________________
મહાવીર સ્વામીને સંયમ ધર્મ એવા કટોકટીના સમયમાં જે મહાપુરુષોએ જીવનભરના પુરુષાર્થથી પ્રજાનું તે કામ બજાવી આપ્યું, તેમાંને ભગવાન મહાવીર એક હતા.
મહાવીરને સમકાલીન સાહિત્યમાં “નિગ્રંથ નાતપુર” એટલે કે, “ જ્ઞાત નામના રાજવંશમાં જન્મેલે નિગ્રંથ તપસ્વી” એ નામથી ઓળખવામાં આવે છે. ઘણી વાર તેમને કાશ્યપ કે વૈશાલીય પણ કહેવામાં આવે છે. વર્ધમાન એ તેમનું માતપિતાએ આપેલું મૂળ નામ હતું અને મહાવીર, વીર, જિન, અહંત વગેરે નામો તેમને તેમના પ્રબળ પુરુષાર્થ અને વિજયને લીધે મળ્યાં હતાં. તેમને કાશ્યપ નામ તેમના ગોત્રને લીધે મળેલું છે અને વૈશાલીય નામ પિતે વૈશાલિ નગરીના હેવાથી મળેલું છે. વૈશાલિનું રાજ્ય તે વખતે આઠ નાનાં નાનાં ક્ષત્રિયકુળનું એક સમૂહતંત્ર હતું. તે દરેકના મુખિયાએ ભેગા મળી, તેને રાજકારભાર ચલાવતા, અને પોતામાંથી એકને રાજા તરીકે ચૂંટી કાઢતા. જ્ઞાત વંશ એ આઠ કુળમાંને એક હતો. મહાવીરના પિતા સિદ્ધાર્થ જ્ઞાતલોકના તે વખતે અગ્રણી હતા અને તેમનું લગ્ન તે વખતના વૈશાલિના રાજાની પુત્રો ત્રિશલાદેવી સાથે થયું હતું. મહાવીરને જન્મ ઈ. સ. પુ ૫૯૯ માં ચૈત્ર સુદ ૧૩ ને દિવસે થયો હતે. અત્યારે પટણથી નજીક આવેલા બરાર ગામને વૈશાલિનું અવશેષ માનવામાં આવે છે. તેમને ગર્ભવાસ થતાં કુટુંબની સંપત્તિ, યશ, કીતિ વગેરે વધતાં ચાલ્યાં એટલે તેમનું -નામ વર્ધમાન પાડવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org