________________
૧રર
મહાવીરસ્વામીને સંયમ ધર્મ
વેર તથા પુષ્ટ થતા કામો અને તેમનું દુઃખરૂપી ફળ જાણ છે, તે આ માર્ગને અધિકારી છે. તે જાણે છે કે, માણસ જે જે પદાર્થો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તે બધા પદાર્થો મૃત્યુ બાદ સગાંસંબંધીઓના જ હાથમાં જાય છે અને તેને પિતાને તે પિતાનાં કર્મોનું ફળ જ ભેગવવાનું રહે છે. તે વખતે, જેમને માટે તે બધી પ્રવૃત્તિઓ કરી હતી, તે બધાં – માતપિતા, ભાઈ, પત્ની, પુત્રો તથા પુત્રવધૂ – રક્ષણ કરવા આવતાં નથી. આ વિચાર કરી, તે મમતા અને હુંપણું તજી દઈ, જિનભગવાને કહેલા પરમ માર્ગનું શરણ સ્વીકારે છે. મનુષ્યના વિવેક અને વૈરાગ્યની સાચી પરીક્ષા એ છે કે, પ્રાપ્ત થયેલા કામો પ્રત્યે પણ આકર્ષણ ન થાય. આ વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી, અધિકારી મનુષ્ય ધનસંપત્તિ, પુત્રો, સગાંસંબંધી, મમતા અને શોક તજી, તથા સંસારથી નિરપેક્ષ થઈ, સંન્યાસી બને. [૧-૭, ૩૨]
પછી તે મુમુક્ષુ સુંદર પ્રજ્ઞાવાળા, સંપૂર્ણ તપસ્વી, પરાક્રમી, આત્મજ્ઞાનના વાંછુક, ધૃતિમાન તથા જિતેંદ્રિય એવા ગુરુનું શરણુ શોધે. કારણકે, જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરનારા ઉત્તમ પુરુષો જ મુમુક્ષુ જનનું પરમ શરણ છે. તેઓ સર્વ બંધનોથી મુક્ત હોઈ, જીવિતની તેમજ વિષયની આકાંક્ષા વિનાના તથા સર્વ પ્રકારની પાપી પ્રવૃત્તિઓથી રહિત હોય છે. એવા સદ્દગુરુનું શરણ સ્વીકારીને, તેણે નિગ્રંથ મહામુનિ મહાવીરે ઉપદેશેલા માર્ગમાં પુરુષાર્થ આદર. [૩૨–૩૪]
પૃથ્વી, (પાણી, ) અગ્નિ અને વાયુ; તૃણ, વૃક્ષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org