________________
પુંડરીક
૧૫૭ તે સમજી ગયો કે આ લેક પિતાને જાણકાર તથા કુશળ માની, આ કમળ લેવા જતાં તળાવના કાદવમાં કળી ગયા છે. પરંતુ આ કમળ એ રીતે લેવા ન જવું જોઈએ. એમ વિચારી, તેણે કિનારા ઉપર ઊભા ઊભા જ બૂમ પાડી : “હે શ્વેત કમળ ! અહીં ઊડી આવ.' એટલે પેલું શ્વેત કમળ ઊડીને તેની પાસે આવી પડયું ! [૬]
ભગવાન મહાવીરે કહેલી આ કથાનું તાત્પર્ય કોઈ સાધુ કે સાધ્વી ન સમજી શકવાથી, તેમણે પિતે જ તેનું રહસ્ય આ પ્રમાણે કહી સંભળાવ્યું:
આ રૂપકમાં પુષ્કરિણી એ સંસાર છે, તેનું પાણી તે કર્મો અને કાદવ તે કામભોગે. છેત કમળો. તે જનસમુદાય,
અને શ્રેષ્ઠ કમળ તે રાજા. જુદા જુદા વાદીઓ (મતપ્રચારકે) તે પિલા ચાર પુરુષપેલો ભિક્ષુ તે બીજે કાઈ નહિ પણ સદ્ધર્મ. કિનારો એટલે સંધ. ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ અને કમળનું ઊડી આવવું તે નિર્વાણ પ્રાપ્તિ. એટલે કે સદ્ધર્મ સિવાય બીજું કોઈ સંસારમાંથી નિર્વાણ અપાવી ન શકે. જે બધા વાદીઓ પિતે જ કર્મો અને કામગોમાં બંધાયેલા હોય છે, તે બીજાને નિર્વાણ અપાવતા પહેલાં પિતે જ સંસારમાં ડૂબી મરે છે. [૭-૮] - આ સંસારમાં જુદી જુદી દિશાઓમાં સર્વત્ર અનેક મનુષ્ય પોતપોતાનાં કર્મ અનુસાર ઊંચનીચ જાતિ કે ગેત્રમાં ઓછીવત્તી વિભૂતિ સાથે જમ્યાં હોય છે. તે બધાંમાં સૌથી વધારે રૂપ, ગુણ, બળ અને વૈભવયુક્ત એ એક રાજા હોય છે. તે પિતાની પ્રજાનું આંતર બાહ્ય સર્વ શત્રુઓથી રક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org