________________
મહાવીર સ્વામીને સંયમ ધર્મ માર્ગ પામીને, મેક્ષની ઈચ્છાયુક્ત થઈ, સર્વ સ્થાવરજંગમાં પ્રાણીઓ પ્રત્યે અપ્રમાદી તથા મનમાં પણ બુદ્ધિરહિત બને છે, તથા તપ અને મૌન આચરી, મોક્ષ પામે છે. [૧]
ગુરુ પાસેથી ધર્મને બરાબર સમજીને, તેનું રહસ્ય પામ્યા બાદ, તથા તેને પરિપૂર્ણ રીતે સમજાવી શકે તેવા થઈને શિષ્ય બીજાને ઉપદેશ આપવા જવું; તથા સારાખોટાને વિવેક કરી, ગુરુએ કહેલાની મર્યાદા ન ઓળંગાય એ રીતે ઉપદેશ આપવો. એ મોક્ષમાર્ગ કેવી રીતે ઉપદેશો એ જે જાણે છે, તેવા શ્રદ્ધાળુને હાથે સિદ્ધાંતને આંચ આવતી નથી. [૨૪-૨૫).
જે સત્યને ચેરત નથી કે છુપાવત નથી, અલ્પ અર્થવાળી વસ્તુને આડંબરથી મટી કરતું નથી, તથા સૂત્ર કે તેના અર્થની બનાવટ કરતો નથી, તે માણસ સિદ્ધાંતનો સાચો રક્ષક છે. ગુરુ પ્રત્યે ભકિતવાળે તે શિષ્ય, ગુરુના કહેલાને વિચાર કરીને, સાંભળેલી વસ્તુ બરાબર કહી સંભળાવે છે. [૨૬,૨૩]
જે શાસ્ત્રોને શુદ્ધ રીતે સમજે છે, જે તપસ્વી છે, જે ધર્મને વિગતવાર જાણે છે, જેનું કહેવું પ્રામાણિક છે, જે કુશળ છે તથા વિવેકયુક્ત છે, તે મોક્ષમાર્ગ ઉપદેશવાને યોગ્ય છે. ધર્મને સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરીને જેઓ ઉપદેશ આપે છે, તે બુદ્ધ પુરુષો સંસારને અંત કરાવી શકે છે. પિતાની તેમજ બીજાની મુક્તિ સાધનારે તેઓ જુગજૂના પ્રશ્નોને નિડે આપી શકે છે. [૨૭, ૧૮]
જ્ઞાની પુરુષ જ્ઞાનના બદલામાં માનઆબરૂની કે આજીવિકાની કામના ન કરે. તે સત્યને છુપાવે નહીં કે તેને લેપ કરે નહીં; અનર્થકારક ધર્મ ના ઉપદેશે; બેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org