________________
ઉપદઘાત બાર વર્ષ આ પ્રમાણે ભિક્ષુવનમાં, તપશ્ચર્યામાં અને આત્મચિંતનમાં ગાળ્યા બાદ, ૧૩મે વર્ષે એક દિવસ પારસનાથની ટેકરીઓ પાસેના ભક ગ્રામમાં તેમણે ઉતારો કર્યો હતો. ત્યાં એક જૂના મંદિરની આસપાસ ખેતર આવેલું હતું અને તેમાં થઈને જુવાલિકા નામની નદી વહેતી હતી. બપોરનો સમય હતો અને મહાવીર એક શાલવૃક્ષની છાયામાં ધ્યાનમગ્ન થઈ બેઠા હતા. તેમને અઢી દિવસના ઉપવાસ થયા હતા. તે વખતે અચાનક જે પડદો તેમનામાં આવરણ ઊભું કરી રહ્યો હતું, તે સરી જતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને તેમની દીર્ઘ તપથૈયા સફળ થઈ તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને રૂંધનારાં કર્મોના છેક છેલલા અંશનો પણ નાશ થઈ ગયો અને તે મુક્ત બન્યા. બાકીનું જીવન તેમણે સફળતાથી ઉપદેશ કરવામાં અને અવળે માર્ગે ચડેલા કે મોહનિદ્રામાં પડેલા જનસમુદાયને જગાડવામાં કે સન્માર્ગે વાળવામાં ગાળ્યું. આમ કરતાં વિચરતાં વિચરતાં હર મા વર્ષે ઈ. સ. પૂર્વે પ૨૭માં, એટલે કે બુદ્ધિથી ૫૦ વર્ષ પહેલાં, તે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.
જેનો પિતાના ધર્મને ૨૪ તીર્થકરે માને છે. મહાવીર એ ચોવીસમા અને પાર્શ્વનાથ એ તેવીસમા. પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસના ઈવાકુવંશના રાજા અશ્વસેનને ત્યાં જન્મ્યા હતા એવી પરંપરા છે. તેમણે પણ ૩૦મે વર્ષે સંસારત્યાગ કર્યો હતો અને ૮૩ દિવસનાં કઠેર તપ અને ધ્યાન પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ૭૦ વર્ષ સુધી તેમણે ઉપદેશ આપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org