________________
૧૬૬ મહાવીરસ્વામીને સંચમધમ તથા વિવિધ આહારાદિથી પિલું શરીર પણ વખત જતાં છોડી દેવા જેવું ધુણાજનક થઈ જાય છે.
આવું જોઈએ તે વિચક્ષણ પુરુષે તે બધા પદાર્થોની આસકિત છોડી, ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે. કેટલાક પોતાનાં સગાંસંબંધી તેમજ માલમિલકત છોડીને ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે, તો બીજા કેટલાક જેમને પોતાનાં સગાંસંબંધી કે મિલકત નથી હોતાં, તેઓ તેમની આકાંક્ષા છોડીને ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે. [૧૩] .
પછી સદ્દગુરુનું શરણ સ્વીકારી, સદ્ધર્મનું જ્ઞાન પામેલે તે ભિક્ષુ જોઈ શકે છે કે, આ જગત સ્થાવર અને જંગમ એ બે પ્રકારે વિભકત થયેલું છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં (ત્રીસ) પ્રાણીઓ એમ છ પ્રકારના જીવોના વર્ગો પોતપોતાનાં કર્મ અનુસાર આવી રહ્યા છે. એ છ વર્ગો જ એકબીજામાં આસક્તિથી, પરિગ્રહથી તથા પરિણામે થતાં હિંસાદિથી કર્મબંધનનાં નિમિત્ત બને છે. પરંતુ, જેમ મને કઈ લાકડી વગેરેથી મારે અથવા પીટે અથવા કોઈ મારો તિરસ્કાર કરે ક બીજી રીતે મને રિબાવે અથવા મારી નાખે – અરે માત્ર મારા વાળ ઉખાડે, તે પણ મને દુઃખ થાય છે, તેમજ બધા જીવોને પણ થાય છે. માટે, કોઈ પણ જીવની હિંસા ન કરવી, તેમજ કોઈ પણ પ્રાણીને મારવું નહીં, રિબાવવું નહીં, બળાત્કારથી તેની પાસે કામ કરાવવું નહીં કે તે ઈચ્છાથી તેને પાળવું નહીં. જે કોઈ અરિહંત ભગવાન થઈ ગયા છે. હાલમાં છે કે ભવિષ્યમાં થશે, તે બધા
(1) જુઓ પાન ૧૩૩ ઉપર ટિપ્પણ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org