________________
જુદા જુદા વાદ આ ઉપરાંત એક જૂના જમાનાથી ચાલતા ક્રિયાવાદન વિષે જાણવા જેવું છે. કર્મબંધન વિષે સાચું જ્ઞાન નહિ બતાવનાર એવા એ વાદને અનુસરીને કેટલાય લેકે સંસારમાં ફસાતા રહ્યા છે. આ વાદમાં એમ કહ્યું છે કે, “જે માણસ ઈરાદે છતાં શરીરથી હિંસા નથી કરતો, તથા જે અજાણમાં હિંસા કરે છે, તેઓને કર્મનો સ્પર્શ લાગે છે ખરે, પરંતુ તેનું પૂરેપૂરું પાપ નથી લાગતું.
જ્યાંથી પાપ પૂરેપૂરું લાગે તેવાં સ્થાન ત્રણ છે : જાતે ઈરાદાપૂર્વક કરવાથી, બીજા પાસે કરાવવાથી કે બીજાના કરેલાને અનુમતિ દેવાથી. પરંતુ એ ત્રણ રીતે હદય જે પાપમુક્ત હોય, તે જરૂર નિર્વાણ મળે.” [૨૪-૨૭] અને એ વાદમાં એક દષ્ટાંત આપ્યું છે કે, “કોઈ ગૃહસ્થ પિતા દુકાળમાં ભૂખનો માર્યો પુત્રમાંસ ખાતે હોય, ને કઈ ભિક્ષુ તેમાંથી ભિક્ષા લઈને ખાય, તે તેને કર્મને લેપ ન લાગે.” [૨૮]
કહું છું કે, આ વાદ અજ્ઞાન છે. મનથી પણ જે દેષ કરે છે, તેને નિર્દોષ ન માની શકાય. કારણ કે, તે સંયમમાં કાર્યો છે. પરંતુ ભોગાસક્ત લેક ઉપરની વાત માની પાપમાં પડ્યા કરે છે. આ બધા મિથ્યાવાદીઓ કેના જેવા છે ? કાણી હેડીમાં બેસી કોઈ જન્માંધ પ્રાણી
૧. “ક્રિયા છે,” અને “ક્રિયાનું ફળ છે ” એવું માનનાર વાદી તે ક્રિયાવાદી કહેવાય. એ રીતે તે જેને પોતે પણ ક્રિયાવાદી જ છે. પરંતુ ક્રિયાવાદીઓમાં પણ બૌદ્ધો જેવા કેટલાક માત્ર માનસિક હેતુ ઉપર જ ભાર મૂકનારા હોઈ, અજાણતાં થતાં કૃત્યો માટે બેદરકારી કે બેજવાબદારી દાખવતા. તેથી તેમનો અહીં વિરોધ કર્યો છે. આની જ વધુ ચર્ચા ૨. ૪ અને ૨. ૬ માં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org