________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ આમ ઉદકના સ્વભાવને અનુકૂળ લાંબો લાંબો જવાબ આપી પછી ભગવાન ગૌતમ તેને સલાહરૂપે કહેવા લાગ્યા કે, હે આયુષ્માન ઉદક, જે મનુષ્ય, પાપકર્મ ત્યાગવાને અર્થે જ્ઞાનદર્શનચારિત્ર પ્રાપ્ત કરીને પણ બીજા કોઈ શ્રમણબ્રાહ્મણની ખોટી નિંદા કરે છે, તે ભલેને પિતાને તેમને મિત્ર માનતે હોય, પણ પિતાને પરલોક બગાડે છે.
ત્યારબાદ પઢાલપુત્ર ઉદક, ભગવાન ગૌતમને નમસ્કાર વગેરે આદર કર્યા વિના જ પાછે પિતાને ઠેકાણે ચાલવા માંડ્યો. એટલે ગૌતમે તેને ફરીથી કહ્યું, હે આયુષ્યનું ! કઈ શિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણ પાસે ધર્મયુક્ત એક પણ આર્ય સુવાક્ય સાંભળવાનું કે શીખવાનું મળવાથી આપણને આપણી બુદ્ધિથી વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ ગક્ષેમના સ્થાને પહોંચાડ્યો, તો તે માણસે પેલા શ્રમણબ્રાહ્મણને આદર કરવો જોઈએ, પૂજ્યબુદ્ધિથી તેને નમસ્કાર કરવા જોઈએ, તેનું સંમાન કરવું જોઈએ, તથા કલ્યાણકારી મંગળમય દેવતાની જેમ અથવા દેવમંદિરની જેમ તેની ઉપાસના કરવી જોઈએ.
એટલે પેઢાલપુત્ર ઉદકે ભગવાન ગૌતમને કહ્યું :
આવા શબ્દો પૂર્વે મેં કદી જાણ્યા નહતા કે સાંભળ્યા નહોતા, તથા કેઈએ મને કહ્યા નહોતા. તેથી હું તે પ્રમાણે વર્યો નથી. પણ હે ભગવાન, હવે એ શબ્દો સાંભળીને મને તે શબ્દ ઉપર શ્રદ્ધા, વિશ્વાસ તથા રૂચિ પ્રાપ્ત થઈ છે. અને હું કબૂલ કરું છું કે, તમારું કહેવું બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org