________________
૧૦૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ
“ ત્યાંના નરક-દે “મારે, કાપે, ચરે, બાળા ” એવી ગર્જનાઓ કરતા હોય છે. બિચારા નરકગામીઓ, આ સાંભળતાં ભયથી બેબાકળા બની, કયાંક નાસવા ચાહે છે; પણ તેમને માય મળતો નથી, અને અવશ બની ત્યાંના તાપથી દાઝતા ને ચીસો પાડતા, ત્યાં જ લાંબા કાળ સુધી બળ્યા કરે છે. [૬–૭]
હે વત્સ! અસહ્ય દુઃખકારક એવી નરકની વૈતરણું નદી વિષે તે સાંભળ્યું છે? અન્નાની ધાર જેવા કારી નીરવાળી એ નદી પાર કરવા આ નરકગામીઓને ત્યાંના દૂતો ભાલા ને બાણે ભેંકી ભોંકીને ધકેલે છે; અને ક્યાંક રાહત મેળવવા વચ્ચે ભે, તે તેમને શૂળ ને ત્રિશૂળથી પાછા ગેદાવે છે. [૮–૯]
અને આ વૈતરણી જેવાં દુ:ખદરિયાનાં તે અનેક સ્થાને ત્યાં પડેલાં છે. દુગન્ધ, તાપ, અગ્નિ, અંધકાર અને અનેકવિધ શસ્ત્રાને માર – આવાં નર્યા રિબાવવાનાં જ સાધનથી ભરપૂર એવાં એ સ્થાને માં આ જીવોને રિબાવ્યા જ કરવામાં આવે છે. કેઈ નગરની કતલ ચાલતી હોય તેમ, ત્યાંથી સતત અતિશય દુઃખી ચીસ સંભળાયા જ કરે છે. નરક–દેવ પાપીઓને તેમનાં કર્યાં પાપ યાદ દઈ દઈને માર્યો જાય છે. અને બિચારા જીવોને એ માર અને એ ત્રાસસામગ્રીમાં નિરંતર જાતે ને એકલા જ સડવું પડે છે; કોઈ તેમને ત્યાં બચાવી પણ શકતું નથી. અનેક પાપે એકઠાં
૧. મૂળમાં આ દેવો માટે પરમ અધાર્મિક, અસાધુકર્મ, રકમ, વગેરે શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org