________________
પાપનું ફળ કરનારા એ અનાર્યોને, પિતાની બધી ઈષ્ટ અને પ્રિય વસ્તુઓથી વિખૂટા પડી, આવાં અત્યંત દુર્ગધયુક્ત, ભીડથી સબડતાં, ચીતરી ચડે એવાં ને માંસપરુથી અસહ્ય એવાં નરકસ્થાનમાં લાંબો કાળ કાઢવો પડે છે. અને પૂર્વના વૈરી હેય એમ, પિલા નરક-દે ક્રોધ કરી કરીને એમનાં શરીર પર શસ્ત્રાસ્ત્રનો મારો ચલાવ્યે જાય છે. હે આયુષ્યમાન ! એવું વિકરાળ ત્રાસસ્થાન આ નરક છે. પૂર્વે જેવું કર્યું હોય, તેવું પરલોકમાં સાથે આવે છે. પાપીઓને ભાગ આવાં નરકમાં સડવાનું હોય છે.
હે આયુષ્માન ! બુદ્ધિમાન મનુષ્ય આ જાણીન, સમસ્ત વિશ્વમાં કોઈની હિંસા નહિ કરે; પણ સંસારને વશ ન થતાં, સર્વ પ્રકારે પરિગ્રહબુદ્ધિ છેડીને, સાચા સિદ્ધાંતનું શરણ લઈ, પરમ બોધને પામશે. પશુ, પક્ષી, દેવ, મનુષ્ય બધાં આ કર્મફળના ચક્રમાં રહેલાં છે, એ જાણીને, મતિમાન મનુષ્ય, મરણ પર્યત સંયમધર્મ આચરવાનો બોધ લેવો.”
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org