SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ મહાવીરસ્વામીને સંયમધમ વૈશાલિમાં ક્ષત્રિયો જે વિભાગમાં રહેતા હતા, તે કુંડગ્રામની બાજુના ઉદ્યાનમાં જ તે પંથના સાધુઓને ઉતારે હતે. એટલે સ્વાભાવિક રીતે મહાવીરે શરૂઆતમાં તે પંથને જ આચાર રવીકાર્યો હશે. પાર્શ્વનાથના અનુયાયીઓ વસ્ત્રો પહેરતા એટલે મહાવીર પણ શરૂઆતમાં વસ્ત્ર પહેરતા હશે. પરંતુ પછીથી તે સંપ્રદાયના સાધુઓની આચારશિથિલતાથી કંટાળી અથવા વધુ ઉગ્ર તપશ્ચર્યા કરવા તેમણે વસ્ત્રને અને તેમના સંસર્ગનો ત્યાગ કર્યો અને એકલી જ કઠોર સંયમધર્મ આચરતા વિચરવા લાગ્યા. એટલી હકીક્ત આપણે જુદી જુદી દંતકથાઓમાંથી તારવી શકીએ છીએ. દિગંબરો એમ માને છે કે, દીક્ષાને સમયે જ તેમણે તમામ વને ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ તેમને આજીવિક સંપ્રદાયના ગોસાલ સાથે ભેટો થયે અને તે બને છ વર્ષ સુધી સાથે રહ્યા. પછી કાંઈ મતભેદને કારણે તે બંને છૂટા પડી ગયા. ચોમાસાના ચાર મહિના બાદ કરતાં તે એક જગાએથી બીજી જગાએ એમ વિચર્યા કરતા. ગામડામાં કદી એક રાતથી વધારે નહેતા રહેતા અને શહેરમાં પાંચ રાતથી વધુ નહોતા રહેતા. એક ઠેકાણે પડી રહેતા સાધુ માટે કેવાં પ્રલોભનો ઊભાં થાય છે તેને તેમને પાર્શ્વનાથના સાધુઓના જીવન ઉપરથી ખ્યાલ આવી ગયો હતો. એટલે એ બાબતમાં તે બહુ સાવચેત હતા. સૂત્રકૃતાંગમાં પણ સાધુને જ્યાં જ્યાં ઉપદેશ આપે છે, ત્યાં ત્યાં અંતે આ શબ્દો આવે જ છે કે, “આમ કરતા કરતા તેણે મોક્ષ થતા સુધી વિચરવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy