________________
• ઉધાત
આમ વિવિધ રીતે મનુષ્યજીવનને લગતા અંતિમ પ્રશ્નો છેડાવા શરૂ થવા, અને તે પ્રશ્નોનું નિરાકરણ જૂનાં શાસ્ત્રો કે વિધિઓમાં શોધવાને બદલે સ્વપ્રયને આત્મચિંતન અને અધ્યાત્મગથી ખોળવાનું છે એ ભાવ પેદા થવો, એ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ અત્યંત આવશ્યક હોવા છતાં, તેમાં તત્ત્વજ્ઞાન તેમજ આચાર બંનેને માટે ભારે જોખમે રહેલાં છે એ સહેજે સમજી શકાય તેવું છે. કારણ કે યજ્ઞકાંડના વિધિઓની બાબતમાં તે જે ફળ માટે તે કરવામાં આવતા, તે ફળ જે ઐહિક હોય તે તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિરૂપી પ્રત્યક્ષ પુરાવો નજર સામે રહેતે. એટલે ગમે તેવી ઉટાંગ કલ્પના તે બાબતમાં ન ચાલી શકે. તે જ પ્રમાણે શ્રદ્ધાથી અમુક પ્રાચીન ગ્રંથને જ અનુસરવાનું હોય, ત્યાં જે કે તે કઈ પ્રત્યક્ષ પુરાવો મળ શક્ય ન હોય, તે પણ, તે ગ્રંથે પોતાના જેવા માણસોથી સૈકાઓથી તપાસતા આવ્યા છે એવું સમાધાન રહેતું. પરંતુ આત્મજ્ઞાન એવી વસ્તુ છે કે, તેને એ કાઈ ખાસ બાહ્ય પુરાવો ન મળી શકે. કારણ જ્ઞાનીઓ પોતે જ તેને મન અને વાણીથી પર ઠરાવે છે. એટલે અમુક માણસે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નહિ તેની કસોટી સામાન્ય માણસ માટે એટલી જ રહેતી કે, તે માણસ સંન્યાસી છે, આત્મચિંતનને આવશ્યક એવા કઠોર તપશ્ચર્યા કરતો આવ્યો છે તથા તેના પુષ્કળ અનુયાયીઓ છે. એટલે પરિણામે, ગમે તેવા બિનજવાબદાર કે ધૂર્ત લેકે માટે ગમે તેવા સિદ્ધાંત અને ગમે તેવા પશે સ્થાપવાનો માર્ગ ખુલ્લો થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org