________________
૨૧૩
વતનિયમ છે. ટૂંકમાં, તેઓમાં સ્વપ્નમાં પડેલા માણસ જેટલા પણ હોંસ હોતા નથી.
છતાં તેઓ જે જે કર્મો કરે છે, તેનું બંધન તો તેઓને લાગે છે જ.”
આચાર્ય આટલું બોલ્યા એટલે તરત સામે વાદી આવી તેમને કહેવા લાગ્યો : જેનું પાપકર્મ કરવાના ઈરાદાવાળું મન હેય, વાણી ન હોય, કે કાયા ન હોય, તથા અમુક કામ હિંસા છે તથા પાપ છે એમ જાણ્યા વિના જ જે હિંસાદિ કરતો હોય, જેનામાં સાચા ખોટાની કશી સમજ ન હોય, તથા જે પોતાની મન, વાણી અને કાયાની સઘળી ક્રિયાઓ વિચારપૂર્વક કરતો ન હોય, ટૂંકમાં, તમે કહે છે તેમ, જેનામાં સ્વપ્નમાં પડેલા માણસ જેટલા પણ હોંસ ન હોય – તે માણસ પાપકર્મ કરે છે, તથા તેનું તેને બંધન થાય છે એમ કેમ કરીને કહેવાય ?
જવાબમાં આચાર્યે કહ્યું : મેં કહ્યું છે તે જ સાચું છે. કારણ કે, જે માણસ પૃથ્વીથી માંડી જંગમ. સુધીના યે વર્ગો પ્રત્યે ઈરાદાપૂર્વક વ્રતનિયમથી પાપકર્મ રોકતો નથી કે ત્યાગતો નથી, તે મનુષ્ય તે જીવો પ્રત્યે સતત્ પાપકર્મ કર્યા જ કરે છે. ઉદાહરણ તરીકે: કેઈ ખૂની પુરુષ કોઈના ઘરમાં પેસવાની તથા તેને મારી નાખવાની તક શોધત, રાતદિવસ, સૂતાં જાગતાં તેના જ વિચાર કર્યા કરતો હોય; તે તે શું પેલા માણસ પ્રત્યે દેષિત નથી ? પછી ભલેને તે પોતે
૧. મૂળમાં: ‘હિંસાથી માંડીને પરિગ્રહ સુધીનાં અને ક્રોધથી માંડીને મિથ્યા માન્યતારૂપી શલ્ય સુધીનાં – એમ છે. વિગતવાર વર્ણન માટે જુઓ પાન ૧૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org