SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુધાત સંયમો અને તપસ્યાઓને પણ ન ગણકારીને, દેડતી આપણે જોઈએ છીએ. પરંતુ આખી પ્રજા એવાં એ પાછળ લાંબે વખત દેડી શકે નહીં. પરિણામે આપણે ટૂંક સમયમાં જ વિવિધ વિકૃતિઓ પેદા થતી સ્પષ્ટ દેખી શકીએ છીએ. ધીમે ધીમે તે ભરતીને ઠેકાણે ઓટ જ આવતી આપણે દેખીએ છીએ. અને તેથી, એક વાર જેટલા જોરથી પ્રજા તે ઇંદ્રિયાતીત એ પાછળ દેડી હતી, તેટલા જ જેથી તે પાછી ભૂલ ભૌતિક ધ્યેય અને ઐહિક જીવનને જ રજૂ કરતા સિદ્ધાંતોને વળગતી દેખાય છે. પરિણામે તેવા ભૌતિક વદે ઉપરાંત પ્રજાના ઉન્માર્ગે થયેલા પ્રબળ પ્રયત્નને અંતે આવેલી નિષ્ફળતા અને હતાશતાના સૂચક નિયતિવાદ અને અજ્ઞાનવાદ પણ તેમના સ્કૂલમાં ધૂલમાં સ્વરૂપે પ્રચારમાં આવતા આપણને દેખાય છે. એક વાર પ્રજા આમ થાકીને તથા હતાશ બનીને પુરુષાર્થહીનતા તથા બધા જ પ્રકારના પ્રશ્નોની બાબતમાં આંખ મીંચવા તરફ જ વળી, એટલે તેને ફરી સચેત તથા પુરુષાર્થયુક્ત કરવાનું કામ કેટલું મુશ્કેલ બની જાય તે સહેજે સમજાય એવું છે. આમ તે સમયને પ્રશ્ન દિવિધ બની જાય છે. એક બાજુ, મૂંઝાયેલા તથા થાકેલા લકે અજ્ઞાનવાદ સ્વીકારી, ઐહિક સુખમાં જ મૂઢ થઈ બેઠા છે તેમનામાં ફરી સાચી તત્ત્વજિજ્ઞાસા જાગૃત કરવાની છે તથા તેમને સંયમધર્મમાં સ્થાપિત કરવાના છે. બીજી બાજુ, જે મોટા ભાગ હજુ તે દેડ અવળે માર્ગે ચાલુ રાખી રહ્યો છે, તેને યોગ્ય દિશા આપવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy