________________
૧૬૮ મહાવીરસ્વામીને સંયમધમ સંયમી નહાતા અને અત્યારે પણ તેવા જ છે. આમ વિચારી, તે ભિક્ષુ માત્ર શરીરયાત્રા પૂરતું જ તેમને આધાર સ્વીકારી, પિતાના માર્ગમાં પ્રયત્નશીલ થાય છે.
ભિક્ષુ જીવનમાં આહારશુદ્ધિ જ મુખ્ય વસ્તુ હોવાથી, તે બાબતમાં તે ઘણે કાળજીપૂર્વક વર્તે છે.૧ ગૃહસ્થોએ પિતા માટે તૈયાર કરેલામાંથી વધ્યુંઘટયું માગી લાવીને જ તે પોતાનો નિર્વાહ કરે છે. તે જાણે છે કે, ગૃહસ્થોને ત્યાં પોતાને માટે, કે પિતાનાં માટે અન્ન તૈયાર કરવાની કે સંઘરી રાખવાની પ્રવૃત્તિ હોય છે. એવું બીજાએ પોતાને માટે તૈયાર કરેલું અને તેમાંથી વધેલું, આપનારના, લેનારના અને લેવાના એ ત્રણ પ્રકારના પોથી રહિત, પવિત્ર, નિજીવ, હિંસાના સંભવ વિનાનું, ભિક્ષા માગીને આણેલું, સાધુ જાણુને આપેલું તથા માધુકરીની રીતે થોડું થોડું ઘણું જગાએથી પ્રાપ્ત થયેલું ભોજન જ તેને માટે ગ્રાહ્ય હોય છે. તેવું ભોજન પણ તે ભૂખના ખાસ પ્રયોજનથી, પ્રમાણસર, ધરીને ઊંજવા તેલ જોઈએ કે ગુમડા ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, સંયમને નિર્વાહ થાય તેટલા પૂરતું, તથા સાપ જેમ દરમાં પેસે છે તેમ (મેંમાં સ્વાદ માટે ફેરવ્યા વિના) ખાય છે. ખાવાને સમયે ખાય છે, પીવાને સમયે પીવે છે, તથા બીજી પણ પહેરવા સૂવાની તમામ ક્રિયાઓ તે ભિક્ષુ યોગ્ય સમયે જ કરે છે.
વળી તે ભિક્ષુ પ્રથમથી એવી ઈચ્છા નથી રાખતો કે, મેં જે કાંઈ જોયું છે, સાંભળ્યું છે, ચિંતવ્યું છે કે જાણ્યું છે
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૨. પિોતાની નાતજાતને કે સગે કે સંપ્રદાયને જાણીને નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org