SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તેર ક્વિાસ્થાને ૧૫ ખુલ્લાં હોય છે. તેમનામાં પારકાના ઘરમાં કે અંતઃપુરમાં પેસવાની કામના હેતી નથી. તેઓ ચૌદશ, આઠમ, અમાવાસ્યા તથા પૂનમ ઉપર પરિપૂર્ણ પોષધવ્રત વિધિસર પાળે છે. નિગ્રંથ શ્રમણને તેઓ નિર્દોષ અને સ્વીકારવા યોગ્ય ખાન-પાન, મે–મુખવાસ, વસ્ત્ર–પાત્ર, કંબળ, રજોયણું, ઓસડસડ, બેસવા-સૂવાનાં પાટિયાં, શય્યા અને રહેઠાણ વગેરે પૂરાં પાડે છે. આમ, તેઓ ઘણું શીલવત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાનવત", પિષધપવાસ વગેરે તપકર્મો દ્વારા આત્માને વાસિત કરતા વિહરે છે. આ પ્રકારની ચર્યા પ્રમાણે લાંબો વખત અનુસરતાં અનુસરતાં જ્યારે તે શ્રમણોપાસકનું શરીર રોગ, વૃદ્ધાવસ્થા ૧. એ વ્રતને દિવસે શ્રાવક ઉપવાસ કરે છે, સ્નાનવિલેપન વગેરે શારીરિક સંસ્કારનો ત્યાગ કરે છે, દાભ કે કાષ્ઠની પથારીએ રહીને તથા વીરાસન વગેરે આસને બેસી ધર્મનું ચિંતન કરે છે, અને નિંદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. મૂળ : ૩પવાથ (૩૫ ) તેમાં ઉપાસના અને ઉપવાસનો ભાવ સ્પષ્ટ છે. એટલા વખત પૂરતો તે સાધુજીવન તથા તેનાં વ્રત પાળે છે. ૨. એટલે કે સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચૌર્ય, સ્કૂલ અબ્રહ્મચર્ય અને સ્થૂલ અપરિગ્રહને ત્યાગ. * ૩. એટલે કે નીચેનાં ત્રણ કે દરેક દિશામાં અમુક જ પ્રદેશ સુધી જવાના નિયમરૂપી દિગ્ગત; ઉપગ પરિભાગ (ની વસ્તુઓની સંખ્યા પ્રકાર વગેરે) પરિમાણુ (નક્કી તથા સંકુચિત કરવારૂપી) વ્રત; તથા કેઈનું અશુભ તાકવું બીજને હિંસામાં ઉતારવા અથવા હિંસાયુક્ત દ્રવ્યોને વેપાર ત્યાગવારૂપી અનર્થદંડત્યાગવત. ૪. એટલે કે, અમુક યિા કે પ્રવૃત્તિથી વિરમવાનું વ્રત. ૫. એટલે કે, અમુક જાતના ત્યાગનો નિયમ. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy