________________
૧૫૮
મહાવીર સ્વામીને સંયમ ધર્મ કરી, પ્રજાનું બધી રીતે પાલન કરતે હોય છે. તેની સુખ્યાતિ -સાંભળી, જુદા જુદા પંથના શ્રમણબ્રાહ્મણો, તેને આપણા મતમાં લાવીશું તે તેની સમસ્ત પ્રજા પણ આપણું મતમાં આવશે અને પછી આપણને સુખસામગ્રીની મણું નહિ રહે એમ માની, તેને પિતાના પંથમાં લાવવા તેની પાસે જાય છે અને તેને જઈને કહે છે કે, અમે અમુક ધર્મ સારી રીતે સમજાવી તથા શીખવી શકીએ તેમ છીએ. અમારે તે ધર્મ આ પ્રમાણે છે :
પગના તળિયાથી ઊંચે, માથાના વાળના મૂળિયાથી નીચે, તથા આજુબાજુ ચામડીની સપાટી સુધીનું જે શરીર એ જ જીવ છે. શરીર ટકી રહે છે ત્યાં સુધી તે ટકી રહે છે અને શરીર મરણું પામતાં તેને પણ નાશ થાય છે. પછી તેને બાળી નાખવા લેકે લઈ જાય છે. અગ્નિથી તે શરીર બળી જાય છે ત્યારે ભૂખરા રંગનાં હાડકાંઓ પડી રહે છે. ફક્ત
૧. મૂળમાં રાજાના વર્ણનમાં વાપરેલાં નીચેનાં કેટલાંક વિશેષણ જેવા જેવાં છેમાતાપિતાથી સારી રીતે જન્મેલે અને ઊછરેલું હોય છે. બીજાઓ માટે મર્યાદા નક્કી કરનાર તથા પિતે મર્યાદાનું ધારણ કરનાર હોય છે; બીજાનું ક્ષેમ કરનાર તથા ધારણ કરનાર હોય છે; જનપદને પિતા, પુરોહિત, સેતુ અને કેતુ હોય છે; ધન મેળવવામાં અને તેનો પ્રયોગ કરવામાં કુશળ, બળવાન, દુબળોનો રક્ષક તથા વિરોધીઓ અને શત્રુઓને નિમૂળ કરનારો હેય છે. તેણે દુકાળ, મહામારી તથા બીજા રોગોના ભયથી પ્રજાને મુક્ત કરી હોય છે. તે રાજાની પરિષદ પણ ભોગવંશીય, ઐક્વાકુવંશીય, જ્ઞાતૃવંશીય, કૌરવવંશીય, લિચ્છવીવંશીય, ઉગ્રવંશીય, ક્ષત્રિય તથા બ્રાહ્મણે અમાત્યો અને સેનાપતિઓની બનેલી હોય છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org