________________
પુંડરીક
૧૬૫ વળી ઉપરના પદાર્થો તો બહિરગ છે. પણ નીચેની વસ્તુઓ તો તેથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે માતા, પિતા, સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પૌત્ર, પુત્રવધૂઓ મિત્રો, કુટુંબીઓ, તથા ઓળખીતાઓ. માણસ એમ માને છે કે, તે બધા પોતાના સંબંધીઓ છે અને પોતે પણ તેમને છે. પરંતુ, જ્યારે રેગવ્યાધિ વગેરે દુઃખ આવી પડે છે, ત્યારે બીજાનું દુઃખ બીજે લઈ શકતા નથી અને બીજાનું કરેલું બીજે જોગવી શકતું નથી. માણસ એકલા જ જન્મે છે એકલો જ મરે છે અને એકલો જ બીજી એનિઓમાં જાય છે. દરેકના રાગદેષ તથા દરેકનું જ્ઞાન, ચિંતન અને વેદના સ્વતંત્ર હોય છે. વળી કેઈ વખત માણસને જ તેમને છોડી ચાલ્યા જવું પડે છે, તો કઈ વખત તે સંબંધીઓ જ તેને છોડી ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે નિકટ ગણાતા સંબંધીઓ પણ આપણાથી ભિન્ન છે અને આપણે તેમનાથી ભિન્ન છીએ. તે પછી તેમની અંદર શા માટે મમતા રાખવી? આમ વિચારી, તેઓ તેમને ત્યાગ
વળી નીચેની વસ્તુઓ સગાંસંબંધીઓથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે, “મારા પગ, મારા હાથ, મારા સાથળ, મારું પેટ, મારું શીલ, મારું બળ, મારે વર્ણ, મારી કાંતિ” વગેરે. મનુષ્યો તે બધાંને પિતાનાં જ ગણી તેમના પ્રત્યે મમતા કરે છે. પરંતુ ઉમર જતાં તે બધાં, આપણને ન ગમતું હોય છતાં, જીર્ણ થઈ જાય છે; મજબૂત સાંધાઓ ઢીલા પડી જાય છે; કેશ ધોળા થઈ જાય છે; અને ગમે તેટલા સુંદર વર્ણ તથા અવયવોવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org