________________
પુંડરીક તેનાથી, અથવા મેં વિધિપૂર્વક આચરેલાં તપ, નિયમ કે બ્રહ્મચર્યથી, કે સંયમના નિર્વાહપૂરતું જ જીવન ગાળવારૂપી ધર્મથી હું આ દેહ છેડીને, સર્વ કામ અને ભેગે જેને સ્વાધીન છે એવો દેવ થાઉં, કે સર્વ પ્રકારનાં અનિષ્ટોથી રહિત સિદ્ધ થાઉં, કે આ લોકમાં જન્મ પામું કે ન પામું.
મર્યાદાના ભાનવાળે તે ભિક્ષુ ફરતો ફરતે જ્યાં ગયા હોય છે, ત્યાં ધર્મોપદેશ સ્વાભાવિક રીતે કરે છે. અને પ્રવજ્યા લેવા તૈયાર હોય કે ન હોય તે પણ સાંભળવાની ઇચ્છાવાળા બધાને શાંતિ, વિરતિ, નિર્વાણ, શૌચ, ઋજુતા, મૃદુતા, લઘુતા, તથા સર્વ જીવની, પ્રાણની, ભૂતની અને સવોની અહિંસારૂપી ધર્મ કહી સંભળાવે છે.
તે ભિક્ષુ અન્ન માટે, પાન માટે, વસ્ત્ર માટે, રહેઠાણ માટે, પથારી માટે કે બીજા વિવિધ કામો માટે ધર્મોપદેશ નથી આપત, પણ પોતાના પૂર્વ કર્મોને કારણે જ ગ્લાનિ પામ્યા વિના આપે છે.
એવા ગુણવાન ભિક્ષુ પાસે ધર્મ સાંભળીને તથા સમજીને, પરાક્રમી પુરુષ પ્રયત્નપૂર્વક તે ધર્મમાં પ્રવૃત્ત થાય છે; તથા તેમ કરીને સર્વ શુભ સાધનસંપત્તિથી યુક્ત થાય છે, સર્વ પાપસ્થાનોથી નિવૃત્ત થાય છે, વિરત થાય છે, તથા સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
આમ, ધર્મમાત્રના પ્રજનવાળે, ધર્મવિ, તથા પરાયણ કઈ ભિક્ષુ જ પવોમાં શ્રેષ્ઠ એવા તે શ્વેત
૧. આ ચારે શબ્દો સમાનાર્થ છે. પરંતુ ભેદ બતાવવા ટીકાકારો નીચેના અર્થ આપે છે : બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇદ્રિયવાળા તે પ્રાણ : વૃક્ષ વગેરે તે ભૂત : પાંચે ઈદ્રિયવાળા તે જીવઃ પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના છે તે સત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org