________________
પ્રસ્તાવના
આ ગ્રન્થ જૈન આગમના એક પ્રાચીન ગ્રન્થસૂત્રકૃતાંગ – “છાયાનુવાદ” છે. દર્પણમાં પડતી “છાયા? તે મૂળનું સર્વશે પ્રતિબિમ્બ હોય છે, પણ આ “છાયા” એટલે પડછાયઃ માત્ર આકૃતિનું દર્શન. તે વાચક આગળ મૂકવામાં અનુવાદકર્તાનો એક સ્તુત્ય ઉદ્દેશ એ છે કે, આવા પ્રાચીન ગ્રન્થના જે ભાગમાં આજકાલના જમાનાને રસ નથી અને જે જાણવાથી ખાસ લાભ થવાને પણ સંભવ નથી, તેવા ભાગ છેડી દઈ માત્ર જે ભાગ અત્યારના વાચકને રસ ઉપજાવે, જ્ઞાન આપે, અને લાભ કરે, તેવા ભાગ જ રજૂ કરવા. આ અનુવાદપદ્ધતિ પં. સુખલાલજીએ “તત્વાર્થાધિગમસૂત્ર' ના અનુવાદમાં સ્વીકારી હતી, અને એ જ અત્રે ચાલુ રાખવામાં અનુવાદકે બહુ ડહાપણ વાપર્યું છે અને ગૂજરાતના સર્વ વાચકોની – જૈનેની તેમજ જૈનેતરની – સારી સેવા બજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org