)ને કારણે સંચમધર્મ પાળવો અશક્ય થઈ જાય, ત્યારે અથવા એમને એમ પણ અન્નપાનને ત્યાગ કરી, મૃત્યુ પર્યત સૃતિ અને સમાધિયુક્ત રહેવું તેને “મારણાંતિક સંખના ” કહે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ તેર યિાસ્થાને ' [ હવે ઉપસંહારરૂપે આખા અધ્યયનને સાર તારવવાના હેતુથી એક આખ્યાયિકા કહે છે: ] - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી એમ જુદા જુદા વાદીઓની સંખ્યા ૩૬૩ કહેવાય છે બધા લેકેને તેઓ પરિનિર્વાણ અને મેક્ષને ઉપદેશ આપતા વિચારે છે. તેઓ પિતાપિતાની પ્રજ્ઞા, છંદ, શીલ, દષ્ટિ, રુચિ, પ્રવૃત્તિ અને સંકલ્પ અનુસાર જુદા જુદા ધર્મમાર્ગો સ્થાપીને તેમનો પ્રચાર કરે છે. એક વખત તે બધા વાદીએ એક મોટું કુંડાળું વળીને એક ઠેકાણે બેઠા હતા. તે વખતે એક માણસ બળતા અંગારાથી ભરેલી એક લોઢાની કઢાઈ પૂરેપૂરી ભરીને, લેઢાની સાંડસી વડે પકડી, જ્યાં તે બધા બેઠા હતા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો : “હે મતવાદીએ ! તમે બધા પોતપોતાના ધર્મમાર્ગોના સંસ્થાપકે છે, અને પરિનિર્વાણુ તથા મોક્ષનો ઉપદેશ આપતા વિચરો છે. તમે આ બળતા અંગારાથી ભરેલી કઢાઈ એક મુદ્દત સુધી ખુલ્લા હાથમાં પકડી રાખો !” આમ કહી, તે માણસ તે બળતા અંગારાથી ભરેલી કઢાઈ દરેકના હાથમાં મૂકવા ગયે. પરંતુ તેઓ પિતપોતાના હાથ પાછા ખેંચી લેવા લાગ્યા. એટલે તે માણસે તેમને પૂછયું, “હે ધર્મસંસ્થાપક ! તમે તમારા હાથ પાછા કેમ ખેંચી લે છે ? હાથ ન દાઝે તે માટે? અને દાઝે તો શું થઈ જાય ? દુઃખ ? દુઃખ થાય તે માટે તમે તમારા હાથ પાછા ખેંચી લે છે એમ ને ? Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તે એ જ ગજ અને માપથી બીજાઓની બાબતમાં પણ વિચાર કરે એ જ ધર્મવિચાર કહી શકાય કે નહિ ? બસ, ત્યારે આપણને હવે માપવાને ગજ, પ્રમાણુ અને ધર્મવિચાર મળી ગયાં! એટલે જે શ્રમણબ્રાહ્મણે એમ કહે છે તથા ઉપદેશ છે કે, બધાં ભૂત પ્રાણોને મારવાં જોઈએ, તેમની પાસે બળાત્કારે કામ કરાવવું જોઈએ કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છેદભેદ તથા જન્મ-જર-મરણ પામશે અને અનેક યુનિઓમાં ભટકતા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભગવશે. તેમને માતૃમરણ, પિતૃમરણ, ભ્રાતૃમરણ તથા એ જ પ્રમાણે ભાર્યા, પુત્ર, પુત્રી તથા પુત્રવધૂનાં મરણનું દુઃખ ભોગવવું પડશે તથા દારિદ્ય, દૌર્ભાગ્ય, અપ્રિયપ્રાપ્તિ અને પ્રિયવિયોગ વગેરે બહુ પ્રકારનાં દુઃખ-દૌર્મનસ્ય ભોગવવા પડશે. તેમને સિદ્ધિ કે બધ પ્રાપ્ત થવાં અશક્ય થશે, તથા તેઓ સર્વદુઃખોને અંત લાવી શકશે નહીં. પરંતુ જે શ્રમણ બ્રાહ્મણે અહિંસાધર્મ ઉપદેશે છે, તેઓ આ બધાં દુઃખો નહીં પામે તથા તેઓ સિદ્ધિ અને બેધ પામી, સર્વ દુઃખને અંત લાવી શકશે.” પ્રથમનાં બાર ક્રિયાસ્થાનેમાં વર્તનારા જીવોને સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. પરંતુ તેરમું ક્રિયાસ્થાન સેવનારા સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પામી, સર્વ દુઃખોને અંત લાવી શકે છે. તેથી આત્માને ઈચ્છનારા, આત્માનું કલ્યાણ કરવામાં તત્પર, આત્મા ઉપર અનુકંપાવાળા, તથા આત્માને આ કારાગૃહમાંથી છેડાવવા પરાક્રમ અને પ્રવૃત્તિવાળા મનુષ્ય પોતાના આત્માને એ બાર ક્રિયાસ્થાનમાંથી બચાવે. આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ તેર ક્રિયાથાના ટિપ્પણા આ ટિપ્પણૢ નં૦ ૧ : મૂળમાં તે મેલી વિદ્યાઓનું વર્ણન પ્રમાણે છે : પૃથ્વી ઉપરના ઉપદ્રવે, વાંદરાનું હસવુ` વગેરે વિચિત્ર ઉપાતા, સ્વપ્ન, અંતિરક્ષમાં બનતા બનાવે, શરીરનાં અંગાનું ફરકવું, કાગડા વગેરેનું એલવુ, રાંખ ચક્ર વગેરે લક્ષણા તથા તલ મસા વગેરે ચિહ્નો ઉપરથી ભવિષ્ય ભાખવાની વિદ્યા; સ્ત્રી, પુરુષ, ઘેાડા, હાથી, ગાય, ખળદ, ઘેટું, બકરું, ફૂંકડા, તીતર, વર્કંગ ( બતક ?) લાવક વગેરેનાં લક્ષણાની વિદ્યા; ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ તથા રત્નનાં લક્ષણાની વિદ્યા; કાઈ ને સુખી બનાવવાની, કોઈ ને દુ:ખી ખનાવવાની, સ્ત્રીને ગર્ભ વતી મનાવવાની, કાઈને મૂઢ બનાવવાની, કોઈમાં કુત્તિ ઉત્પન્ન કરવાની, ઇંદ્રજાળની તથા જુદી જુદી વસ્તુઓથી જુદા જુદા હેામ કરવાની વિદ્યા; ધનુવિદ્યા વગેરે ક્ષત્રિય વિદ્યા; ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહસ્પતિ વગેરે ગ્રહેાની ગતિ, ઉલ્કાપાત, દિશાએ સળગવી, હરણ શિયાળ વગેરે પશુઓનું દાન, કાગડાઓનું મંડળ આંધી ઊડવું, ધૂળ, વાળ, માંસ રુધિરની વૃષ્ટિ થવી વગેરે ઉપરથી શુભાશુભ ફળ કહી બતાવવાની વિદ્યા; જાપ વગેરેથી કાઈ ને નુકસાન કરવાની અથવા તે નુકસાન પાછું ખેંચી લેવાની વૈતાળી અને અર્ધવૈતાળી વિદ્યા; લાકીને ઊંધમાં નાખવાની, તાળાં ઉઘાડી નાખવાની, તથા ચંડાળ, શખર, દ્રવિડ, કલિંગ, ગૌડ અને ગાંધાર (લેાકાની ?) વિદ્યાએ; કાઈ ને નીચે પાડી નાખવાની, કાઈને ઊભા કરવાની, ઊડવાની, કાઈને સ્થિર કરી દેવાની, કોઈને ચોટાડી દેવાની, કાઈને માંા પાડવાની, કે માંદાને સાજો કરવાની, દૂર ચાલ્યા જવાની, અંતર્ધાન થવાની ( અને પાછા હતા થવાની ) વિદ્યાએ. ટિપ્પણું નં૦ ૨ : મૂળમાં ભિક્ષુકાના નિયમે નીચે પ્રમાણે છે : ગૃહસ્થે હાંડલીમાંથી કાઢી, પેાતાને માટે બીજા વાસણમાં પીરસ્યું હાય, તેમાંથી જ આપેલું ખાય; અથવા ગૃહસ્થે પેાતાને માટે કાઢી લીધા ખાદ વધારાનું પાછું નાખ્યું હાય, તે જ ખાય; અથવા તે એ પ્રકારનું જ વારાફરતી લાવીને ખાય; અથવા તદ્દન સસ્તું અને નીરસ ૧૯૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મહાવીરસ્વાસીના સચમધમ એવુ' અન્ન મેળવીને જ ખાય; અથવા ગૃહસ્થે ખાતાં વધેલુ હાચ તેવું જ મેળવીને ખાય; અથવા લૂખું અન્ન અથવા ઘેાડુ ઘેડુ... ઘણે ઠેકાણેથી લાવીને ખાય; આપેલું જ ખાય; અથવા તદ્દન સ્વચ્છ હાથે અથવા પેાતાને ભિક્ષામાં જે અન્ન મળતું હેાય તેનાથી એઠા હાથે આપેલું જ ખાય; (નિર્દોષ છે કે સદોષ) એમ પાતે નજરે જોયેલી વસ્તુની જ ભિક્ષા લે : અથવા (સ્વાદૃિષ્ટ છે કે સામાન્ય એ જાણવા ખાતર) નજરે જોયા વિનાની જ વસ્તુની ભિક્ષા લે; તે જ પ્રમાણે પૂછીને આપેલું જ લે; અથવા પૂછ્યા વિના જ આપેલુ લે; અથવા માગીને મેળવેલું જ ખાય કે માગ્યા વિના (બારણે રહેવા માત્રથી) મેળવેલું જ ખાય; અજ્ઞાત રહીને જ ભિક્ષા મેળવે; નજીકમાંથી જ મેળવે; અમુક સખ્યાની વસ્તુઓ જ મેળવે; અમુક પ્રમાણમાં જ મેળવે; સ્વાદ વિનાનું જ મેળવે, કે ખરાબ સ્વાદવાળું જ મેળવે; આસામ જેવી વસ્તુ જ મેળવે; પહેલા એ પહેાર વીત્યા પછી જ ખાય; દૂધ-ધી જેવા ચીકટ પદાર્થો કે મદ્યમાંસ ન ખાય; તથા બહુ તેજ પદાર્થો ન ખાય. જઈ ને ઊભા ટિપ્પણું ન ૩ : ભિક્ષુની ખાર પ્રતિમાએ: ૧લી એક માસ સુધી કરવાની. તેમાં અન્ન અને પાણીની એક વૃત્તિ લેવાની. (કૃત્તિ એટલે દાતા ગૃહસ્થ અન્નપાણી આપતા હોય ત્યારે તેની એક જ ધારમાં જેક્લુ આવે તેટલું... આ પ્રમાણે ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં મુદ્દતમાં એક એક માસ વધે અને વૃત્તિની સંખ્યામાં પણ એક એકનો વધારો થાય. આઠમી પ્રતિમા સાત રાત્રિ અને દિવસ પાળવાની. તેમાં પાણી પીધા વિના એકાંતરા ઉપવાસ કરવાના, પારણામાં માત્ર આસામ પીવાનું, ગામની બહાર રહેવાનું, ચત્તા કે પડખે સૂવાનુ, અને ઉભડક બેસવાનું, ૯ મી પ્રતિમાની મુદ્દત પણ તેટલી જ છે, તેમાં ઉપર જણાવ્યા ઉપરાંત ઉભડક રહેવાનું અને વાંક લાકડાની પેઠે માથુ, કેડ અને પગ જ જમીનને અડે તેમ સૂવાનું. ૧૦ મી પ્રતિમાની મુદ્દત પણ તેટલી જ. તેમાં પણ ૮મી પ્રતિમામાં જણાવેલી વસ્તુએ ઉપરાંત મેળવીને જ ખાય; અથવા એંડા હાથે આપેલું જ ખાય; Page #218 -------------------------------------------------------------------------- ________________ તેર ફિયાસ્થાને બેસવામાં ગોદોહાસન અને વિરાસન અને સંકેચાઈને બેસવું – એટલાં ઉમેરાય. ૧૧ મી પ્રતિમા એક રાત અને એક દિવસની. તેમાં પાણી વિના બે ઉપવાસ (છ ટંક) કરવાના, અને ગામની બહાર હાથ લંબાવીને રહેવાનું. ૧૨ મી પ્રતિમા એક રાત્રિની. તેમાં ત્રણ ઉપવાસ (આઠ ટંક) કરવાના, નદી વગેરેને કાંઠે ભેખડ ઉપર બેસવાનું, અને આંખે નહિ પટપટાવવાની. Page #219 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જું આહારવિચાર [ શ્રીસુધર્મસ્વામી બોલ્યા : નિર્દોષ આહાર કેને કહેવાય તે વિષે મેં ભગવાન મહાવીર પાસેથી સાંભળેલો ઉપદેશ હવે કહી સંભળાવું ? ] કેટલાક છો પિતાનાં કર્મોથી પ્રેરાઈને તથા પિતાનાં કર્મોથી ખેંચાઈને, વિવિધ પદાર્થોની નિરૂપ પૃથ્વીમાં વનસ્પતિરૂપે પિતાના બીજ તથા ઉત્પત્તિસ્થાન પ્રમાણે ઉત્પન્ન થાય છે. વનસ્પતિનાં બીજે ચાર પ્રકારનાં હોય છે. જેમકે : ટોચ ઉપર થતાં (તાડ, આંબો, ડાંગર વગેરેને); કંદરૂપી (આદુ વગેરે); પર્વરૂપી (શેરડી વગેરેની પિરાઈમાં થતી આંખે વગેરે); સ્કંધ-ડાળી-રૂપી (મેગરા વગેરેની). (૧) તે વનસ્પતિઓ પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ, પૃથ્વીને રસ ખેંચે છે. તેઓ તે પૃથ્વી શરીર ઉપરાંત yી છે. અને બીજાં પણ પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ શરીરનું ભક્ષણ કરે છે. આમ તેઓ અનેક સ્થાવરજંગમ Page #220 -------------------------------------------------------------------------- ________________ આહારવિચાર ૨૦૩ પ્રાણોનાં શરીરને પ્રાણરહિત કરી, તેમનો વિનાશ કરે છે. પછી પોતે પૂર્વે ભક્ષણ કરેલાં તેમજ અત્યારે પણ ત્વચાથી ભક્ષણ કરાતાં તે શરીરને તેઓ પચાવી, પિતારૂપ કરી દે છે. આમ તે વૃક્ષો પૃથ્વીમાં ઉત્પન્ન થઈ પૃથ્વીને આધારે રહે છે તથા વધે છે. તે વૃક્ષનાં બીજાં પણ (મૂળ, શાખા, ડાળી, પાંદડાં, ફૂલ વગેરે) વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા આકૃતિવાળાં અને વિવિધ પ્રકારનાં શારીરિક પરમાણુઓનાં બનેલાં અંગે હોય છે. તે બધા (પણ) સ્વતંત્ર છે, અને પિતપોતાનાં કર્મોને કારણે તે રૂપે ઉત્પન્ન થયા છે, એમ (ભગવાન તીર્થકરે) અમને કહ્યું છે. (૨) કેટલાક વનસ્પતિજીવો ઉપર જણાવેલાં પૃથ્વીયોનીય વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તથા તેમને રસ ચૂસી તથા બીજાં પણ પાણું, તેજ, વાયુ અને વનસ્પતિશરીરનું ભક્ષણ કરી, તેમને આધારે રહે છે તથા વધે છે. (૩) તે જ પ્રમાણે કેટલાક વનસ્પતિ છે તે વૃક્ષયનીય વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે તથા તેમને રસ ચૂસી. . . તેમને આધારે રહે છે તથા વધે છે. (૪) વળી કેટલાક જીવો તે વૃક્ષનીય વૃક્ષોમાં મૂળરૂપે, કંદરૂપે, થડરૂપે, ત્વચારૂપે, ડાળીરૂપે, કુંપળરૂપે, પાંદડાંરૂપે, ફળરૂપે તથા બીજરૂપે ઉત્પન્ન થાય છે, તથા તેમને રસ ચૂસી. . . તેમને આધારે રહે છે તથા વધે છે. જે કેટલાક વૃક્ષોમાં વૃક્ષવલ્લી તરીકે ઉત્પન્ન થાય છે. તેમની બાબતમાં પણ ઉપર પ્રમાણે ચારે આલાપકે ૧. ઉપર પ્રમાણે બાકીનું ઉમેરી લેવું. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઘટાવી લેવા. તથા તે જ ઔષધએ અને હરિયાળી માટે સમજવા. મહાવીરસ્વામીનો સચમધમ પ્રમાણે પૃથ્વીમાં થતાં તૃણે, પણ ચારે આલાપ તે જ પ્રમાણે પૃથ્વીમાં ઉત્પન્ન થતાં આય, વાય, કાય, કૂહણ, કંદુક, ઉન્વેણિય, નિવ્રેહણિય, સચ્છ, છત્તગ તથા વાસાણિય વગેરે તૃણા વિષે સમજવું. પરંતુ ( તે તૃણેામાંથી ખીજાં આય, વાય, કાય વગેરે ઉત્પન્ન થતાં નથી. માટે ) તેમની બાબતમાં પહેલા જ આલાપાક ઘટાવવા. બાકીનાં ત્રણ નહીં. કેટલાક વનસ્પતિજીવા પૃથ્વીને બદલે પાણીમાં વૃક્ષ, વૃક્ષવલ્લી, તૃણુ, ઔષિધ અને હરિયાળી રૂપે ઉત્પન્ન થાય છે. તે દરેકને માટે પણ ઉપર પ્રમાણે ચારે આલાપકા સમજી લેવા. પરંતુ, ઉદગ, અવગ, પગ, સેવાલ, કલ'થુગ, હડ, સેર્ગ, કચ્છભાણિય, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સેાગધિય, પુંડરીક, મહાપુંડરીકે, શતપત્ર, સહસ્રપત્ર કહ્યાર, કાકનદ, અરવિંદ, તામરસ, બીસ, માલ, પુષ્કર, પુષ્કરલચ્છી તથા ભગવગેરે પાણીમાં ઉત્પન્ન થનાર વનસ્પતિએ એવી છે કે, તેમને ખીન્ન ત્રણ આલાપકા ઘટી શકતા નથી. વળી કેટલાક વા એ પૃથ્વી તથા પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિએમાં જંગમ પ્રાણ તરીકે રહે છે અને તેમના રસ વગેરે ખાઈને જીવે છે તથા વધે છે. ૧. ટીકાકાર જણાવે છે કે, તેમના અર્થ તેમને જાણનારાએ પાસેથી સમજી લેવા. ૨. કૌ`સમાં મૂકેલા અથ ટીકાકારના છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ આહારવિચાર ૐ હવે મનુષ્યા વિષે : મનુષ્યેામાં કેટલાક ક ભૂમિમાં પેદા થનારા હાય છે, કેટલાક અકર્મભૂમિમાં પેદા થનાર હાય છે, કેટલાક અંતરીપામાં પેદા થનારા હોય છે, કેટલાક આય તરીકે પેદા થનારા હોય છે અને કેટલાક મ્લેચ્છ તરીકે પેદા થનારા હોય છે.