________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ ગયો. તમારે છેક છેલ્લી કેટીને સુખવાદ જ ઉપદેશ હોય, તે પણ તમે સંન્યાસી થાઓ અને શરૂઆતમાં અમુક આકરી તપશ્ચર્યાઓ કરી બતાવે એટલે અનુયાયીઓ આવી જ મળવાના, અને એક વાર પ્રતિષ્ઠિત થયા પછી અનુયાયીઓએ શ્રદ્ધાપૂર્વક આપેલા કામભાગે સ્વીકારવામાં અથવા તે જાતે જ તેમને તેમ કરવાનું કહેવામાં વાંધો નહિ. કારણ જ્ઞાનીને પાપપુણ્યનો લેપ લાગે નહિ ! ઊલટું અંદર પ્રજવળતા જ્ઞાનને પ્રત્યક્ષ પુરાવો જ એ કહેવાય કે, ગમે તેવા ભૌતિક પદાર્થો અને વિષય ભોગવવા છતાં તમારા જ્ઞાનને બાધ આવતો નથી !
ઉપનિષદોમાં પોતામાં જ છેવટના ભાગમાં (તા. ૧) આવા વિવિધ ભ્રામક વાદોની નોંધ લેવાઈ છે અને કઠોપનિષદ વગેરેએ તેવા વાદીઓ અને તેમના અનુયાયીઓની આંધળા વડે ઘેરાતા આંધળાઓ” કહીને સખત ઝાટકણી કાઢી છે. પરંતુ તે બૂમ હવે કશી કામ આવી શકે તેમ હતી નહિ. જે થવાનું હતું તે થઈ ચૂકયું હતું.
દુર્ભાગ્યે, એ સમયના એ બધા વાદેના કોઈ ખાસ અગત્યના કે સ્વતંત્ર ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. માત્ર તત્કાલીન સાહિત્યમાં વિરોધદષ્ટિએ જે છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે, તે ઉપરથી જ આપણને તેમને વિષે માહિતી મળે છે. તેમની ઉપર ઉપલક દષ્ટિ નાખી જનારને પણ જણાયા વિના નહિ રહે કે, જે હંમેશા માટે લુપ્ત થયું છે, તે ધાર્મિક તેમજ સામાજિક ઇતિહાસકારને માટે કેટલું અગત્યનું હતું. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org