________________
નાલંદાને એક પ્રસંગ
૨૩૭ મર્યાદા ઘટાડતા જવારૂપી સામાયિક દેશાવકાશિક વ્રત લે છે. આમ તેઓ તે મર્યાદા બહારનાં બધાં પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરે છે. અને મર્યાદાની અંદર પણ જંગમ પ્રાણુઓની હિંસા ન કરવાનું વ્રત લે છે. તેઓ મર્યા બાદ તે મર્યાદામાં જ જે જંગમ પ્રાણીઓ હોય છે, તેમાં ફરી જન્મ પામે છે, અથવા તે મર્યાદામાંના સ્થાવર પ્રાણમાં જન્મ પામે છે, અથવા તે મર્યાદા બહારના સ્થાવરજંગમ પ્રાણામાં જન્મ પામે છે. વળી તે મર્યાદામાંના સ્થાવરજંગમ પ્રાણ પણ પિતાનું આયુષ્ય પૂરું થયે તે મર્યાદામાંના જ જંગમ પ્રાણ તરીકે જન્મે છે, અથવા તે મર્યાદામાંના સ્થાવર પ્રાણ તરીકે જ જન્મે છે, અથવા તે મર્યાદા બહારના સ્થાવર કે જંગમ પ્રાણ તરીકે જન્મે છે. તે જ પ્રમાણે તે મર્યાદા બહારના જે જંગમ કે સ્થાવર પ્રાણી હોય છે, તે પણ આયુષ્ય પૂરું થયે તે મર્યાદામાંના જંગમ પ્રાણ તરીકે જન્મે છે, કે તે મર્યાદામાંના સ્થાવર પ્રાણ તરીકે જન્મે છે, કે તે મર્યાદા બહારના સ્થાવર કે જંગમ પ્રાણ તરીકે જન્મે છે.
આમ, જ્યાં જુદા જુદા પ્રાણે પોતપોતાનાં જુદાં જુદાં કર્મો અનુસાર જુદી જુદી ગતિ પામ્યા જ કરે છે, ત્યાં કોઈ વખત એવું કેમ કરીને બને કે જ્યારે બધા જ એક સમાન જ ગતિ પામ્યા હોય? વળી જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા આયુષ્યવાળાં પણ હોય છે. એટલે તેઓ જુદે જુદે સમયે મરણ પામી જુદી જુદી ગતિ પ્રાપ્ત કરે છે. એટલે એવું પણ કદી ન બને કે બધાં પ્રાણીઓ એક સાથે જ મરણ પામી, એક સરખી ગતિ પ્રાપ્ત કરે કે જેથી કોઈને વ્રત, લેવાપણું કે હિંસા કરવાપણું જ ન રહે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org