________________
આદ્રકકુમાર
૨૭ વળી, જે હંમેશાં બબ્બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે છે, તેને ભારે અસંયમી કહેવું જોઈએ. લેહીથી ખરડાયેલા હાથવાળો તે પુરુષ આ લેકમાં જ તિરસ્કારને પાત્ર છે. તેને પરલોકમાં ઉત્તમ ગતિ શાની હોય ? [૩૬] .
જે વાણીથી પાપને ઉત્તેજન મળે છે, તે વાણી કદી ન બલવી. તેવી તત્ત્વ વિનાની વાણી ગુણોથી રહિત છે. તેમાંય દીક્ષિત કહેવાતા ભિક્ષુએ છે તેવું કદી ન બોલવું. [૩૩]
પરંતુ તમે લેકે તે વસ્તુના રહસ્યનો પાર પામી ગયા છે ! અને પ્રાણુઓના કર્મનું ફળ પણ તમે વિચારી લીધું છે! પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધીનું આખું વિશ્વ તમને હથેળીમાં જ દેખાય છે ! [૩૪]
વેદવાદી દ્વીજ જે હંમેશાં બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જમાડે છે, તે પુણ્યનો રાશિ પ્રાપ્ત કરી દેવ બને છે, એવું વેદવાક્ય છે. [૪૩]
આદ્રક બિલાડીની પેઠે ઘેર ઘેર ખાવાની કામનાથી ભટકનારા બે હજાર સ્નાતકને જે જમાડે, તે નરકવાસી થઈ ફાડી ખાવા તાપી રહેલાં પ્રાણીઓથી ભરેલા નરકને પામે છે; દેવલોકને નહીં, દયાધર્મનો ત્યાગ કરી, હિંસાધર્મ સ્વીકારનારે મનુષ્ય શીલ વિનાના એક પણ બ્રાહ્મણને જમાડે, તે તે એક નરકમાંથી બીજા નરકમાં ભટક્યા કરે છે. તેને દેવગતિ કેમ કરીને હેય ? [૪૪-૪૫].
વેદાંતી આપણે બંને એક જ - સમાન – ધર્મને અનુસરીએ છીએ, પૂર્વે અનુસર્યા છીએ અને ભવિષ્યમાં પણ અનુસરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org