૧ તેમની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે ઃ •સ્ત્રી અને પુરુષને, પૂર્ણાંકથી પ્રાપ્ત થયેલી યાનિમાં, સંભોગેચ્છાપૂર્વક સંયેાગ થાય છે. ત્યાં તે એક બીજાના રસે એકઠા કરે છે. તે રસામાં જુદા જુદા વા સ્ત્રીરૂપે, જીવા પુરુષરૂપે કે નપુંસકરૂપે પાતપાતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે છા પ્રથમ માતાનું રજ પિતાનુ વી કે તે બંને મળીને થયેલી ગંદી વસ્તુ ખાય છે. ત્યારબાદ ગર્ભ મોટા થતાં, માતા જે વિવિધ રસાવાળા આહાર ખાય છે, તેનુ સત્ત્વ પેાતાના એક ભાગ ( નાળ ) વાટે ખાય છે. જન્મ થયા બાદ, તે જીવા બાળક હાય છે ત્યાં સુધી માતાનું દૂધ ધાવે છે તથા ઘી ચાટે છૅ. પછી ધીમે ધીમે મેટા થઈ, ભાત, અડદ તથા ખીજા સ્થાવરજગમ પ્રાણાને ખાય છે. ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પ ન. ૨. ૨. પુરુષનું ખીજ વધારે હોય, તે પુરુષ થાય; સ્ત્રીનું બીજ વધારે હોય, તે સ્ત્રી થાય અને બંનેનું સમાન હોય તે નપુંસક • એ માન્યતાના ઉલ્લેખ છે. થાય ૨૫. ૩. ગસ્થાનની જમણી બાજીમાં પુરુષ થાય, ડામીમાં સ્ત્રી અને મધ્યમાં નપુંસક — એ માન્યતા પ્રમાણે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મહાવીરસ્વામીને સંચમધર્મ તે જ પ્રમાણે પાંચ ઇંદ્રિયવાળાં જળચર પ્રાણીઓ જેવાં કે, મચ્છ, શું શુંમાર વગેરે માટે સમજવું. માત્ર, તેઓ નાનાં હેય છે ત્યાં સુધી (માતાના દૂધને બદલે) પાણીને રસ ખાય છે; પછી મોટાં થયાં બાદ વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણે ખાય છે. તે જ પ્રમાણે ચાર પગવાળાં, જમીન ઉપર ચાલનારાં, પાંચ ઇન્દ્રિયવાળાં પ્રાણુઓ જેવાં કે, એક ખરીવાળાં, બે ખરીવાળાં, સોનીની એરણ જેવા પગવાળાં (હાથી, ગેંડો વગેરે) તથા નહેરવાળાં (સિંહ, વાઘ વગેરે) પ્રાણીઓનું સમજવું. માત્ર તેઓ નાનાં હોય છે ત્યાં સુધી માતાનું દૂધ પીએ છે. પછી મોટાં થઈ વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણો ખાય છે. તે જ પ્રમાણે પેટે ચાલનારાં પાંચ ઈદ્રિયવાળાં સાપ, અજગર, આશાલિક, મહેરમ વગેરે પ્રાણીઓનું સમજવું. તેઓમાંનાં કેટલાંક ઈંડાં મૂકે છે, તથા કેટલાંક બચ્ચાંને જન્મ આપે છે. તેઓ નાનાં હોય છે ત્યાં સુધી વાયુનો આહાર કરે છે. પછી મોટાં થઈ, વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણે ખાય છે. તે જ પ્રમાણે ભુજાવડે જમીન ઉપર ચાલનારાં, પાંચ દિવાળાં પ્રાણીઓ જેવાં કે, છે, નેળિયા, શિહેળી, કાચંડ, સલ્લ, સરવ, ખર, ઘોળી, વિસ્તંભર, ઉંદર, કાળ, પલાઈ બિડાલી, જેહ અને ચઉપાઈ વગેરેનું પણ સમજવું. તે જ પ્રમાણે આકાશમાં ઊડનારાં પાંચ ઇંદ્રિવાળાં પંખીઓ જેવાં કે, ચર્મમય પાંખવાળાં (ચામાચીડિયાં Page #224 -------------------------------------------------------------------------- ________________ આહારવિચાર વગેરે), લેમમય પાંખવાળાં (સારસ વગેરે), પેટી જેવી પાંખવાળાં અને વિસ્તૃત રહેનારી પાંખવાળાં પંખીઓનું સમજવું. માત્ર તે જીવો નાના હોય છે ત્યાં સુધી માતાના શરીરનો રસ ખાય છે, . કેટલાક વિવિધ પ્રકારનાં સ્થાવરજંગમ પ્રાણીઓનાં ચેતન કે અચેતન શરીરને આશ્રયે (જૂ, લીખ, માંકણ, કીડ વગેરે થઈને) જન્મે છે. તે જીવો તે વિવિધ પ્રકારના સ્થાવરજંગમ પ્રાણનો રસ ખાઈને જીવે છે. એ જ પ્રમાણે વિષ્ટા વગેરે ગંદી ચીજોમાં તથા પ્રાણીઓની ચામડી ઉપર ઉત્પન્ન થતાં (ચિમેડી વગેરે) જંતુઓનું પણ સમજવું. (૧) જગતમાં કેટલાક જીવો પિતાનાં કર્મોને કારણે જંગમ કે સ્થાવર પ્રાણીઓનાં ચેતન કે અચેતન શરીરમાં [ પાણુરૂપે ઉત્પન્ન થાય છે]. તે [પાણી શરીર] વાયુ વડે ઉત્પન્ન થયું હોય છે, વાયુ વડે ગોઠવાયું હોય છે તથા વાયુ વડે સંચાલિત થયું હોય છે. વાયુ ઉપર જાય ત્યારે તે ઉપર " જાય છે, નીચે જાય ત્યારે નીચે જાય છે તથા તીરછ જાય ત્યારે તે તીરછું જાય છે. તેના પ્રકારે આ પ્રમાણે છે : એસ, હિમ, ધુમ્મસ, કરા, ઝાકળ, અને વરસાદ. તે જી પોતે જેમાં ઉત્પન્ન થયા છે, તે સ્થાવરજંગમ પ્રાણનો રસ ખાય છે. ૧. આ છેલ્લી બે જાતે આ દ્વીપમાં નથી એમ ટીકાકાર Page #225 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના સચમધમ (૨) વળી કેટલાક [ પાણીશરીરી જીવે ] ઉપરનાં પાણીમાં પાણી તરીકે ઉત્પન્ન થાય છે; અને તે પાણીના તે રસ ખાઈને જીવે છે. ૨૦૮ (૩) તથા તે જ પ્રમાણે ખીજા કેટલાક જીવે એ છેવટનાં પાણીમાં પાછા પાણી તરીકે ઉત્પન્ન થાય છે, અને તેનેા રસ ખાઈને જીવે છે. (૪) તથા કેટલાક જીવે એ છેવટનાં પાણીશરીરમાં જંગમ વે તરીકે ઉત્પન્ન થાય છે અને તે પાણીને રસ ખાઈને જીવે છે. તે જ પ્રમાણે અગ્નિશરીરવાળા જવાનું, વાયુારીર વાળા વાનું અને પૃથ્વીશરીરવાળા જીવાનું સમજી લેવું. પૃથ્વીશરીાના વિવિધ નમૂના તરીકે નીચેની ગાથારે સમજવી : માટી, કાંકરા, રેતી, પથ્થર, શિલા, અને ખનીજ મીઠું; લાટું, કલાઈ, તાંબું, સીસું, રૂપું, સાનું અને હીરા ॥ ૧ ॥ હરતાળ, હિંગળાક, મન:શિલ, પારા, સુસ્મા, પ્રવાલ, અબરખનાં પડ, અબરખી રેતી અને મણિના પ્રકારઃ ॥ ૨॥ ગોમેદ, રુચક, અંક, સ્ફટિક, લેાહિતાક્ષ; મરકત, મસારગલ્લ, ભુજમાચક, ઇંદ્રનીલ (વગેરે.) ॥ ૩ ૪ ચંદન, ગેરુક, હુંસગ, પુલક, સૌગંધિક; ચંદ્રપ્રભ, વૈડૂ, જલકાંત અને સૂર્યકાંત ॥ ૪ ॥ આમ વિવિધ પ્રકારની ઉત્પત્તિ સ્થિતિ અને વૃદ્ધિવાળાં બધાં ભૂતપ્રાણીએ વિવિધ શરીર।માં ઉત્પન્ન થઇ ૧. જુઓ પ્રકરણને અતે ટિપ્પણુ નં. ૩, ૨. આ ગાથા ઉત્તરાધ્યયનમાં પણ (૩૬, ૭૪–૭૭) છે.. Page #226 -------------------------------------------------------------------------- ________________ આહારવિચાર ૨૦૯ વિવિધ શરીશને આહાર કરે છે (અને તે તે પ્રાણાની સતત હિંસા કર્યાં જ કરે છે). આમ પોતે બાંધેલાં કર્મા દ્વારા કેરાઈ, તે કમોને કારણે તથા તે કર્મો અનુસાર, તેએ ફરી ફરી જુદી જુદી ગતિ, સ્થિતિ અને પરિવર્તન પામ્યાં કરે છે. એટલે, માત્ર આહારની બાબતમાં જ આટલું બધું કર્મ બંધન જાણીને, આહારની ખાખતમાં સાવધાન થાએ અને પોતાના કલ્યાણુમાં તત્પર રહી, સમ્યક્ પ્રવૃતિવાળા બની, હંમેશાં (એક ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે) પુરુષા કરો. આમ કહી, શ્રીસુધસ્વામી થાળ્યા. ટિપ્પણા સુખલાલજી આ વૃક્ષશ્રેણી વિષે tr વિષ્ણુ નં. ૧ : પંડિત આ પ્રમાણે ખુલાસે જણાવે છે : જે એક વૃક્ષ દેખાય કે મનાય છે, તે વસ્તુત: મનુષ્યસરીરની પેઠે એક શરીર નથી, પણ શરીરરાશિ છે. એક શરીરમાં ઓછામાં એક્ એક જીવ તા હોય જ. મીજ એ સ્વાતીય શરીરનું ઉપાદાન છે. પૃથ્વીના રસ આદિને આહાર તરીકે લઈ, પ્રથમ ખીજ અંકુરિત થાય છે. તે ફણગા સીધી રીતે પૃથ્વીમાંથી આહાર લેતા હેાવાથી, પૃથ્વીયેાનિક છે. એ ગામાંથી આહાર મેંળવી, તાશ્રિત બીજા શરીરા વૃક્ષરૂપે બંધાય છે. એમ ઉપરાઉપર ચાલે છે. ત્રીજી કાટ સીધી રીતે પૃથ્વીમાંથી કે પૃથ્વીયેાનિક શરીરમાંથી આહાર ન લેતાં, માત્ર વૃક્ષશરીરમાંથી આહાર લે છે. મૂળ, પત્ર આદિ જે વિભાગે કથા છે, તે સ્વતંત્ર શરીર જ છે, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મહાવીરસ્વામીને સંચમધમ કે, ત્રીજી કેટી પછી એને વૃક્ષોનિક વૃક્ષ કહ્યાં છે, છતાં એ મૂળ, પત્ર વગેરે, વનસ્પતિની જાતિ પ્રમાણે પ્રથમ કેટી પૃથ્વોનિક વૃક્ષ અને બીજી કેટી પૃથ્વીયોનિક વૃક્ષોનિક વૃક્ષને પણ સંભવે. વનમાં માત્ર ક્રમ છે. સંભવ તો યથાદશન ઘટે. ચાર કેટીએ વર્ણવી, એક ગણાતા વૃક્ષ શરીર પરત્વે નિભેદ કેવો કેવો હોય તે સૂચવ્યું છે. આય, વાય એ કઈ એવી વનસ્પતિ છે, જેનાં શરીરો માત્ર પૃથ્વીમાંથી જ આહાર લે છે. અને પૃથ્વી સંભૂત શરીરમાંથી આહાર મેળવી પછી તેના ઉપર બીજો શરીર બંધાતાં નથી.” ટિપ્પણ નં ર : જૈન માન્યતા પ્રમાણે ઊર્ધ્વક, અલક અને મધ્યલોક એમ લોકના ત્રણ ભાગ છે. ઊર્વલોકમાં દેવો રહે છે અને અલોકમાં નારકિઓ રહે છે. મધ્યલોકમાં જે અનેક દ્વીપ અને સમુદ્રો છે, તેમાં આપણે જેમાં રહીએ છીએ તે) જંબુદ્વીપમાં, ઘાતકીખંડ દ્વીપમાં અને પુષ્કરદ્વીપમાં અર્ધા ભાગમાં – એમ અઢી દ્વીપમાં જ માણસની વસ્તી છે. તથા જંબુદ્વીપની આસપાસ જે લવણસમુદ્ર છે, તેમાં આવેલા ૫૬ અંતરદ્વીપમાં પણ મનુષ્યની વસ્તી છે. અઢી કપમાં પણ સર્વત્ર વસ્તી નથી, પણ તેમાં ગણવેલાં અમુક પાંત્રીસ ક્ષેત્રોમાં વસ્તી છે. હવે તે પાંત્રીસ ક્ષેત્રે અને પ૬ અંતરદ્વીપમાંથી જેમાં મોક્ષ માર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તેવી કમભૂમિએ અમુક પંદર જ છે. બાકીનાં ૨૦ ક્ષેત્રે અને અંતરદ્વીપ અકર્મ ભૂમિ છે. કર્મભૂમિમાં જ મુક્તિને વેગ્ય ચારિત્રને સંભવ છે. મનુષ્યમાં પણ આર્ય અને સ્વેચ્છ એવા બે વિભાગ છે. તે વિભાગો અમુક દેશમાં, જાતિમાં તથા કુળમાં ઉત્પન્ન થવું, અમુક કર્મ અને શિલ્પથી આજીવિકા ચલાવવી અને અમુક ભાષા બોલવી એ કારણોથી પાડવામાં આવેલા છે. અંતરદ્વીપમાં રહેનાર મનુષ્ય ઝાડનાં ફળ ખાઈને જીવે છે, નિર્વાહ માટે બીજું કાંઈ કૃષિ આદિ કર્મ કે શિલ્પ કરતા નથી, Page #228 -------------------------------------------------------------------------- ________________ આહારવિચાર ૨૧૧ તથા તેમનાં શરીર પણ વિચિત્ર કદ અને આકારનાં હોય છે એમ કહેવાય છે. કેટલાકને લાંબા કાન અને એક જ પગ હોય છે. એટલે એ દ્વીપ વાસ્તવિક કરતાં પૌરાણિક કલ્પનાને લગતા કહી શકાય. દિપેણ નં. ૩ : “મેધોમાં જેમ ઉદકકાય છે, તેમ બધાં જ ત્રસસ્થાવરનાં શરીરમાં ઉદકકાય છે. જળ શરીરની નિષ્પત્તિમાં અને તેના ધારણુસંચાલનમાં મુખ્ય ભાગ વાત છે. ઉદકકાય ઉત્પન્ન થયે, પછી એમાંથી આહાર મેળવી, ઉત્તરોત્તર નવનવ ઉદકકાની સૃષ્ટિ થાય છે. સામાન્ય રીતે આદિથી અંત સુધી કઈ પણ શરીરમાં ઉદક એક જ છે એમ દેખાય છે કે મનાય છે. તે સ્થળે એમ ન માનતાં, પૂર્વ પૂર્વ ઉદકકાચમાંથી ઉત્તરોત્તર ઉદકશરીરે વૃક્ષશરીરની પેઠે પેદા થતાં જાય છે, મધ્ય વિભાગ ન દેખાવાથી સજાતીય હાઈ એક સમાય છે, એમ માનવું.” – પંડિત સુખલાલજી. Page #229 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ થું વ્રતનિયમ શ્રીસુધર્મસ્વામી બોલ્યા : હે આયુષ્મન ! (મહાવીર) ભગવાને કહી સંભળાવેલી એક અગત્યની ચર્ચા હવે હું તને કહી બતાવું છું, તે તું ધ્યાનપૂર્વક સાંભળ. આ જગતમાં કેટલાક લેકે એવા હોય છે કે, જેમનામાં વિચારશક્તિ કે વિવેકશક્તિ જાગ્રત થઈ ન હોવાથી, તેઓ જીવનભર કઈ પણ વસ્તુ નિયમપૂર્વક ત્યાગવામાં સમજતા જ નથી. તેમને અમુક કામ સારું કે અમુક કામ છેટું એવી સમજ જ હોતી નથી. તેઓ તદ્દન મૂઢ તથા નર્યા ઊંઘતા માણસ જેવા હોય છે. તેમની મન, વાણી અને કાયાની એકે ક્રિયા વિચારપૂર્વક થયેલી હોતી નથી. અને તેથી તેઓ અનેક મિથ્યા માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં ડૂબેલા રહી, જીવનભર નકરાં પાપકર્મ કર્યા કરે ૧. મૂળઃ પ્રત્યાહ્યાન : કોઈ પણ વસ્તુ નિયમપૂર્વક ત્યાગવી તે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ વતનિયમ છે. ટૂંકમાં, તેઓમાં સ્વપ્નમાં પડેલા માણસ જેટલા પણ હોંસ હોતા નથી. છતાં તેઓ જે જે કર્મો કરે છે, તેનું બંધન તો તેઓને લાગે છે જ.” આચાર્ય આટલું બોલ્યા એટલે તરત સામે વાદી આવી તેમને કહેવા લાગ્યો : જેનું પાપકર્મ કરવાના ઈરાદાવાળું મન હેય, વાણી ન હોય, કે કાયા ન હોય, તથા અમુક કામ હિંસા છે તથા પાપ છે એમ જાણ્યા વિના જ જે હિંસાદિ કરતો હોય, જેનામાં સાચા ખોટાની કશી સમજ ન હોય, તથા જે પોતાની મન, વાણી અને કાયાની સઘળી ક્રિયાઓ વિચારપૂર્વક કરતો ન હોય, ટૂંકમાં, તમે કહે છે તેમ, જેનામાં સ્વપ્નમાં પડેલા માણસ જેટલા પણ હોંસ ન હોય – તે માણસ પાપકર્મ કરે છે, તથા તેનું તેને બંધન થાય છે એમ કેમ કરીને કહેવાય ? જવાબમાં આચાર્યે કહ્યું : મેં કહ્યું છે તે જ સાચું છે. કારણ કે, જે માણસ પૃથ્વીથી માંડી જંગમ. સુધીના યે વર્ગો પ્રત્યે ઈરાદાપૂર્વક વ્રતનિયમથી પાપકર્મ રોકતો નથી કે ત્યાગતો નથી, તે મનુષ્ય તે જીવો પ્રત્યે સતત્ પાપકર્મ કર્યા જ કરે છે. ઉદાહરણ તરીકે: કેઈ ખૂની પુરુષ કોઈના ઘરમાં પેસવાની તથા તેને મારી નાખવાની તક શોધત, રાતદિવસ, સૂતાં જાગતાં તેના જ વિચાર કર્યા કરતો હોય; તે તે શું પેલા માણસ પ્રત્યે દેષિત નથી ? પછી ભલેને તે પોતે ૧. મૂળમાં: ‘હિંસાથી માંડીને પરિગ્રહ સુધીનાં અને ક્રોધથી માંડીને મિથ્યા માન્યતારૂપી શલ્ય સુધીનાં – એમ છે. વિગતવાર વર્ણન માટે જુઓ પાન ૧૬૭. Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાપકર્મ કરી રહ્યો છે એમ ન સમજતો હોય. તે જ પ્રમાણે મૂઢ અને અવિવેકી પુરુષ પણ, પિતે ન જાણતા હોવા છતાં રાતદિવસ, સૂતાં જાગતાં બધાં ભૂત પ્રાણીઓ પ્રત્યે દોષિત છે. એટલે પેલે વાદી જવાબમાં કહેવા લાગ્યો : તમારું કહેવું બરાબર નથી. જગતમાં ઘણા પ્રાણ વગેરે તો એવા છે કે, જેમને આપણે આખી ઉંમર દરમ્યાન કદી જોયા નથી, સાંભળ્યા નથી, સ્વીકાર્યા નથી કે જાણ્યા નથી. તે પછી તે દરેક પ્રત્યે (પાપકર્મ નિયમપૂર્વક ત્યાગું નથી તેટલા માટે) રાતદિવસ, સૂતાજાગતાં માણસ દોષિત બને છે એમ કેમ કરીને કહેવાય? તે જ પ્રમાણે, જે માણસ પોતે શું કરે છે તે જાણતો જ નથી, તે માણસ પણ પાપકામ કરે છે એમ કેમ કહેવાય ? આચાર્યો તેના જવાબમાં જણાવ્યું કેઈ માણસ પૃથ્વીથી માંડીને જંગમ પ્રાણ સુધીના યે વર્ગની બાબતમાં એ નિયમ કરે કે, “માત્ર પૃથ્વીવગના જીવોથી જ મારું કામ ચલાવીશ.' તો તે માણસ પૃથ્વીવર્ગના જીવો પ્રત્યે જ દેષિત છે. પરંતુ બાકીના બધા વર્ગો પ્રત્યે નિર્દોષ છે. પરંતુ જે માણસ એ છયેમાંથી કોઈ પણ વર્ગ પ્રત્યે કશી મર્યાદા કે નિયમ કરતું નથી, તથા એ ધ્યે પ્રકારના છ વડે પિતાનું કામ ચલાવે છે, તે માણસ તે છે વર્ગના જીવો પ્રત્યે દેષિત ખરી કે નહિ? - આ તે મનુષ્ય પ્રાણીને દાખલ થયે. તેને તે પાંચે ઈદિ સહિત સમર્થ કરણે તથા તર્કવિચાર કરી શકાય તેવી સંજ્ઞાશક્તિ છે. પરંતુ પૃથ્વીવર્ગથી માંડીને વનસ્પતિવર્ગ સુધીના પ્રાણ તેવી સંજ્ઞાશક્તિ વિનાના છે. તે જ પ્રમાણે Page #232 -------------------------------------------------------------------------- ________________ વતનિયમ ર૧૫ કેટલાક હાલી ચાલી શકે તેવા છે પણ એવા છે કે, જેમનામાં કાંઈ કરવા માટે, કરાવવા માટે કે બીજે કરતો હોય તેને અનુમતિ આપવા માટે જરાય તર્કશક્તિ, સંજ્ઞાશક્તિ, પ્રજ્ઞાશક્તિ કે મન અને વાણીની શકિત નથી. તે બધા મૂઢ પ્રાણ પણ, કોઈ પણ જીવવર્ગ પ્રત્યે હિંસાદિ પાપકર્મથી નિયમપૂર્વક વિરત થતા ન હોવાથી, બધા જ પ્રાણો પ્રત્યે સરખા દોષિત છે. અને તેનું કારણ એ છે કે, બધી યોનિઓનાં પ્રાણીઓ એક જન્મમાં સંજ્ઞાવાળાં હેઈને, પિતે કરેલાં કર્મોને કારણે જ બીજા જન્મમાં અસંસી થઈને જમ્યાં હોય છે. તથા અસંસી થઈને પણ પાછાં ફરીથી સંજ્ઞી થાય છે. એટલે સંજ્ઞાવાળા હોવું કે ન હોવું એ પોતે કરેલાં કર્મોનું જ ફળ હોય છે. તેથી કરીને, અસંસી અવસ્થામાં જે કાંઈ પાપકર્મો થાય, તેની જવાબદારી પણ તેમની પિતાની જ છે. માટે સંજ્ઞી કે અસંશી જે કઈ જીવે છે, તે બધા જ્યાં સુધી નિયમપૂર્વક પાપકર્મ દૂર કરતા નથી, ત્યાં સુધી તે બધાં પાપકર્મની બાબતમાં દેષિત છે જ. અને ત્યાં સુધી તેમને અસંયત, અવિરત, ક્રિયાયુકત, તથા હિંસક કહેવા જોઈએ. અને ભગવાન મહાવીરે તેમને તેવા કહ્યા જ છે. એટલે પેલે વાદી પૂછવા લાગ્યો : તો પછી શું કરવાથી પ્રાણી સંયત, વિરત કે પાપકર્મ ત્યાગનાર થયો કહેવાય ? જવાબમાં આચાર્યે કહ્યું : જેમ મને કોઈ મારે છે કે પડે છે ત્યારે દુઃખ થાય છે, તેમ બીજા બધા જીવોને પણ થાય છે એમ સમજી, તેમને દુઃખ દેવામાંથી નિયમપૂર્વક વિરત થવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય વિવિધ પાપકર્મો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મહાવીરસ્વામીને સંયમધમ કરે છે, ત્યાં સુધી તે કઈને કોઈ જીવની હિંસા કર્યા જ કરે છે. માટે સર્વ પાપકર્મોથી વિરત થઈ, પ્રાણીમાત્રની હિંસા અને દ્રોહ કરતા અટકવું એ જ સંપૂર્ણ ધર્મ છે. તથા એ જ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, તથા લોકોનું સ્વરૂપ સંપૂર્ણપણે સમજીને સર્વજ્ઞોએ ઉપદેશેલે છે. તે પ્રમાણે વર્તનારે જે ભિક્ષુ બધાં પાપોથી વિરત થાય છે, તે સંયત, વિરત, ક્રિયારહિત તથા પંડિત કહેવાય છે. આટલું કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મું કેટલીક સદાચારઘાતક માન્યતાઓ શ્રીસુધર્મસ્વામી બોલ્યા : બ્રહ્મચર્ય સ્વીકારી, નિર્વાણુમાર્ગને અનુસરવા પ્રયત્ન કરનારા બુદ્ધિશાળી ભિક્ષુએ નીચેની સદાચારઘાતક માન્યતાઓ ન ધરાવવી. જેમકે, પદાથોને અનાદિ જાણુને કે અનંત જાણીને, તે શાશ્વત છે કે અશાશ્વત છે એ એકે પક્ષ ન ધારે. કારણકે, એ બંનેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારીએ, તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતું નથી. માટે એ બંને પક્ષોને અનાચારરૂપ ગણવા. [૧-૩] તે જ પ્રમાણે, ભવિષ્યમાં કોઈ તીર્થકર થવાના નથી અને બધા જીવો બંધનયુક્ત જ રહેવાના છે એમ પણ ન ૧. શાશ્વત એટલે એક રૂપે જ હંમેશાં રહેનાર. જેમકે, આત્મા ડુંમેશાં બદ્ધ જ રહેશે એમ માનીએ તો મોક્ષ માટે પુરુષાર્થ ન ઘટે. છે તેને બદલાયા કરનાર માનીએ, તેપણ મુક્ત થયા પછી પાછો બદ્ધ થાય, એટલે પણ પુરુષાર્થ ન ઘટે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ કહેવું, કે તીર્થકર હંમેશ થયા જ કરવાના છે એમ પણ ન કહેવું; નાના જંતુને કે મોટા પ્રાણને બંનેને મારવાનું પાપ સરખું છે એમ પણ ન કહેવું, તેમજ નથી એમ પણ ન કહેવું; જેઓ પિતાને ઉદેશીને તૈયાર થયેલો આહાર ખાય છે તેઓ કર્મથી લેપાય છે એમ પણ ન કહેવું, કે નથી લેપતા એમ પણ ન કહેવું તથા પૂલ, સમ તથા કાર્પણ વગેરે શરીરમાં જ (બધી પ્રવૃત્તિઓનું) સામર્થ્ય રહેલું છે એમ પણ ન કહેવું, કે તે શરીરમાં કશું કરવાનું સામર્થ્ય જ નથી એમ પણ ન કહેવું. કારણકે, એ બંનેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારીએ, તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતા નથી. ૪િ–૧૧] હવે, નીચેની વસ્તુઓ છે જ એમ માનવું જોઈએ. કારણકે, તેમ ન માનીએ તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી ન શકે. જેમકે, લોક તથા અલોક નથી એમ નિશ્ચય ન કરે. પરંતુ લોક તથા અલોક છે એ નિશ્ચય કરે; જીવ તેમજ અજીવ દ્રવ્યો નથી એવો નિશ્ચય ન કરવો, પરંતુ જીવ તેમજ અજીવ છે એ નિશ્ચય કરે. તે જ પ્રમાણે ધર્મ-અધમ, બંધ–મોક્ષ, પુણ્ય-પાપ, કર્મોનું ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧ ૨. આમા ચેતન છે અને શરીર જડ છે. પરંતુ તેથી એમ માનવાની જરૂર નથી કે એ બંને વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે જડ હેવાથી શરીર અક્રિય છે એમ માનીએ, તો માત્ર આત્મા શરીર વિના કાંઈ કરી શકે નહિ; અને શરીરમાં જ ક્રિયા માનીએ અને આત્માને નિર્લિપ્ત અને ફૂટસ્થ માનીએ, તે ચેતન જીવ પિતાની ક્રિયાઓ માટે જવાબદાર ગણાય નહીં. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૨. Page #236 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સદાચારધાતક માન્યતાઓ ૨૧૯ ઉપાદાન અને નિરોધ, કર્મોનું ફળ અને તેમને નાશ, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લેભ, રાગ-દ્વેષ, ચાર ગતિવાળો સંસાર, દેવ દેવી, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધ થયેલાનું ખાસ સ્થાન, સાધુ-અસાધુ, તથા કલ્યાણ અને પાપ છે એવો નિશ્ચય કરે, પરંતુ નથી એ નિશ્ચય ન કરે. કલ્યાણું કે પાપ એ બેમાંથી એકને જ સ્વીકારવાથી વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતાં નથી. જે શ્રમણ અને અવિવેકી પંડિતે તે બેમાંથી એકને જ સ્વીકારે છે. તેઓ કર્મથી થતું બંધન જાણતા નથી. [૧૨–૨૯] બધું અક્ષય છે, કે બધું દુ:ખરૂપ છે, તથા પ્રાણને વધ કરવું જોઈએ કે ન કરવો જોઈએ એવી વાણી ન બોલવી; અમુક ભિક્ષુઓ સદાચારી છે અને અમુક મિથ્યાચારી છે એ અભિપ્રાય ન બાંધ; દાન દક્ષિણ મળે છે કે નથી મળતી એવું બોલ્યા ન કરવું. પરંતુ બુદ્ધિશાળી મનુષ્ય પિતાની શાંતિનો માર્ગ વધતું જાય તેની કાળજી રાખવી. [૩૦-૩૨] જિન ભગવાને ઉપદેશેલા આ અભિપ્રાયો મુજબ આચરણ કરત સંયમી પુરુષ મોક્ષ પ્રાપ્ત થતા સુધી વિચરે. [૩] આમ કહી, શ્રી સુધર્મસ્વામી થોભ્યા. ૧. લોકની ટોચ ઉપર આવેલી સિદ્ધશિલા. કર્મોના ભારથી દબાયેલે આત્મા આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. પરંતુ કર્મોને ભાર દૂર થતાં તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊંચે ચાલ્યો જાય છે અને લોકની ટોચે જઈ પહોંચે છે. ત્યાંથી આગળ ગતિ સ્થિતિ સહાયક ત ન હોવાથી તે ઉપર જઈ શકતો નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ટિપ્પણે ટિપ્પણ નં. ૧: જેને પાંચ શરીરમાં માને છે. ૧. ઔદારિક - એટલે કે બાહ્ય સ્થૂલ શરીર. ૨. કામણ - એટલે કે પ્રાણનાં વિવિધ કમ્મરૂપી શરીર. ૩. તેજસ – એટલે કે સ્થૂલ શરીરમાં પાચનક્રિયા વગેરે કરનાર શરીર. ૪. આહારક – એટલે કે એક પ્રકારનું સૂમ શરીર કે જે અમુક વિશિષ્ટ છો પોતાને સંશય પડે ત્યારે કેવળી ભગવાન જ્યાં હોય ત્યાં જવા માટે ધારણ કરે છે. પ. વૈક્રિય – એટલે કે યોગસિદ્ધિથી પ્રાપ્ત થતું, નાનું મોટું કરી શકાય તેવું શરીર. ટિપ્પણ નં ર : વિશ્વના જે ભાગમાં ધર્મ–અધર્મરૂપી ગતિ-સ્થિતિમાં સહાયક તો વ્યાપેલાં હોવાથી ગતિ-રિથતિ વગેરે સંભવી શકે છે, તે ભાગ લોક કહેવાય છે. પરંતુ ત્યાર પછીનો જે ભાગ જેમાં તે તો ન હોવાથી ગતિ–સ્થિતિ સંભવી શકતી નથી, તે અલોક કહેવાય છે. “અનંત આકાશમાં લોક અને અલોક એવા ભાગ પાડવાનું કારણ એ દેખાય છે કે, જે પદાર્થોની ગતિ–સ્થિતિ અમુક નિયત ક્ષેત્રમાં જ મર્યાદિત ને કરવામાં આવે, તો દ્રા પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં ક્યાંય પણ ચાલી જાય; અને તેમ બને તે તે તે એવા પૃથક થઈ જાય, કે એમનું ફરીથી મળવું કે નિયત સૃષ્ટિરૂપે નજર આવી પડવું મુશ્કેલ બની જાય.” – પં. સુખલાલજી. Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬ હું આકકુમાર સંસારના સૂક્ષ્મ સ્નેહપાશમાંથી પિતાની જાતને પ્રબળતાથી મુક્ત કરી, મહાવીર ભગવાન પાસે જવા નીકળેલા આદ્રકુમારને રસ્તામાં વિવિધ મતાનુયાયીઓને. ભેટ થાય છે. તેઓ મહાવીર અને તેના સિદ્ધાંતો ઉપર, વિવિધ આક્ષેપો કરે છે, અને પોતાની માન્યતાઓ તેને કહી સંભળાવે છે. આદ્રક પિતાના જવાબેથી તે બધાને પહોંચી વળે છે. પ્રથમ આજીવિકસંપ્રદાયને તીર્થકર ગોશાલકી તેને સંબોધે છે. ગેશાલક હે આદ્રક ! આ મહાવીરે પૂર્વે શું કર્યું છે તે સાંભળ. પ્રથમ તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણ હતું. હવે તે ૧. ગોપાલક વિષેનું વર્ણન ઉપોદઘાતમાંથી (પાન ૩૧) જોઈ લેવું. આદ્રકકુમારની કથા આ પ્રકરણને અંતે ટિપ્પણમાં આપી છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ રરર મહાવીરસ્વામીને સંયમધમ અનેક ભિક્ષુઓને એકઠા કરી, ધર્મોપદેશ આપવા નીકળે છે. આમ, તે અસ્થિર માણસે પિતાની આજીવિકા ઊભી કરી છે. તેનું અત્યારનું આચરણ તેની પ્રથમના આચરણથી વિરુદ્ધ છે. [૧-૩] આદ્રક પૂર્વે, અત્યારે કે ભવિષ્યમાં તેમનું એકલાપણું કાયમ છે. સંસારનું સંપૂર્ણ સ્વરૂપ સમજી, સ્થાવરજંગમ પ્રાણીઓના કલ્યાણ માટે હજારોની વચ્ચે ધર્મોપદેશ કરનાર, એકાંત જ સાધી રહ્યો હોય છે. કારણ કે, તેની આંતર વૃત્તિ સમાન જ હોય છે. જે કાઈ શ્રમણ પિતે ક્ષાંત, દાંત, જિકિય, તથા વાણીના ગુણદોષ જાણનારો હોય, તે ધર્મોપદેશ આપવા માત્રથી તેને કશે દોષ લાગતો નથી. જે ભિક્ષુ મહાવ્રત, અણવતે, કર્મ દાખલ થવાનાં પાંચ દ્વારે તેમજ તેમને દાખલ થતાં અટકાવનાર સંવરેર તથા વિરતિ વગેરે શ્રમણધર્મોને જાણીને, કર્મના લેશથી પણ દૂર રહે છે, તેને હું શ્રમણ કહું છું. [૪-૬] ગોશાલક અમારા સિદ્ધાંત પ્રમાણે ઠંડું પાણી પીવામાં, બીજ વગેરે ધાન્ય ખાવામાં, પિતાને માટે તૈયાર કરેલો આહાર ખાવામાં તેમજ સ્ત્રીઓ જોગવવામાં એકલા વિચરનાર તપસ્વીને પાપ લાગતું નથી. [૭] ૧. મૂળ : આસ્રવ. જુઓ પા. ૮૧ ટિ. ૪. પાંચ આવો તે હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ચૌર્ય અને પરિગ્રહ. ૨. જુઓ પા. ૮૧ ટિવ ૪. Page #240 -------------------------------------------------------------------------- ________________ 7 આર્દ્રકકુમાર આક ભિક્ષુઓને માત્ર જો એમ હોય, તેા ગૃહસ્થીઓને પણ શ્રમણા જ કહેવા જોઈ એ. કારણકે તેએ! પણ એ બધું કરે જ છે ! બીજધાન્ય ખાનારા અને ડું પાણી પીનારા ઠંડુ આવિકાને અથે જ ભિક્ષુ થયેલા સૌંસારને! ત્યાગ કરવા છતાં એ લેસ'સારને અંત લાવી શકવાના નથી એમ હું માનું છું [૮−૧૦] ગણવા જોઇએ. ૨૨૩ ગાશાલક આમ કહીને તે તું બધા જ વાદીએના સરખા તિરસ્કાર કરે છે! આ ક બધા વાદીએ પોતાના મતને વખાણે છે અને સામાને તિરસ્કાર કરીને પેાતાને મત કહી બતાવે છે. તેઓ કહે છે કે, તત્ત્વ અમારી પાસે જ છે, બીજા કાઈ પાસે નથી. પરંતુ, હું તો માત્ર ખોટી માન્યતાના જ તિરસ્કાર કરું છું, કાઈ માણસને કરતા નથી. જૈન નિગ્રંથે! બીજા વાદીએાની પૈઠે કાઈના રૂપ વગેરેની ઠેકડી કરીને પેાતાને મત અને ઉપદેશતા નથી. જે સયમી કાઈ પણ જંગમ પ્રાણીને રખે ઈજા થાય એવી શંકાથી અત્યંત સાવધાનતાપૂર્વક વર્તે છે, તે કોઈના તિરસ્કાર કેવી રીતે કરી શકે ? [૧૧-૧૪] મા સ્થાવર શાલક ધશાળાઓમાં કે ઉદ્યાનગૃહમાં ઘણા ચતુર તથા નાના મેોટા તાર્કિક અતાર્કિક લેાકા હશે એમ માની, તમારા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મહાવીરસ્વામીને સંયમધમ શ્રમણ ત્યાં રહેવા જતો નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રો અને તેમના અર્થને નિર્ણય જાણનારા ભિક્ષુઓ કાંઈક પ્રશ્નો પૂછે, તો શે. જવાબ દઈએ! [૧પ-૧૬] આર્થિક પ્રયોજન વિના કે વિચાર કર્યા વિના તે કોઈ પણ કરતે નથી; રાજા વગેરેની જબરદસ્તીથી પણ નહિં. તે માણસ ભયથી કશું જ શાનો કરે ? તેવાં સ્થળોએ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા અનાર્ય લોકો ઘણા હોય છે એવી શંકાથી તે ત્યાં જતો નથી. અને છતાં, પ્રોજન અનુસાર, તે બુદ્ધિમાન શ્રમણ આર્યપુરુષોના પ્રશ્નોને જવાબ આપે છે જ. [૧૭-૧૮] ગશાલક કઈ વેપારી લાભની ઈચ્છાથી પિતાને માલ પાથરી મોટું ટોળું જમાવે, તેવો આ તમારે જ્ઞાતપુત્ર છે એવું મને તે લાગે છે ! [ ૧૮ ] આર્થિક વાણિયાએ તે પ્રાણુઓના સમૂહની હિંસા કરે છે, મમતાપૂર્વક પરિગ્રહ રાખે છે તથા સગાંવહાલાંની આસક્તિ છેડતા નથી. ધનની કામનાવાળા, સ્ત્રીભોગામાં ડૂબેલા અને કામરસમાં લંપટ તે અનાર્યો, આજીવિકાને માટે દૂર દૂર વિચરે છે. તેઓ પિતાના વેપારને અર્થે ટોળું જમાવે છે. પરંતુ તેમનો લાભ તે ચાર ગતિવાળો અનંત સંસાર છે. કારણ આરક્તિનું ફળ હંમેશાં દુઃખ જ હોય છે. વળી તેમને સદા લાભ જ થાય છે એમ પણ નથી. તથા તે કાયમ ટકી Page #242 -------------------------------------------------------------------------- ________________ આર્દકકુમાર ૨૨૫ રહેનાર પણ હોતો નથી. તેઓના વેપારમાં તે સફળતા અને નિષ્ફળતા બંને રહેલાં છે. જ્યારે, આ રક્ષણહાર અને જ્ઞાની શ્રમણ તો એ લાભ સાધે છે, કે જેને આદિ છે પણ અંત નથી. એવા એ અહિંસક, સર્વ જીવો ઉપર અનુકંપાવાળા, ધર્મમાં સ્થિત અને કર્મોનો વિવેક પ્રગટ કરનાર ભગવાનને તમે પિતાનું અકલ્યાણ સાધનારા વાણિયાઓ. સાથે સરખાવે છે, તે તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે! નવું કર્મ ન કરવું અને અબુદ્ધિને ત્યાગ કરી, જૂનું કર્મ ખંખેરી નાખવું” એવો ઉપદેશ એ રક્ષણહાર ભગવાન આપે છે. એને જ બ્રહ્મવત કહેવામાં આવે છે. એ લાભની ઇચ્છાવાળે તે શ્રમણ છે એ વાત હું કબૂલ કરું છું ! [૨૦-૨૫] બદ્ધ ખોળના પિંડાને માણસ જાણું, કઈ ભાલાથી વીંધી નાખે અને તેને અગ્નિ ઉપર શેકે, અથવા કુમાર જાણીને તુંબડાને તે પ્રમાણે કરે, તો પણ તેને અમારે મને પ્રાણવધનું પાપ લાગે. પરંતુ બાળનો પિંડે માની કોઈ શ્રાવક માણસને ભાલાથી વીંધી અગ્નિ ઉપર શેકે, અથવા તુંબડું માની કોઈ કુમારને તેમ કરે, તે અમારે તે તેને પ્રાણવધનું પાપ ન લાગે, અને તેના વડે બુદ્ધોનું પારણું થાય. વળી, જે હંમેશાં બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે, તે પુણ્યને મહારાશિ ભેગા કરી, મર્યા બાદ અરૂપધાતુ નામના. સ્વર્ગમાં મહાપ્રભાવશાળી દેવ થાય. [૨૬-૨૯] આર્થિક આમ પ્રાણની ઉઘાડે છોક હિંસા કરવી, એ સુસંયમી પુરૂષોને છાજતું નથી. જેઓ એવો ઉપદેશ આપે છે, અને Page #243 -------------------------------------------------------------------------- ________________ રર૬ મહાવીરસ્વામીને સંયમધર્મ જેઓ તે સાંભળે છે, તે બંનેને તે અજ્ઞાન અને અકલ્યાણ પ્રાપ્ત કરાવે છે. જેને સંયમ અને પ્રમાદના ત્યાગપૂર્વક અહિંસાધર્મ પાળો છે, તથા જે સ્થાવરજંગમ પ્રાણોનું સ્વરૂપ સમજે છે, તે તમે કહે છે તેવું કદી કહે કે કરે ખરે? વળી તમે કહે છે તેવું આ દુનિયામાં બને છે પણ ક્યાં ? ખળના પિંડાને કોઈ પુરુષ માની લે એવું કયાંય બન્યું છે ? જે એવું કહે છે, તે જ છે અને અનાર્ય છે. [૩૦-૩૨] વળી, મનમાં સાચી વાત સમજતા હોવા છતાં બહારથી બીજો ભાવ ધારણ કરવો, એ સંયમી લેકેનું લક્ષણ છે ? સ્થૂળ અને પુષ્ટ ઘેટાને મારી, તેને કાપી, તેના માંસને મીઠું નાખી, તેલમાં તળી, પીપર ભભરાવીને તમારા ભોજન માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માંસને નિરાંતે આરોગતા છતાં, “ અમે પાપથી લેપાતા નથી ” એવું તમે બેલો છે. એ તમારી રસલંપટતા અને દુષ્ટ સ્વભાવ જ વ્યક્ત કરે છે. જે કોઈ તેવું માંસ ખાય, તે અજાણતાં ખાતે હોય તે પણ તેને પાપ લાગે છે. છતાં, “અમે જાણીને ખાતા નથી માટે અમને દોષ લાગતો નથી,” એવું બોલવું એ નર્યું જાક નથી તે બીજું શું છે? સર્વ જીવો ઉપર અનુકંપાવાળા મહામુનિ જ્ઞાતપુત્ર તે દેષિત આહાર ત્યાગ કરવાની ઈચ્છાથી, પિતાને ઉદેશીને તૈયાર કરેલ આહાર જ સ્વીકારતા નથી. કારણકે, તેવા આહારમાં દેષની શંકા હોય છે જ. જેમને ભૂતપ્રાણીઓને સહેજ પણ ઈજા થાય એવી પ્રવૃત્તિ નથી કરવી, તેઓને એ પ્રમાદ કરવો કેમ પાલવે ? સંયમી પુરુષનું ધર્મપાલન એવું સૂક્ષ્મ હોય છે. [૩૫, ૩૭–૪૨] Page #244 -------------------------------------------------------------------------- ________________ આદ્રકકુમાર ૨૭ વળી, જે હંમેશાં બબ્બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે છે, તેને ભારે અસંયમી કહેવું જોઈએ. લેહીથી ખરડાયેલા હાથવાળો તે પુરુષ આ લેકમાં જ તિરસ્કારને પાત્ર છે. તેને પરલોકમાં ઉત્તમ ગતિ શાની હોય ? [૩૬] . જે વાણીથી પાપને ઉત્તેજન મળે છે, તે વાણી કદી ન બલવી. તેવી તત્ત્વ વિનાની વાણી ગુણોથી રહિત છે. તેમાંય દીક્ષિત કહેવાતા ભિક્ષુએ છે તેવું કદી ન બોલવું. [૩૩] પરંતુ તમે લેકે તે વસ્તુના રહસ્યનો પાર પામી ગયા છે ! અને પ્રાણુઓના કર્મનું ફળ પણ તમે વિચારી લીધું છે! પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધીનું આખું વિશ્વ તમને હથેળીમાં જ દેખાય છે ! [૩૪] વેદવાદી દ્વીજ જે હંમેશાં બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જમાડે છે, તે પુણ્યનો રાશિ પ્રાપ્ત કરી દેવ બને છે, એવું વેદવાક્ય છે. [૪૩] આદ્રક બિલાડીની પેઠે ઘેર ઘેર ખાવાની કામનાથી ભટકનારા બે હજાર સ્નાતકને જે જમાડે, તે નરકવાસી થઈ ફાડી ખાવા તાપી રહેલાં પ્રાણીઓથી ભરેલા નરકને પામે છે; દેવલોકને નહીં, દયાધર્મનો ત્યાગ કરી, હિંસાધર્મ સ્વીકારનારે મનુષ્ય શીલ વિનાના એક પણ બ્રાહ્મણને જમાડે, તે તે એક નરકમાંથી બીજા નરકમાં ભટક્યા કરે છે. તેને દેવગતિ કેમ કરીને હેય ? [૪૪-૪૫]. વેદાંતી આપણે બંને એક જ - સમાન – ધર્મને અનુસરીએ છીએ, પૂર્વે અનુસર્યા છીએ અને ભવિષ્યમાં પણ અનુસરીશું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આપણું બંનેના ધર્મમાં આચારપ્રધાન શીલ તથા જ્ઞાનને આવશ્યક કહ્યાં છે. પુનર્જન્મની બાબતમાં પણ આપણને મતભેદ નથી. [૪૬]. પરંતુ, અમે એક, અવ્યક્ત, લેકવ્યાપી, સનાતન, અક્ષય અને અવ્યય આત્માને માનીએ છીએ. તે બધાં જ ભૂતને વ્યાપી રહ્યો છે – જેમ ચંદ્ર તારાઓને. [૪૭] આર્થિક જે એમ જ હોય તો પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પ્રખ્ય, તેમજ કીડા, પંખી અને સાપ તથા માણસ અને દેવ એવા ભેદ જ ન રહે! તેમજ (જુદાં જુદાં સુખદુઃખ અનુભવતાં) તેઓ આ સંસારમાં રખડે પણ કેમ કરીને ? સંપૂર્ણ એવા કેવળ જ્ઞાનથી લોકનું સ્વરૂપ પિતે જાણ્યા વિના જેઓ બીજાને ધર્મ ઉપદેશે છે, તેઓ પોતાને અને બીજાને બંનેને નાશ કરે છે. સંપૂર્ણ જ્ઞાનથી લેકનું સ્વરૂપ સમજીને તથા પૂર્ણજ્ઞાનથી સમાધિયુક્ત બનીને જે સંપૂર્ણ ધર્મ ઉપદેશે છે, તે પોતે પણ તરે છે અને બીજાને પણ તારે છે. આમ તુચ્છકારવાલાયક જ્ઞાનવાળા વેદાંતીઓને અને સંપૂર્ણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રવાળા જિનેને આપસમજથી સરખા કહીને હે આયુષ્મન ! તું પિતાની જ વિપરીતતા પ્રગટ કરે છે. [૪૭-૫૧] હસ્તીતાપસ એક વર્ષમાં એક મહાગજને મારીને, બાકીના જીવો ઉપર અનુકંપાને લીધે અમે એક વર્ષ ગુજરાન ચલાવીએ છીએ. [ પર ] ૧. મૂળ : પુરુષ Page #246 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર ૨૯ આદ્રક એક વર્ષમાં એક પ્રાણી મારે છે માટે કાંઈ તમે દોષમાંથી નિવૃત્ત થયેલા ગણાઓ નહીં; પછી ભલે તમે બાકીના જીવોનો વધ ન કરતા હો. પોતાને નિમિતે એક પણ પ્રાણીને વધ કરનારા તમારામાં અને ગૃહસ્થીઓમાં ચેડે જ તફાવત રહે છે. તમારા જે આત્માનું અહિત કરનારે મનુષ્ય કેવલજ્ઞાની થઈ શકે નહીં. [૫૩–૫૪] આવી આવી સ્વકલ્પિત માન્યતાને અનુસરવાને બદલે, જે માણસે જ્ઞાનીની આજ્ઞા અનુસાર પરમ મોક્ષમાર્ગમાં મન વાણી અને કાયાથી સ્થિત થઈ, પોતાના આત્માનું ષોથી રક્ષણ કર્યું છે, તથા તેમ કરીને સમુદ્ર જેવા આ ભવસમુદ્રને તરવા માટે જેણે સર્વ સામગ્રી પ્રાપ્ત કરી છે, તે પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે. [૫૫] એમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. Page #247 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ટિપણે ટિપ્પણું નં. ૧ઃ ટીકામાં આર્દક કુમારની વિસ્તૃત જીવનસ્થા આપેલી છે. તેને સારાંશ આ પ્રમાણે છે : મગધદેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામને ગૃહસ્થ રહેતો હતો. ક્રમે ક્રમે સંસારથી વિરાગ પામી તે પિતાની સ્ત્રી સાથે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લઈ સાધુ થ. એક વખત સાધ્વી બનેલી પોતાની સ્ત્રીને જોઈ તેને મેહ ઉત્પન્ન થયો. એ વાતની જાણ તેની સ્ત્રીને થતાં, પિતાને કારણે પોતાને પતિ વ્રતભંગ થશે એમ માની, તે સ્ત્રીએ ખાવાપીવાનું છોડી પ્રાણત્યાગ કર્યો. પેલા સાધુએ પણું એ બનાવથી ખિન્ન થઈ, એ જ રીતે પ્રાણત્યાગ કર્યો. બીજે જન્મ પિલી સાથ્વી વસંતપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલે સાધુ આકપુરના રાજાનો પુત્ર આર્દકકુમાર થયે. એક વાર તે કુમારે પોતાના પિતાને પોતાના મંત્રી દ્વારા શ્રેણિકરાજાને અમૂલ્ય ભેટ મોકલતો . એટલે કુતુહલવશાત્ તેણે પણ તે રાજાના પુત્ર માટે પિતા તરફથી કંઈક ભેટ મોકલી. તેથી ખુશ થઈ, શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે બદલામાં આદિનાથની સુવર્ણપ્રતિમા આદ્રકને મોકલાવી. તેને દેખતાં આ કના પૂર્વ સંસ્કારો જાગ્રત થઈ આવ્યા અને તે સંસાર છોડી ચાલતો થયે. ફરતો ફરતો તે એક વાર વસંતપુરમાં પેલા શેઠના જ બગીચામાં ધ્યાન ધર બેઠો હતો. ત્યાં તે શેઠની પુત્રીએ તેને જોયો. તે પોતાની સખીઓ સાથે બાલક્રીડા કરતી હતી. રમતમાં પોતાને વરની પસંદગી કરવાની આવતાં તેણે તે સાધુને પગ પકડી પોતાના પતિ તરીકે પસંદ કર્યો. વખત જતાં તે કન્યા ઉમરલાયક થઈ. ત્યારે તેને પિતા તેને માટે વરની તપાસ કરવા લાગે. એટલે તે કન્યાએ તેને પોતે નાનપણમાં રમત દરમ્યાન કરેલી પસંદગીની વાત કરી; અને જણાવ્યું કે, હવે હું બીજા કોઈને મારા પતિ તરીકે સ્વીકારીશ નહિ. પિતાએ તેને ઘણું ઘણું સમજાવી Page #248 -------------------------------------------------------------------------- ________________ આદ્રકકુમાર ૩૧ પણ તેણે માન્યું નહીં. અંતે તેના પિતાએ કહ્યું કે, સાધુ તો સંસારત્યાગી હોય છે; તે લગ્ન કરી કેાઈની સાથે ગૃહસંસાર માંડે નહીં. તેમજ તે સાધુ કોણ હતો, કચાને હતો તે પણ તું જાણતી નથી. ત્યારે કન્યાએ કહ્યું કે, હું તેમના પગ બરાબર ઓળખું છું. છેવટે તેના પિતાએ તેને સાધુ સંન્યાસીઓને ભિક્ષાદાન આપવામાં પિતાનું જીવન વ્યતીત કરવાની સલાહ આપી. એક દિવસ પેલે સાધુ જ ત્યાં ભિક્ષા લેવા આવી ચડ્યો. તેને પેલી કન્યાએ તરત ઓળખી કાઢ્યો. કન્યાની બધી વાત સાંભળી, પ્રસન્ન થઈ, તેણે તેની સાથે લગ્ન કર્યું અને એક પુત્ર થતા સુધી ગૃહસ્થી તરીકે તેની સાથે રહેવાનું કબૂલ કર્યું. કાળાનુક્રમે તેને પુત્ર થશે અને તે બોલી ચાલી શકે તેટલી ઉંમરનો થતાં તેણે સંસાર ત્યાગીને ફરી સાધુ થવાને પિતાને જૂનો નિશ્ચય જાહેર કર્યો. એટલે પેલી ચતુર સ્ત્રી તરત રેંટિયો કાંતવા બેઠી. તેના પુત્રે તેને તેમ કરતી જોઈને પૂછયું કે, મા તું શું કરે છે ? ત્યારે તેણે કહ્યું કે, તારા પિતા આપણને અનાથ છોડી ચાલ્યા જાય છે, અને તું હજી કમાઈ શકે તેટલી ઉંમરનો છે નહિ, એટલે “અનિંદ્ય તથા સ્ત્રી જનને ઉચિત એવા આ ઉદ્યમથી તારું હું ભરણપોષણ કરીશ. આ સાંભળી પિતાને પ્રિય એવે તે બાળક કાચા સૂતરનું કોકડું લઈ, પોતાના પિતા બેઠા હતા ત્યાં ગયો અને તેમની આસપાસ તે કાચા સૂતરના તાર વીંટતો કહેવા લાગ્યું કે, હવે તમે શી રીતે જવાના છો ? પિતાએ બાળકે દીધેલા આંટા ગણી જોયા તો તે બાર થયા, એટલે તેણે બાર વર્ષ ગૃહરથી તરીકે રહેવાનું કબૂલ કર્યું. બાર વર્ષ પુરા થતાં તે ફરી પ્રવ્રા લઈ ચાલી નીકળે. રસ્તામાં જગલમાં શિકરાજના માણસેએ એક નો હાથ પકડીને બાંધ્યો હતો. તે આ સાધુને દેખતાં જ બધા બંધ તોડી નાખી છૂટ થઈ ગયો. આ જોઈ, રાજાએ નવાઈ પામી આદ્રકને તેનું કારણ પૂછયું. એટલે આર્દકે જવાબ આપે કે, ઘરમાં કાચા સૂતરના તાંતણાથી બંધાયેલે હું છૂટો થઈને નીકળી શકે છે, એટલે મને દેખી આ હાથી તેના બળવાન પાશે તેડી શકે છે. કારણ કે, સૂમ સ્નેહતંતુઓ જ તોડવા દુષ્કર છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મુ નાલંદાને એક પ્રસંગ શ્રી સુધર્મસ્વામી બેલ્યા : પૂર્વે રાજગૃહર નામે નગરની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામને વાસર હતું. તેમાં સેંકડે ભવનો આવેલાં હતાં. તેમાં લેપ નામનો એક સંપત્તિમાન ગૃહસ્થ રહે હતો. તે લેપ શ્રમણનો અનુયાયી હતો. તેની નાલંદાવાસમાં ઈશાનખૂણા તરફ “શેષદ્રવ્યા”૩ નામની એક મનહર ઉદકશાળા હતી. તેના ઈશાનખૂણામાં ૧. જૈન અને બૌદ્ધોનું ધાર્મિક તીર્થ. ત્યાં બુદ્ધ તેમજ મહાવીર અનેક વાર ચાતુર્માસ કરીને રહેલા. તેનું અત્યારનું નામ રાજગિર છે. તે બિહારપ્રાંતમાં બિહારથી લગભગ ૧૩-૧૪ માઈલ દક્ષિણે આવેલું છે. ૨. વાણિરિયા : નગર બહાર વસેલી વસ્તી. ૩. મુખ્ય મકાન બાંધતાં વધેલા સામાનથી બાંધેલી. ૪. સ્નાનગૃહ, Page #250 -------------------------------------------------------------------------- ________________ નાલંદાને એક પ્રસંગ હસ્તિયામ નામનું ઉપવન હતું. તેમાં આવેલા એકાદ મકાનમાં ભગવાન ગૌતમ રહેતા હતા. તે ઉપવનમાં તેમના ઉપરાંત ભગવાન પાર્શ્વના અનુયાયી, નિગ્રંથ, મેદાય ગોત્રનો ઉદક પેઢાલપુત્ર પણ રહેતે હતે. એક વખત તે ગૌતમ પાસે આવી કહેવા લાગ્યું : હે આયુષ્માન ગૌતમ ! કુમારપુત્ર નામના શ્રમણનિગ્રંથ કે જેઓ તમારા મતને અનુસરે છે, તેઓ વત–નિયમ લેવા આવેલા ગૃહસ્થ પાસે એવો નિયમ લેવરાવે છે કે, “બીજાની જબરદસ્તી બાદ કરતાં, બધું ન થઈ શકતું હોય તો હું પણ કરવાની ભાવનાથી (માત્ર) હાલતાં ચાલતાં પ્રાણુઓની હિંસા હું નહિ કરું.” પરંતુ બધાં પ્રાણીઓ વારાફરતી સ્થાવરજંગમ એવી યોનિઓમાં ભમ્યા જ કરતાં હોય છે. કોઈ વાર સ્થાવર પ્રાણી બીજા જન્મમાં જંગમ થઈને જન્મે છે, કે જંગમ પ્રાણી સ્થાવર થઈને જમે છે. એટલે કોઈ પ્રાણી માત્ર સ્થાવર નથી કે ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૨. ભગવાન મહાવીર પહેલાંના ૨૩મા જૈન તીર્થકર. પછીથી એ બંનેના અનુયાયીઓ એકત્રિત થઈ ગયા હતા. ૩. મૂળમાં આ શબ્દો છે: “પેલા ગૃહસ્થ પોતાના પકડાયેલા છ પુત્રો (છોડાવવાનું અશક્ય લાગ્યું ત્યારે તેઓ)માંથી એકને છોડાવ્યો એ ભાવનાથી.” તેની આવી કથા છેઃ એક ગૃહસ્થના છ પુત્રો એક વાર રાજાના અપરાધમાં આવી જતાં તેણે તે ને વધ કરવાની આજ્ઞા કરી. તે ગૃહસ્થ રાજા પાસે તેમને માફી આપવાની ઘણી વિનતિ કરી. પરંતુ રાજાએ માન્યું નહિ. પછી તેણે અનુક્રમે છમાંથી પાંચને, ચારને, ત્રણને, બેને અને છેવટે વશ રહે તેટલા પૂરતો એકને બચાવવાની આજીજી કરી. એટલે રાજાએ એક પુત્રને જીવતો રહેવા દીધે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાવીરસ્વામીના સ‘ચમધમ માત્ર જંગમ નથી. તેથી ઉપરની પ્રતિજ્ઞાવાળા ગૃહસ્થ સ્થાવર પ્રાણીની હિંસા કરવાની પેાતાને છૂટ માની જ્યારે તેમની હિંસા કરે છે, ત્યારે તે પોતાની પ્રતિજ્ઞાને ભગ કરે છે. કારણ કે, આ જન્મમાં સ્થાવર તરીકે જન્મેલા પ્રાણી આગલા જન્મના જગમ પ્રાણા જ છે. માટે હું કહું છું તેમ નિયમ લેવરાવે તે કશે। દેષ ન આવે. જેમકે : ખીજાતી જબરદસ્તી બાદ કરતાં, .. . થાડું પણ કરવાની ભાવનાથી હું ચારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં પ્રાણીઓની હિંસા નહીં કરું' આ પ્રમાણે નિયમ લે, તે તે ખરે। નિયમ લીધા કહેવાય. અને . એ પ્રમાણે નિયમ લેવરાવે તે જ ખરા નિયમ લેવરાવ્યા પણ કહેવાય. એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું : હે આયુષ્મન્ ! મને તારું કહેવું મંજૂર નથી. કારણ કે, તારું કહેવું યથાર્થ નથી, પરંતુ માત્ર ખાને નાહક મૂંઝવણમાં નાખનારું છે. તેમજ તું પેલા લેાકેા ઉપર જે પ્રતિજ્ઞાભંગનું આળ મૂકે છે, તે પણ ખાટું છે. કારણ કે, પ્રાણા એક કાટીમાંથી ખીજી કાટીમાં જાય છે એ વાત સાચી; પરંતુ જેએ આ જન્મમાં જગમ તરીકે ઉત્પન્ન થયા હોય છે, તેમને જ પેલી પ્રતિજ્ઞા લાગુ પડે છે. તમે જેને ‘અત્યારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં ' કહેા છે, તેમને જ અમે જંગમ પ્રાણીઓ’કહીએ છીએ. એટલે એ અંતે વાકયાને અ સમાન છે. તો પછી હૈ આયુષ્મન્ ! તું શા માટે તેમાંના એકને સાચુ કહે છે અને ખીજાને ખોટું કહે છે ? તારા એ ભેદ ન્યાય્ય નથી. જંગમ પ્રાણીએ તેમને કહેવાય કે જેમને જ ગમ પ્રાણીએ બનવા માટેનાં કર્યાં ફૂલ આપવા લાગ્યાં હાય. Page #252 -------------------------------------------------------------------------- ________________ નાલંદાને એક પ્રસંગ ૨૭૫, અને એ કારણે તેમને તેવાં નામકર્મ પ્રાપ્ત થયાં હોય. તે જ પ્રમાણે સ્થાવર પ્રાણીઓનું પણ સમજવું. પછી ભગવાન ગૌતમે પિતાના મંતવ્યનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કેટલાક મનુષ્ય એ નિયમ લે કે, જેમણે મુંડ થઈને ઘરબાર છોડી પ્રવજ્યા લીધી હશે, તેમની અમે મરતા સુધી હિંસા નહિ કરીએ.” તેમણે ગૃહસ્થીઓની હિંસા ન કરવાને નિયમ લીધે નથી. હવે ધારે કે કોઈ શ્રમણ પ્રવજ્યા લીધા બાદ ચાર પાંચ કે વધુ વરસ ચારે બાજુ રખડી થાકીને પાછો ફરી ગૃહસ્થી થાય. હવે ઉપરનો નિયમ લેનાર માણસ તે ગૃહસ્થ થયેલા શ્રમણને મારી નાખે, તે તેને શ્રમણને ના મારવાને નિયમ તૂટયો કહેવાય ? નહિ જ. તે જ પ્રમાણે જેણે માત્ર જંગમ પ્રાણોની હિંસા છોડી દીધી હોય તે આ જન્મમાં સ્થાવર બનેલા પ્રાણોની હિંસા કરે, તે તેથી તેના નિયમને ભંગ ન જ થાય.૧ પછી ઉદકે ભગવાન ગૌતમને બીજો પ્રશ્ન પૂછે : હે આયુષ્માન ગૌતમ! એ કઈ વખત આવે છે, જ્યારે બધાં જ જંગમ પ્રાણુઓ સ્થાવર કાટીમાં જ ઉત્પન્ન થયાં હોય અને તેથી જંગમ પ્રાણીઓની હિંસા ન કરવા ઈછનાર શ્રમણોપાસકને તેવું વ્રત લેવાપણું અથવા કોઈની હિંસા કરવાપણું જ ન રહે? ૧. આ ઉપરાંત મુળમાં પ્રથમ ગૃહસ્થ હેઈ હિંસક, તથા પછી સંન્યાસી થઈ અહિંસક બનેલા અને પાછા ફરી ગૃહસ્થ થઈ હિંસક બનેલા ગૃહસ્થનો દાખલો છે, તથા દીક્ષા લઈ જૈન શ્રમણ બનેલા ભિક્ષુ સાથે જેમ ખાઈ શકાય અને પાછો ફરી તે ગૃહસ્થી થાય ત્યારે ન ખાઈ શકાય એવો દાખલ પણ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હોય અમાપાસ વગતિ અથવા પાક ૨૩૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ભગવાન ગૌતમે જવાબ આપ્યો : ના. અમારે મને તેવું કદી બની શકે નહીં. કારણ, બધાં જ પ્રાણુઓની મતિ, ગતિ અને કૃતિ એકસાથે એવી હીન થઈ જાય કે જેથી તે બધાં સ્થાવર પ્રાણીઓ તરીકે જ જન્મ, એવું બનવું સંભવિત નથી. કારણું, દરેક સમયે જુદી જુદી શક્તિ અને પુરુષાર્થવાળા પ્રાણ પિતપતાને માટે ભિન્ન ભિન્ન ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. જેમકે કેટલાક પ્રવજ્યા લેવાની શક્તિ વિનાના શ્રમણોપાસકે પિષધ, અણુવ્રત વગેરે નિયમોથી પિતાને માટે શુભ એવી દેવગતિ અથવા સુંદર કુળવાળી મનુષ્યગતિ તૈયાર કરે છે, જ્યારે બીજા કેટલાક મોટી ઇરછાઓ, પ્રવૃત્તિઓ અને પરિગ્રહવાળા અધાર્મિક પુરુષ પોતાને માટે નરકાદિ દુર્ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. વળી બીજા કેટલાક અલ્પ ઈચછા, પ્રવૃત્તિ અને પરિગ્રહવાળા ધાર્મિક પુરુષે દેવગતિ અથવા મનુષ્યગતિ તૈયાર કરે છે; જ્યારે બીજા કેટલાક અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહેનારા તથા ગુણ ક્રિયા અને સાધના કર્યા કરનારા તાપસ વગેરે સંયમ અને વિરતિ ન સ્વીકારી તથા કામભાગોમાં આસક્ત અને મૂછિત રહી, પોતાને માટે અસુરે અને પાતકીઓનાં સ્થાનમાં જન્મવારૂપી તથા ત્યાંથી છૂટીને પણ અંધ, બધિર કે મૂક તરીકે જન્મવારૂપી દુર્ગતિ તૈયાર કરે છે. વળી કેટલાક શ્રમણોપાસકે કે જેમનાથી પિષધવ્રત કે મારણાંતિક સંખનાર વ્રત વગેરે આકરાં વતે પાળી શકાય એમ હોતું નથી, તેઓ પોતાની પ્રવૃત્તિના સ્થાનની ૧. જુઓ પાન ૧લ્પ ઉપરની નેધ. ૨. જુઓ પાન ૧૯૬ ઉપરની નોંધ. Page #254 -------------------------------------------------------------------------- ________________ નાલંદાને એક પ્રસંગ ૨૩૭ મર્યાદા ઘટાડતા જવારૂપી સામાયિક દેશાવકાશિક વ્રત લે છે. આમ તેઓ તે મર્યાદા બહારનાં બધાં પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરે છે. અને મર્યાદાની અંદર પણ જંગમ પ્રાણુઓની હિંસા ન કરવાનું વ્રત લે છે. તેઓ મર્યા બાદ તે મર્યાદામાં જ જે જંગમ પ્રાણીઓ હોય છે, તેમાં ફરી જન્મ પામે છે, અથવા તે મર્યાદામાંના સ્થાવર પ્રાણમાં જન્મ પામે છે, અથવા તે મર્યાદા બહારના સ્થાવરજંગમ પ્રાણામાં જન્મ પામે છે. વળી તે મર્યાદામાંના સ્થાવરજંગમ પ્રાણ પણ પિતાનું આયુષ્ય પૂરું થયે તે મર્યાદામાંના જ જંગમ પ્રાણ તરીકે જન્મે છે, અથવા તે મર્યાદામાંના સ્થાવર પ્રાણ તરીકે જ જન્મે છે, અથવા તે મર્યાદા બહારના સ્થાવર કે જંગમ પ્રાણ તરીકે જન્મે છે. તે જ પ્રમાણે તે મર્યાદા બહારના જે જંગમ કે સ્થાવર પ્રાણી હોય છે, તે પણ આયુષ્ય પૂરું થયે તે મર્યાદામાંના જંગમ પ્રાણ તરીકે જન્મે છે, કે તે મર્યાદામાંના સ્થાવર પ્રાણ તરીકે જન્મે છે, કે તે મર્યાદા બહારના સ્થાવર કે જંગમ પ્રાણ તરીકે જન્મે છે. આમ, જ્યાં જુદા જુદા પ્રાણે પોતપોતાનાં જુદાં જુદાં કર્મો અનુસાર જુદી જુદી ગતિ પામ્યા જ કરે છે, ત્યાં કોઈ વખત એવું કેમ કરીને બને કે જ્યારે બધા જ એક સમાન જ ગતિ પામ્યા હોય? વળી જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા આયુષ્યવાળાં પણ હોય છે. એટલે તેઓ જુદે જુદે સમયે મરણ પામી જુદી જુદી ગતિ પ્રાપ્ત કરે છે. એટલે એવું પણ કદી ન બને કે બધાં પ્રાણીઓ એક સાથે જ મરણ પામી, એક સરખી ગતિ પ્રાપ્ત કરે કે જેથી કોઈને વ્રત, લેવાપણું કે હિંસા કરવાપણું જ ન રહે.. Page #255 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આમ ઉદકના સ્વભાવને અનુકૂળ લાંબો લાંબો જવાબ આપી પછી ભગવાન ગૌતમ તેને સલાહરૂપે કહેવા લાગ્યા કે, હે આયુષ્માન ઉદક, જે મનુષ્ય, પાપકર્મ ત્યાગવાને અર્થે જ્ઞાનદર્શનચારિત્ર પ્રાપ્ત કરીને પણ બીજા કોઈ શ્રમણબ્રાહ્મણની ખોટી નિંદા કરે છે, તે ભલેને પિતાને તેમને મિત્ર માનતે હોય, પણ પિતાને પરલોક બગાડે છે. ત્યારબાદ પઢાલપુત્ર ઉદક, ભગવાન ગૌતમને નમસ્કાર વગેરે આદર કર્યા વિના જ પાછે પિતાને ઠેકાણે ચાલવા માંડ્યો. એટલે ગૌતમે તેને ફરીથી કહ્યું, હે આયુષ્યનું ! કઈ શિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણ પાસે ધર્મયુક્ત એક પણ આર્ય સુવાક્ય સાંભળવાનું કે શીખવાનું મળવાથી આપણને આપણી બુદ્ધિથી વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ ગક્ષેમના સ્થાને પહોંચાડ્યો, તો તે માણસે પેલા શ્રમણબ્રાહ્મણને આદર કરવો જોઈએ, પૂજ્યબુદ્ધિથી તેને નમસ્કાર કરવા જોઈએ, તેનું સંમાન કરવું જોઈએ, તથા કલ્યાણકારી મંગળમય દેવતાની જેમ અથવા દેવમંદિરની જેમ તેની ઉપાસના કરવી જોઈએ. એટલે પેઢાલપુત્ર ઉદકે ભગવાન ગૌતમને કહ્યું : આવા શબ્દો પૂર્વે મેં કદી જાણ્યા નહતા કે સાંભળ્યા નહોતા, તથા કેઈએ મને કહ્યા નહોતા. તેથી હું તે પ્રમાણે વર્યો નથી. પણ હે ભગવાન, હવે એ શબ્દો સાંભળીને મને તે શબ્દ ઉપર શ્રદ્ધા, વિશ્વાસ તથા રૂચિ પ્રાપ્ત થઈ છે. અને હું કબૂલ કરું છું કે, તમારું કહેવું બરાબર છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ નાલદાના એક પ્રસંગ ૨૩૨ એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું : હું આ ! એ શબ્દો ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કર. કારણ, અમે જે કહ્યું છે તે બરાબર છે. પછી પેઢાલપુત્ર ઉદકે ભગવાન ગૌતમને કહ્યું : હે ભગવન્ ! તમારી પાસે હું ચાર વ્રતવાળા ધમ માંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણવિધિવાળારે ધમ માં આવવા ઇચ્છું છું. ત્યારે ભગવાન ગૌતમે તેને કહ્યું: તને જેમ સુખ થાય તેમ કર. એટલે પેઢાલપુત્ર ઉકે ભગવાન મહાવીર પાસે પાંચમહાવ્રતવાળા અને પ્રતિક્રમણવિધિવાળા ધર્મ સ્વીકાર્યાં. આમ કહી, શ્રીસુધ`સ્વામી થે।ભ્યા. ૧. જીઆ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન, ૩, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મહાવીર સ્વામીને સંચમધમ ટિપ્પણે ટિપ્પણ નં૦ ૧: ગૌતમ ઇદ્રભૂતિ એ મહાવીરના મુખ્ય શિષ્ય. હતા તથા તેમના અગિયાર ગણધરોમાંના એક હતા. તે પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથિવી હતું. તે ઈ. સ. પૂ. ૬૦૭ માં રાજગૃહ નજીક ગોમ્બર ગામમાં જન્મ્યા હતા. તે પિતે વેદવિદ્ અધ્યાપક હતા અને તેમનું શિષ્યવૃંદ મોટું હતું. તે મહાવીરના અનુયાયી કેવી રીતે થયા તેનું વર્ણન આ ગ્રંથના. ઉપઘાતની શરૂઆતમાં આપેલું છે. પરંતુ એક વાર જૈન થયા બાદ તેમનો મહાવીર સ્વામી પ્રત્યે અનુરાગ સૌથી ઉત્કટ હતો. તે અનુરાગ જ તેમને અંતિમ કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવતા હતો. આથી ભગવાન મહાવીરે તેમને પોતાનાથી દૂર એકલા તપશ્ચર્યા કરવા મોકલી દીધા. જે રીતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. એટલે ગુરુશિષ્ય ફરી ભેગા થઈ શક્યા નહી. આ સૂત્રમાં જ તેમને ભગવાન તરીકે ઉલ્લેખ્યા છે, એ ઉપરથી સંઘમાં તેમનું સ્થાન કેટલું ઊંચું હશે તે દેખાઈ આવે છે. ટિપ્પણ નં. ૨ઃ પાશ્વનાથને ધમ ચાતુર્યામિક કહેવાતે. કારણ કે, તેમના સિદ્ધાંતમાં, બ્રહ્મચર્ય વ્રતને પરિગ્રહ વ્રતમાં જ સમાવેશ કરી લેવામાં આવેલો હોવાથી, અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ એ ચાર જ ચા હતા. પરંતુ વખત જતાં ધીમે ધીમે સાધુઓ ધીટ થતા ગયા અને બ્રહ્મચર્યનો વ્રત તરીકે સ્પષ્ટ ઉલેખ ન હોવાથી તેનું પાલન કરવાની અગત્ય કબૂલ ન કરવા લાગ્યા. એટલે ભગવાન મહાવીરે, તેમનાથી જુદા પડી, બ્રહ્મચર્યને પાંચમા મહાવ્રત તરીકે જુદું પાડ્યું. જુઓ ઉતરાધ્યયન ૨૩-૨૬. ટિ૫ણ નં. ૩ : પિતે રાજ કરેલાં કર્મો જ તપાસી જવા તથા કરેલા પાપકર્મને ખેદ કરી, ગુરુ આગળ કબૂલ કરી, ફરી તેને ન કરવાના નિશ્ચય સાથે પ્રાયશ્ચિત્ત સ્વીકારવાના વિધિને પ્રતિક્રમણવિધિ કહે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગમાંનાં સુભાષિતો ખંડ ૧ चित्तमन्तमचित्तं वा, परिगिझ किसामयि । अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ । જ્યાં સુધી માણસ (કામિનીકાંચન વગેરે) સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં આસક્તિવાળો છે, ત્યાં સુધી તે દુઃખમાંથી મુક્ત થતો નથી. (૧-૧-૨) सयं तिवायए पाणे, अदुवाऽन्नेहिं घायए । हणन्तं वाऽणुजाणाइ, वेरं वड़इ अप्पणो ॥ જ્યાં સુધી માણસ પિતાના સુખ માટે) બીજા પ્રાણની હિંસા કર્યા કરે છે, ત્યાં સુધી તે પિતાનું વેર વધાર્યો કરે છે. (૧–૧–૩) ૧, મૂળમાં : “ અથવા બીજાઓ તેમ કરતા હોય તેને અનુમતિ આપે છે ” એટલું વધારે છે. - ૨. અહીં પણ મૂળમાં: “ જાતે કરે, બીજા પાસે કરાવે કે કોઈ કરતો હોય તેને અનુમતિ આપે” એટલું વધારે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મહાવીરસ્વામીના સચમધમ एयं खु नाणिणो सारं, जन हिंसइ किंचण | अहिंसासमयं चैव एतावन्तं वियाणिया || " જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કાઈની હિંસા કરતા નથી. હંસાને સિદ્ધાંત પણ એટલે જ છે. (૧–૪–૧૦) संबुज्झह किं न बुझह ! संबोही खलु पेच दुलहा । णो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ જાગે ! તમે સમજતા કેમ નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવા નથી. (૨-૧-૧) जमिणं जगती पुढो जगा, कम्मेहिं लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाइ, णो तस्स मुचेज्जपुयं ॥ જગતમાં પ્રાણીએ પોતાનાં કમેરેથી જ દુઃખી થાય છે, અને સારીમાઠી દશા પ્રાપ્ત કરે છે. કરેલું ક મૂળ દીધા વિના કદી અલગ થતું નથી. (૨–૧–૪) પાછી સહેલા जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया । अभिगूमकडेहिं मुच्छिए, तिवं ते कम्मेहिं किच्चति ॥ માણસ ભલેને બહુ શાસ્ત્રો ભણેલા હાય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હાય કે ભિન્નુ હ્રાય, પરંતુ જો તેનાં કર્માં સારાં ન હાય, તો તે દુ:ખી થવાના જ. (૨–૧–૭) ૧ ' ૧. મૂળ : · અસદાચરણમાં મૂતિ હેય.' Page #260 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત ૨૪૩ जइ वि य णिगणे किसे बरे, जइ वि य भुंजिय मासमंतसो। जे इह मायाइ मिजइ, आगंता गन्भाय पंतसो ॥ કોઈ ભલે નગ્નાવસ્થામાં વિચરે, કે મહિનાને અંતે એક વાર જ ખાય; પણ જે તે માયાયુક્ત હોય, તે તે વારંવાર ગર્ભવાસ પામવાનો. (૨-૧-૯) पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असंवुडा ।। હે મનુષ્ય ! પાપકર્મથી નિવૃત્ત થા. માણસનું જીવિત અલ્પ છે. જગતના પદાર્થોમાં આસક્ત અને કામગોમાં મૂછિત એવા અસંયમી લેકે મોહ પામ્યા જ કરે છે. (૨–૧–૧૦) ण य संखयमाहु जीवियं, तह वि य बालजणो पगब्भई । बाले पापेहि मिजई, इति संखाय मुणी ण मजई ।। જીવિત ફરી સાંધી શકાય તેવું નથી એમ ડાહ્યા પુરુષ વારંવાર કહે છે, છતાં મૂઢ મનુષ્ય પૃષ્ટતાપૂર્વક પાપમાં મગ્ન રહ્યા કરે છે. એ જોઈ મુનિ પ્રમાદ ન કરે. (૨–૨–૨૧) भहयं पलिगोव जाणिया, जा वि य वंदणपूयणा इहं। सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहिज संथवं ॥ આ જગતનાં વંદનપૂજનને' કાદવના ખાડા જેવાં જાણવાં. એ કાંટે બહુ સૂક્ષ્મ છે, તથા મહા મુશ્કેલીઓ કાઢી શકાય તેવો છે. માટે વિદ્વાને તેની સરસા ન જવું. (૨-૨-૧૧) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મહાવીરસ્વામીને સંયમધમ अग्गं वणिएहि आहियं, धारेन्ती राइणिया इहं । एवं परमा महव्यया, अक्खाया उ सराइभोयणा ॥ દૂર દેશાવરથી વેપારીઓએ આણેલાં રત્ન રાજાઓ જ ધારણ કરી શકે છે. તેમ રાત્રીજનત્યાગ સાથેનાં આ મહાવ્રત પણ કઈ વીરલા જ ધારણ કરી શકે છે. (૨-૩-૩) वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ।। एवं कामेसणं विऊ, अज सुए पयहेज संथवं । कामी कामे ण कामए, लद्धे वा वि अलद्ध कण्हुई ।। નબળા બળદને તેનો હાંકડુ ગમે તેટલો મારી ઝૂડીને હતું કે, પણ તે ઊલટો ગળિયો બનતો જાય છે, અને છેવટે ભાર ખેંચવાને બદલે થાકીને બેસી પડે છે. તેવી સ્થિતિ વિષયરસ ચાખેલા માણસની છે. પરંતુ તે વિષય છે. આજે કે કાલે છોડીને ચાલ્યા જવાના છે એમ વિચારી, કામી પુરુષે પ્રાપ્ત થયેલા કે કોઈક કારણથી પ્રાપ્ત ન થયેલા કામની વાસના છેડી દેવી. (૨-૩-૫, ૬) मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई, से थणई परिदेवई बहुं ॥ અંતે પસ્તાવું ના પડે માટે અત્યારથી જ આત્માને ભોગેમાંથી છૂટો કરી સમજાવો. કામી પુરુષ અંતે ઘણે પસ્તાય છે અને વિલાપ કરે છે. (૨-૩-૭) इणमेव खणं वियाणिया, णो सुलभं बोहिं च आहियं । एवं सहिएऽहिपासए, आह जिणे इणमेव सेसगा ।। Page #262 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતો ૨૪૫ વર્તમાન કાળ એ જ એકમાત્ર તક છે ! અને બોધપ્રાપ્તિ સુલભ છે નહીં. એમ સમજી, પિતાના કલ્યાણમાં તત્પર થાઓ ! અત્યારના જિનો પણ એમ જ કહે છે, ભવિષ્યના પણ એમ જ કહેશે. (૨-૩–૧૯) जेहिं काले परिक्वन्तं, न पच्छा परितःपए । ते धीरा बन्धणुम्मुक्का, नावकंखन्ति जीवियं ॥ જેઓ યોગ્ય સમયે પરાક્રમ કરે છે, તેઓ જ પાછળથી પસ્તાતા નથી. તે ધીર પુરુષો બંધનોથી ઉન્મુક્ત હેઈ, જીવિતમાં આસક્તિ વિનાના હોય છે. (૩-૪-૧૫) जेहिं नारीण संजोगा, पूयणा पिटुओ कया । सव्वमेयं निराकिचा, ते ठिया सुसमाहिए ॥ જેઓ કામભેગે અને પૂજનસત્કારને ત્યાગી શક્યા છે, તેઓએ બધું જ ત્યાખ્યું છે. તેવા લેકે જ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શકયા છે. (૩-૪–૧૭) उदगेण जे सिद्धिमुदाहरन्ति, सायं च पायं उदगं फुसन्ता । उदगस्स फासेण सिया य सिद्धी, सिझिसु पाणा बहवे दगंसि ॥ સવારસાંજ નાહવાથી જ જે મેક્ષ મળતો હોય, તો પાણીમાં રહેનારા કેટલાય જી મુક્ત થઈ જાય. (૩-૧૪) उदयं जई कम्ममलं हरेजा, एवं सुहं इच्छामित्तमेव । अंधं व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहन्ति मन्दा ॥ પાણી જે પાપકર્મો ધોઈ નાખતું હોય, તે પુણ્યકર્મોને પણ ધોઈ નાખેએટલે તેમને સિદ્ધાંત મનોરથમાત્ર છે. આંધળા નેતાને અનુસરનારાની પેઠે તે મૂઢ લકે નિરર્થક જીવહિંસા કર્યા કરે છે. (૭–૧૬) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મહાવીરસ્વામીને સંયમધમ भारस्स जाआ मुणि भुञ्जएजा, कंखेज पावस्स विवेग भिक्खू । दुक्वेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥ મુનિએ આહાર સંયમના નિર્વાહાથે જ ગ્રહણ કરે; પિતામાંથી સર્વ પાપ દૂર થાય એમ ઇચ્છવું તથા દુઃખ આવી પડે તો સંયમનું શરણ લઈ, સંગ્રામને મોખરે ઝઝૂમતો હોય તેમ આંતર શત્રુને દબાવે. (૭–૧૯) पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावादेसओ वा वि, बालं पण्डियमेव वा ॥ પ્રમાદ એ કર્મ છે અને અપ્રમાદ એ અકર્મ છે. તે બે હોય કે ન હોય તે ઉપરથી માણસ પંડિત કે મૂર્ખ કહેવાય છે. (૮-૩) जं किंचुदक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेब अन्तरा विप्पं, सिक्खं सिक्खेज पण्डिए ॥ પિતાના જીવનના કલ્યાણનો જે કોઈ ઉપાય જાણવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે. (૮–૧૫) सुयं मे इदमेगेसिं, एयं वीरस्स वीरियं । सातागारवणिहुए, उवसन्ते निहे चरे ॥ બુદ્ધિમાન પુરુ પાસેથી મેં સાંભળ્યું છે કે, સુખશીલતાનો ત્યાગ કરી, કામનાઓને શાંત કરવી તથા નિરીહ થવું એ જ વીરનું વીરત્વ છે. (૮–૧૮) जे याबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकन्तं, सफलं होइ सव्वसो ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત ૨૭ જે વસ્તુનું તત્ત્વ સમજ્યા નથી, તેવા મિયાદષ્ટિવાળા પુરુષ લેકામાં પૂજ્ય ગણાતા હોય તેમજ ધર્માચરણમાં મહા વીર જેવા હોય, તે પણ તેઓને બધે પુરુષાર્થ અશુદ્ધ છે અને તેનાથી તેમને બંધન જ થાય છે. (૮–૨૨) जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्वन्तं, अफलं होइ सव्वसो ॥ પરંતુ જે પુરુષો વસ્તુનું તત્ત્વ સમજ્યા છે, તેવા જ્ઞાની પુરુષોનું ધર્માચરણ શુદ્ધ છે અને તેને લીધે તેઓ બંધાતા નથી. (૮–૨૩) तेसि पि न तवो सुद्धो, निक्खन्ता जे महाकुला । जं नेवन्ने वियागन्ति, न सिलोगं पवेज्जए । મોટા કુળમાં ઉત્પન્ન થયેલા હોઈને જેઓએ સંન્યાસ લીધે હોય, અને જેઓ મહા તપસ્વી હોય, તેવાઓનું તપ પણ જે કાંતિની ઈચ્છાથી થયેલું હોય તે તે શુદ્ધ નથી. જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. પિતાની પ્રશંસા કદી ન કરવી. (૮-૨૪) अप्पपिण्डासि पाणासि, अप्पं भासेज सुब्बए । खन्तेऽभिनिव्वुडे दन्ते, वीतगिद्धी सया जए । સુંદર વ્રત ધારણ કરનારા પુરુષે થોડું ખાવું, ડું પીવું અને થોડું બોલવું; તથા ક્ષમાયુક્ત, નિરાતુર, જિતેંદ્રિય અને કામનારહિત થઈ, સદા પ્રયત્નશીલ રહેવું. (૮-૨૫) लद्धे कामे ण पत्थेजा, विवेगे एवमाहिए । आयरियाई सिक्वेज्जा, बुद्धाणं अन्तिए सया ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મહાવીર સ્વામીને સંયમધમ * પ્રાપ્ત થયેલા કામગોમાં પણ ઈચ્છા ન થવી એનું નામ વિવેક. પિતાના આચાર હંમેશાં ડાહ્યા પુરુષો પાસેથી શીખવા. (૯-૩૨) सुस्सूसमाणो उवासेजा, सुप्पन्नं सुतवस्सियं । वीरा जे अत्तपन्नेसी, धिइमन्ता जिइन्दिया । મુમુક્ષુએ પ્રજ્ઞાયુક્ત, તપસ્વી, પુરુષાથ, આત્મજ્ઞાનના વાંછુક, ધૃતિમાન તથા જિતેંદ્રિય ગુરૂને હંમેશાં સુશ્રષાપૂર્વક સેવવા. (૮-૩૩) अगिद्धे सदफासेसु आरम्भेसु अणिस्सिए । सव्वं तं समयातीतं, जमेयं लवियं बहु ।। શબ્દાદિ વિષયોમાં અલુબ્ધ રહે અને નિંદિત કર્મો ન કરે (એ જ મુખ્ય ધર્મચરણ છે.) બાકી બધું જે લંબાણથી કહ્યું છે, તે સિદ્ધાંત બહારનું છે. (૯-૩૫) जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होन्ति अलं परेसिं । तं जोइभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર – એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પોતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના તિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા) ની સોબતમાં હંમેશ રહેવું. (૧૨–૧૯) णिकिंचणे भिक्खु सुल्लूहजीवी, जे गारवं होइ सिलोगकामी । आजीवमेयं तु अबुझमाणो, पुणोपुणो विप्परियासुवेन्ति ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા ૨૯ સ્વસ્વને! ત્યાગ કરીને લૂખાસૂકા આહાર ઉપર જીવનારા બનીને પણ જે ગર્વિષ્ઠ તથા સ્તુતિની કામનાવાળા હોય છે, તેને સંન્યાસ એ તેની આવિકા છે. જ્ઞાન પામ્યા વિના તે કરી કરી સંસારમાં ભટકશે. (૧૩–૧૨) एवं ण से होइ समाहिपत्ते, जे पन्नवं भिक्खु विउक्क सेज्जा । अहवा वि जे लाहमयावलित्ते, अन्नं जणं खिंसइ बालपने || જે માણસ પેાતાની પ્રજ્ઞાને કારણે કે બીજી કાઈ વિભૂતિને કારણે મદમત્ત થઈ બીજાનેા તિરસ્કાર કરે છે, તે સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. (૧૩–૧૪) गन्थं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबम्भचरं वसेज्जा । ओवायकारी विनयं सुसिक्खे, जे छेय से विप्पमायं न कुज्जा ॥ શાસ્ત્ર શીખવા ઇચ્છનારાએ કામભોગેશને ત્યાગ કરી, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યંનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા કરતા ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. ચતુર શિષ્યે પ્રમાદ ન કરવા. (૧૪–૧) संखाइ धम्मं च वियागरन्ति, बुद्धा हु ते अन्तकरा भवन्ति । ते पारगा दोह वि मोयणाए, संसोधियं पण्हमुदाहरन्ति ॥ ધર્મના સાક્ષાત્કાર કરીને જે જ્ઞાનીએ તેઓ જ સશયના અંત લાવી શકે છે. બીજાની એમ બંનેની મુક્તિ સાધનારા તે પુછાતા પ્રશ્નોને નિવેડા આપી શકે છે. (૧૪-૧૮) अन्ताणि धीरा सेवन्ति, तेण अन्तकरा इह | इह माणुस्सर ठाणे, धम्ममाराहिउं परा ॥ ઉપદેશ આપે છે, પેાતાની તેમજ જમાનાએથી Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહાવીરસ્વામીને સંચમધમ બુદ્ધિમાન પુરુષો (વસતુઓના) અંત સેવે છે માટે જ સંસારને અંત લાવી શકે છે. મનુષ્યલોકમાં આપણે ધર્મની આરાધના માટે જ મનુષ્ય થયા છીએ. (૧૫–૧૫) धम्मं कहन्तस्स उ जस्थि दोसो, खन्तस्स दन्तस्स जिइन्दियस्स । भासाय दोसे य विवजगत्स, गुणे य भासाय णिसेवगस्स ॥ ધર્મ કહેવામાત્રથી દોષ લાગતું નથી, જો તે કહેનાર ક્ષાંત હોય, દાંત હોય, જિતેંદ્રિય હોય, વાણીના દોષ ત્યાગનારે હેય અને વાણીના ગુણે સેવનાર હોય. (નં. ૨, ૬-૫) वायाभियोगेण जमावहेजा, णो तारिसं वायमुदाहरेज्जा । अट्ठाणमेयं क्यणं गुणाणं, णो दिक्खिए बूय सुरालमेयं ॥ જે વાણી બોલવાથી પાપને ઉત્તેજન મળે, તે વાણી કદી ન બેલવી. દીક્ષિત ભિક્ષુએ ગુણોથી રહિત તથા તથ વિનાનું કાંઈ ન બોલવું. (ખં૦ ૨, ૬-૩૩) बुद्धस्स आणाए इमं समाहिं, अस्सिं सुठिच्चा तिविहेणं ताई। तरिउं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरेञ्जा ॥ જ્ઞાનીની આજ્ઞાનુસાર મોક્ષમાર્ગમાં મન વાણી અને કાયા – એમ ત્રણે પ્રકારે સ્થિત થઈ, જે પિતાની ઇન્દ્રિયોનું રક્ષણ કરે છે તથા સમુદ્ર જેવા આ સંસારને તરવા માટે જેની પાસે સર્વ સામગ્રી છે, તે પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે. (નં. ૨, ૬-૫૫) Page #268 -------------------------------------------------------------------------- ________________ એકમ ૧૧૮,૧૩૭ અક્રમ ભૂમિ ૨૦૫,૨૧૦ અકારકવાદ ૨૮,૭૧ અક્રિયાવાદ ૨૩,૨૫,૨૮,૪૯,૧૨૮, ૧૩૪; -વાદી ૨૬,પર ૧૧૦,૧૩૫-૬,૧૯૭ અગ્નિ -જીવ ૧૧૩, ૧૧૭, ૧૬૯ ( જીએ છ વર્ગ ); -તે ઉપયોગ ૧૧૩-૪; -શરીર ૨૦૮ અજીવતત્ત્વ ૫૦-૧,૨૧૮ અજ્ઞાનવાદ ૨૩, ૩૭, ૪૩,૪૯,૧૩૪; -વાદી ૨૬,૩૫,પર,૧૧૦, ૧૩૪-૫,૧૯૭ અણુવ્રત ૪૫ અદ્વૈતવાદ ૭૧; –વાદી ૧૬૧ અધર્મ-તત્ત્વ ૨૧૮,૨૨૦; -સ્થાન ૧૭૪,૧૮૧,૧૮૫,૧૮૭ અધમી ઓ ૧૧૩-૬,૧૨૨,૧૩૯ અને દંડ ૮૮,૧૨૪,૧૯૫ અનુપ્રેક્ષા ૮૧ અલવાદ હર અભિમાન ૮૫,૧૫૧ (અહંકાર) અરૂપધાતુ ૨૨૫ અલાક ૨૧૮,૨૨૦ અવિધજ્ઞાન ૧૧૧ અસની જીવ ૨૧૪-૫ સૂચિ અસિત ૯૬,૯૯ અહંકાર ૧૭૮ (જુ મદ) અહિ`સા ૭૯,૧૬૦,૧૩૩,૬૭,૨૨૬ (જીએ હિંસા) અંગ પ્રથા ૧,૭-૮,૧૦,૧૧,૫૮, ૧૬૨ અડ ૧૯,૭૬ અ'તાદ્વીપ ૨૦૫,૨૧૦ અંતરાય –ચાર ૧૯૧ આચારાંગ ૧,૫૮ (જુઓ ગણપટક) આજીવિક ૩૧-૩,૪૬,૨૨૧ આત્મષષ્ટવાદી ૭૨ આત્મવાદી ૨૫ આત્મવિવત વાદી ૧૬૧ આત્મા ૧૯,૨૫,૭૧,૭૨,૭૬,૮૦, ૧૬૧,૨૨૮ આર્દ્રકુમાર ૨૨૧-૩૧ આ ૨૦૫,૨૧૦ આસ્રવ ૫૧,૮૧,૧૩૭,૧૪૯,૨૨૨ આહારવિચાર ૨૦૨-૯ (ભિક્ષા) ઇવાકુવંશીય ૯૯ (અક્ષ્વાકુ૦) ઇર્ચાપથ ૧૮૧ ઇંદ્ર ૯૯,૧૦૯ ઈશ્વર ૧૯,૨૪,૫૦,૭૬,૧૬૧-૩ ઈશ્વરવાદ ૨૫ ઉગ્ર -કુળ ૧૪૦; -વશીય ૧૫૮ ઉદકકાય ૨૨૧ (જુએ પાણીશરીર) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ઉદક પેઢાલપુત્ર ૨૩૩-૪૦ * ક્રિયાવાદ ૨૩,૪૯,૫૦,૫૧,૭૫,૨૮, ઉપદેશ ૧૩૮,૧૪૧,૧૪૪,૧૪૮,૧૬૯ ૧૩૪,૧૩૮; –વાદી ૩૩,૫૩, ૨૨૨,૨૨૮,૨૨૯ ૫૫,૧૧૦,૧૯૭ ઉપભેગપરિભોગપરિમાણવ્રત ૧૫ યિાસ્થાન ૧૭૪–૯૮ ઋષભદેવ ૪૮,૯૧ ક્રોધ ૭૪,૭૯,૧૨૩,૧૬૭,૧૭૮ ૪૦ એકદંડી ૭૭ ગણધર ૧,૧૨,૨૪૦ - એકાત્મવાદ ૭૧ ગણિપિટક ૧,૧૬૨ એકેદ્રિય જીવ ૧૧૭,૧૬૯ ગરુડ ૧૦૯ એક્વાકુવંશીય ૧૫૮ (ઇશ્વાકુ૦) ગર્વ (જુઓ અભિમાન) કમ ૫૧, ૯૦, ૧૨૨, ૧૪૭, ૧૫૭, ગીતા ૯૦ ૧૮૧; –નાશ ૮૨-૯૦,૧૩૭; ગુણવ્રત ૪૫,૧૫ –બંધન ૭૦,૭૪,૧૨૩,૧૩૦ ગુપ્તિ ૮૧ ૧૪૭, ૧૬૬, ૨૧૩; -ભૂમિ ગુરુશિષ્ય ૧૪૨-૫ ૨૦૫, ૨૧૦; -રજકણ પ૧ ગોશાલક ૨૨૧–૪ જુઓ મકખલિકષાય (જુઓ કેધ, માન, માયા ઇ) ગેસાલ કામગ ૮૮,૯૭,૧૦૪,૧૧૬,૧૨૬, ગોસાલ ૩૨,૩૪,૪૬ (જુઓ ૧૪૨,૧૪૭, ૧૪૮,૧૫૭, ગોશાલક) ૧૬૦,૧૬૪,૧૮૭,૧૯૦ ગૌતમ ૨-૩, ૨૩૩-૪૦ કામશાસ્ત્ર ૧૦૨ ચરણકરણ ૧૭૦ કામણ શરીર ૨૧૮,૨૨૦ ચાતુર્યામ ૪૮,૨૩૯,૨૪૦ કાચપ ૪૪,૧૦૫,૧૨૯ ઈ. ચારિત્ર ૮૧,૨૩૯ કાંક્ષા ૧૯૪ ચાર્વાક ૨૯;-મત ૭૦,૭૧,૮૦ કાંસાનું વાસણ ૧૯૧ છ વર્ગ (કાય) ૧૨૩,૧૨૯,૧૩૩, કુમારપુત્ર ૨૩૩ ૧૬૬,૧૮૧,૨૧૩,૨૧૪ કૃષ્ણ ૯૮,૧૦૯ જનક ૯૯ કેવળજ્ઞાન ૪,૫,૪૭,૧૧૧,૧૯૩; જંબુદ્વિપ ૧૦૯,૨૧૦ -જ્ઞાની ૩,૫,૬,૧૦,૧૦૮ જબુસ્વામી ૪-૬ કૌતક ૧૮૪ જીવ ૫૦-૧,૭૦,૭૧,૭૩,૧૩૭,૧૫૮, કૌરવવંશીચ ૧૫૮ ૧૬૨,૧૬૯,૨૧૮; –નું બંધન ૬૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતપુત્ર ૪૪,૭૩,૮૮ ૪૦ જ્ઞાતવશ ૪૪,૪૫ જ્ઞાતૃવંશીય ૧૫૮ જ્યાતિષશાસ્ત્ર ૧૩૬ જ્યાતિષી દેવ ૧૧૧ ટીકાકાર (જીએ શીલાંકદેવ) ઠંડુ પાણી ૫૫,૯૬,૧૨૪,૨૨૨ તજીવતસ્કરીઃવાદ ૭૧,૮૦; - વાદી ૧૬૦ તપ ૮૩,૮૪,૮૬,૮૮,૧૨૦,૧૪૪, ૧૯૧ તેજશરીર ૨૦૨ દ'તવઃ ૧૧૦ દિગ્દત ૧૯૫ દૃષ્ટિવાદ ૧,૭,૯,૫૯ (જીએ ગણિપિટક) દેવ ૭૬,૧૧૧ દેવિલ ૯૬,૯૯ દેશાવકાશિક વ્રત ૨૩૭ દ્વૈપાયન ૯૬,૯૯ ધરણેન્દ્ર ૧૦૯ ધર્મ ૭૩,૭૪,૮૧,૮૬,૮૭,૧૨૧૫, ૧૩૩, ૧૪૧,૨૪૪,૧૪૭,૧૫૭, ૧૬૯, ૧૮૬, ૨૨૮; -તત્ત્વ ૨૧૮,૨૨૦; -ધ્યાન ૧૧૨; -વિચાર ૧૯૮; ૧૮૧,૧૮૬,૧૯૦ સ્થાન ૧૭૪, ધાતુ ૭૨ ધાન્ય (જી ખીજધાન્ય) સૂચિ ૫૩ ધ્યાન ૧૧૨,૨૦,૧૩૨,૧૯૨ નગ્નાવસ્થા ૧૯૨ નિમ ૯૬, ૯૯ નરક ૧૦૫-૭,૧૩૪,૧૫૯; -દેવ ૧૦૬, ૧૦૭ નળ ૯૯ નારાયણ ૯૬,૯૯ નાલંદા ૩,૨૩૨ નિમિ ૯૯ (જીએ નિમ) નિમિત્તશાસ્ત્ર ૧૩૬ નિયતિ ૨૪,૩૩,૧૬૩-૪; -તત્ર ૨૪: -વાદ ૨૫,૪૩; –વાદી ૨૬,૭૩ નિગ્રંથ ૪૪,૫૦,૧૧,૧૬૨ નિર્જરા ૫૧,૧૩૭,૧૯૪ નિર્યુક્તિકાર (જી) ભદ્રબાહુ) નિષધ ૧૦૯ પરતીથિકા ૯૫-૭ (જીએ વાદી) પરલાક ૭૧,૮૯,૯૩,૧૩૪ પરિગ્રહ ૬૯–૭૦,૧૦૪,૧૨૩ ૪૦. પરિષહ ૮૧,૮૬ પંચમહાભૂત ૨૬,૭૦,૭૨,૧૬૦, ૧૬૧; -યાદી ૮૦ પંચમહાભૂતિક ૭૦,૮૦ પાણી —જીવ ૧૧૩,૧૧૭,૧૬૦ (જીએ છ વગ); –ના ઉપયાગ ૧૧૫, ૧૨૩ (જીએ ઠંડું પાણી) -શરીર ૨૦૨,૨૦૭-૮ (બ્રુઆ ઉદકકાય) પારાશર ૪૦,૯૬,૯૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાર્શ્વનાથ ૮૯,૩૨,૪૫-૮,૨૩૩, ભાવનાઓ ૧૪૭, ૧૪૯ ૨૪૦, ભિક્ષા પ૪,૭૮,૯૫-૬,૧૧૫,૧૨૪, પુરુષ ૨૪,૧૬,૨૨૮; –વાદ ૨૫ ૧૨૭,૧૩૦-૧,૧૬૮,૧૯૨,૨૨૬; પુંડરીક ૧૫૫–૭૦,૨૦૪ –ના નિયમ ૧૭૧, ૧૯૯ પૂજનસત્કાર ૮૬,૯૪,૯૭,૧૪૦, ભિક્ષુ ૧૫૧,૧૭૦; –ભજન ૨૨૫-૬ ભૂત ૧૬૯; –વાદ ૨૯; –વાદી ર૬ પૃથ્વી –જીવ ૧૧૩,૧૧૭,૧૬૯(જુઓ ભેગવંશીય ૧૫૮ છ વર્ગ); –શરીર ૨૦૨,૨૦૮ મકખલિગોસાલ ૨૬,૩૧,૩૩,૩૪, પિષધ ૪૫,૧૫,૨૩૬ - ૭૭ (જુઓ ગોશાલક) પ્રકૃતિ ૨૫,૭૬ પ્રજાપતિ ૧૯,૭૬ મતિજ્ઞાન ૧૧૧ પ્રતિક્રમણવિધિ ૨૭૯, ૨૪૦ મદ –ચાર ૧૪૦ (જુ અભિમાન) મધ્યમમાગ ૭૮ પ્રતિમા –બાર ૧૯૨, ૨૦૦-૧ મન:પર્યવજ્ઞાન ૧૧૧ પ્રત્યાખ્યાનવ્રત ૧૯૫ પ્રમાદ ૮૭-૮,૧૨૨ મનુષ્યજન્મ ૮૨,૧૪૭ મમતા ૭૦,૧૨૮ ઈ૦ પ્રાણું ૧૬૯ પ્રાયશ્ચિત્ત ૧૮૪ (પ્રતિક્રમણુવિધિ) મશ્કરી ગોસાલ (જુઓ સાલ) મહાવીર ૨, ૩, ૮,૯,૧૪,૩૧,૩૨, બાહુક ૯૬૯૯ ૩૪, ૩૬, ૪૪–૫૫, ૧૦૮-૧૦, બીજધાન્ય ૯૬,૧૧૩,૧૨૩,૧૨૯, ૧૪૬,૧૫૬,૧૫૭,૨૨૧-૨ ઈ. મંગળ ૧૮૪ બૌદ્ધ ૨૬,૫૩,૭૨,૭૫,૮૦,૨૨૫ બ્રહ્મભજન ૨૨૭ માન ૭૪,૭૯,૧૨૩,૧૬૭,૧૭૮ ૪૦ બ્રહ્મગત ૨૨૫ (જુઓ અભિમાન) બ્રહ્મા ૭૫ માયા ૭૪,૭૯,૧૨૩,૧૬૭,૧૭૯ ઈ. બ્રાહ્મણ ૧૨૮,૧૫૦,૧૭૦ માયાશક્તિ ૭૬ ભદ્રબાહુ ૬,૮,૯,૧૧,૧૨,૭૦ ઈ. મારણાંતિક સંખના ૧૯૬,૨૩૬ ભય ૮૬ મિથિલ ૯૯ ભરત ૯૧ મિથ્યાદર્શન ૧૫૧,૧૬૭,૧૮૬ ઈ૦ ભારંડ પક્ષી ૧૯૧ મિશ્રસ્થાન ૧૮૬,૧૯૩ ૨૨૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૨૫૫ મીઠું ૧૧૪ વિનયવાદ ૨૩,૩૮,૪૯,૧૩૪; –વાદી મૃત્યુ ૧૯,૭૬ ૨૬,૩૯,૫૨,૧૩૫,૧૭, મેરુ ૧૦૯,૧૧૧ વિભજ્યવાદ ૧૪૫ મોક્ષમાર્ગ ૧ર૬,૧૨૯-૩૩,૧૪૪ ઇ. વિમાનવાસી દેવ ૧૧૧ શ્લેષ્ઠ ૨૦૫,૨૧૦ વિશાલા ૯૦ રાજગૃહ ૪,૨૩૨ વિષયાસક્તિ ૮૯,૧૨૭ ૪૦ રામગુપ્ત ૯૬,૯૯ વિશ્વસેન ૧૦૯ ૨ચક ૧૦૯ વીરત્વ ૧૧૮-૨૦ લવસત્તમ ૧૧૦ વીર્ય ૧૧૮ લિચ્છવી –કુલ૧૪૦; –વંશીય ૧૫૮ વેણુદેવ ૧૦૯ લીલોતરી ૯૬ વેદવાદી ૨૨૭ લેપ ૨૩૨ વેદાંતી ૨૨૭ લોક ૨૧૮, ૨૨૦ વૈતરણી ૯૭,૧૦૬ લોકવાદ ૭૮ વૈદેહી ૯ લોભ 9૪,૭૯,૨૩,૧૬૭,૧૮૦ ઈ. વૈયિક ૧૧૦ વનસ્પતિ ૧૧૭,૧૮૮,૨૦૨-૩, ૨૧૪ વૈશેષિક ૭૨ વાણિયા ૨૨૪ વ્યાસ ૪૦,૯૯ વાણી –ના પ્રકાર ૧૨૫ વ્રત (બાર) ૪૫,૮૪ ઈ. વાદ જુદાજુદા) ૬૯-૭૯ વ્રતનિયમ ૧૫,૨૧૨-૬ વાદી (જુદાજુદા)૧૨૮,૧૩૧,૧૩૪- શરીર (પાંચ) ૨૧૮,૨૨૦ ૭,૧૫૭-૬૪,૧૭,૨૧૩-૫,૨૩ શરીરસંસ્કાર ૧૨૩,૧૨ (જુઓ જુએ વાદ, અધમ, પાણુને ઉપયોગ) પરતીથિકે, શ્રમણુબ્રાહ્મણ) શંકા ૧૯૪ વાયુ -જીવ૧૧૩,૧૧૭,૧૬૯ (જુઓ શાસ્ત્રજ્ઞાન ૧૪૨-૫ છ વર્ગ);-શરીર ૨૦૨,૨૦૮ શિક્ષાત્રત ૪૫ વિદન ૮૪–૮,૯૨-૮ ઈ૦ શિશુપાળ ૯૮ વિચિકિત્સા ૧૯૪ શિષ્ય (જુઓ ગુરુશિષ્ય) વિદેહ ૯૬,૯૯ શીલાંકદેવ (ટીકાકાર)૭૦,૭૧ ઈ. વિદ્યાઓ –મેલી ૧૮૨,૧૯૯ શીલત્રત ૧૯૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ શુકનશાસ્ત્ર ૧૩૬ સામુદ્રિકશાસ્ત્ર ૧૩૬ શુક્લધ્યાન ૧૧૦,૧૧૨ સાંખ્ય ૨૪૨૫,૧,૭૨ શૈવ ૭૭ સિદ્ધશીલા ૨૧૯ શિવાધિકારી ૭૨. સિદ્ધિ ૭૭ શ્રમણ ૧૫૧,૧૭૦,૨૨૨ ૪૦ સુદર્શન ૧૦૯ શ્રમણબ્રાહ્મણ ૭૦,૭૪,૧૫,૧૬૭, સુધર્મસ્વામી ૨-૫ ૧૯૮ ઇ. (જુએ વાદી) સુધર્મા (દેવ)૧૧૦,૧૧૨ શ્રમણોપાસક ૧૯૪ સુપર્ણ દેવ ૧૦૯ સગાંસંબંધી ૭૦,૮૩,૮૪-૫,૯૪, સૂત્રકૃતાંગ ૧૨-૧૪ ૧૨૨,૧૬૫,૧૭૫,૧૭૮,૧૮૯ સ્કંધ ૭૨,૮૦ સત્ય ૧૬૯ સ્ત્રીઓ ૮૮,૫,૯૭,૧૦૦-૪,૧૨૬સશુરુ-સસંગ ૭૮,૮૩,૮૪,૧૨૨, ૭,૧૪૭,૧૮,૧૯૦,૨૨૨ ૧૩૭,૧૪૨,૧૬૬,૧૮૬ સમાધિ ૭૭,૮૬,૮૭૮૮,૧૦૧,૧૨- સ્થાવરજંગમ પ્રાણીઓ ૭૮,૧૧૫. ૮,૧૩૨,૧૩૩,૧૩૯,૬૯૬ ૨૩૩ સમિતિ ૭૯,૮૦ સ્નાતક ૨૨૫,૨૨૭ સંગ ૮૭,૧૧૬,૧૨૪ સ્યાદ્વાદ ૩૬-૮,૧૪૫ સંજય બેલીપુર ૩૫,૧૪૫ સ્વપ્નશાસ્ત્ર ૧૩૬ સંજ્ઞીજી ૨૧૪-૫ સ્વયંભૂ ૭૬ સંન્યાસ ૮૪,૮૫,૮૯,૧૨૨,૧૬૬, સ્વયંભૂરમણ ૧૦૯ ૧૮૬,૧૮૯ હસ્તીતાપસ ૨૨૯ સંચમ ૧૦૫, ૧૭,૧૬૭; -ધર્મ ૮૫ હસ્તીયામ ૨૩૩ ૧૧૦,૧૧૬,૧૪૧ હિંસા ૭૦,૭૫,૭૮,૧૧૩,૧૧૪, સંવર પ૧,૮૧,૩૭,૧૯૪,૨૨૨ ૧૨૮,૩૦,૧૩૩, ૧૬,૧૭૫, સામાયિક ૪૫ (૧-૨-૨–૧૭,૨૦) ૧૭૬,૨૧૩,૨૧૫-૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ઉ૫૦ પા૰ ૪૪–૭: આ પુસ્તકના ઉપાદ્ધાતમાં (પા. ૪૪ તથા ૪૭) જણાવ્યું છે કે ભગવાન મહાવીરના જન્મ ઈ. સ. પૂ. ૫૯૯ માં થયા હતા અને તે ઈ. સ. પૂ. પર૭ માં એટ્લે કે બુદ્ધી ૫૦ વર્ષ પહેલાં નિર્વાણ પામ્યા હતા. સામાન્ય રીતે અત્યાર સુધી જૈનપર પરામાં એ જ સમય સ્વીકારાતે આવ્યા છે અને અર્વાચીન વિજ્ઞાનાનાં પુસ્તકામાં પણ માટે ભાગે સ્વીકારાય છે. પરંતુ થોડા સમય થયાં, તે બાબતમાં એક અગત્યની ચર્ચા રારૂ થઈ છે. તેને કાંઈ છેવટના નિણૅય આવી ગયા છે એમ તે ન જ કહેવાય, પણ તે ચર્ચા કચા મુદ્દાઓ ઉપર ચાલે છે તેના કાંઈક ખ્યાલ આપવા સારુ, તે ચર્ચાવાળો એક લેખમાલાના ટૂંક સાર અહીં આપ્યા છે.૧ પ્રખ્યાત જૈન લેખક મેરુતુગે વિ. સ. ૧૭૬૧ એટલે કે ઇ. સ. ૧૩૦૪ માં ‘ પ્રબંધચિ'તામિણ ’ ગ્રંથ રચ્યા અને બે વર્ષ માદ ‘વિચારશ્રેણી ’ગ્રંથ રચ્યા. તેમાં તેમણે વીર સવત અને વિક્રમ સંવતની ગણતરી જણાવતાં નીચેના અર્થના શ્લોકો ટાંક્યા છે: જે રાત્રે અ ંત્ તી "કર મહાવીર નિર્વાણ પામ્યા, તે રાત્રે અવન્તીના રાજા પાલકના રાજ્યાભિષેક થયેા. પાલક રાજ્યનાં ૬૦ વર્ષ અને નંદ્ન ( રાજ ) નાં ૧૫૫; ૧૦૮ મૌર્યાંનાં અને પુષ્યમિત્રનાં ૩૦; બલમિત્ર અને ભાનુમિત્રનાં ૬૦, તથા નભાવાહનનાં ૪૦; ગભિલનાં ૧૩ વર્ષ અને રાકનાં ૪,’ ૧. મૂળ માટે જીએ ઇડિયન એન્ટીકવરી ' વર્ષ ૧૯૧૪, : Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ એ શ્લોકોમાં આ પ્રમાણે મહાવીરના નિર્વાણ અને વિક્રમના રાજ્યારોહણ વચ્ચે ૪૭૦ વર્ષ વીત્યાં એમ જણાવ્યું છે. વિક્રમ સંવત ઈ. સ. પૂ. પ૭ થી શરૂ થતો ગણીએ તે એ હિસાબે મહાવીર ઈ. સ. પૂ. પ૨૭ માં નિર્વાણ પામ્યા હતા એમ ઠરે. અને જૈન પરંપરા પિતાની તમામ ગણતરીઓમાં એ સમય જ સ્વીકારે છે. એક વાત તો નક્કી જ, કે એ શ્લોકે વિક્રમ સંવત એવું નામ સ્વીકારતા હોવાથી તે આઠમાં નવમા સિકા જેટલા અર્વાચીન છે. કારણકે ત્યાર પહેલાં વિક્રમ સંવત એવું નામ જાણતું નહોતું. હવે, એ સમયે બીજી ઐતિહાસિક ગણતરીઓ સાથે બંધબેસતો આવે છે કે નહિ તે તપાસીએ. બૌદ્ધ ગ્રંથોમાં “નિગંઠનાતપુર” (“નિગ્રંથ જ્ઞાતપુત્ર” એટલે કે જ્ઞાત નામના રાજવંશમાં જન્મેલે નિગ્રંથ) ના જે સંખ્યાબંધ ઉલે બે મળે છે, તે ભગવાન મહાવીરને લગતા છે એ તો હવે નિ:શંક સાબિત થઈ ચૂધ્યું છે. એ જ ગ્રંથ ઉપરથી એ પણ જણાઈ આવે છે કે, બુદ્ધ અને મહાવીર બંને સમકાલીન હેઈ, એક જ સમયે ઉપદેશ કરતા હતા. ભગવાન બુદ્ધ ઈ. સ. પૂ. ૪૭૭ ની આસપાસ નિર્વાણ પામ્યા હતા એ વસ્તુ અનેક ઐતિહાસિક પ્રમાણેથી નિશ્ચિત થયા જેવી છે. હવે, જે મહાવીર ઈ. સ. પૂ. પર૭ માં નિર્વાણ પામ્યા હોય, તો તે વખતે બુદ્ધ ૩૦ વર્ષના જ હોય. (કારણ કે નિર્વાણ વખતે તે ૮૦ વર્ષના હતા.) અને બુદ્દે ૩૬ મા વર્ષ પહેલાં ધર્મોપદેશ જ શરૂ કર્યો નહોતે, એટલે એને એક સમયે જ ઉપદેશ કરતા હતા એ બીના ઘટી શકે નહિ. વળી, બંને અજાતશત્રુ રાજાના સમય દરમ્યાન હયાત હતા એ વાત બંને સંપ્રદાયના ધર્મગ્રંથો ઉપરથી નિશ્ચિત થઈ શકે છે. પરંતુ અજાતશત્રુ બુદ્ધના મૃત્યુ પૂર્વે ૮ વર્ષ પહેલાં જ રાજા થયો હતો: એટલે મહાવીર જે ઈ. સ. પૂ. પર૭ માં નિર્વાણ પામ્યા હોય, તો તે વખતે અજાતશત્ર રાજા જ બન્યું ન હોય. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આમ બુદ્ધના કાલનિર્ણય સાથે જૈન પરંપરાને ઘણો વિરોધ આવે છે. એટલે બેમાંથી એક કાલનિર્ણયને ખોટો ગણવો જોઈએ. પરંતુ બુદ્ધના કાલનિર્ણયને બીજા ઐતિહાસિક પ્રમાણે સારા જે ટેકે છે, એટલે તેને બે ગણી શકાય તેમ નથી. પરંતુ આ જગાએ હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ જૈન લેખક જ ઉપર જણાવેલી જનપરંપરામાં અમુક સુધારો સૂચવે છે. આપણે ઉપર મેરૂતુંગે ટાંકેલા લોકમાં જઈ આવ્યા છે, તેમાં મૌર્યવંશ એટલે કે ચંદ્રગુપ્ત મહાવીરના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે ગાદીએ આવ્યું એમ જણાવ્યું છે. પરંતુ હેમચંદ્ર પોતાના સ્થવિરાવલીચરિત” (પરિશિષ્ટ પર્વન) માં જણાવે છે કે, “મહાવીરના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયે.” આપણે હેમચંદ્રને એ સુધારો કબૂલ રાખીએ, તો મહાવીરના નિર્વાણકાળ અને વિક્રમ સંવત વચ્ચે ૨૧૫-૨૬૫ને બદલે ૧૫૫+૨૫૫ એટલે કે ૧૦ વર્ષ ગયાં હતાં એમ ઠરે, એટલે કે મહાવીર ઈ. સ. પૂ. ૪૬૭માં નિર્વાણ પામ્યા હતા એમ નક્કી થાય. મહાવંશમાં જણાવ્યા પ્રમાણે અજાતશત્રુ બુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૪૭૭) પહેલાં ૮ વર્ષે (ઈ. સ. ૪૮૫માં) ગાદીએ આવ્યું હતું. અને ગાદીએ આવ્યા પછી તેનું પહેલું જ કાર્ય કેશલના વૃદ્ધ રાજા સાથે લડાઈ હતું. હવે ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગોશાલ એ યુદ્ધ પછી તરત જ શ્રાવસ્તીમાં મરણ પામ્યો હતો. અને મહાવીર ગોશાલના મૃત્યુ પછી ૧૬ વર્ષ જીવ્યા હતા. એટલે પણ મહાવીરને નિર્વાણસમય ઈ. સ. પૂર્વે ૪૬૮-૬૭ જેટલો આવીને ઊભો રહે. અલબત્ત, હેમચંદ્રની ગણતરી પ્રમાણે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ ઈ. સ. પૂ. ૩૧૨માં થયું હતું એમ કરે. બીજા પ્રમાણે પ્રમાણે તે સમય તેનાથી ૧૦-૧૨ વર્ષ પહેલાં હું જોઈએ. પરંતુ સંભવ છે કે, મહાવીર પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ થવાને બદલે તે વખતે ચંદ્રગુપ્તના રાજ્ય દરમ્યાનની જૈનોને લગતી કોઈ મહા અગત્યની બીના જ બની હોય. અને આપણે જાણીએ પણ છીએ Page #277 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને સંયમધમ કે, ચંદ્રમના રાજ્ય દરમ્યાન ૧૩ વર્ષને કારણે દુકાળ પડ્યો હતો અને તે પ્રસંગે જૈનોમાં શ્વેતાંબર દિગબરના ઝઘડાનું મૂળ નંખાયું હતું. ચંદ્રગુપ્ત રાજા થયો તે અરસામાં જૈનસંઘ સંભૂતિવિજયના નેતૃત્વ હેઠળ હતો. પરંતુ સંભૂતિવિજય આ અરસામાં એટલે કે વીર પછી ૧૫૬ વર્ષે મરણ પામ્યા. એટલે તેમની પછી તેમના ગુરુભાઈ ભદ્રભાહુ સંધના નેતા બન્યા.* દુકાળને વખતમાં ભદ્રબાહુ કેટલાક અનુયાયીઓને લઈ દક્ષિણમાં ચાલ્યા ગયા. દુકાળ પૂરો થતાં તે બધા પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો મગધવાળા સાધુઓએ આચારમાં ઘણું છૂટછાટ મૂકી હતી. તે તેમને પસંદ પડયું નહિ. ભદ્રબાહુ પછી તપ કરવાને નેપાલમાં ચાલ્યા ગયા. અને આગમ ગ્રંથે ભેગા કરવા મળેલી સમિતિમાં તેમણે ભાગ લીધે નહિ. દક્ષિણમાંથી પાછા આવેલા સાધુઓએ મગધવાળાઓએ એકત્રિત કરેલા ગ્રં મંજૂર રાખ્યા નહિ. આમ તેમની વચ્ચે તીવ્ર મતભેદનું મૂળ નખાયું. એટલે સંભૂતિવિજયને જ અખંડ જૈનસંધના છેલ્લા આચાર્ય માનવા જોઈએ. અને તે કારણે જ તેમના મૃત્યુની ઘટનાને જૈન ઇતિહાસમાં અગત્યની માનીને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ સાથે જોડી દેવામાં આવી હોય એમ બને. પરંતુ મહાવીરનો નિર્વાણ સમય ઈ. સ. પૂ. ૪૬૭માં માનવાને બીજાં પણ કારણો છે. હેમચંદ્ર સુધ્ધાં સમગ્ર જૈનપરંપરા ભદ્રબાહુનું મૃત્યુ વાર પછી ૧૭૦ વર્ષે થયેલું માને છે. હવે જે મહાવીરના નિર્વાણનું વર્ષ ઈ. સ. પૂ. ૫ર૭ લઈએ, તે ભદ્રબાહનું મૃત્યુ ઈ. સ. પૂ. ૩૫૭માં માનવું જોઈએ. જેનપરંપરા ભદ્રબાહુને * તે તથા તેમની પછી આચાર્યપદે આવનાર, સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર બને, ૧૪ પૂર્વ ગ્રંથો જાણતા હતા. પણ સ્થૂલભદ્ર છેલ્લાં ચાર પૂર્વ કેઈ ને શીખવી શકે તેમ નહોતું. તેથી દિગંબરે ભદ્રબાહુને છેલ્લા કૃતકેવલી માને છે, જ્યારે શ્વેતાંબરે સ્થૂલભદ્રને માને છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પૂતિ ૨૬૧ ચંદ્રગુપ્તના રાજ્યકાળ સાથે નિકટ સંબંધ માને છે. પરંતુ ચંદ્રગુપ્તને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૨૩-૨૯૯ની વચ્ચે જ મૂકી શકાય તેમ છે. એટલે એ બે વાતે બંધ બેસતી આવતી નથી. હવે જે ઈ. સ. પૂ. ૪૬૭ ને નિર્વાણનું વર્ષ સ્વીકારીએ, તે ભદ્રબાહુનું મૃત્યુ ઈ. સ. પૂ. ૨૯૭માં ઠરે – જે ચંદ્રગુપ્તના રાજ્યકાળ દરમ્યાન આવીને ઊભું રહે. અહીં એક અગત્યની દલીલને રદિયો આપવાનું રહે છે. દીઘનિકાય (૩-૧૧૭) અને મઝિમનિકાય (૨– ૨૪૩) માં જણાવ્યું છે કે, બુદ્ધ શાન સામગામમાં હતા ત્યારે તેમને ખબર મન્યા કે નાતપુત્ર પાવામાં મરણ પામ્યો છે અને તેને સંઘ ફાટફૂટથી છિન્નભિન્ન થઈ જવાની અણી ઉપર આવ્યો છે. આ ઉલ્લેખ પ્રમાણે તે મહાવીર બુદ્ધ પહેલાં નિર્વાણ પામ્યા હોવા જોઈએ અને આપણી ગણના પ્રમાણે તે બુદ્ધ (ઈ. સ. પૂ. ૪૭૭)ની પછી મહાવીર (ઈ. સ. પૂ. ૪૬૭) નિર્વાણ પામવા જોઈએ. પણ ઉપર જણાવેલા ઉલ્લેખે ઉપર નીચેનાં બે કારણોથી વજૂદ મૂકવા જેવું નથી. એક તે એ કે, એ ઉલ્લેખમાં મહાવીરના મૃત્યુસ્થાન તરીકે જે પાવા જણાવ્યું છે, તે કસિનારની નજીક શાના દેશમાં આવેલું પાવા છે. જ્યારે, જૈન મહાવીરના મૃત્યુસ્થાન તરીકે જે પાવા જણાવે છે, તે તે બિહારમાં ગિરિયથી ૩ માઈલ દૂર આવેલું પાવાપુરી ગામ છે. ઉપરાંત મહાવીરના મૃત્યુ સમયે જૈનસંઘ છિન્નભિન્ન થવાની અણુ ઉપર આવ્યું હતું એ કશો જ ઉલ્લેખ જૈન ગ્રંથોમાં મળતો નથી. જૈનગ્રંશે સામાન્ય રીતે પોતાના સંધમાં પડેલી ફાટફૂટ છુપાવવાને બદલે તેની કાળજીપૂર્વક નોંધ લેતા માલુમ પડે છે. એટલે નિકાયના લેખકોએ બહુ પછીના સમયમાં જુદી જુદી સાંભળેલી વાતનો ભળતે જ છબરડો વો હોય એમ બની શકે. બીજું કારણ એ કે, બૌદ્ધગ્રંથોમાં બુદ્ધ સાથે રાજા બિંબિસારનું -નામ વધારે આવે છે, જ્યારે, જૈનગ્રંથોમાં મહાવીર સાથે બિંબિસારના પુત્ર કુણિક (અજાતશત્રુ ) નું નામ વધુ આવે છે. ઉપરાંત બૌદ્ધમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ મહાવીરસ્વામીને સંચમધમ મગધની જૂની રાજધાની રાજગૃહ પ્રાધાન્ય ભોગવે છે, જ્યારે જૈન ગ્રંથમાં કુણિકની નવી રાજધાની ચંપા મુખ્ય સ્થાન લે છે. એ વસ્તુ અજાતશત્રુના રાજ્યના અંતભાગને વધુ સૂચિત કરે છે, કે જે વખતે બુદ્ધ હયાત ન હોય પણ મહાવીર હયાત હોય. પા. ૧૬૭, લી. ૫-૧૩: એ ફકરામાં તથા અન્ય સ્થળે (૫-૧૫૦-૧; ૧૮૭) જે અઢાર પાપકર્મો અથવા પાપસ્થાનને ઉલ્લેખ છે, તે અનુક્રમે નીચે પ્રમાણે છે; સામાન્ય રીતે તેમને અર્થ પણ નીચે જણાવ્યા પ્રમાણે જ લેવાય છે : ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. અબ્રહ્મચર્ય પ. પરિગ્રહ ૬. કેધ ૭. માન ૮. માયા (કપટ) ૯. લોભ ૧૦. રાગ ૧૧. લેષ ૧૨. કલેશ (કલહ) ૧૩. અભ્યાખ્યાન (ખેટા આક્ષેપ) ૧૪. પશુન્ય (ચુગલી કરવી) ૧૫. રતિ-અરતિ (આનંદથી મત્ત થવું અને શેકથી ખિન્ન થઈ જવું) ૧૬. પરપરિવાદ (બીજાની નિંદા) ૧૮. મિથ્યાદશનશલ્ય. (કુદેવ, ગુરુ, અને કુધર્મને સાચા માની સેવા) પા. ૧૯૧ લી. ૧૭: અહીં જણાવેલ અંડજ, પિતજ, ઉગ્ગહ અને પગૂહ એ ચાર પ્રતિબંધોને બદલે કલ્પસૂત્રમાં નીચેના ચાર જણાવ્યા છે: અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય (સચિત્ત સ્ત્રી છે કે અચિત્ત આભૂષણ ઇ૦) સંબંધી, ક્ષેત્ર સંબંધી, કાળ સંબંધી અને (ક્રોધ, માન, રાગ, દ્વેષ આદિ) ભાવ સંબંધી. પા. ૨૪૦, લી. ૧૨ ઇ: ગૌતમના કેવળજ્ઞાનની હકીકત આ પ્રમાણે છે : પિતા પ્રત્યેને ગૌતમને રાગ દૂર કરવા ભગવાન મહાવીરે તેમને પોતાના નિર્વાણની રાત્રીને આગલે દિવસે નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને ઉપદેશ આપવા મોકલી દીધા. પછી પાછલી રાતે ભગવાન નિર્વાણ પામ્યા. પાછા ફરતાં તે સમાચાર જાણે ગૌતમ મહાશોમાં મગ્ન થઈ ગયા અને તે દરમ્યાન તેમને તે રાતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. Page #280 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પૂ. લી. અશુદ્ધ ૩ ૨૦ કુશળ છતાં કુશળ હોવા છતાં અને જંબુને અને તે જંબુને ૪ ૪૦ પાટલીપુત્ર પાટલિપુત્ર ૩૩ ૨૦ કિસ, સંકિચ્ચ : કિસસંકિચ્ચ ૩૭ ૧૫ પણ કહી શકાય - પછી ઉમેરે: (સ્થાપ્તિ, ચાવવ્ય): અમુક દષ્ટિબિંદુથી વસ્તુને “નથી” એમ પણ કહી શકાય અને પાછી અવક્તવ્ય કહી શકાય ૧૪૬ ૩ રદ કરે. ૧૭૩ ૨ વગેરેથી આપેલું છે. એ નોધ: પા. ૪૪–૭, ૧૬૭, ૧૯૧ અને ૨૪૦ માટે ઉપર પૂર્તિ જુએ. Page #281 -------------------------------------------------------------------------- ________________ Page #282 -------------------------------------------------------------------------- ________________