________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ જાણકાર, કાળ, પંડિત, વિવેકી, બુદ્ધિમાન, પાકી ઉમરનો, માગે રહેનાર, તથા માર્ગ તેમજ માર્ગની આંટીઘૂંટી જાણનારે માણસ છું. માટે હું કમળમાં શ્રેષ્ઠ એવા આ શ્વેત કમળને લઈ આવું.'
આમ વિચારી તે માણસ પુષ્કરિણીમાં ઊતર્યો. પણ તે જેમ જેમ પુષ્કરિણીમાં ઊતરવા લાગે, તેમ તેમ પાણી અને કાદવ વધતાં ચાલ્યાં. આમ તે કિનારાથી ઘણે દૂર નીકળી ગયો, પણ તકમળ સુધી પહોંચી શક્યો નહીં. પછી તે તે ન પાછો આવી શકે તેમ રહ્યું, કે ન સામે પાર નીકળી શકે તેમ રહ્યું. આમ પુષ્કરિણીની અધવચ જ તે પ્રથમ પુરુષ કાદવમાં કળી ગયે. [૨]
પછી દક્ષિણ દિશામાંથી એક બીજો પુરુષ આવ્યું. તેણે પિલું કમળ તેમજ તેને લેવા જતાં અધવચ કળી ગયેલે પેલે પુરુષ જે. પછી તેના કરતાં પિતાને વધુ જાણકાર અને અનુભવી માની, તે પુરુષ પણ તે કમળ લેવા અંદર ઊતર્યો અને પ્રથમ પુરુષની માફક જ અધવચ કળી ગયો. [૩].
તે જ પ્રમાણે પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુની અને ઉત્તર દિશામાંથી આવેલા ચોથા પુરુષની પણ વલે થઈ. [૪–૫]
ત્યારબાદ રાગદ્વેષથી રહિત, (સંસારને) સામે પાર પહોંચવાની કામનાવાળા, જાણકાર, કુશળ...એ કેાઈ એક ભિક્ષુ એકાદ દિશામાંથી કે ખૂણામાંથી ત્યાં આવી ચડ્યો. તેણે તે કમળને તથા કળી ગયેલા પિલા ચારે પુરુષોને જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org