________________
અધ્યયન ૪ થું
વ્રતનિયમ શ્રીસુધર્મસ્વામી બોલ્યા :
હે આયુષ્મન ! (મહાવીર) ભગવાને કહી સંભળાવેલી એક અગત્યની ચર્ચા હવે હું તને કહી બતાવું છું, તે તું ધ્યાનપૂર્વક સાંભળ.
આ જગતમાં કેટલાક લેકે એવા હોય છે કે, જેમનામાં વિચારશક્તિ કે વિવેકશક્તિ જાગ્રત થઈ ન હોવાથી, તેઓ જીવનભર કઈ પણ વસ્તુ નિયમપૂર્વક ત્યાગવામાં સમજતા જ નથી. તેમને અમુક કામ સારું કે અમુક કામ છેટું એવી સમજ જ હોતી નથી. તેઓ તદ્દન મૂઢ તથા નર્યા ઊંઘતા માણસ જેવા હોય છે. તેમની મન, વાણી અને કાયાની એકે ક્રિયા વિચારપૂર્વક થયેલી હોતી નથી. અને તેથી તેઓ અનેક મિથ્યા માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં ડૂબેલા રહી, જીવનભર નકરાં પાપકર્મ કર્યા કરે
૧. મૂળઃ પ્રત્યાહ્યાન : કોઈ પણ વસ્તુ નિયમપૂર્વક ત્યાગવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org