________________
જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ૧૪૫ સિદ્ધાંતની પણ તુચ્છકારપૂર્વક ઠેકડી ન કરે; સાચું પણ કર્કશ ન બોલે તથા પિતાની બડાઈ ન કરે. પિતાને અમુક બાબતમાં શંકા ન હોય છતાં તે બાબતમાં પણ તે દુરાગ્રહી ન થાય અને સ્વાસ્વાદનું અનુસરણ કરે. પ્રજ્ઞાવાન પુરુષે સમતાપૂર્વક દરેક બાબતમાં “આ અમુક દષ્ટિએ આમ પણ છે અને અમુક દૃષ્ટિએ આમ પણ છે” એમ બેવડી વાણી બોલવી. [૧૯-૨૨]
પિતે ઉપદેશેલું શિષ્ય કદાચ ઊંધું સમજે, તોપણ તેને શાંતિથી અને કર્કશ ભાષા વાપર્યા વિના તે વસ્તુ ફરી સમજાવવી, પરંતુ કદી અપશબ્દથી તેને તિરસ્કાર ન કરવો. [૨૩]
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
૧. મૂળ : વિભજ્યવાદ. સ્યાદ્વાદના અર્થ માટે ઉદ્દઘાતમાં સંજયબેલીપુત્તવાળે વિભાગ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org