________________
૧૨૮
મહાવીર સ્વામીને સંચમધર્મ ગભરાયા વિના, મન વાણું અને કાયાને (પાપકૃત્યેથી) સુરક્ષિત રાખી, સમાધિયુક્ત થવું; તથા તે પ્રકારે નિર્મળ ચિત્તવૃત્તિવાળા થઈને, પ્રસંગ પડયે પિતે આચરેલે તે ઉત્તમ ધર્મ બીજાને ભલી પ્રકારે સમજાવતા વિચરવું. [૧૧-૧૫]
જગતમાં કેટલાય જુદી જુદી માન્યતાવાળા લોકો ફરે છે. તેમાંના ઘણા નિષ્ક્રિય આત્માની તેમજ ક્રિયાવાદ કે અક્રિયાવાદની વાતો કરે છે અને મોક્ષને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ વિમુક્તિના કારણરૂપ સદ્ધર્મને જાણતા નથી. તેઓ અજરામર હોય તેમ, અજ્ઞાન અને મૂઢતાપૂર્વક, પાપથી જરા પણ બન્યા વિના, સગાંસંબંધીઓ અને ધનાદિની મમતામાં બંધાયેલા રહે છે, તથા રાતદિવસ બીજાનાં શરીરને દુઃખ થાય તેવી પ્રવૃત્તિઓ અસંયમીપણે કર્યા કરે છે. પરંતુ, બુદ્ધિમાન મનુષ્ય તો સદ્દધર્મને સમજી, વનનાં નાનાં પ્રાણીઓ સિંહથી દૂર રહે તેમ, પાપથી દૂર રહેવું. કારણ બધી પાપપ્રવૃત્તિઓમાં હિંસા અનિવાર્ય છે. અને હિંસામાંથી વેર બાંધનારાં અને મહા ભયવાળાં પાપ અચૂક બંધાય છે. પરિણામે, મનુષ્યની દુઃખમાંથી મુક્તિ થતી નથી. માટે ભિક્ષુએ તે જીવિતની કે મરણની પરવા કર્યા વિના કશા ફળની આકાંક્ષા રાખ્યા વિના, તથા શરીરની પણ મમતા છોડી દઈ, મતિમાન બ્રાહ્મણ મહાવીરે ઉપદેશેલા માર્ગને નિષ્કપટતાથી અનુસરી, એ પાપચક્રરૂપી દુસ્તર સંસારને તરી જવા પ્રયત્ન કરવો. [૧૬–૨૪]
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા. ૧. “પવિત્ર અને જ્ઞાની પુરુષ' એવા અર્થમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org