________________
વતનિયમ
ર૧૫ કેટલાક હાલી ચાલી શકે તેવા છે પણ એવા છે કે, જેમનામાં કાંઈ કરવા માટે, કરાવવા માટે કે બીજે કરતો હોય તેને અનુમતિ આપવા માટે જરાય તર્કશક્તિ, સંજ્ઞાશક્તિ, પ્રજ્ઞાશક્તિ કે મન અને વાણીની શકિત નથી. તે બધા મૂઢ પ્રાણ પણ, કોઈ પણ જીવવર્ગ પ્રત્યે હિંસાદિ પાપકર્મથી નિયમપૂર્વક વિરત થતા ન હોવાથી, બધા જ પ્રાણો પ્રત્યે સરખા દોષિત છે. અને તેનું કારણ એ છે કે, બધી યોનિઓનાં પ્રાણીઓ એક જન્મમાં સંજ્ઞાવાળાં હેઈને, પિતે કરેલાં કર્મોને કારણે જ બીજા જન્મમાં અસંસી થઈને જમ્યાં હોય છે. તથા અસંસી થઈને પણ પાછાં ફરીથી સંજ્ઞી થાય છે. એટલે સંજ્ઞાવાળા હોવું કે ન હોવું એ પોતે કરેલાં કર્મોનું જ ફળ હોય છે. તેથી કરીને, અસંસી અવસ્થામાં જે કાંઈ પાપકર્મો થાય, તેની જવાબદારી પણ તેમની પિતાની જ છે.
માટે સંજ્ઞી કે અસંશી જે કઈ જીવે છે, તે બધા જ્યાં સુધી નિયમપૂર્વક પાપકર્મ દૂર કરતા નથી, ત્યાં સુધી તે બધાં પાપકર્મની બાબતમાં દેષિત છે જ. અને ત્યાં સુધી તેમને અસંયત, અવિરત, ક્રિયાયુકત, તથા હિંસક કહેવા જોઈએ. અને ભગવાન મહાવીરે તેમને તેવા કહ્યા જ છે.
એટલે પેલે વાદી પૂછવા લાગ્યો : તો પછી શું કરવાથી પ્રાણી સંયત, વિરત કે પાપકર્મ ત્યાગનાર થયો કહેવાય ?
જવાબમાં આચાર્યે કહ્યું : જેમ મને કોઈ મારે છે કે પડે છે ત્યારે દુઃખ થાય છે, તેમ બીજા બધા જીવોને પણ થાય છે એમ સમજી, તેમને દુઃખ દેવામાંથી નિયમપૂર્વક વિરત થવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય વિવિધ પાપકર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org