________________
૧૯૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તેઓ તેવાં બીજાં પણ જે કાઈ દેષયુક્ત કર્મો છે, તેમાંનાં કેટલાંકથી વિરત થયેલા હોય છે અને કેટલાંકથી વિરત થયેલા હોતા નથી.
જેમકે, કેટલાક શ્રમ પાસકે જીવ અને અજીવ ત સંબંધી સમજવાળા હોય છે, પાપ અને પુણ્યનો ભેદ જાણતા હોય છે, કર્મો કેમ કરીને આત્મામાં દાખલ થાય છે (આઢવ) અને તેમને કેમ કરીને આવતાં રોકી શકાય (સંવર), તેમનાં ફળ કેવાં હોય છે, તેમને કેમ કરીને નાશ કરી શકાય છે (નિર્જરા ), ક્રિયા કેને કહેવાય, તેનું અધિકરણ શું છે, બંધ કોને કહેવાય તથા મોક્ષ કોને કહેવાય – એ બધું જાણતા હોય છે. બીજી કોઈની મદદ ન હોવા છતાં પણ દેવ, અસુર, રાક્ષસ કે કિનર વગેરે પણ તેમને તે સિદ્ધાંતમાંથી ચલિત કરી શકતા નથી. તેમને જૈન સિદ્ધાંતમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા રહ્યાં હતાં નથી. તેઓએ જૈન સિદ્ધાંતનો અર્થ જાણીપૂછીને નિશ્ચિત કરેલો હોય છે. તેમને તે સિદ્ધાંતમાં, હાડકાં અને મજજા જેવો પ્રેમ અને અનુરાગ હોય છે. તેમને ખાતરી હોય છે કે, “આ જેના સિદ્ધાંત જ અર્થ તથા પરમાર્થરૂપ છે, અને બીજા બધા અનર્થરૂપ છે.” તેમ ઘરના આંગળા હંમેશાં ઊંચા રાખેલા હોય છે. તેમનાં કમાડ હંમેશાં અભ્યાગતો માટે
૧. એટલે કે શ્રમણના ઉપાસકો. જેઓ ગૃહસંસાર ત્યાગી, શ્રમણું થવા તૈયાર નથી, પરંતુ પોતાનાથી બને તેટલાં શ્રમણનાં વ્રત પાળે છે તેવા ગૃહસ્થો.
૨.' મનની ડામાડોળ સ્થિતિ તે શંકા; ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી અને ઘડીકમાં બીજી ધારણ કરવી તે કક્ષા; અને વ્રત નિયમનું ફળ મળશે કે નહીં એ સંશય તે વિચિકિત્સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org