________________
મહાવીરસ્વામીનો સંયમ ધર્મ કરે છે. આમ તે અનાર્યો એકે પાર પહોંચવાને બદલે અધવચ જ કામભોગમાં ડૂબી મરે છે. આમ નિયતિને સર્વનું કારણ માનનારા ચોથા પુરુષનું વર્ણન પૂરું થયું.
આમ જુદી જુદી બુદ્ધિ, રુચિ તથા પ્રકૃતિવાળા તે લેક ઘરબાર છેડીને પણ આ માર્ગને ન પામી, અધવચ જ કામ ભાગોમાં ખૂંપી જાય છે. [૨]
પરંતુ જગતમાં કેટલાક વિચક્ષણ પુરુષો એવા હોય છે કે, જેઓ વિવિચારથી જગતના પદાર્થો અને ભોગોનું સ્વરૂપ સમજી લે છે. તેઓ જુએ છે કે, લોકે ખેતર, ઘર, ધન, સંપત્તિ, મણિમાણેક વગેરે પદાર્થો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયોને અને કામભોગોને પિતાના માને છે અને પોતાને તેમના માને છે. પરંતુ ખરું જોતાં તે પદાર્થોને પિતાના કહી શકાય નહીં. કારણકે, જ્યારે રોગ, શોક વગેરે પોતે નહિ ઈચ્છેલા, પિતાને નહીં ગમતા. તથા દુઃખપૂર્ણ પ્રસંગે આવે ત્યારે કઈ પિતાને કામભોગોને કહેવા જાય કે, “હે કામભોગે ! આ દુઃખપૂર્ણ વ્યાધિ વગેરે તમે લઈ લે, કારણ કે હું ઘણે દુઃખી થાઉં છું,' તે જગતના તમામ કામભોગો તેનું તે દુ:ખ કે વ્યાધિ લઈ શકવાના નથી. વળી, કોઈ વખત માણસને પોતાને જ તેમને છોડીને ચાલ્યા જવું પડે છે, તો કોઈ વેળા તે કામોગા જ તેને છોડીને ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે પ્રિયમાં પ્રિય લાગતા કામગ પણ આપણું નથી અને આપણે તેમના નથી. તો પછી તેમનામાં શા માટે આટલી બધી મમતા રાખવી ? આમ વિચારી, તેઓ તેમનો ત્યાગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org