________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ તે અંગ ગ્રંથોમાં વર્ણવેલ સિદ્ધાંતભાગ જૈન ધર્મના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાને ઉપદેશેલો ભલે હોય; પરંતુ એ ગ્રંથે પિતે મૂળી તે ભગવાન મહાવીરના ૧૧ પટ્ટશિષ્યો જેઓ “ગણધર' કહેવાતા, તેમાંના પાંચમા સુધર્મ સ્વામીએ રચ્યા છે એમ કહી શકાય. કારણ કે તેવી પરંપરા હોવા ઉપરાંત, તે ગ્રંથની રચના જ એવા પ્રકારની છે કે જાણે સુધર્મસ્વામીને તેમના શિષ્ય જંબુસ્વામીએ પ્રશ્ન પૂળ્યો હોય અને તેના જવાબમાં સુધર્મસ્વામી તે તે અંગ કે તેમાંના અધ્યયનને વિષય કહી સંભળાવતા હોય. પરંતુ જે અગિયાર અંગગ્રંથ અત્યારે ઉપલબ્ધ છે, તેમનું અત્યારનું સ્વરૂપ ક્યારે કેવી રીતે નિયત થયું તથા જૈન પરંપરામાં તે અંગગ્રંથના રચયિતા “ ગણાતા શ્રી સુધર્મસ્વામીનું શું સ્થાન હતું એ વગેરે બાબતો સમજવા માટે આપણે પ્રથમ જૈન સંઘ વિષે ડીક એતિહાસિક માહિતી મેળવી લેવી પડશે.
મહાવીર ભગવાને પિતાના જીવનકાળ દરમિયાન જ, પિતાના ચૌદ હજાર શ્રમણ (સાધુ) અનુયાયીઓને વ્યવસ્થિત તેમજ નિયંત્રિત કરવા જુદા જુદા ગણે – સમૂહે – માં વહેંચી નાખી, પિતાનાં ૧૧ પટ્ટશિષ્યોના નિયમન હેઠળ ગોઠવી દીધા હતા. તે અગિયાર શિષ્યો તે કારણથી “ગણધર” કહેવાતા. તે અગિયારમાં ગૌતમ દુભૂતિ મહાવીરના મુખ્ય શિષ્ય હતા ?
૧. તેમને વિષે વિશેષ હકીકત માટે જુઓ આ ગ્રંથ ખંડ ૨, અચ્ચ૦ ૭ ને અંતે ટિપ્પણ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org