________________
ર૧૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પાપકર્મ કરી રહ્યો છે એમ ન સમજતો હોય. તે જ પ્રમાણે મૂઢ અને અવિવેકી પુરુષ પણ, પિતે ન જાણતા હોવા છતાં રાતદિવસ, સૂતાં જાગતાં બધાં ભૂત પ્રાણીઓ પ્રત્યે દોષિત છે.
એટલે પેલે વાદી જવાબમાં કહેવા લાગ્યો : તમારું કહેવું બરાબર નથી. જગતમાં ઘણા પ્રાણ વગેરે તો એવા છે કે, જેમને આપણે આખી ઉંમર દરમ્યાન કદી જોયા નથી, સાંભળ્યા નથી, સ્વીકાર્યા નથી કે જાણ્યા નથી. તે પછી તે દરેક પ્રત્યે (પાપકર્મ નિયમપૂર્વક ત્યાગું નથી તેટલા માટે) રાતદિવસ, સૂતાજાગતાં માણસ દોષિત બને છે એમ કેમ કરીને કહેવાય? તે જ પ્રમાણે, જે માણસ પોતે શું કરે છે તે જાણતો જ નથી, તે માણસ પણ પાપકામ કરે છે એમ કેમ કહેવાય ?
આચાર્યો તેના જવાબમાં જણાવ્યું કેઈ માણસ પૃથ્વીથી માંડીને જંગમ પ્રાણ સુધીના યે વર્ગની બાબતમાં એ નિયમ કરે કે, “માત્ર પૃથ્વીવગના જીવોથી જ મારું કામ ચલાવીશ.' તો તે માણસ પૃથ્વીવર્ગના જીવો પ્રત્યે જ દેષિત છે. પરંતુ બાકીના બધા વર્ગો પ્રત્યે નિર્દોષ છે. પરંતુ જે માણસ એ છયેમાંથી કોઈ પણ વર્ગ પ્રત્યે કશી મર્યાદા કે નિયમ કરતું નથી, તથા એ ધ્યે પ્રકારના છ વડે પિતાનું કામ ચલાવે છે, તે માણસ તે છે વર્ગના જીવો પ્રત્યે દેષિત ખરી કે નહિ?
- આ તે મનુષ્ય પ્રાણીને દાખલ થયે. તેને તે પાંચે ઈદિ સહિત સમર્થ કરણે તથા તર્કવિચાર કરી શકાય તેવી સંજ્ઞાશક્તિ છે. પરંતુ પૃથ્વીવર્ગથી માંડીને વનસ્પતિવર્ગ સુધીના પ્રાણ તેવી સંજ્ઞાશક્તિ વિનાના છે. તે જ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org