SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ૧૪૩ પિતાને કઠેર શબ્દો કહેવામાં આવે તો પણ, શિષ્ય ગુરુ પ્રત્યે દ્વેષયુક્ત ન થવું. પરંતુ, નિદ્રા કે પ્રમાદ સેવ્યા વિના, ગમે તેમ કરી પોતાના સંશય ટાળવા. નાને, મોટા, તેની ઉપરની કેટીન કે સમાન ઉંમરને જે કોઈ તેને શિખવાડતો હોય, તેને તેણે સ્થિરતાથી આદરપૂર્વક સાંભળો. એટલું તો શું, પણ પિોતે ભૂલ કરતો હોય ત્યારે ઘરનું હલકું કામ કરનારી પનિયારી દાસી કે સામાન્ય ગૃહસ્થ પણ તેને સુધારે, તે ગુસ્સે થયા વિના તે કહે તે પ્રમાણે કરવું. કારણ કે, વનમાં માર્ગ ન જાણનારને માર્ગ જાણનાર રસ્તા બતાવે, તે તેમાં તેનું જ શ્રેય છે, તેમ તેણે પણ સમજવું. ધર્મની બાબતમાં પરિપકવ ન થયેલ શિખાઉ શરૂઆતમાં ધર્મને જાણી શકતો નથી. પણ જિન ભગવાનના ઉપદેશથી સમજણ આવ્યા બાદ, સૂર્યોદય થયે જેમ આંખ વડે રસ્ત દેખી શકાય છે, તેમ તે ધર્મને જાણી શકે છે. [૬-૧૩] ગુરને યોગ્ય સમયે શિષ્ય પિતાની શંકાએ પૂછવી તથા તે જે માર્ગ કહી બતાવે, તે કેવલી પુરુષનો માર્ગ છે એમ જાણીને હૃદયમાં સ્થાપવો. એ માર્ગમાં સારી રીતે સ્થિર થયેલા અને પિતાનું અને બીજાનું (પાપ તથા હિંસાથી) રક્ષણ કરનારા ગુરુઓ પાસે જ શંકાસંશયનું યોગ્ય સમાધાન મળી શકે છે. એવા ત્રિલોકદર્શી લોકો જ એવી રીતે ધર્મ કહી શકે છે કે, જેથી શિષ્ય ફરી ભૂલમાં પડતો નથી. સ્થાન, શયન, આસન અને પરાક્રમની બાબતમાં યોગ્ય આચરણવાળા તથા શુભાશુભમાં વિવેકવાળા ગુરુએ પણ, શિખવતી વખતે દરેક વસ્તુ ખુલાસાથી અલગ અલગ સમજાવવી [૧૫-૬૫] તેવા ગુરુ પાસેથી પોતાનું ઈચ્છિત જ્ઞાન શીખનારે શિષ્ય જ પ્રતિભાવાન તથા કુશળ બને છે. તેવો શિષ્ય શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy