________________
પુંડરીક અધવચ જ કામગોમાં ખૂંપી જાય છે. આમ ઈશ્વરને સર્વનું કારણ માનનારા ત્રીજા પુરુષનું વર્ણન પૂરું
[૧૧]
હવે નિયતિને સર્વનું કારણ માનનારે ચૂંથો પુરુષ આવે છે. તે કહે છે : આ જગતમાં બે પ્રકારના માણસો હોય છે. એક ક્રિયાને માને છે અને બીજા અક્રિયામાં માને છે. તેઓ બંને એક જ સમાન વસ્તુનું કારણ ભિન્ન ભિન્ન સમજતા હોય છે. તેમાં જે મૂર્ખ હોય છે, તે આવું કારણ સમજે છે: “ હું દુઃખી થાઉં છું, શોક પામું છું, મૂરું છું, પિટાઉ છું અને પરિતાપ પામું છું... એ બધું મારાં કરેલાંનું ફળ છે. તે જ પ્રમાણે બીજો કોઈ પણ જ્યારે દુઃખી થાય છે અને શોક પામે છે, ત્યારે તે પણ તેનાં કરેલાંનું ફળ છે.” તે મૂર્ખ માણસ પિતાના અથવા બીજાના દુઃખનું કારણ આમ સમજે છે. પરંતુ બુદ્ધિશાળી મનુષ્ય તેનું કારણ આ પ્રમાણે સમજે છે : “ હું જે દુઃખ શોક કે પરિતાપ વગેરે પામું છું, તે બધું મારાં કરેલાંનું ફળ નથી. તે જ પ્રમાણે બીજે પણ જ્યારે દુઃખ શોકાદિ પામે છે, ત્યારે તે બધું તેનાં કરેલાંનું ફળ હોતું નથી; એ બધું નિયતિ – બનવાકાળ – પ્રમાણે બન્યા કરે છે. આ બધા જે સ્થાવર-જંગમ પ્રાણ છે, તે નિયતિને કારણે જ શરીરસંબંધ પામે છે તથા બાલ્ય–યૌવન તેમજ કાણાપણું, લંગડાપણું, રોગ, શોક વગેરે અવસ્થાએ ભોગવે છે; તથા તે જ પ્રમાણે નિયતિને કારણે જ શરીરથી પાછા વિખૂટા પડે છે. આ બધું નિયતિથી થયેલું છે એમ માની, તેઓ ક્રિયા–અક્રિયા સુકૃત–દુષ્કત વગેરે કાંઈ માનતા નથી. અને
થી, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કામભાગે ભગવ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org